Wednesday, 9 April 2014

બી.એસસી એગ્રીકલ્ચરઃ આઠ સેમેસ્ટરનો અભ્યાસ


બી.એસસી. ઈન એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ વિવિધ ખાનગી સંસ્થાઓ કે પછી સરકારના વિવિધ વિભાગોમાં પણ નોકરી મેળવી શકે : એડમિશનમાં જાતિ આધારે ટકાવારીમાં પણ છૂટછાટ : ૧૨ વિજ્ઞાાનપ્રવાહમાં ઓછામાં ઓછા ૪૦ ટકા સાથે પરીક્ષા પાસ કરેલી હોવી છાત્રો માટે ફરજિયાત 

ખે તી અને ખેડૂતને સમૃદ્ધ બનાવવા માટે ચાલતા વિવિધ પ્રકારના અભ્યાસક્રમો પૈકીનો એક અભ્યાસક્રમ બી.એસસી. (એગ્રી) છે. ધો.૧ર સાયન્સ બી-ગ્રૂપ સાથે પાસ કર્યા બાદ આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકાય છે. સંપૂર્ણ અંગ્રેજી માધ્યમનો આ અભ્યાસક્રમ ચાર વર્ષ અને આઠ સેમેસ્ટરનો હોય છે. જેમાં ખેતીને લગતાં તમામ પાસાંઓને આવરી લેવામાં આવે છે. બાગાયત વિભાગમાં ફળ, શાકભાજી અને ફૂલ તેમજ ખેતીના જુદા જુદા પાકો અંગે પ્રાથમિક કક્ષાની તમામ બાબતો આ અભ્યાસક્રમમાં શીખવવામાં આવે છે.  બી.એસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરવા શું જરૃરી? કોઈ પણ ક્ષેત્રમાં અભ્યાસ કરવા માટે સૌ પ્રથમ એડમિશન કેવી રીતે મળે તે જાણવું જરૃરી હોય છે. જેને અનુસરીને વિદ્યાર્થી એગ્રીકલ્ચર ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઘડી શકે છે. જો કોઈ વિદ્યાર્થીએ બી.એસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરવો હશે તો તેમણે ૧૨મું ધોરણ વિજ્ઞાાન પ્રવાહ સાથે પાસ કરેલું હોવું જોઈશે. વિજ્ઞાાન પ્રવાહની અંદર બી ગ્રૂપ (ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી)ના વિદ્યાર્થીઓ બી. એસસી ઈન એગ્રીકલ્ચરમાં એડમિશન મેળવી શકે છે. એડમિશન મેળવવા માટે બી ગ્રૂપની સાથે સાથે અંગ્રેજી વિષય પણ ફરજિયાત પાસ કરેલો હોવો જરૃરી છે.
એડમિશન માટે કેટલા માર્ક્સ અને ટકા જરૃરીઃ જે વિદ્યાર્થીઓ બી.એસ.સી. ઈન એગ્રીકલ્ચરનો અભ્યાસ કરવા ઈચ્છતા હશે તેમણે ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૪૦ ટકા સાથે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈશે. જો કે વિવિધ યુનિર્વિસટી દ્વારા જાતિ આધારે ટકાવારીમાં પણ છૂટછાટ આપવામાં આવી છે.
 અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓએ ૩૫ ટકા સાથે ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહ પાસ કરેલું હોવું જોઈએ. તેવી જ રીતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓએ (sebc) ૪૦ ટકા સાથે ધોરણ ૧૨ પાસ કરેલું હોવું જોઈએ. જ્યારે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે યુનિર્વિસટી દ્વારા ૪૦ ટકા ગુણ સાથે પરીક્ષા પાસ કરેલી હોય તેને એડમિશન આપવાની જોગવાઈ કરી છે. જે વિદ્યાર્થીઓએ ગુજકેટ (GUJCET) જેઈઈની પરીક્ષા પાસ કરી હશે તેમને જ એડમિશન માટે લાયક ઠેરવવામાં આવશે. વિવિધ એગ્રીકલ્ચર યુનિર્વિસટીઓ દ્વારા ખેડૂત પુત્રો માટે વધારાના ૫ ટકા પણ આપવાની જોગવાઈ કરી છે. યુનિર્વિસટી દ્વારા જો કોઈ વિદ્યાર્થીનાં પિતા, માતા, ભાઈ, બહેન કે કાકા જો જમીન ધરાવતાં હશે અને ખેડૂતનો હક્ક ધરાવતા હશે તો તેમને એડમિશનમાં વધારાના ૫ ટકા ગુણ ઉમેરાશે.

અભ્યાસ બાદ ક્યાં નોકરી મળે? બી.એસસી ઈન એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ વિવિધ ખાનગી સંસ્થાઓ કે પછી સરકારના વિવિધ વિભાગોમાં પણ નોકરી મેળવી શકે છે. આમ તો મોટાભાગના વિદ્યાર્થીઓ બી.એસસી કર્યા બાદ એમ.એસસીનો અભ્યાસ કરતા હોય છે, પરંતુ જો કોઈ વિદ્યાર્થીને બી.એસસી કર્યા બાદ તુરંત જ નોકરી મેળવવી હોય તો કોલેજ દ્વારા કેમ્પસ ઈન્ટવ્યૂનું પણ આયોજન કરવામાં આવે છે. બી.એસ.સી એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ જીએસએફસી, જીએનએફસી, બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક સહિત કૃષિ ક્ષેત્રમાં ધીરાણનું કામ કરતી વિવિધ ખાનગી બેંકોમાં પણ નોકરી મેળવી શકે છે. આ સિવાય પેસ્ટીસાઈડ કંપનીઓ, ઇરિગેશન કંપનીઓ, કૃભકો, ઈફ્કો સહિત વિવિધ ખાતર અને બિયારણ કંપનીઓ, દવાઓની કંપનીઓમાં  પણ વિદ્યાર્થીઓને નોકરી મળી રહેે છે. આ સિવાય ખેતીવાડીને લગતી અન્ય ખાનગી સંસ્થાઓ, જુદી જુદી એનજીઓ, ગ્રામ્ય વિકાસ એજન્સીઓમાં ફરજ બજાવી શકે છે. 

 અભ્યાસક્રમ અને ફી અંગેની વિગતો : બી.એસસી ઈન એગ્રીકલ્ચરનો અભ્યાસક્રમ કુલ ૪ વર્ષનો અને ૮ સેમેસ્ટરમાં હોય છે. પહેલા સેમેસ્ટરમાં જે તે વિદ્યાર્થી કે વિર્દ્યાિથનીએ ૧૨,૦૦૦ રૃપિયા જેટલી ફી ભરવાની રહે છે ત્યારબાદ બાકીનાં ૭ સેમેસ્ટરમાં દરેક સેમેસ્ટર દીઠ ૮,૦૦૦ જેટલી ફી ભરવાની રહે છે. જે વિદ્યાર્થીઓ પેમેન્ટ સીટ પર એડમિશન મેળવ્યું હોય તેમણે દરેક સેમેસ્ટર દીઠ ૨૫,૦૦૦ રૃપિયા જેટલી ફી ભરવાની રહે છે. પ્રથમ વર્ષમાં પેમેન્ટ સીટમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ ૫૦,૦૦૦ જેટલી ફી ભરવી પડે છે જ્યારે બાકીનાં સેમેસ્ટરની રૃપિયા ૨૫,૦૦૦ લેખે ફી ભરવાની રહે છે. જે તે વિદ્યાર્થીને ખાસ કરીને યુનિર્વિસટી તરફથી હોસ્ટેલમાં રહેવા-જમવાની પણ સુવિધા આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ યુનિર્વિસટીની આસપાસના ગામમાં રહેતા હોય તો તે અપડાઉન પણ કરી શકે છે. તેના માટે યુનિર્વિસટી કે જે તે કોલેજ તરફથી વિદ્યાર્થીઓએ પરવાનગી લેવાની રહેતી હોય છે. 

એડમિશન લેવા ઈચ્છતા છાત્રો ઓનલાઇન ફોર્મ ભરી શકે : બી.એસસી. ઈન એગ્રીકલ્ચરમાં અભ્યાસ માટે પ્રવેશપરીક્ષા લેવામાં આવતી ન હોવાથી ધોરણ ૧૨ની ટકાવારી મહત્ત્વની બી.એસસી ઈન એગ્રીકલ્ચરનો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહનું રિઝલ્ટ આવે ત્યારબાદ વિવિધ દૈનિક સમાચારપત્રમાં એડમિશન અંગેની જાહેરાત આપવામાં આવે છે. મે મહિનામાં ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ આવી જાય છે. ત્યાર બાદ જૂન માસના પ્રથમ કે બીજા અઠવાડિયાની અંદર બી.એસસી એગ્રીકલ્ચરના અભ્યાસ માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાની શરૃઆત થઈ જાય છે. જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા ઈચ્છતા હોય તે જે તે યુનિર્વિસટીની વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા માટે પહેલાં જે તે બેંકનું ચલણ ભરવું પડે છે ત્યારબાદ તે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ૧૦થી ૧૫ દિવસની અંદર એડમિશન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે તે યુનિર્વિસટી દ્વારા મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે અને મેરિટ લિસ્ટના આધારે જે તે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. એન્ટ્રન્સ એક્ઝામ ન હોવાથી ૧૨ સાયન્સના ટકાને આધારે મેરિટ તૈયાર થતું હોય છે.


કયા કયા વિષયો ભણાવવામાં આવે છેઃ બી. એસસી એગ્રીકલ્ચરમાં વિવિધ વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે. ખાસ કરીને ખેત પદ્ધતિમાં પાકનું વાવેતર, જાળવણી, ઉત્પાદન વગેરે બાબતોની માહિતી આપવામાં આવે છે. જ્યારે વિસ્તરણ વિભાગમાં નવાં બિયારણો અને સંશોધનો ખેડૂતો સુધી કેમ પહોંચાડવાં ? રોગ-જીવાત અંગેનું નિયંત્રણ કેવી રીતે કરવું ? વગેરે પાસાઓને આ અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવે છે. એગ્રોનોમી વિષય દ્વારા સુધારેલી ખેત પદ્ધતિઓ, પાકને ખાતર પાણી કેટલું આપવું તે અંગે પણ વૈજ્ઞાાનિક ખેત પદ્ધતિનો અભ્યાસ કરાવવામાં આવે છે. જમીનના અલગ અલગ પ્રકારના વિષયો, વિવિધ પાકોના બિયારણ અને નવી નવી જાતોનાં સંશોધન અંગેની પણ વિદ્યાર્થીઓને માહિતી પુરી પાડવામાં આવે છે. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment