દુનિયામાં
સૌથી વધુ ટ્રેક્ટરનું વેચાણ ભારતમાં : વર્ષ
૨૦૧૩-૧૪માં ટ્રેક્ટરના વેચાણમાં ૨૦ ટકાનો વધારો : ચીનમાં ૪.૨૦ લાખ ટ્રેક્ટર અને અમેરિકામાં
૨ લાખ ટ્રેક્ટરનું વેચાણઃ દેશનાં ખેતઓજારમાં સૌથી મોટું બજાર ટ્રેક્ટર ઇન્ડસ્ટ્રીઝનું :૧૯૬૧-૬૨માં ટ્રેક્ટર બનાવવાની શરૃઆત છતાં આજે સૌથી વધુ ટ્રેક્ટરનું ઉત્પાદન કરતો
દેશ ભારત : ગુજરાતમાં ૧૦૦૦ હેક્ટરે માત્ર ૧૨ ટ્રેક્ટર : આગામી વર્ષમાં પણ વેચાણમાં
૮થી ૧૦ ટકાનો વધારો રહેશે : વર્ષ ૨૦૧૫માં ૮૧ લાખ બિલિયન ડોલરનું બજાર થવાની શક્યતાઃ ગુજરાત સહિત રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને તામિલનાડુ જેવાં
રાજ્યોમાં ખેત ઓજારોનો વપરાશ વધ્યો
દેશમાં
કૃષિક્ષેત્રના વ્યાપની સાથે દેશનું ખેતઓજારોનું બજાર પણ ઝડપથી વિકસી રહ્યું છે. વિશ્વમાં
વર્ષ ૨૦૧૫માં ખેતઓજારોનું બજાર ૮૧ લાખ બિલિયન ડોલરનું થઇ જશે. દેશમાં ગુજરાત સહિત રાજસ્થાન,
પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને તામિલનાડુ જેવાં રાજ્યોમાં ખેત ઓજારોનો વપરાશ વધ્યો
છે. સરકારે પ્લાન્ટ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ, પાવર થ્રેસર, મલ્ટિ ક્રોપ થ્રેસર, રોટાવેટર,
સીડ કમ ર્ફિટલાઈઝર ડ્રીલ, કલ્ટિવેટર અને ટ્રેક્ટર સહિતનાં સાધનોમાં સબસિડી વધારી છે.
દેશના ખેતઓજારોના વેચાણમાં આજે સૌથી મોટો હિસ્સો ટ્રેક્ટર ઇન્ડસ્ટ્રીઝનો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં
ટ્રેક્ટરોના વેચાણમાં ૨૦ ટકાનો ઉછાળો નોંધાવાની સાથે ૬.૩૩ લાખ યુનિટ ટ્રેક્ટરનું વેચાણ
થયું છે સામે ચીનમાં ૪.૨૦ લાખ અને અમેરિકામાં ૨ લાખ ટ્રેક્ટરનું વેચાણ થયું છે. કૃષિક્ષેત્રમાં
૫૦ લાખ ટ્રેક્ટર અને ૧૯૦ લાખ પંપનો રૃટિન વપરાશ સીઝન દરમિયાન થાય છે. દેશના કૃષિક્ષેત્રમાં
ઝડપી પ્રગતિ માટે અત્યાધુનિક ખેતઓજારોનો પણ
ફાળો એટલો છે. અહીં આપણે વાત કરી રહ્યા છે દેશમાં અને ગુજરાતમાં વધી રહેલા કૃષિ યંત્રોના ખાનગીકરણની અને ખેડૂતોના આધુનિકી કરણની.
દે
શમાં જે રીતે કૃષિનો વ્યાપ વધી રહ્યો છે તે જોતાં એ વાત સ્પષ્ટ છે કે ખેડૂતો પણ હવે
કૃષિ ઓજારો અને યાંત્રિકોનો ઉપયોગ વધારતા થયા છે. ખેડૂતો ખેતીમાં કોઈ કસર ન રહી જાય
તે માટે વિવિધ ટેકનોલોજીની સાથે સાથે ઈજનેરી સાધનોનો વપરાશ પણ પુરજોશમાં વધારી રહ્યા
છે. ખેતી થકી સારી કમાણી કરવી હોય તો હવે આધુનિકીકરણ તરફ વળવું પણ જરૃરી બન્યું છે.
જો કે આજના સમયમાં કેટલાંક ખેડૂતો જે આર્િથક રીતે સધ્ધર નથી તેઓ હળ અને બળદથી ખેતી
કરતા પણ જોવા મળે છે. ભારતમાં એક હજાર હેક્ટરે ૧૬ ટ્રેક્ટર છે. જ્યારે વિશ્વમાં આ ટકાવારી
૧૯ ટ્રેક્ટરની છે.
ગુજરાતમાં
૨૦૧૨માં ૫૬ હજાર ટ્રેક્ટરનું વાર્ષિક વેચાણ થયું હતું. દેશમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં
ટ્રેક્ટરનું વેચાણ થયું છે. દેશમાં ૫૦ લાખ ટ્રેક્ટર અને ૧૯૦ લાખ દવા છંટકાવના પંપનો
હાલમાં ખેતીમાં ઉપયોગ થઇ રહ્યો છે. ૧૯૬૧-૬૨માં ટ્રેક્ટર બનાવવાની શરૃઆત છતાં આજે સૌથી
વધુ ટ્રેક્ટરનું ઉત્પાદન કરતો દેશ ભારત છે.
ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો હવે પોતાની ખેતીમાં વિવિધ સાધનોનો ઉપયોગ કરીને સમૃદ્ધ બની
રહ્યા છે. જે તે કંપની દ્વારા જે સાધનો વેચવામાં આવે છે તેનું ખાનગીકરણ પણ પુરજોશમાં
વધી રહ્યું છે. હાલમાં દેશમાં ટ્રેક્ટર ઉદ્યોગ વિકસતા તેના વેચાણમાં પણ ૨૦ ટકાની વૃદ્ધિ
નોંધાઈ છે. મજૂરોની સામે ટ્રેક્ટર બમણું કામ કરી આપે છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં રેકોર્ડબ્રેક
૬,૩૩, ૬૫૬ ટ્રેક્ટરનું વેચાણ થયું છે. ટ્રેક્ટરના
વેચાણના આંકે કારના વેચાણને પણ પાછળ પાડી દીધો
છે. વિવિધ પાકમાં મજૂરોનો અભાવ, સારો વરસાદ
અને યાંત્રિકીકરણમાં થયેલા વધારાને કારણે તેમજ ખેતીમાં વધી રહેલી વિવિધ પ્રવૃત્તિઓને
કારણે ટ્રેક્ટરના વેચાણમાં વધારો થયો હોવાનું ટ્રેક્ટર ઈન્ડસ્ટ્રીના લોકોનું માનવું
છે. સારો વરસાદ રહેવાને કારણે ખેતરમાં અન્ય પાકો લેવાનું પણ ખેડૂતો વિચારતા હોય છે
એટલે ખેતી કરવા માટે ટ્રેક્ટર પર પહેલી પસંદગી ઊતરતી હોય છે. ઉદ્યોગ નિષ્ણાતોનું માનવું
છે કે આ વર્ષે તો ટ્રેક્ટરના વેચાણમાં વધારો થયો છે, પરંતુ આગામી વર્ષમાં પણ ૮થી ૧૦
ટકાનો વધારો રહેશે. ઉદ્યોગકારોના મતે ટ્રેક્ટર ઈન્ડસ્ટ્રી આગામી પાંચ વર્ષની અંદર બમણો
વિકાસ કરશે.
દેશમાં
વર્ષવાર ટ્રેક્ટરનું વેચાણ
વર્ષ
વેચાણની સંખ્યા
૨૦૦૯ ૩,૪૫,૮૨૭
૨૦૧૦ ૪,૪૧,૧૭૪
૨૦૧૧ ૫,૪૫,૧૨૮
૨૦૧૨ ૬,૦૭,૬૫૮
૨૦૧૩ ૫,૯૦,૯૧૫
૨૦૧૪ ૬,૩૨,૨૭૯
ગુજરાતમાં
૨૦૧૨-૧૩માં ૭૫ હજાર ઓજારો પર સબસિડી અપાઇ
દે
શના અર્થતંત્રમાં એગ્રીકલ્ચર મશીનરીનો ફાળો વધતો જાય છે. છેલ્લા કેટલાંક સમયથી કૃષિકારો સામે જે પડકારો
વધ્યા છે તેનો સામનો મશીનરી અને ટેકનોલોજીથી કરી શકાય તેમ છે. ટ્રેક્ટર અને તેને આનુસંગિક
ખેત ઓજારોનો વપરાશ પણ વધતો જાય છે. જેનો સીધો
ફાયદો કૃષિ ક્ષેત્રના ઉત્પાદન પર જોઈ શકાય છે.
ટ્રેક્ટર ઉપરાંત પ્લાન્ટ પ્રોટેક્શન સાધનો માટે પણ સરકારે અલગ સબસિડીની જોગવાઈ
કરી છે. ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા પણ સબસિડીની જોગવાઇમાં વધારો કરવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૧૦-૧૧માં ૬૭,૬૭૩ જેટલાં સાધનો માટે સબસિડી ફાળવવામાં આવી હતી તેવી જ રીતે વર્ષ
૨૦૧૧-૧૨માં સાધનોના વપરાશનો આંક ઊંચે પહોંચ્યો છે અને કૃષિ વિભાગેે કુલ ૮૩,૨૯૯ સાધનો
માટે સબસિડી ફાળવી હતી. જ્યારે વર્ષ ૨૦૧૨-૧૩માં કુલ ૭૫,૦૧૯ સાધનો પર સબસિડી આપવામાં
આવી હતી. પાવર થ્રેસરની જો વાત કરીએ તો વર્ષ ૨૦૧૦-૧૧માં ૧૦૮ સાધનો પર સબસિડી આપવામાં
આવી તેવી જ રીતે વર્ષ ૨૦૧૧-૧૨માં ૨૧૧ અને ૨૦૧૩-૧૪માં ૧૯૮ સાધનો પર સરકારે સબસિડી પૂરી
પાડી હતી. એટલે કે વિવિધ સાધનોની ખરીદી અને તેનો વપરાશ પણ વધ્યો હતો. પાવર થ્રેસરની
જેમ મલ્ટિ ક્રોપ થ્રેસર માટે પણ સરકારે સબસિડીની જોગવાઈ કરી છે અને તેના વપરાશમાં પણ
ઘણો વધારો જોવા મળ્યો છે.
રાજ્ય
સહિત દેશની વાત કરીએ તો કુલ ૫૦ લાખ જેટલાં ટ્રેક્ટર અને કુલ ૧૯૦ લાખ જેટલા પંપનો વિવિધ
ખેતીમાં ઉપયોગ થાય છે. ગુજરાત સહિત રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ
અને તામિલનાડુ જેવાં રાજ્યોમાં ખેતીમાં ખેત ઓજારોનો વપરાશ ધીમે ધીમે વધતો જાય છે. આમ
થવાને કારણે ભારતમાં કૃષિ મશીનરી અને ઈન્ડસ્ટ્રીઝનું ભાવિ ઉજ્જવળ છે. જો કે આ ક્ષેત્રને
પણ બેન્કિંગ અને ફાઈનાન્સને લગતા કેટલાંક પ્રશ્નો નડે છે. ઘરેલું કૃષિ મશીનરીના ઉત્પાદકોને
નાણાકીય કટોકટીનો સામનો પણ કરવો પડે છે. તેમાં સરકાર સહાય કરે તે પણ જરૃરી બની જાય
છે. હાલના કૃષિ બજારની સામે વર્ષ ૨૦૧૫માં ૮૧ લાખ બિલિયન ડોલરનું બજાર થવાની શક્યતાઓ
પણ રહેલી છે. આ સિવાય એગ્રીકલ્ચર ક્ષેત્રમાં પણ નાનાં મોટાં ઓજારોનું માર્કેટ ઊભું
કરાયું છે. જાપાન પણ ખેત ઓજારના ઉત્પાદન અને વેચાણ માટે ઉત્સુક છે. ભવિષ્યમાં થનારા
આ ગ્રોથ માટે વાતાવરણમાં પલટો, વસ્તીવધારો તથા ખોરાકની વધતી જતી માંગ મુખ્ય પરિબળો
બની રહેશે.
પાવર
ટિલરનું વધતું વેચાણ અને વપરાશ
૨૦૧૨-૧૩માં
૧૪,૨૫૦ ખેડૂતોએ સરકારી સહાયથી રોટાવેટરની ખરીદી કરી
જમીન
તૈયાર કરવા હળ, દાંતી અને રાંપથી ત્રણ વખત જે ખેડ કરવી પડે છે એ ખેડ રોટાવેટરથી એકજ
વખતમાં થઈ શકે છે. આ સાધનથી ૧૫ સેમી. સુધીની સારી ખેડ થઈ શકે છે જેને કારણે જમીન ભરભરી
થઈ જાય છે અને વાવેતર માટે ઉત્તમ માનવામાં આવે છે. ખાસ કરીને શેરડી, ઘઉં, બાજરી જેવા
પાકોની કાપણી પછી બીજો પાક લેવો હોય ત્યારે જમીન તૈયાર કરવા માટે ખૂબ જ ઓછો સમયગાળો
મળતો હોય છે. એટલે રોટાવેટરનો ઉપયોગ કરવામાં આવે તો ખેતીમાં સરળતા રહે છે. વર્ષ ૨૦૧૧-૧૨ની
વાત કરીએ તો રાજ્યમાં કુલ ૯૧૬૨ જેટલા રોટાવેટરની ખરીદી કરવામાં આવી હતી તે વધીને વર્ષ
૨૦૧૨-૧૩માં ૧૪,૨૫૦ ખેડૂતોએ રોટાવેટરની ખરીદી કરી હતી. એનો સીધો મતલબ એ થયો કે રાજ્યમાં
ખેતીનો વ્યાપ વધી રહ્યો છે તેની સામે કૃષિ ઓજારોનો ઉપયોગ પણ વધી રહ્યો છે. તેવીજ રીતે
સીડ કમ ફર્ટીલાઈઝર ડ્રીલનો પણ ખેતીમાં ખાસ્સો એવો ઉપયોગ થાય છે. વર્ષ ૨૦૧૧-૧૨માં ૧,૩૪૭ સાધનોની ખરીદી થઈ હતી તે
વર્ષ ૨૦૧૨-૧૩માં ૧,૩૨૯ સાધનો ખરીદાયા હતા.
ટ્રેક્ટરની જેમ પાવર ટિલરનો પણ ખેતીમાં ખાસ્સો એવો વપરાશ રહે છે. આ યંત્ર બાગાયતી ખેતી, દ્રાક્ષના બગીચામાં તથા શાકભાજીની ખેતીમાં ઉપયોગી રહે છે. આ સાધનની મદદથી જમીનમાં ૧૫ સેમી સુધી ઊંડાઈની ખેડ કરી શકાય છે. આ સાધન કપાસ, તુવેર, દિવેલા, શેરડી, કેળ, તમાકુ જેવા પાકોની આંતરખેડ માટે બિલકુલ ઉત્તમ માનવામાં આવે છે. ભારતમાં પણ પાછલા એક દાયકાની અંદર પાવર ટિલરના વેચાણ અને વપરાશમાં વધારો નોંધાયો છે. કૃષિ ઓજારોમાં જેમ જેમ આધુનિકતા આવતી ગઈ છે તેમ તેમ તેનો વપરાશ પણ વધી રહ્યો છે. વર્ષ ૨૦૦૪-૦૫માં ૧૭,૪૮૧ પાવર ટિલરનું વેચાણ થયું હતું. વર્ષ ૨૦૧૦-૧૧માં વેચાણનો આ આંકડો ૫૫,૦૦૦ને પાર કરી ગયો હતો. એટલે કે વેચાણ અને વપરાશમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ યંત્ર એટલા માટે ઉપયોગી છે, કારણ કે તેની સાથે એક ત્રીજંુ પૈડું પણ જોડી શકાય છે. આ સિવાય આ સાધનની મદદથી વોટર પંપ, થ્રેસર, ઘંટી, જનરેટર, જંતુનાશક દવા છાંટવાના પંપ વગેરે પણ ચલાવી શકાય છે. એટલે ખેડૂતો પોતાની ખેતીમાં મહેનત ઓછી અને ઉત્પાદન વધારે મેળવી શકે છે. ખેડૂતો માટે હાલમાં આ ઉત્તમ સાધન ગણાય છે.
દેશમાં
પાવર ટિલરનું વેચાણ
વર્ષ
વેચાણની સંખ્યા
૨૦૦૪-૦૫ ૧૭૪૮૧
૨૦૦૫-૦૬ ૨૨,૩૦૩
૨૦૦૬-૦૭ ૨૪,૭૯૧
૨૦૦૭-૦૮ ૨૬,૧૩૫
૨૦૦૮-૦૯ ૩૫,૨૯૪
૨૦૦૯-૧૦ ૩૮,૭૯૪
૨૦૧૦-૧૧ ૫૫,૦૦૦
૨૦૧૧-૧૨ ૩૯,૯૦૦
ગુજરાતમાં
ખેતઓજારોનું ખાનગીકરણ
પાવર
વીડર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં ઝડપી નીંદણનો નાશ કરી શકાયો : ખેડૂતો એમ્પેનલમાં સમાવિષ્ટ કંપનીઓ પાસેથી ખરીદી કરશે તો જ સબસિડીનો લાભ
મેળવી શકશે
કૃ
ષિના ક્ષેત્રમાં જેટલા ઊંડા ઊતરો એટલું ઓછું. જેમ જેમ કૃષિનો વ્યાપ વધી રહ્યો છે તેમ
તેમ તેનાં સાધનોનો વપરાશ પણ બમણો થઈ રહ્યો છે. આજકાલ ખેડૂતો સમયના અભાવે વિવિધ હાઈ
ટેકનોલોજીયુક્ત સાધનોનો ઉપયોગ કરવામાં પણ પાછીપાની નથી કરી રહ્યા. ખેડૂતોને વિવિધ કૃષિ
સાધનોનો ઉપયોગ કરી ખેતીમાં બમણું ઉત્પાદન પણ મેળવવું હોય છે. રાજ્ય સરકાર દ્વારા પણ
ખેતીના વ્યાપને વિસ્તારવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સરકાર દ્વારા
ખેડૂતોને ઉપયોગી એવાં વિવિધ ખેત ઓજારોના વપરાશ માટે વિવિધ સબસિડીની પણ જોગવાઈ કરવામાં
આવે છે. જોકે, રાજ્યમાં ખેતીવાડી વિભાગે સબસિડીથી
અપાતાં તમામ ખેત ઓજારોમાં એમ્પેનેલ લાગુ કર્યું છે. જેમાં ઓજારની ખરીદી પર ખેડૂતો સબસિડી
મેળવવા માગતા હોય તો એમ્પેનેલમાં સમાવેશ કંપનીઓનાં જ ખેત ઓજારોની ખેડૂતોએ ખરીદી કરવી
પડશે. આમ, રાજ્યમાં ખેત ઓજારોનું ખાનગીકરણ થઇ ગયું છે. ખેત ઓજારોની આજની તાતી જરૃરિયાત
વચ્ચે ખાનગી કંંપનીઓને પણ બખ્ખાં થઇ ગયાં છે. એમ્પેનલનો ફાયદો એ છે કે ખેત ઓજારોના
ભાવ ફિક્સ થઇ જતાં ખેડૂતો છેતરપિંડીનો ભોગ બનતા અટકે છે.
