Tuesday, 8 April 2014

મત્સ્યપાલનમાં રૃ.૩૫ લાખ કમાતો નહારનો ખેડૂત


ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયર યુવકે નોકરી છોડીને ૨૦૦૫ની સાલમાં જંબુસર તાલુકાના નહાર ગામનું પાંચ હેક્ટરનું ગામતળાવ લીઝ પર લીધું હતું : ૫ લાખના ખર્ચે રિનોવેશન કરી મજબૂત પાળા બનાવી તળાવ સમતળ કરાવ્યું  : ૫ હેક્ટરના તળાવમાંથી પ્રતિ હેક્ટર દીઠ ૭ ટન મત્સ્યનું ઉત્પાદન મેળવતો ખેડૂત :એક કિલો મત્સ્યનો ભાવ રૃપિયા સો
રા જ્યમાં ૧૬૦૦ કિલોમીટર દરિયા કિનારાને પગલે મત્સ્યઉદ્યોગના વિકાસની સારી તકો છે. રાજ્યમાં મત્સ્યઉદ્યોગ દિવસે ને દિવસે વિકાસ પામતો જાય છે. માછીમારી હવે ફક્ત દરિયાકિનારે વસતા માછીમારોનો ઇજારો રહ્યો નથી. રાજ્યમાં યુવા ખેડૂતો હવે મત્સ્યપાલનમાં ઝંપલાવી રહ્યા છે તેનું મુખ્ય કારણ મત્સ્યપાલનમાં સારી આવક છે.  મત્સ્યપાલન માટે સૌથી મોટું કોઇ અવરોધરૃપ પરિબળ હોય તો દરિયાની ખારાશ છે. અરબી સમુદ્રના કેટલાક વિસ્તારોમાં ઝીંગા સહિતની અનેક માછલીઓનો ઉછેર કરવામાં ઘણાં પરિબળો નડી રહ્યાં છે ત્યારે ભરૃચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામના એક ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયર યુવકે નોકરી છોડીને ૨૦૦૫ની સાલમાં ગામનું પાંચ હેક્ટરનું તળાવ લીઝ પર લઇ મત્સ્યપાલનનો વ્યવસાય શરૃ કર્યો હતોે. જેમાં ખેડૂત દર વર્ષે રૃપિયા ૩૫ લાખની કમાણી કરે છે. બીજી તરફ લીઝથી તળાવ ભાડે જતાં પંચાયતને પણ નવી આવક ઊભી થઇ છે. આણંદ જિલ્લામાં આ પ્રમાણે તળાવો મત્સ્યપાલન માટે લીઝ પર આપી પંચાયતો સારી એવી આવક મેળવી રહી  છે.

અરબી સમુદ્રના કિનારે આવેલા ભરૃચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામના ૩૫ વર્ષીય રઘુવીરકુમાર રૃપસિંહ મોરીએ ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયરનો અભ્યાસ કર્યો હતો. જેને પગલે ૧૯૯૯માં રઘુવીરકુમાર મોરીને દહેજની એક ખાનગી કંપનીમાં નોકરી મળી ગઇ હતી. જેમાં માત્ર ૧૫ દિવસ નોકરી કરી રઘુવીરકુમારે ખેતીના ક્ષેત્ર સાથે ટ્રાવેલ્સનો વ્યવસાય શરૃ કરી દીધો હતો. ૫૦ એકર જમીન હોવાથી ખેતીમાં જોડાઇ ગયા બાદ ખેડૂત ડ્રિપ ઇરિગેશનથી કપાસ, તુવેર, ઘઉં અને ચણાના પાકનું વાવેતર કરતા હતા. દરમિયાન રઘુવીરભાઇને મત્સ્યપાલનમાં પણ સારી આવક મળી રહેતી હોવાની વિગતો પ્રાપ્ત થઇ હતી. આ વિચારને અમલી બનાવવા માટે ૨૦૦૫ની સાલમાં નહાર ગામના સાડા બાર એકરના ગામ તળાવને વર્ષેદહાડે રૃ.૪૦,૦૦૦ના ભાડે લીઝ પર લીધું હતું. તળાવમાં મીઠું પાણી હોવાથી તેમાંં કટલા, મ્રિગલ, ઝીંગા જેવી ઇન્ડિયન મેજર કાર્પ પાણીમાં નાખીને તેની દેખરેખ ચાલુ કરી હતી. ત્યારબાદ રઘુવીરભાઇએ ૨૦૦૯ની સાલમાં આ ગામતળાવને અંદાજે રૃપિયા ૫ લાખના ખર્ચે રિનોવેશન કરાવી મજબૂત પાળા બનાવ્યા હતા. ઇનલેટ અને આઉટ લેટ પણ મજબૂત બનાવ્યા. ૨૦૦૬ની સાલમાં પહેલું વર્ષ હોવાથી અંદાજે ૨ લાખનો ખર્ચ કર્યા બાદ ૫,૦૦૦ કિલોગ્રામ મત્સ્યનું ઉત્પાદન મળતા ખેડૂતને માત્ર રૃ.૫,૦૦,૦૦૦ની માતબર આવક મળી હતી. જેમાં દર વર્ષે ઉત્પાદનમાં નિરંતર વધારો થતાં ૨૦૦૯ની સાલથી આજ સુધીમાં પ્રતિ હેક્ટર ૭ મે. ટન મત્સ્યનું ઉત્પાદન મળતું થઇ ગયું છે. તળાવ ૫ હેક્ટરનું છે. જેમાં માછલીઓને ખાધા ખોરાક માટે તળાવના મીઠા પાણીમાં ૫ લાખનો માતબર ખર્ચ થતો હતો. જેમાં ઉત્પાદનમાં ભરપૂર વધારો થતાં વર્ષેદહાડે ૩૫,૦૦,૦૦૦ ની માતબર આવક મળતી થઇ ગઇ છે. માછલીઓમાં ખેડૂતને રવ, કટલા તેમજ ઝિંંગાનું માતબર ઉત્પાદન મળે છે.   બાબતે રઘુવીરકુમાર મોરી મત્સ્યઉદ્યોગ માટે કહે છે કે, એક નહાર ગામના તળાવમાં મત્સ્યઉધોગ માટે જે  સફળતા મળી છે તે જોતાં સમગ્ર રાજ્યના ગામડાઓના તળાવોમાં લીઝ દ્વારા તળાવ ભાડે અપાય તો ગામને આવક મળે અને કેટલાક યુવાનોને આવકનું નવું સાધન ઉભું થઇ જાય. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..




No comments:

Post a Comment