અગાઉ ખેડૂતો પાસે એક જ પ્રકારનાં ખેત ઓજારોના જુદા
જુદા શહેર પ્રમાણે ભાવ અલગ અલગ લેવાતા હતા. કંપનીઓ પણ મનફાવે તેવા ભાવ ખેડૂતો પાસે
વસૂલતી હોવાથી હવે એમ્પેનલથી ખેડૂતોને એક જ ભાવે ઓજાર મળી શકશે. સાથે એ પણ અત્રે નોંધવું
ઘટે કે સબસિડી વિના ખેત ઓજારોનુંં ત્રણ ગણું વેચાણ રાજ્યમાં થાય છે. પૈસાપાત્ર ખેડૂતો
ખેત ઓજારોની સબસિડી વિના પણ ખરીદી કરે છે.
ખાનગી કંપનીઓ પણ બારોબાર ખેડૂતોને ખેત ઓજારોની સબસીડીમાં ધરમધક્કા ન ખાવાની સલાહ આપી
બારોબાર ખેડૂતને ઓજાર ખરીદવાની સલાહ આપતી હોય છે. પરિણામે સબસીડી વિનાના ખેતઓજારોનું
મોટાપાયે વેચાણ થાય છે. રાજ્યમાં કૃષિ વિભાગ દ્વારા સબસિડી અપાતા તમામ ખેત ઓજારો પર
એમ્પેનલ લાગુ કરી દેતાં હવે સબસિડીનો લાભ મેળવવા ઇચ્છતા ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું પડશે
કે એમ્પેનલમાં કઈ કઈ કંપનીઓનો સમાવેશ કરાયો છે.
રાજ્યમાં
સબસીડીથી ખેડૂતોએ ખરીદેલા ખેતઓજાર
ખેત
ઓજાર ૨૦૧૦-૧૧ ૨૦૧૧-૧૨ ૨૦૧૨-૧૩
સુધારેલાં
ઓજાર ૧૭૨૯૩ ૨૭,૪૮૫ ૨૧૭૩૯
રોપાની
જાળવણીનાં ઓજાર ૬૭,૬૭૩ ૮૩,૨૯૯ ૭૫,૦૧૯
પાવર
થ્રેસર ૧૦૮ ૨૧૧ ૧૯૮
મલ્ટિક્રોપ
થ્રેસર ૮૧૯ ૧૫૭૪ ૧૪૨૭
રોટાવેટર ૫૮૭૭ ૯૧૬૨ ૧૪,૨૫૦
લેસર
લેન્ડ લેવલર ૦ ૭૫ ૨૨૦
સીડ
કમ ર્ફિટલાઇઝર ડ્રીલ ૮૬૨ ૧૩૪૭ ૧૩૨૯
ડિસ્ક
કમ એમ. બી. પ્લાઉ ૧૮૫ ૭૫૯ -
કલ્ટિવેટર ૪૨૨ ૧૧૭૨ ૧૨૪૦
રોટરી
પાવર ટિલર ૩ ૦ ૦
કમ્બાઇન
હાર્વેસ્ટર ૦ ૨૯ ૧૯
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment