Tuesday, 25 February 2014

ગુજરાતમાં કૃષિ ઉત્પાદનના અંદાજો જાણવા ક્લિક કરો

  • ૪૮ લાખ ટન ઘઉં, ૨૧ લાખ ટન ડુંગળી અને ૧૭ લાખ ટન બટાટા પાકશે
  • રવી સીઝન રાજ્યના ખેડૂતો માટે ફાયદાકારક રહેશે
  • રાજ્યમાં ધાન્ય પાકોનું ૯૧ લાખ ટન, કઠોળ પાકોનું ૭.૮૮ લાખ ટન અને તેલીબિયાં પાકોનું ૭૪ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજઃ
  • જીરુંનું ૩.૧૪ લાખ ટન ઉત્પાદન થશે



રાજ્યમાં સારા વરસાદને પગલે વાવેતર વધતાં ઉત્પાદનના ઊંચા અંદાજો બહાર આવ્યા છે. રાજ્યમાં રવી સીઝનમાં ૩૮.૫૪ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. રાજ્યનો સરેરાશ વાવેતર વિસ્તાર ૩૫.૭૪ લાખ હેક્ટર છે. ૨૦૧૨-૧૨માં રવી સીઝનમાં ૨૯.૮૩ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ, ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક વાવેતર થતાં ઉત્પાદનના અંદાજો પણ રેકોર્ડબ્રેક બહાર આવ્યા છે.
૧૪ લાખ ટન બાજરી પાકશે :
ઉનાળુ અને ચોમાસુ સીઝનમાં બાજરીનું ઉત્પાદન થાય છે. ઉનાળામાં ૨૦૧૩-૧૪ની સીઝનમાં ૩.૮૩ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૯.૪૨ લાખ ટન ઉત્પાદન થયું હતું. ખરીફમાં પણ ૩.૪૪ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૪.૭૪ લાખ ટન રહ્યું હતું. આમ, ચાલુ વર્ષે બાજરીનું રાજ્યમાં ૧૪.૧૬ લાખ ટન ઉત્પાદન થયું છે.

૮.૭૧ લાખ ટન મકાઇનું ઉત્પાદન થશે
રાજ્યમાં મકાઇની ખેતી મધ્ય ગુજરાતમાં થાય છે. મકાઇ રાજ્યમાં ત્રણેય સીઝનમાં થતો પાક છે. ૨૦૧૩-૧૪ના વર્ષમાં મકાઇનું  ૪.૯૦ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૮.૭૧ લાખ ટન થવાનો અંદાજ છે.

૪૮ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થશે
રવી સીઝનમાં સૌથી વધુ વાવેતર ઘઉંના પાકનું થાય છે. ઘઉંનો સરેરાશ વાવેતર વિસ્તાર રાજ્યમાં ૧૩ લાખ હેક્ટર છે. ચાલુ રવી સીઝનમાં ઘઉંનંુ ૧૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. ઘઉંની પ્રતિ કિલો હેક્ટરદીઠ ઉત્પાદકતા પણ ૩૦૧૫ કિલો રહેતાં ઘઉંનું ૪૮ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ રાજ્યના કૃષિ વિભાગે મૂક્યો છે.

કપાસ ૯૫ લાખ ગાંસડી પાકશે
રાજ્યમાં ખરીફ સીઝનમાં કપાસનું વાવેતર થાય છે. આ વર્ષે કપાસનું ૨૬.૯૧ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૯૫ લાખ ગાંસડી રહેશે. ૨૦૧૨-૧૩માં પણ ૮૫ લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થયું હતું.

૧૯ લાખ ટન ચોખા પાકશે
ડાંગરનું સૌથી વધુ વાવેતર રાજ્યમાં ચોમાસાની સીઝનમાં થાય છે. ૨૦૧૩-૧૪ની ખરીફ સીઝનમાં રાજ્યમાં ડાંગરનું ૭.૯૯ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૧૬.૭૪ લાખ ટન થયું છે. ઉનાળામાં ૮૦ હજાર હેક્ટરમાં ડાંગરનું વાવેતર થતાં ચોખાનું ઉત્પાદન ૨.૪૦ લાખ ટન થવાનો અંદાજ છે. ચોખાનું સૌથી વધુ વાવેતર રાજ્યમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થાય છે.

ગુવારનું ઉત્પાદન ૨.૯૩ લાખ ટન રહેશે
ગવારગમના સારા મળતા ભાવોને પગલે ખેડૂતોએ ગુવારની ખેતીમાં ઝંપલાવતાં ગુવારનું વાવેતર ૪.૮૪ લાખ હેક્ટરમાં થયું છે. જેમાં હેક્ટરદીઠ ઉત્પાદકતા માત્ર ૬૦૫ કિલો જ આવવાની સંભાવનાથી ઉત્પાદન ૨.૯૩ લાખ ટન રહેવાનો અંદાજ છે.

૩.૧૪ લાખ ટન જીરું થશે

રાજ્યમાં રવી સીઝનમાં વાવેતર થતા જીરુંના પાકનું ૩.૧૪ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ કૃષિ વિભાગ દ્વારા લગાવાયો છે. જીરુંનું ચાલુ સીઝનમાં ૪.૪૮ લાખ હેક્ટરમાં રેકોર્ડબ્રેક વાવેતર થયું હતું. જેથી ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે. જીરુંના સારા ભાવથી ખેડૂતોએ આ વર્ષે  વાવેતરમાં વધારો કર્યો છે.  
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Monday, 24 February 2014

દેશમાં પાકનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થશે

  • દેશના કૃષિ વિકાસદરમાં ત્રણ ગણો વધારો થવાનો અંદાજ
  • સારા વરસાદને પગલે રવી અને ખરીફ સીઝનને ફાયદો થતાં કૃષિ સેક્ટરની ટ્રેન તેજીના પાટા પર દોડવા લાગી
  • ઘઉં, ચોખા, મકાઈ અને રાઈનું ઓલટાઇમ ઊંચું ઉત્પાદન
  • દેશમાં ઠંડું અને વરસાદી વાતાવરણને કારણે ઘઉં અને કઠોળ પાકોને ફાયદો થશે 
  •  દેશ પાસે ચોખા અને ઘઉંની નિકાસ કરવાની ઉત્તમ તકઃ કઠોળ પાકોની આયાતમાં ઘટાડો થશે
  • દેશમાં કૃષિક્ષેત્રે ધિરાણ વધારીને આઠ લાખ કરોડ કરાયું ઃ ૪૫ અબજ ડોલરની કૃષિ નિકાસ થઇ 
  • અનાજનું ૨૬૩૨ લાખ ટન રેકોર્ડબ્રેક ઉત્પાદન થશે
  • દેશમાં સારા ચોમાસાને પગલે કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો 
  • મકાઈના ઉત્પાદનમાં દેશમાં એક દાયકામાં ૧૦૦ લાખ ટનનો વધારો થયો
  • ઘાન્ય, કઠોળ, રોકડિયા અને તેલીબિયાં પાકોનું ઉત્પાદન વધ્યું
  • સારું ચોમાસું કૃષિક્ષેત્રમાં તેજી લાવ્યું


દેશમાં સારા ચોમાસાને પગલે કૃષિ વિકાસનો સિનારિયો બદલાઇ જવાની સાથે કૃષિ વિકાસ દરમાં પણ ત્રણ ગણો વધારો નોંધાયો છે. ૨૦૧૧-૧૨ના ૧.૭ ટકા કૃષિ વિકાસદર સામે ૨૦૧૩-૧૪માં ૪.૬ ટકા કૃષિ વિકાદર નોંધાયો છે. ચાલુ વર્ષે દેશમાં રેકોર્ડબ્રેક ધાન્ય , તેલીબિયાં અને કઠોળ પાકોનું ઉત્પાદન થવાના અંદાજો મંડાયા છે. કૃષિ સેક્ટરમાં તેજીની સાથે નિકાસ બજારનો આંક પણ ઊંચકાવાની સંભાવના છે. ૨૦૧૩-૧૪માં ૪૫ અબજ ડોલરની નિકાસ થઇ છે. ખરીફ સીઝનમાં સારા વરસાદથી રવી સીઝનને પણ ફાયદો થતાં કૃષિ સેક્ટરની ટ્રેન તેજીના પાટા પર દોડવા લાગી છે. ગુજરાતમાં પણ આ જ સ્થિતિ છે. ગત વર્ષે અછતને અભાવે ઉત્પાદનમાં માર ખાનાર ગુજરાતમાં પણ રવી સીઝનમાં ઉત્પાદનના ઉંચા અંદાજો બહાર આવ્યા છે. રાજ્યમાં ૪૮ લાખ ટન ઘઉં, ૨૧ લાખ ટન ડુંગળી, ૧૯ લાખ ટન ચોખા અને ૪.૫૮ લાખ ટન રાઇ સહિત ૩.૧૪ લાખ ટન જીરું પાકવાનો અંદાજ છે.

 કેન્દ્ર સરકારે તાજેતરમાં કૃષિ ઉત્પાદનના જાહેર કરેલા બીજા અંદાજ અનુસાર દેશમાં ધાન્ય, રોકડિયા, તેલીબિયાં અને કઠોળ પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો નોંધાશે. દેશમાં ૭ ફેબ્રુઆરી સુધીમાં ૬૫૪ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયુંં હતું જે ગત વર્ષે ૬૧૮ લાખ હેક્ટર હતું. આમ, વાવેતરમાં વધારાનો ફાયદો ઉત્પાદનમાં બહાર આવ્યો છે. ચાલુ વર્ષે પાકોનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાના અંદાજ મુકાયા છે. સરકારે જાહેર કરેલા રિપોર્ટ અનુસાર વાતાવરણમાં અચાનક આવેલો પલટો અને ખાસ કરીને ઠંડી અને વરસાદી વાતાવરણને કારણે દેશમાં ઘઉં અને કઠોળ પાકોનું ઉત્પાદન વધશે. ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં ઠંડી અને વરસાદી માહોલને કારણે પણ પાકનું ઉત્પાદન વધવાની શક્યતા છે. તો આ તરફ ખાસ કરીને હિમાલયન સ્ટેટમાં ખેતી ક્ષેત્રે ભાવી ઉજળું બનવાની અને હરિયાળી ક્રાંતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. બદલાતા હવામાનને કારણે બાગાયતી અને ફળઝાડના પાકો સહિત ઘઉં, કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો જોવામાં આવશે. રાત્રીના સમયે તાપમાનમાં ઘટાડો થવાને કારણે અંતિમ તબક્કામાં ઘઉંની ઉપજમાં વધારો થશે. જો કે આ તરફ કૃષિ વૈજ્ઞાાનિકો અને હવામાનશાસ્ત્રીઓના મતે અલગ અલગ સ્થળોએ પાણી પાકને અસર કરી શકે છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે તેમજ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તરફથી ફૂંકાતા પવનોને કારણે પણ પાકને આંશિક અસર થઈ શકે છે. એક તરફ હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ બિહાર અને ઉત્તર છત્તીસગઢ અને પંજાબના પાકને સામાન્ય અસર થઈ શકે છે તો આ તરફ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે પણ પાકને આંશિક નુકસાન પહોંચશે. એક નજર કરીએ વિવિધ પાકોના વાવેતર વિસ્તાર અને ઉત્પાદન પર એક નજર કરીએ.

દેશમાં ચોખાનું ઓલટાઇમ હાઈ ઉત્પાદન થશે

ધાન્ય પાકોમાં ચોખાનું મસમોટું ઉત્પાદન થાય છે. ચોખાનું સૌથી વધુ વાવેતર ઉત્તર ભારતમાં થાય છે. હરિયાણા અને પંજાબ એ ઘઉંના ઉત્પાદનમાં અગ્રેસર રાજ્યો છે. ચોખા એ સામાન્ય વર્ગનો પાક હોવાની સાથે ચોખાનો વપરાશ પણ દેશમાં વધારે થાય છે. ૨૦૦૯-૧૦માં ચોખાનું ઉત્પાદન ૮૯૦ લાખ થયું હતું. વર્ષ ૨૦૧૨-૧૩માં ચોખાનું ઉત્પાદન ૧૦૫૨ લાખ ટન થયું હતું, પરંતુ આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૩-૧૪ના બીજા અંદાજ અનુસાર ૧૦૬૧ લાખ ટન ઉત્પાદન થશે. સારા વરસાદને પગલે આ વર્ષે ચોખાનું ઉત્પાદન વધશે તેવો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. આમ ચોખાનું ઉત્પાદન આ વર્ષે ઓલટાઇમ હાઇ થશે. ચોખાનું ઉત્પાદન વધતાં ભારત વિશ્વબજારમાં ચોખાની નિકાસમાં અગ્રીમ હરોળમાં આવી ગયું છે. ચાલુ વર્ષે દેશ પાસે ચોખાની નિકાસ કરી વિદેશી હૂંડિયામણ કમાવવાની ઉત્તમ તક છે.

ઘઉંનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થશે

ઘઉંના પાકની વાત કરવામાં આવે તો ઘઉં એ દેશનો મુખ્ય ધાન્ય પાક છે. દેશમાં ઘઉંનું કુલ ૩૧૫ લાખ હેક્ટર વિસ્તારમાં આ સીઝનમાં વાવેતર કરવામાં આવ્યું છે. જોકે ગત વર્ષે આ વાવેતર માત્ર ૨૯૮ લાખ હેક્ટર વિસ્તારમાં થયંુ હતું, આ વર્ષે સારો એવો વરસાદ અને તાપમાનમાં ઘટાડો ઘઉંના પાક માટે ફાયદાકારક માનવામાં આવે છે. વર્ષ ૨૦૧૨-૧૩માં  ૯૩૫ લાખ ટન ઘઉંનું ઉત્પાદન નોંધાયું હતું જો કે, આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૩-૧૪માં ૯૫૬ લાખ ટન ઉત્પાદન થાય તેવો અંદાજ છે. ઘઉંનું આ વર્ષનુંું ઉત્પાદન રેકોર્ડબ્રેક છે. એક સમય એવો હતો કે ભારત એ ઘઉંની આયાત કરતો દેશ હતો, પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થતાં આયાત હવે નિકાસમાં બદલાઇ ગઇ છે. ૨૦૧૨-૧૩માં દેશમાંથી એક હજાર કરોડના ઘઉંની નિકાસ કરાઇ હતી. ચાલુ વર્ષે  ઘઉંની રૃપિયા ૧૦ હજાર કરોડની નિકાસ કરાઇ છે. આમ, ઘઉંની ખેતી ખેડૂતોએ વધારતાં ઘઉંનો સિનારિયો બદલાઇ ગયો છે. ૨૦૦૯-૧૦ની તુલનાએ ૧૦૦ લાખ ટન ઘઉંના ઉત્પાદનમાં વધારો નોંધાયો છે.

મકાઈ ઉત્પાદનના રેકોર્ડ તોડશે

મકાઈના ઉત્પાદન અંગે વાત કરીએ તો વર્ષ ૨૦૧૨-૧૩માં ૨૧૦ લાખ ટન મકાઈનું ઉત્પાદન નોંધાયું હતું જો કે આ વર્ષે ૭ ફેબ્રુઆરી સુધીના બીજા અંદાજ મુજબ વર્ષ ૨૦૧૩-૧૪માં ૨૩૨ લાખ ટન મકાઈનું ઉત્પાદન નોંધાશે. મકાઈનો હવે પોલ્ટ્રીફાર્મમાં ઉપયોગ વધવા લાગ્યો છે. મકાઈનું રવી સીઝનમાં પણ ૧૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. મકાઈની ખેતીમાં એક દાયકામાં ઘણો જ સુધારો થયો છે. દાયકામાં ઉત્પાદનમાં ૧૦૦ લાખ ટનનો વધારો નોંધાયો છે. આ વર્ષે મકાઈનું અત્યાર સુધી સૌથી વધુ ઉત્પાદન થવાનો અંદાજ છે.


કઠોળ પાકોનું ઉત્પાદન ૨૦૦ લાખ ટનને આંબશે

કઠોળ પાકોની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૮૩ લાખ ટન કઠોળ પાકનું ઉત્પાદન નોંધાયંુ હતું. જો કે, વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૯૭ લાખ ટન કઠોળ પાકનું ઉત્પાદન થાય તેવો અંદાજ લગાવાયો છે. ચણાના ઉત્પાદનની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી ચણાનો સારો એવો પાક આવશે તો લઘુતમ ટેકાના ભાવ ૩,૧૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ રહે તેવી શક્યતાઓ છે. દેશમાં કઠોળ પાકોનો ૨૩૦થી ૨૪૦ લાખ ટન વપરાશ રહે છે. ભારત દર વર્ષે ૩૦થી ૪૦ લાખ કઠોળની આયાત કરે છે. સરકાર કઠોળ પાકોનું વાવેતર વધારવા માટે યોજનાઓ બહાર પાડી ખેડૂતોને સબસિડી આપે છે. કઠોળની જરૃરિયાત સામે ઉત્પાદન ઓછું હોવાથી કૃષિ વિભાગના પ્રયત્નોને પગલે હવે ઉત્પાદનનો આંક ૨૦૦ લાખ ટનને આંબવા આવ્યો છે. કઠોળનું સૌથી વધુ વાવેતર રવી સીઝનમાં થાય છે. ચાલુ વર્ષે રવી સીઝનમાં વાવેતર વધતાં ૧૩૫ લાખ ટન કઠોળ પાકવાનો અંદાજ છે. ખરીફમાં પણ ઉત્પાદન વધીને ૬૨ લાખ ટન થયું હતું. કઠોળમાં સૌથી વધુ ઉત્પાદન ચણાનું ૯૭ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. અડદનું પણ ૧૫ લાખ ટન ઉત્પાદન થશે. મગનું પણ ૧૨.૮૦ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો છે. દેશમાં તુવેરનું ૩૪ લાખ ટન ઉત્પાદન થશે.  આમ, કઠોળના ઉત્પાદનમાં વધારો ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે.


દેશમાં તેલીબિયાં પાકોને પણ ખરીફ સીઝન ફળી

તેલીબિયાં પાકોનું પણ બમ્પર ઉત્પાદન થાય તેવી શક્યતા છે. સરકારના બીજા અંદાજ મુજબ વર્ષ ૨૦૧૩-૧૪માં ૯ તેલીબિયાં પાકોનું કુલ ૩૨૯ લાખ ટન ઉત્પાદન થશે. જો કે વર્ષ ૨૦૧૨-૧૩માં કુલ ઉત્પાદન માત્ર ૩૦૯ લાખ ટન થયું હતું તેનો પણ આ વર્ષે રેકોર્ડ તૂટશે. તો આ તરફ રાજસ્થાનમાં પણ આ વર્ષે થનારા પાકમાં સારી એવી ઉજ્જવળ તકો જોવાઈ રહી છે. જાણકારોના મતે રાઈનું સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્ય રાજસ્થાનમાં આ વર્ષે એપ્રિલ માસના પ્રથમ અઠવાડિયામાં જ રાઈના પાકમાં ૪૦ ટકાનો વધારો જોવા મળશે. વાવેતર વિસ્તાર વધતા ૧૦ ટકાના વધારા સાથે ગુજરાત અને રાજસ્થાનમાં ૭૫ લાખ ટનથી પણ વધારે રાઈનું ઉત્પાદન થાય તેવી શક્યતાઓ ચોક્કસ વર્તાયેલી છે.  દેશભરમાં રાઇનું કુલ ૮૨ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. મગફળીના ખેડૂતો માટે આ સીઝન ભાવને પગલે નિષ્ફળ રહી છે, પરંતુ મગફળીનું ૯૧ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો છે.
  ખરીફમાં ૭૦ લાખ ટન મગફળી પાકવાની સાથે રવી સીઝનમાં પણ ૨૧ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાની શક્યતા છે. સનફ્લાવર અને સોયાબીનનું બમ્પર ઉત્પાદન થતા વૈશ્વિક ભાવો પણ સારા એવા જળવાઈ રહેશે. રાઈનું વધારે ઉત્પાદન થશે તો રાઈ અને સોયાબીન ઓઈલની અમેરિકા, આર્જેન્ટિના અને બ્રાઝિલમાં માર્ચ માસ દરમિયાન નિકાસ વધશે. નિષ્ણાતોના મતે પાછલા મહિનામાં રાઈના તેલમાં ૨થી ૩ રૃપિયા પ્રતિ લિટર વધ્યા હતા. જો વધારે ઉત્પાદન રહેશે તો વૈશ્વિક ભાવો પણ મજબૂત બનશે. તેલીબિયાં પાકોમાં સૌથી વધુ ઉત્પાદન સોયાબીનનું થશે. સોયાબીનનું ૧૨૪ લાખ ટન ઉત્પાદન થવાનો કૃષિ વિભાગે અંદાજ મૂક્યો છે. તલનું પણ ૬.૭૨ લાખ ટન અને એરંડાનું ૧૬.૪૬ લાખ ટન ઉત્પાદન થશે.
શેરડીની વાત કરવામાં આવે તો સરકારના બીજા અંદાજના રિપોર્ટ અનુસાર ૩૪૫૯ લાખ ટન શેરડીનું ઉત્પાદન થવાની શક્યતા છે જ્યારે કે વર્ષ ૨૦૧૨-૧૩માં ૩૪૧૨ લાખ ટન શેરડીનું ઉત્પાદન નોંધાયું હતું.

દેશમાં રવી સીઝનના વાવેતરનો અંદાજ  
પાકનું નામ  ૨૦૧૨-૧૩      ૨૦૧૩-૧૪
ઘઉં                    ૨૯૮     ૩૧૫
ડાંગર                  ૧૮        ૨૫
જુવાર                 ૩૮        ૩૬
મકાઈ                 ૧૪        ૧૫
તેલીબિયાં            ૮૭        ૯૦
કઠોળ                 ૧૫૨     ૧૬૧
ચણા                  ૯૫        ૧૦૨
અડદ                  ૯.૦૨    ૯.૦૭
મગ                    ૭.૦૪    ૭.૯૦
મગફળી              ૮.૭૪    ૭.૮૫
તલ                    ૬૮,૦૦૦  ૯૩,૦૦૦
નોંધઃ દેશમાં વાવેતરના આંક લાખ હેક્ટરમાં છે.

કૃષિ પાકોના ઉત્પાદનનો ૨૦૧૩-૧૪ના વર્ષનો અંદાજ
 પાક     ૨૦૦૯-૧૦     ૨૦૧૦-૧૧       ૨૦૧૧-૧૨      ૨૦૧૨-૧૩     ૨૦૧૩-૧૪        
ચોખા     ૮૯૦.૮             ૯૯૫.૮              ૧૦૫૩.૧            ૧૦૫૨.૪            ૧૦૬૧.૧
ઘઉં        ૮૦૮.૮            ૮૬૮.૭                ૯૪૦.૮               ૯૨૩.૦              ૯૫૬.૦
જુવાર     ૬૭.૦                ૭૦.૦                   ૬૦.૧                 ૫૨.૮                ૫૫.૩
બાજરી   ૬૫.૧               ૧૦૩.૭                ૧૦૨.૮                 ૮૭.૪                 ૮૮.૦
મકાઈ     ૧૬૭.૨             ૨૧૭.૩                ૨૧૭.૬               ૨૨૨.૬            ૨૩૨.૯
તુવેર       ૨૪.૬               ૨૮.૬                  ૨૬.૫                    ૩૦.૨              ૩૩.૪
ચણા      ૭૪.૮               ૮૨.૨                    ૭૭.૦                ૮૮.૩               ૯૭.૯
અડદ      ૧૨.૪               ૧૭.૬                   ૧૭.૭                 ૧૯.૦              ૧૫.૦૯
મગ        ૬.૦૯                 ૧૮.૦                ૧૬.૩                    ૧૧.૯             ૧૨.૮
કુલ કઠોળ ૧૪૬.૬           ૧૮૨.૪                ૧૭૦.૯                 ૧૮૩.૪         ૧૯૭.૭ 
કુલ અનાજ ૨૧૮૧.૧       ૨૪૪૪.૯            ૨૫૯૩.૨             ૨૫૭૧.૪            ૨૬૩૨.૨
સોયાબીન   ૯૯.૬             ૧૨૭.૪              ૧૨૨.૧                 ૧૪૬.૬             ૧૨૪.૪૮
કપાસ     ૨૪૦.૨             ૩૩૦.૦                ૩૫૨.૦              ૩૪૨.૦             ૩૫૬.૦૨
શણ       ૧૧૮.૨            ૧૦૬.૨                ૧૧૪.૦               ૧૦૯.૩               ૧૧૩.૦
મગફળી  ૫૪.૨૮            ૮૨.૬૫                ૬૯.૬૪                ૪૬.૯૫             ૯૧.૪૦
એરંડા     ૧૦.૦૯            ૧૩.૫૦                ૨૨.૯૫               ૧૯.૬૪             ૧૬.૪૬
તલ        ૫.૮૮               ૮.૯૩                  ૮.૧૦                 ૬.૮૫                 ૬.૭૨
રાઇ       ૬૬.૦૮             ૮૧.૯                  ૬૬.૦૪               ૮૦.૨૯               ૮૨.૫૧ 

નોંધઃ દેશમાં ઉત્પાદનના આંક લાખ ટનમાં છે. કપાસના આંક લાખ ગાંસડીમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Saturday, 22 February 2014

બટાટા: વિભીન્ન દેશોમાં અલગ ઓળખ ધરાવતો કંદમૂળ પાક


૭૦૦૦ વર્ષે પૂર્વે શોધાયેલા બટાટાની આજે વિશ્વભરમાં ૫૦૦૦થી વધારે જાતનું વાવેતર કરાય છે

શાકભાજીના રાજા ગણાતા બટાટા એ ભોજનમાં આજે અભિન્ન અંગ બની ગયા છે. બટાટાના ઉત્પાદનની હવે સીઝન શરૃ થઇ રહી છે ત્યારે અહીં રજૂ કરાઇ છે બટાટા અંગેની કંઇક જુદી વિગતો. વિશ્વના ખાધાન્નમાં ઘઉ, ચોખા અને મકાઇ પછી સૌથી વધારેે માગ હોય તો તે બટાકાની છે. કંદમૂળ બજારના ૫૦ ટકા હિસ્સા પર બટાટા વર્ચસ્વ ધરાવે છે જેનું વૈશ્વિક ઉત્પાદન લગભગ ૩૦ કરોડ ટન છે. યુરોપના કેટલાક દેશોમાં બટાટાનો ઉપયોગ મધ મેળવવામાં થાય છે. ૧૮મી સદીમાં પણ સ્પેનિશ અને યુરોપમાં બટાકાનું વાવેતર કરાતું હતું. વિશ્વમાં હાલમાં ૨ લાખ ચોરસમાં બટાટાનું વાવેતર કરાય છે. બટાટા વિશ્વમાં ચોથા નંબરે આવતો પાક હોવાની સાથે ૨૦૦૬માં તેનું ઉત્પાદન ૩૧.૫ કરોડ ટન થયું હતું. પેરુના એક ક્ષેત્રમાં તો બટાટાની ત્રણ હજાર જેટલી જાત જોવા મળે છે. ૧૧૦ દેશમાં વાવેતર થવાની સાથે બટાટામાં  પોષક તત્ત્વોનું પ્રમાણ વધુ મળી રહેતું હોવાથી તેને ઘરતી નીચે ઊગતું સફરજન પણ કહેવામાં આવે છે.
૨૦૦૮ના વર્ષેને ઇન્ટરનેશનલ ઇયર ઓફ પોટેટો તરીકે ઓળખવાનો સંયુક્ત રાષ્ટ્રસંઘે નિર્ણય લઇ વિશ્વભરના લોકો બટાટાને ઓળખે અને તેનો ઉપયોગ કરે તે માટે પ્રયાસો કર્યા હતા. વિશ્વના ઘણા દેશોમાં બટાકા મુખ્ય શાકભાજી તરીકે ઓળખાય છે. જ્યારે ઘણા દેશોમાં ખવાતા જ નથી.

બટાટાના ઉત્પાદનમાં ભારત પાંચમા ક્રમે
બટાટા શાકભાજીમાં રાજા ગણાતા હોવા છતાં તેના ઉત્પાદનમાં ભારત પાંચમા ક્રમે આવે છે. સૌથી વધુ બટાટા ચીન, રશિયન ફેડરેશન, પોલેન્ડ અને યુક્રેન પેદા કરે છે. ભારતમાં તેની ઉત્પાદક ક્ષમતા માત્ર હેક્ટરે ૧૬થી ૧૭ ટન છે, જ્યારે યુરોપિયન દેશ અને અમેરિકામાં બટાટા હેક્ટરે ૩૦થી ૪૦ ટન છે. આમ બટાટામાં ચોખ્ખો નફો ડબલ છે.

સુગર ફ્રી બટાટાની સૌથી વધુ માગ
લેડી રૃબીન નામની વ્યકિતએ સુગર ફ્રી બટાટાની શોધ કરી હતી. જે એલ.આર. જાત તરીકે ઓળખાય છે. બટાટાને જેટલા ઠંડકમાં રાખવામાં આવે તેટલા પ્રમાણમાં સુગરનું પ્રમાણ વધતું જાય છે. સુગર ફ્રી બટાટામાં શર્કરાનું પ્રમાણ એક ટાકા જેટલું  જ્યારે અન્યમાં બેથી ત્રણ ટકા હોય છે. ગુજરાતમાં હવે સાબરકાંઠા, બનાસકાંઠા અને ગાંધીનગરમાં આ જાતનું વાવેતર થવા લાગ્યું છે. બટાટાની વેફરમાં કાળાશ પડતી ન હોવાથી આ બટાકાની માંગ વધારે હોવાની સાથે ભાવ પણ
વધારે હોય છે.

પૌંઆ વેચનારની કમાણી દોઢ લાખ
કોઇ ઓછું ભણેલ વ્યકિત કોર્પોરેટ ગ્રુપમાં ઉચ્ચ હોદ પર બેસતા અધિકારી જેટલો પગાર મેળવી શકે. નાગપુરમાં  શહેરના કસ્તુરચંદ પાર્ક ખાતેના કિંગ્સવે રોડ પર બટાટાપૌંઆની લારી લઇને ઊભા રહેતા રૃપમ સાખરેની મહિનાની આવક રૃપિયા દોઢ લાખ છે જે મહારાષ્ટ્ર સરકારનો કરદાતા પણ છે.૫૨ વર્ષ પૂર્વ રૃપમે હેલ્પર તરીકે પોતાની કામગીરી શરૃ કરી હતી. આજે તેના હાથ નીચે સાત કારીગરો કામ કરે છે. રોડ પર હંગામી ટેન્ટ  ઊભો કરી બટાટા પૌંઆ વેચતો રૃપમ રોજના ૫૦થી ૬૦ કિલો બટાટાનું વેચાણ કરે છે. આજ પ્રકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ બટાટા પૌઆની લારી ચલાવતા લોકોની આવક પણ મહિનાની ૨૦થી ૨૫ હજારની છે.

બટાટાનો ઇતિહાસ
દક્ષિણ અમેરિકાના એન્ડિઝ પર્વતમાળાના વિસ્તારમાં ૭૦૦૦ વર્ષે પૂર્વે ખોરાકની શોધમાં ફરતા જંગલી લોકો અને શિકારીઓએ ટીટીકાકા નામના સરોવરની આજુબાજુના વિસ્તારમાં જંગલી બટાકાના છોડની શોધ કરી હતી. એ વખતે ૨૦૦ જાતના બટાકાએ વિસ્તારમાં ઊગતા હતા. આજે પણ એન્ડિઝ પર્વતમાળામાં ૫૦૦૦ જેટલી જાતના બટાટાની ખેતી થાય છે. સોળમી સદીમાં સ્પેને પોતાના દક્ષિણ ઉપનિવેશોની મદદથી બટાટા યુરોપ પહોચાડયા બાદ બ્રિટને બટાટાને દુનિયાભરમાં પ્રસિદ્ધ કરી દીધા હતા.

બટાટા પૂરપીડિતોના વ્હારે આવ્યા હતા
૨૦૧૦માં એકધારા વરસાદને પગલે પાકિસ્તાનમાં અનાજ અને શાકભાજી બગડી જતાં શાકભાજીના ભાવો આસમાને આંબ્યા હતા. જેમાં બટાટાની એક ગુણીનો ભાવ રૃ.૧૦૦થી વધીને રૃ.૪૫૦૦ થઇ ગયો હતો. પરિણામે પ્રજાને બટાટા ખરીદવાના પણ ફાંફા પડતા ભારતમાંથી મોટાપાયે લાહોર બોર્ડરથી ટ્રકો ભરીને બટાટા પાકિસ્તાનમાં મોકલાયા હતા.

મેરઠમાં પ્રથમ કોલ્ડસ્ટોરેજ બન્યું હતું
૧૯૩૮ પહેલાં ભારતમાં બટાટાને ગરમીમાં ખુલ્લા વાતાવરણમાં રાખવામાં આવતા હતા. પરિણામે બટાટા બગડી જવાનો ભય સતાવતો હતો. આખરે ૧૯૩૮માં મેરઠમાં સૌપ્રથમ કોલ્ડસ્ટોરેજ બન્યું હતું. હાલમાં ભારતમાં ૨૦૦૦થી પણ વધારે કોલ્ડસ્ટોરેજ આવેલા છે. જે બટાટાનો એક તૃતિયાંશ ભાગને સંઘરી રાખવામાં આવે છે.
૧૭૭૪માં પોષકત્ત્વોનું પ્રમાણ  સૌથી વધારે હોવાનું સાબિત થયું હતું
૧૭૭૪માં ફ્રેન્ચ તબીબ એન્ટોની પેરેમ્નટીયરે સંશોધનો પરથી તારણ કાઢયું હતું કે, બટાટામાં પોષક તત્વોનું પ્રમાણ વધારે છે. 
                                         
સુરતમાં સૌપ્રથમ વાવેતર થયું હતું
ભારતમાં ૧૭મી સદીના પ્રારંભિક સમયમાં પોર્ટુંગીઝોએ બટાટાના વાવેતરની શરૃઆત કરી હતી. સૌ પ્રથમ દરિયાકાંઠાના સુરત શહેરમાં તેનું વાવેતર શરૃ કરવામાં આવ્યું હતું. ત્યાંથી પોર્ટુગીઝોના વર્ચસ્વ હેઠળ ગોવાના વિસ્તારમાં પણ બટાટાનું વાવેતર શરૃ થયું હતું. ગોવામાં વાવેતર કરાતા બટાટાનું નામ બટાટા સુરાતા એવુ નામ મળ્યું હતું. સુરતમાં તેનું સૌ પ્રથમ વાવેતર થયું તેની નિર્દશ કરતી આ બાબત છે.              

દેશમાં બટાટાનું વાવેતર કરતા રાજ્યો
ભારતમાં બટાટાની શરૃઆત ભલે ગુજરાતથી થઇ હતી પરંતુ ત્યારબાદ બટાટા હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રર્દેશ, મેઘાલય, પશ્વિમ બંગાળ, ર્પૂિવય ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં વાવેતર કરાય છે. ભારતમાં બટાટાનું પ્રોસેસિંગ હજુ પ્રારંભિક તબક્કામાં છે.

વિશ્વભરમાં અલગ અલગ નામે ઓળખાતા બટાટા
  • પેરુમાં ઊગતા બટાટા અટાદુલ્મા તરીકે ઓળખાય છે.
  • બટાટાની નીકોલા નામની જાત હોલેન્ડમાં થાય છે
  • અમેરિકામાં ઊગતી બટાટાની શ્રેષ્ઠ જાતને રસેટ બરબેન્ક તરીકે ઓળખાય છે
  • ફીનલેન્ડમાં ઉગતા બટાટા લેવીન પૂઇકૂલા તરીકે ઓળખાય છે
  • આફ્રિકામાં ઉત્પન્ન થતા બટાટાને ટયુબિટા કહે છે.
  • ફ્રાન્સમાં થતા બટાટાને વિટેલોટ કહેવામાં આવે છે.
  • યુએસએના જર્સનમાં ઊગતા બટાટા રોયલજર્સી તરીકે વિશ્વમાં ઓળખાય છે.
  • જર્મનીમાં થનારા બટાટાને કીપફ્લેર તરીકે ઓળખવામાં આવે છે.
  • કેનરી ટાપુ પર ઊગતા બટાટા પાપા કલોરોડા તરીકે ત્યાંની પ્રજા ઓળખે છે.
  • ઇગ્લેન્ડમાં બટાટાની જાત મારીઆ બોર્ડ તરીકે ઓળખાય છે.
  • સ્પુન્ટા નામની બટાટાની જાત આર્યલેન્ડમાં થાય છે
  • મોન્ડીએલ નામની બીજી જાત નેધરલેન્ડમાં થાય છે.
  • એન્ડિઝ પર્વતમાળામાં ઉગતા બટાટા હજુ પણ એન્ડિઝ તરીકે ઓળખાય છે.
  • ગુજરાતમાં ડીસા,મહારાષ્ટ્રમાં ખાનદેશ, હિમાચલપ્રદેશમાં નૈનીતાલ, આસામમાં ચેરાપુંજી, ઉત્તરપ્રદેશમાં ફરૃખાબાદ અને બિહારના પટણામાં મોટાપાયે ખેતી કરવામાં આવે છે.

રસેટ બરબેન્ક
૧૮૭૦માં અમેરિકામાં લુથરબરબેન્ક નામના ખેડૂતે બટાટાની નવી જાત વિકસાવી હતી અને તે ફક્ત પોતાના ફાર્મ પરથી આ બટાટાનું વેચાણ કરતો હતો. પાછળથી બટાકાની આ જાત જ રસેટ બરબેન્ક તરીકે ઓળખાવા લાગી હતી. બાદમાં સમગ્ર અમેરિકામાં બટાટાની જાત લોકપ્રિય થઇ જતાં સમગ્ર અમેરિકામાં સૌથી વધુ રસેટબરબેન્ક નામની બટાટાની જાતનું જ વાવેતર થવા લાગ્યું હતું. રસેટબરબેન્ક બટાટા અમેરિકાની ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટમાં હવે ઉપયોગ થવાની સાથે તેના મૂલ્યવર્ધન દ્વારા મોટાપાયે બટાટા ચીપ્સ બનાવામાં આવે છે.

વીટોલેટ..
ઘરના ફ્રીજમાં જાંબુ પડયા હોય અને બટાકાની વીટલોટ નામની જાત જો રાખવામાં આવે તો ભલભલા ચક્કર ખાઇ જાય તેવી જાબલી રંગની બટાકાની આ જાત છે. ચીન અને ફ્રાન્સમાં ઉગતી વીટલોટ જાતનું મૂળ પેરૃ અને બોલિવયાનું છે. વીટોલોટમાંથી શૂપ, ચીપ્સ જેવી વાનગીઓ બનાવામાં આવે છે જે ઘેરા વાદળી રંગની હોવાથી લોકોમાં પણ માનીતી છે.
રેડ પાન્ટિએક
અમેરિકામાં લાલ બટાટામાં રેડ પોન્ટિએક નામની બટાટાની જાત મુખ્ય પાક છે. આ બટાકાનું કેનેડા, અલ્જિરીયા, ઓસ્ટ્રેલિયા, ફિલીપાઇન્સ, વેનઝુએલા અને ઉરુગ્વેમાં મોટું માર્કટ છે. પોન્ટિએક ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં ઉગતી ટ્રીઉમ્ફ અને કટાહદિનની હાઇબ્રિડ જાત છે. આમ સફરજન જેવા લાલ રંગના જ લાગતા રેડ પોન્ટિએક તેના કલરને કારણે પણ પ્રખ્યાત છે.

ક્રીમ ઓફ કોપ
વાદળી બટાટાનું વાવેતર સૌ પ્રથમ સાઉથ અમેરિકાએ કર્યું હતું. ક્રીમ ઓફ ક્રોપ તરીેકે ઓળખાતા બટાટાના જુદાજુદા સેમ્પલો બનાવી તેની વાનગીઓને આઇસલેન્ડમાં રજૂ કરાઇ હતી. બાદમાં બટાટાની આ જાત લોકિપ્રય બની હતી.



બેમ્બરગર
ગુજરાતમાં ઉગતા શક્કરિયા જેવા જ લાગતા બટાટાની બેમ્બરગર જાત ફ્રેકોનીયા નામની બટાટાની જૂની જાતની નવી વેરાયટી છે. જેનું સાઉથ જર્મનીમાં મોટાપાયે મૂલ્યવર્ધન થાય છે. બેમ્બરગરની ખાસ બાબત એ છે કે આ બટાટાના પાકને મશીન વડે લઇ શકાતો નથી. બ્લેમ્બરગરની લોકિપ્રયતા જ એ સાબિત કરે છેકે,  તેને ૨૦૦૮માં સર્વશ્રેષ્ઠ બટાટાની જાતનો પણ એવોર્ડ પણ મળ્યો હતો


બટાટાની વિવિધ જાતોમાં કલરફૂલ બટાકાનુ વાવેતર

બટાટાની વિવિધ જાતોમાં કલરફૂલ બટાટાનુ વાવેતર પણ અમેરિકામાં મોટાપાયે થાય છે.એક સંશોધક જણાવે છે કે, દરેક  અમેરિકન આ બટાટાની જાત વર્ષમાં ૩૫ કિલો પેટમાં પધરાવે છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Wednesday, 19 February 2014

શેરડીનો ઓછો પાક ખાંડનું ઉત્પાદન ઘટાડશે




શેરડીના વાવેતરમાં ૨૦૧૨-૧૩ની તુલનાએ દેશમાં દોઢ લાખ અને રાજ્યમાં પાંચ હજાર હેક્ટરનો  ઘટાડો

દેશમાં ૫૦ લાખ હેક્ટરમાં વાવેતર થતાં શેરડીના પાક માટે આ સીઝન અપશુકનિયાળ રહી હોય તેમ શેરડીના પાકને વિવાદો કેડો જ મૂકતા નથી. પિલાણ સીઝનમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ભાવની સર્જાયેલી મડાગાંઠ બાદ સરકારે જાહેર કરેલું ૬૬૦૦ કરોડ રૃપિયાનું વિશેષ પેકેજ ફેબ્રુઆરીના અંતમાં મિલોને મળે તેવી શક્યતાઓ વચ્ચે શેરડીની ઉપજ ઘટતાં ઉત્પાદનમાં ૧૦થી ૧૧લાખ ટનનો ઘટાડો આવવાનો અંદાજ છે. દેશમાં ખાંડના સરેરાશ ૨૩૫ લાખ ટન વપરાશની વચ્ચે કૃષિ વિભાગે બહાર પાડેલા પ્રથમ અંદાજમાં ખાંડનું ઉત્પાદન ૨૫૧ લાખ ટન થવાની શક્યતાઓ દર્શાવી હતી, પરંતુ શેરડીની ઉપજમાં ઘટાડો આવતાં હવે ૨૩૯થી ૨૪૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાની સંભાવના છે. ગુજરાતમાં પણ ૨૦૧૨-૧૩ની તુલનાએ પ્રતિ હેક્ટરદીઠ ૭૦૦૦ કિલો શેરડીની ઉપજ ઘટતાં ચાલુ સીઝનમાં શેરડીનું ઉત્પાદન ૧.૧૭ કરોડ ટન રહેશે. રાજ્યમાં શેરડીના વાવેતરમાં પણ ૫ હજાર હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષની તુલનાએ  શેરડીની ઉપજ ઘટતાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડો આવશે.
દેશમાં કુલ ૫૦ લાખ હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર કરવામાં આવે છે. દેશનાં વિવિધ રાજ્યોમાં શેરડીના પાક પર ખેડૂતો હવે વધારે ધ્યાન આપી રહ્યા છે. જો કે આ વર્ષે વાવેતર વિસ્તાર ઘટતાં શેરડીનું ઉત્પાદન પણ ઘટવાની શક્યતા છે. શેરડીનું ઉત્પાદન ઘટશે તો ખાંડના ઉત્પાદનમાં પણ ઘટાડો ચોક્કસ વર્તાશે. જેને કારણે ખાંડ મિલના નિકાસકારોમાં પણ નિરાશા જોવા મળશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં શેરડીનું ઉત્પાદન કરતાં વિવિધ રાજ્યોમાં ખરાબ હવામાનને કારણે વર્ષ ૨૦૧૩-૧૪માં શેરડીનું ઉત્પાદન ૨૪૦ લાખ ટન રહેશે. જેમાં ૪ ટકા જેટલો ઘટાડો જોવાશે. શેરડીના ઉત્પાદનમાં પાછલાં સાડા ત્રણ વર્ષની અંદર નોંધાયેલો આ ઘટાડો વૈશ્વિક બજારો પર પણ અસર કરશે.

એક તરફ દક્ષિણ એશિયાઈ દેશો વર્ષ ૨૦૧૪ની ૩૦ સપ્ટેમ્બર સુધી ૨૫૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન કરવાનો અંદાજો લગાવી રહ્યા છે. જેમાંથી ૨૦ લાખ ટન ખાંડની માંગ સ્થાનિક બજારોમાં રહેશે, જ્યારે ૧૦ લાખ ટન ખાંડનો સ્ટોક બચશે તેવો અંદાજ છે. ઉદ્યોગકારોના મતે હેક્ટર દીઠ શેરડીની ઉત્પાદકતા ઘટતાં આવક પ્રાપ્તિનો દર પણ ઘટે તેવી શક્યતાઓ છે. સાથે જ ૨૪૦ લાખ ટનથી વધુ શેરડીનું ઉત્પાદન થવાનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ ૧.૮૦ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને  દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં શેરડીનો પાક લેવામાં આવે છે. ગુજરાતના ૪.૫૦ લાખથી પણ વધારે  ખેડૂતો શેરડીના પાક સાથે સંકળાયેલા છે. દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતની શેરડીનો પણ મોટો ફાળો રહેલો છે. મહારાષ્ટ્ર ખાંડ કમિશનરના ડિરેક્ટરનું કહેવું છે કે, કેટલાંક વિસ્તારોમાં શેરડીનો પુરવઠો અંદાજ કરતાં ઓછો છે. વળી રાજ્યમાં ચાર જેટલી ફેક્ટરીઓએ કામગીરી બંધ કરી દીધી છે. જેથી ખાંડના ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ શકે છે, કારણ કે દેશના પશ્ચિમ વિસ્તારમાં આવેલું મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં ખાંડના કુલ ઉત્પાદનનો ત્રીજો હિસ્સો ધરાવે છે. જો કે ત્યાંં પણ પ્રતિ હેક્ટર દીઠ શેરડીના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જાણકારોના મતે પાણીની અછતને પગલે વર્ષ ૨૦૧૨માં શેરડીનું ઉત્પાદન ઘટયું હતું. તો આ તરફ દેશમાં બીજા ક્રમાંકે શેરડીનું ઉત્પાદન કરતાં રાજ્ય ઉત્તરપ્રદેશમાં દુષ્કાળને પગલે શેરડીના પાકને નુકસાન પહોંચ્યંુ હતું. જેને પગલે ખાંડ ઉત્પાદનમાં ૪ ટકાનો ઘટાડો જોવાઈ શકે છે. જો કે ઉત્તરપ્રદેશમાં આ વર્ષે ૭૦થી ૭૨ લાખ ટન શેરડીનું ઉત્પાદન થવાનો અંદાજો છે. શેરડીનું ઉત્પાદન ઘટતા અને ખાંડના ઉત્પાદનમાં ઘટાડો દેખાતા સરકાર ખાંડ નિકાસકારોને કાચી ખાંડની નિકાસ વધારવા માટે પ્રોત્સાહનો પૂરાં પાડવા વિચારણા કરી રહી છે, કારણ કે ભારતમાં સામાન્ય રીતે સફેદ ખાંડનું ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ પુરવઠા પર અસર થતા સ્થાનિક બજાર ભાવ નીચા મળી રહ્યા છે. જેને કારણે સરકાર ઈચ્છી રહી છે કે ખાંડ મિલો હવે કાચી ખાંડનું ઉત્પાદન કરે જેના કારણે સફેદ ખાંડની સરખામણીએ કાચી ખાંડને વેચી શકાય. 

મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક ૧૨ સુગર મિલો વેચશે

મહારાષ્ટ્રમાં વર્તમાન સમયમાં ખાંડ મિલોનો વ્યવસાય મંદ ચાલતાં મહારાષ્ટ્ર સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક દ્વારા રાજ્યની ૧૨ જેટલી સુગર મિલોનું વેચાણ કરવાનું આયોજન કરી રહી છે. ખાંડ મિલોના મંદ પડેલા વેપારને પગલે બેન્ક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ તરફ રાજ્ય સરકાર દ્વારા સુગર મિલોનું વેચાણ ન કરવા નિર્દેશ કરાયા છે. તેમ છતાં મહારાષ્ટ્ર સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક આગામી પખવાડિયાની અંદર ૧૨ સુગર મિલોનું વેચાણ કરવાની તજવીજ હાથ ધરી છે. આ તરફ મહારાષ્ટ્ર સરકારે સપ્ટેમ્બર ૨૦૧૩માં નિર્ણય લીધો હતો કે એમએસસી સહકારી ખાંડ મિલો ખાનગી સુગર મિલોને વેચાણ નહીં કરી શકે. તેમ છતાં મહારાષ્ટ્ર સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક દ્વારા અહેમદનગર સહકારી શક્કર કારખાનાને ગયા મહિને પોતાનાં બાકી લેણાંની વસૂલાત માટે વેચી મારવામાં આવી હતી. તો આ તરફ બેન્ક દ્વારા ૧૩ જેટલી સુગર મિલોને ભાડે આપવા માટે ટેન્ડર પણ બહાર પાડયાં હતાં. જેમાંથી ૭ જેટલી સુગર મિલો માટે મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેન્કના આ નિર્ણય સામે ખાનગી સુગર મિલોએ રસ દાખવ્યો હતો. એમએસસી બેન્કના ડાયરેક્ટરનું કહેવું છે કે ટેન્ડર પ્રક્રિયામાં સારો પ્રતિસાદ નહોતો મળ્યો જેને કારણે ૬ સુગર મિલો અત્યારે અને બાકીની ૬ સુગરમિલોને આગામી પખવાડિયાની અંદર વેચાય તેવી શક્યતા છે. એમએસસી બેન્ક હાલ ચાલુ નાણાકીય વર્ષ પૂરું થતા પહેલાં કેટલીક મિલોનું વેચાણ કરવા ઇચ્છે છે. 


ખાંડની નિકાસમાં  સબસિડીનો નિર્ણય અધ્ધરતાલ

એક તરફે શેરડીના ટેકાના ભાવમાં રૃ.૧૦નો વધારો થયો છે તો બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની નિકાસ સબસિડીનો નિર્ણય વિવાદોમાં સપડાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાંડની નિકાસ ઉપર સબસિડીનો નિર્ણય લંબાતો જાય છે. જેને કારણે ખાંડના ભાવ લઘુતમ ટેકાના ભાવથી પણ નીચલા સ્તરે પહોંચી ગયા છે. વૈશ્વિક બજારમાં પણ ખાંડના ભાવ તળિયે પહોંચી ગયા છે. ખાંડની નિકાસ માટે સબસિડી અંગે કોઈ જ નિર્ણય નહીં લેવાતા ખાંડ ઉત્પાદકોની સ્થિતિ વધારે ગંભીર બનતી જાય છે. એક તરફ સરકારે ઓક્ટોબર ૨૦૧૪થી સપ્ટેમ્બર ૨૦૧૫ માટેની ખાંડની સીઝનમાં શેરડીની ખરીદી માટેના લઘુતમ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૧૦ વધારીને રૃપિયા ૨૨૦ કર્યા છે. ચાલુ વર્ષે શેરડીના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૨૧૦ ચાલી રહ્યા છે. ટેકાના ભાવ વધારા અંગે કૃષિ મંત્રાલયે કેબિનેટ સમક્ષ ભલામણ કરી હતી જેને મંજૂરી આપવામાં આવી હતી. જો કે આ તરફ કાચી ખાંડની નિકાસ ઉપર સબસિડી આપવાનો નિર્ણય સતત ત્રીજી વાર ટાળી દેવામાં આવ્યો હતો. કૃષિ મંત્રાલય તરફથી કાચી ખાંડ ઉપર પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૩૫૦૦ની સબસિડીની ભલામણ કરાઈ છે. 

શેરડીની ઉત્પાદકતામાં આ વર્ષે ગુજરાતમાં મોટો ઘટાડો

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટાપાયે શેરડીની ખેતી થાય છે. શેરડીના વ્યવસાય સાથે ૪.૫ લાખ ખેડૂતો જોડાયેલા છે. શેરડીનું રાજયમાં ૧.૮૦ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. ૨૦૧૧-૧૨માં ૧.૨૭ કરોડ ટન જ્યારે ૨૦૧૨-૧૩માં ૧.૩૩ કરોડ ટન શેરડીનું ઉત્પાદન થયું હતું, પરંતુ ચાલુ સીઝનમાં ૧.૧૭ કરોડ ટન શેરડીનું ઉત્પાદન થાય તેવી સંભાવના છે. આમ, છેલ્લાં ત્રણ વર્ષની તુલનાએ ચાલુ વર્ષે શેરડીની ઉત્પાદકતામાં ઘટાડો નોંધાયો છે, કારણ કે ગત સીઝન કરતાં આ સીઝનમાં શેરડીના વાવેતરમાં ફક્ત પાંચ હજાર હેક્ટરનો જ ઘટાડો નોંધાયો છે. 

સુગર મિલો સામે ઇન્કમટેક્ષની નોટિસ હાલમાં ચર્ચામાં

રાજ્યમાં ૧૭ સુગર ફેક્ટરીઓ દ્વારા ૧૦૦ કરોડ ટનથી વધુ શેરડીનું પિલાણ થાય છે. ગુજરાતમાં સમગ્ર ખાંડ ઉદ્યોગ સહકારી ધોરણે ચાલે છે. પરિણામે ખેડૂતોને સારા ભાવ મળે માટે સુગર ફેક્ટરીઓ સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ભાવો કરતાં પણ શેરડીના વધારે ભાવો ચૂકવે છે.   જે સામે ઇન્કમટેક્ષ વિભાગે રિકવરી કાઢી પોષણક્ષમ ભાવોથી વધુ ચૂકવાયેલી કિંમતો પર ઇન્કમટેક્ષ ભરવા નોટિસ કાઢતાં સુગર મિલોએ વિરોધ શરૃ કર્યો છે. આ બાબતે રાજકારણ પણ ગરમાયું છે અને કેન્દ્ર સુધી પણ રજૂઆતો કરાઈ છે. 

દેશમાં ખાંડના ઉત્પાદનમાં ૧૭ ટકાનો ઘટાડો


ચાલુ માર્કેટિંગ સીઝન વર્ષ ૨૦૧૩-૧૪ના પહેલા ચાર મહિના એટલે કે ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી દેશમાં ખાંડના ઉત્પાદનમાં ૧૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઓક્ટોબરથી જાન્યુઆરી દરમિયાન કુલ ૧૧૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન નોંધાયું છે. જો કે ગત વર્ષે ૧૩૮.૫ લાખ ટન ઉત્પાદન થયું હતું.  ઈસ્માના આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં ચાર મહિનામાં ખાંડનું ઉત્પાદન ૪૦.૭૫ લાખ ટન થયું હતું. જે ગત વર્ષે ૪૮.૫ લાખ ટન રહ્યું હતું. આ જ રીતે ઉત્તરપ્રદેશમાં ખાંડનું ઉત્પાદન ૨૧.૫ લાખ ટન સામે ગત વર્ષે ઉત્પાદન ૨૪.૩ લાખ ટનની આસપાસ રહ્યુંં હતું. દક્ષિણનાં રાજ્યોની વાત કરીએ તો કર્ણાટકમાં ૨૧.૫ લાખ ટન ખાંડના ઉત્પાદન સામે ગત વર્ષે ૨૪.૩ લાખ ટન રહ્યંુ હતું. આંધ્રપ્રદેશમાં ૫.૧૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે જ્યારે તામિલનાડુમાં ૪ લાખ ટન ઉત્પાદન નોંધાયું છે. ગુજરાતમાં પણ ખાંડના ઉત્પાદનમાં પહેલા ચાર મહિનાની અંદર ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં ૩૧ જાન્યુઆરી સુધીમાં ૬.૧૦ લાખ ટન ઉત્પાદન નોંધાયું હતું. જે ગત વર્ષે ૬.૮૨ લાખ ટન રહ્યું હતું.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Saturday, 15 February 2014

ટામેટાં અંગે અવનવી અને અજાણી વિગતો ......


  • ટામેટાં વનસ્પતિશાસ્ત્રની દ્રષ્ટિએ સામાન્ય રીતે ફળ તરીકે જ ઓળખાય છે. પરંતુ ૧૮૬૩માં ટામેટાં  ફળ નહીં પણ શાક હોવાનો વિવાદ જાગતા સુપ્રિમ કોર્ટે એવો ચૂકાદો આપ્યો હતો કે ટામેટાં  ફળ નહીં પણ શાક છે. પરિણામે ૧૫૦ વર્ષથી ટામેટાં શાક તરીકે ઓળખાય છે. આ એક માત્ર એવું શાકભાજી છે જે માટે સુપ્રિમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો.
  • ટામેટાં દુનિયાનું સૌથી પ્રસિદ્ધ શાક છે જેનું ઉત્પાદન વિશ્વમાં ૬ કરોડ ટન છે.
  • ૧૮૨૦ પહેલાં અમેરિકન લોકો ટામેટાં ને ઝેરી ફળ જ માનતા હતા. તેમની ગેરસમજ રોબર્ટ ગીબસન્સ જોહન્સન નામના વ્યકિતએ દૂર કરી હતી.
  • ૧૯૭૮માં જ્યોર્જ કલોની નામના હીરોને લઈને જાન લેવા ટામેટા નામની એક ઓછા બજેટની ફિલ્મ પણ બની હતી.
  • અમેરિકાના એગ્રીકલ્ચર ડિપાટર્મેન્ટના અંદાજ મુજબ દર વર્ષે એક અમેરિકન ૨૨થી ૨૪ પાઉન્ડ ટામેટાં  ખાય છે. અમેરિકાના માર્કેટમાં ટામેટાં  ચોથા નંબરનું સૌથી લોકપ્રિય શાક છે. અમેરિકામાં સૌથા વધું વેચાણ થતા શાકમાં બટાકા, ભાજી અને ડુંગળી છે.
  • ટામેટાંના સૌથી મોટા ઉત્પાદકોમાં ચીન, અમેરિકા, તુર્કી, ભારત અને ઈજિપ્ત છે. જ્યારે સૌથી વધુ ટામેટાંનું ઉત્પાદન કરનારા શહેર પણ અમેરિકાનું ફલોરિડા શહેર છે.
  • સૌથી મોટા અને વજનદાર ટામેટાંનો રેકોર્ડ ૧૯૮૬માં નોંધાયો હતો. ઓક્લાહામા શહેરના ગાર્ડન ગ્રેહામ નામના ખેડૂતે ૩.૫૧ કિલોના ટામેટાંનું ઉત્પાદન કર્યું હતું. જે ટામેટાંનો ગાર્ડને સેન્ડવીચ બનાવતા ઘરના ૨૧ સભ્યોએ નાસ્તો કર્યેા હતો.
  • 2૦૦૦માં સૌથી મોટા ટામેટાંના છોડનો રેકોર્ડ ઈંગ્લેન્ડના લેન્કેશાયર શહેરમાં નોંધાયો હતો. જેમાં છોડનો ઘેરાવો ૬૫ ફૂટ  હતો.
  • ગીનીઝ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડ મુજબ ટામેટાંનો સૌથી મોટો છોડ ડિઝની વર્લ્ડ વોટર રિસોર્ટમાં આવેલા પ્રયોગાત્મક ગ્રીનહાઉસમાં છે. તેેના પરથી વર્ષે ૩૨ હજાર નંગ ટામેટા ઉતરે છે. આ ટામેટાંનો ઉપયોગ વોટર વર્લ્ડ રિસોટર્માં આવતા મુલાકાતીઓના ભોજન માટે થાય છે. ટામેટાંના છોડની વિશાળતા જ એ સાબિત કરે છે કે, છોડ પરથી ઉતરતા ટામેટાંનું વજન ૫૨૨ કિલો હોય છે જે માટે તેને છોડને બદલે એક ઝાડ કહેવું યથાર્થ રહેશે. ચીનના બૈજિગમાંથી એપ્કોટ ખેત વિજ્ઞાાનના મેનેજર યૂંગ હૂંગ આ છોડના બીજ લાવ્યા હતા જે બીજનું  ડિઝની વર્લ્ડ વોટર રિસોર્ટના પ્રયોગાત્મક ગ્રીનહાઉસમાં વાવેતર કરાયું હતું.
  • ઓહાયો રાજ્યમાં ટામેટાંના સૂપને રાજ્યના સત્તાવાર પીણાં તરીકે દરજ્જો અપાયો છે.
  • ૨૦૦૮માં ન્યૂજર્સી રાજ્યની વિધાનસભામાં ટામેટાંને રાજ્યના સત્તાવાર શાક તરીકે દરજજો આપવા માટે ખરડો રજૂ કરાયો હતો, જો કે પાછળથી આ પ્રસ્તાવ કોઈક કારણોસર પાસ થયો ન હતો.
  • આર્કન્સાસ રાજ્યમાં ટામેટાંને રાજ્યના સત્તાવાર ફળ અને સત્તાવાર શાક તરીકે દરજ્જો અપાયો છે.
  • આર્કન્સાસ રાજ્યમાં ૧૯૫૪થી એક સપ્તાહનો ટામેટાં ઉત્સવ મનાવામાં આવે છે જેમાં મનોરંજન માટે અવનવી પ્રવૃતિઓ રખાય છે. એે જોવા ૩૦ હજારથી વધારે મુલાકાતીઓ આવે છે.
  • ટામેટાંની સૌથી મોટી લોકિપ્રયતા એ છે કે, વિશ્વના ૧૯ રાજ્યોમાં ટામેટાં  ઉત્સવ ઉજવવામાં આવે છે.
  • published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Friday, 14 February 2014

ગુજરાતમાં મગફળીના ખેડૂતોને રૃ.૨૪૦૦ કરોડનું નુક્સાન જશે


રાજ્યમાં મગફળીના ખેડૂતોને ૨૦૧૨-૧૩ની સીઝનમાં પ્રતિ મણે સરેરાશ રૃપિયા ૮૫૦ના મળેલા ભાવ સામે ચાલુ સીઝનમાં ખેડૂતોને મણે રૃપિયા ૬૫૦નો મળતો ભાવઃ ૨૫ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાના અંદાજ વચ્ચે માત્ર રૃપિયા ૮૦૦ના ભાવે નાફેડે ૯૦ હજાર ટન મગફળીની ખરીદી કરી ઃ ખેડૂતોએ ૨૪ લાખ ટન મગફળી સરેરાશ રૃપિયા ૬૫૦ના ભાવે વેચાણ કરવી પડશેઃ સૌરાષ્ટ્રમાં હજુ ૧૫ લાખ ટન મગફળીનો સ્ટોકઃ કૃષિ વિભાગ નઠોર બન્યોઃ ખેડૂતો મગફળીના પાકથી મોં ફેરવી લેશે

રાજ્યમાં મગફળીના ખેડૂતોની હાલત દિન પ્રતિદિન ખસ્તા થઇ રહી હોવા છતાં કૃષિ વિકાસના ગાણાં ગાતા કૃષિ વિભાગની નઠોર નીતિને પગલે ખેડૂતો મગફળીની ખેતીથી જ મોં ફેરવી લે તેવી સ્થિતિ પેદા થઇ છે. રાજ્યમાં મગફળીના ભાવ સતત ઘટતા જાય છે. હાલમાં રાજ્યના તમામ મગફળીના માર્કેટયાર્ડોમાં મગફળીના મણના ભાવ રૃપિયા ૫૦૦થી લઇને રૃપિયા ૭૫૦ ચાલી રહ્યા છે. છેલ્લી રહી સહી આશા એવા ટેકાના ભાવે થતી ખરીદી પણ બંધ થઇ જતાં હાલમાં મગફળીના ખેડૂતોને તેમની હાલત પર છોડી દેવાયા છે.
ખેડૂતોના નામે મોટા ઉપાડે ખેડૂતોના હામી હોવાના બણગાં ફૂંકતી સંસ્થાઓ પણ ચૂપચાપ તમાશો જોઇ રહી છે. રાજ્યમાં ચાલુ સીઝનમાં રેકોર્ડબ્રેક ૨૫ લાખ ટન ઉત્પાદન અને હેક્ટરદીઠ ઉત્પાદકતા વધવાના સમાચારો વાંચી હરખાનાર ખેડૂતો હાલમાં મૂંઝાઇ ગયા છે. રાજ્યમાં ૨૦૧૨-૧૩ની સીઝનમાં મગફળીના ખેડૂતોને સરેરાશ પ્રતિમણે રૃપિયા ૮૫૦ સુધીનો ભાવ મળ્યો હતો. મગફળીના ભાવ એક તબક્કે ઉંચકાઇને રૃ.૧૩૦૦ સુધી પણ જઇ આવ્યા હતા. પરિણામે ખેડૂતોએ આ વર્ષે વાવેતર વધારતાં ખેડૂતોને નુક્સાનીનો વારો આવ્યો છે. સરકારે મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ મણ રૃપિયા ૮૦૦ નક્કી કર્યો હોવા છતાં ખેડૂતો હાલમાં સરેરાશ પ્રતિ મણે રૃપિયા ૬૫૦ના ભાવે વેચી રહ્યા છે. નાફેડે ટેકાના ભાવે ૯૦ હજાર ટન મગફળીની ખરીદી કર્યા બાદ ખરીદી બંધ કરી દેતાં ખેડૂતોને બાકી રહેલી ૧૫ લાખ ટન મગફળી ઓછા ભાવે વેચાણ કરવી પડશે. પરિણામે ખેડૂતોને ગત વર્ષ કરતાં આ વર્ષે ૨૪૦૦ કરોડ રૃપિયાનું નુકસાન જશે. રાજ્યમાં મગફળીના ઉત્પાદનમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો હિસ્સો છે. આ વર્ષે બમ્પર ઉત્પાદનથી ખેડૂતો પાસે ૧૪થી ૧૫ લાખ ટન મગફળી હજુ પણ પડી છે.

સીંગતેલની બારમાસી સીઝન પણ પૂરી થતાં ઓઇલમીલોની ખરીદી જરૃરિયાત મુજબની રહેશે. સીંગદાણાના ઉત્પાદકો તો અપેડાના નિયમોને પગલે લગભગ ખરીદી ઓછી કરી દેતાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી થાય તેવી સંભાવના છે. મગફળીના ઓછા ભાવને કારણે આ સાલના ઉત્પાદનમાંથી માંડ ૩૫ ટકા મગફળી બજારમાં આવી છે. જો હાલની સ્થિતિમાં કોઇ ફેરફાર નહીં થાય તો મગફળીના ખેડૂતોની હાલત ખરાબ થઇ જશે. જેથી ખેતીવાડી વિભાગ પણ આ અંગે જાગૃત બની ટેકાના ભાવે ફરી ખરીદી થાય તેવા પ્રયત્નો કરે તે જરૃરી છે.

Wednesday, 12 February 2014

ગુજરાતમાં ૫૫ લાખ ખેડૂતોનું ઈ-રજિસ્ટ્રેશન થશે

  • કૃષિ સહાય વ્યવસ્થા પણ ઓનલાઈન બનશે 
  • ઈ - ધરા અંતર્ગત ખેડૂતોએ માહિતી અપલોડ કરાવવી પડશે 
  • ખેડૂતોને ખાતર, પાણીથી લઈ ભાવ અને દવા અંગેની પણ ઓનલાઇન પંચાયતમાં બેઠા બેઠા માહિતી મળશે 
  • કૃષિ વિભાગનો પાયલોટ પ્રોજેક્ટ 
  • એપ્રિલની શરૃઆતમાં જ પ્રોજેક્ટ અમલમાં મૂકવાના કૃષિ વિભાગના પ્રયત્નો


કેન્દ્ર તેમજ રાજ્યના કૃષિ મંત્રાલય તરફથી છાશવારે ખેડૂતોને કૃષિલક્ષી આપવામાં આવતી સહાયમાં પારર્દિશતા જળવાઈ રહે અને ખેડૂતોને ખેતી અંગે ઘેરબેઠા જાણકારી માહિતી મળી રહે તેવા  હેતુથી કૃષિ વિભાગ ઓનલાઇન રજિસ્ટ્રેશનનો પાયલોટ પ્રોજેક્ટ લઇને આવી રહ્યું છે. રાજ્યના ૫૫ લાખ ખેડૂતોને એક સાથે જોડવાના આ પ્રયાસમાં ઈ-ધરા અંતર્ગત યોજાનારી આ કામગીરીમાં તાલુકા કક્ષાએ આવતીકાલથી કર્મચારીઓને તાલીમ આપવાની કામગીરી શરૃ થશે. રાજ્યના ખેડૂતોને પાક, પાણી, ખાતર અને રોગ-જીવાત અંગેનું ઓનલાઇન માર્ગદર્શન આપવાનો આ પાયલોટ પ્રોજેકટ સફળ રહ્યો તો રાજ્યનો કૃષિ વિભાગ એક નવુંં સીમાચિહ્ન અંકિત કરશે. દેશમાં સૌ પ્રથમ વાર રાજ્યના તમામ ખેડૂતોેને ઓનલાઇન એક પોર્ટલ પર લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. સાથે જ કૃષિ વિભાગના આ હેતુમાં સહાયની વ્યવસ્થા પણ ઓનલાઇન કરાઇ છે. જેમાં ખેડૂતો ઈ-ધરા અંતર્ગત ઘેરબેઠા સહાયની ઓનલાઇન કામગીરી કરી શકશે અને ઓફિસોના ધક્કા ખાવાથી છુટકારો મળશે. સહાય ખેડૂતોને ઓનલાઇન બેન્ક એકાઉન્ટમાં મળવાની શરૃઆત થશે તો રાજ્યના ખેડૂતો માટે આ સૌથી મોટી ઉપલબ્ધિ હશે. આગામી દિવસોમાં તમામ ખેડૂતોનું ઈ-રજિસ્ટ્રેશન કરવા જિલ્લા કક્ષાએ સૂચના આપી દેવામાં આવી છે. આ માટે તબક્કા પ્રમાણે સીમાંત, નાના તેમજ મોટા ખેડૂતોનું ઈ-રજિસ્ટ્રેશન કરવાની સલાહ અપાશે.

ખેડૂતોને કયા પ્રકારના લાભ થશે
 હાલમાં ડુંગળી અને મગફળીના ભાવ ખેડૂતોને રડાવી રહ્યા છે. ખેડૂતો સૌરાષ્ટ્રમાં ડુંગળીને રસ્તા પર ફેંકી વિરોધ નોંધાવી રહ્યા છે. ૧૦૦ રૃપિયે કિલો વેચાતી ડુંગળીનો હાલમાં ભાવ પણ ગગડી ગયો છે. ઈ-રજિસ્ટ્રેશનથી ખેડૂતોને ફાયદો એ થશે કે રાજ્યમાં ડુંગળીના વાવેતરનો યોગ્ય તબક્કો કૃષિ વિભાગ પાસે હોવાની સાથે કયા સમયગાળામાં ખેડૂતોની ડુંગળી બજારમાં જથ્થાબંધ આવશે. તે સંજોગોને આધીન અગાઉથી રેકની યોગ્ય કાર્યવાહી થઇ શકશે. હાલમાં રેક ન હોવાથી ખેડૂતોની ડુંગળી રૃપિયા ૮૦થી લઇને રૃ.૧૦૦ના ભાવે મણ વેચાઇ રહી છે. આમ, કૃષિ વિભાગ પાસે રાજ્યના તમામ ખેડૂતોએ કયા સમયગાળામાં કયા પાકનું વાવેતર કર્યું તેની ચોક્ક્સ માહિતી હોવાથી ખેડૂતોને યોગ્ય ભાવ અપાવવાનો પ્રયાસ કરાશે અને ખેડૂતો પણ પોતાના પાકની પૂરતી માહિતી સાથે બજારમાં વેચાણ કરી શકશે અને પૂરતો ભાવ મેળવી શકશે તેમ ખેતીવાડી વિભાગનાં અધિકારિક સૂત્રોએ જણાવ્યું હતું.


ખેડૂતોને સહાય પણ ઓનલાઇન ચૂકવાશે

ખેડૂતોના ઈ-રજિસ્ટ્રેશન બાદ ખેડૂતોના તમામ ડોક્યુમેન્ટ ઓનલાઇન થઇ જશે. દરમિયાન સહાયની વ્યવસ્થા પણ ઓનલાઇન કરવાના કૃષિ વિભાગના નિર્ણયથી ખેડૂતોને ઘણાબધા ફાયદાઓ થશે. વર્તમાન સમયમાં જેમ ખેડૂતો ખેત ઓજારની ખરીદી માટે ઓનલાઈન ફોર્ર્મ ભરી રહ્યા છે તેવી જ રીતે તમામ સહાય માટે પણ ઓનલાઈન ફોર્મ ભરી સહાયની અરજી કરવાની રહેશેે. જે ઓનલાઇન સહાયની ખેડૂતની માંગણી અંતર્ગત કૃષિ વિભાગ ખેડૂતના ડોક્યુમેન્ટની ચકાસણી કરશે અને જે ખેડૂતો સહાયને લાભકર્તા હશે તેવા ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં ઓનલાઇન સહાયની રકમ પણ જમા થઈ જશે.

વિલેજ ગ્રામમિત્રોની મદદ લેવાશે
ખેડૂતો ગ્રામપંચાયતમાં આવી ઓનલાઇન ઈ- રજિસ્ટ્રેશન કરાવે તે માટે ગ્રામસેવક અને વિલેજ ગ્રામ મિત્ર દ્વારા આ કામગીરીમાં સહયોગ લેવાશે. જેઓ ખેડૂતોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે. જે તે ગામના ગ્રામમિત્રો ખેડૂતોને ઈ-ધરા સુધી લાવી ખેડૂતો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન લાભદાયી હોવાનું સમજાવશે. આ કામગીરીમાં રાજ્યના કૃષિ વિભાગ સાથે સ્થાનિક ખેતીવાડી અધિકારી અને પંચાયતના કર્મચારીઓનો પણ સહયોગ લેવાનો નિર્ણય લેવાયો છે. જેથી ખેડૂતોને પૂરતી મદદ મળી રહે અને દસ્તાવેજી કાર્યવાહીમાંથી છુટકારો મળે.

રોગ-જીવાત સમયે ખેડૂતોને ઓનલાઇન માર્ગદર્શન આપી શકાશે
 રાજ્યમાં વરસાદ અને પાકોમાં રોગ-જીવાત સમયે ખેડૂતોએ કયા ઉપચારો કરવા તેના માર્ગદર્શનનો અભાવ હોય છે. પરિણામે ખેડૂતોએ નુકસાન ભોગવવું પડતું હોય છે. આ નુકસાન અટકાવવા જે તે પંથકમાં રોગચાળાના વાવડ હોય તે ગામોના પ્રગતિશીલ ખેડૂતોને પંચાયતમાં બોલાવી ખેતીવાડી  અધિકારી સહિત કૃષિ નિષ્ણાતો માર્ગદર્શન આપી શકશે. આમ, ઓનલાઇન કામગીરી બાદ ખેડૂતોએ માહિતી લેવા ખેતીવાડી અધિકારી, કે.વી. કે અથવા કૃષિ યુનિ.ના ધક્કા ખાવાના ઓછા થઈ જશે.

ડુપ્લિકેટ બિયારણ હશે તો પણ ખેડૂતોનો પુરાવો ઓનલાઈન રહેશે
ઘણી વાર ખાનગી બિયારણ કંપનીઓ ડુપ્લિકેટ બિયારણનું વેચાણ કરતી હોય છે અને સસ્તા ભાવની લાલચે અને ઉત્પાદન વધુ મેળવવાની આશાએ જે તે ખેડૂત બિયારણની ખરીદી પણ કરી લેતા હોય છે, પરંતુ બિયારણની વાવણી કર્યા બાદ પાક નિષ્ફળ જતા ખેડૂતોને રડવાનો વારો આવે છે અને ખેડૂતો ડુપ્લિકેટ બિયારણ વેચતી કંપની સામે ઉચ્ચ રજૂઆતો કરે છે. ઘણી વાર ખેડૂતો તલાટી, મામલતદાર કે કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા હોય છે. પરંતુ જો સરકારી દસ્તાવેજોમાં ખેડૂતોએ લીધેલા પાકને ૭ -૧૨ના ઉતારામાં કપાસની જગ્યાએ બાજરી કે ટામેટાંની જગ્યાએ મરચાંનો પાક લીધો છે તેમ દર્શાવ્યું હોય તો ખેડૂતો કેસ કરે તો પણ ખોટા ઠરતા હોય છે અને કેસ હારી જવાનો વારો આવે છે, પરંતુ જો હવે ખેડૂતો પોતાના પાક કે જે બિયારણ લીધું છે કે વાવ્યું છે તે અંગે ઓનલાઈન માહિતી પૂરી પાડશે તો જે તે કંપની સામે કેસ કરીને પણ પોતાનું વળતર મેળવી શકશે. એટલું જ નહીં ખેડૂતોએ કૃષિ વિભાગને આપેલી માહિતી સરકારી અધિકારીઓ કે કોર્ટ જ્યારે મંગાવે ત્યારે પુરાવા તરીકે ખેડૂતો તે રજૂ પણ કરી શકશે. આમ, ઓનલાઈન પ્રક્રિયાને કારણે ખેડૂતો ખાનગી કંપનીઓનાં ડુપ્લિકેટ બિયારણથી દંડાતા બંધ થશે.

આત્મા પ્રોજેક્ટનો પણ સહયોગ રહેશે

રાજ્યમાં આત્મા પ્રોજેક્ટ સાથે ખેડૂતોનાં જૂથો સંકળાયેલાં છે. ખેડૂતોને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની આ કામગીરીમાં આત્મા પ્રોજેક્ટનો પણ સહયોગ લેવાશે, કારણ કે આત્મા પ્રોજેક્ટ સાથે પ્રગતિશીલ ખેડૂતોનાં મોટા ગ્રૂપ જોડાયેલાં હોવાથી એક સાથે ઘણા ખેડૂતોને ઓનલાઇન જોડી શકાશે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Tuesday, 11 February 2014

કેરી ખેડૂતોને ફાયદો કરાવશે


માવઠાને પગલે ઠંડી ઘટી જતાં ફ્લાવરિંગમાં વધારો
કેરી ખેડૂતોને ફાયદો કરાવશે
  • રાજ્યમાં ૨૦૧૨-૧૩માં થયેલા રેકોર્ડબ્રેક ૧૦.૦૩ લાખ ટનના ઉત્પાદનના આંકથી વધુ ઉત્પાદન થશેઃ
  • ફેબ્રુઆરીના અંત સુધી ગરમીનું પ્રમાણ જળવાઈ રહ્યું તો કેરીના ખેડૂતોને બખ્ખાં જ બખ્ખાં 
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફલાવરિંગ ઉત્તમ તબક્કામાં


કે રીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર એ છે કે આંબામાં ફ્લાવરિંગનો તબક્કો હવે પૂર્ણ થવાને આરે છે અને કેરી એપ્રિલના અંત સુધી બજારમાં ંઆવી જશે. આંબામાં ડિસેમ્બરમાં થતું ફ્લાવરિંગ  સમયસર રહેતાં કેરી જૂનના અંત સુધી ચાલશે.      
 જાન્યુઆરીમાં રાજ્યમાં માવઠું પડતાં ફ્લાવરિંગમાં ૧૦ ટકાની નુકસાની છતાં માવઠા બાદ ઠંડીનું પ્રમાણ ઘટી જતાં ફ્લાવરિંગમાં વધારો નોંધાયો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ગરમી ૩૦ ડિગ્રી  સુધી જળવાઇ રહી તો કેરીના ઉત્પાદનમાં રાજ્યમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. દેશમાં ૨૦૧૨-૧૩માં ૨૫ લાખ હેક્ટરમાં આંબાનું વાવેતર રહેતાં ઉત્પાદન ૧૮૦ લાખ ટન થયું હતું. ગુજરાતમાં  પણ ગત વર્ષે ૧.૪૧ લાખ હેક્ટરમાં આંબાનું વાવેતર રહેતાં ઉત્પાદન ઊંચકાઇને ૧૦.૦૩ લાખ ટન થયું હતું. દેશની કેસર અને આલ્ફાન્ઝોની માંગ અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત આરબના દેશોમાં સારી હોવાથી નિકાસઆંકમાં પણ વધારો થવાની શક્યતા છે. કેરીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમનું અગ્રણી રાજ્ય છે. રાજ્યમાં કેરીના ઉત્પાદનમાં જૂનાગઢ, તાલાલા, વિસાવદર, વંથલી અને વલસાડ તેમજ નવસારી પંથક મોખરે છે. આંબામાં ફ્લાવરિંગ સારા તબક્કામાં હોવાથી હાફૂસ અને કેસર કેરી એપ્રિલના અંતમાં બજારમાં આવે તેવી શક્યતા છે. કેરી એ રોકડિયો પાક હોવાની સાથે ખેડૂતોને સારા ભાવ મળતાં કેરીની ખેતી રાજ્યમાં વધી રહી છે. ચાલુ સીઝનમાં  અનુકૂળ હવામાન બાદ ભાવ સારા રહ્યા તો ખેડૂતોને કેરી સીઝનમાં કમાણી કરાવશે.   ફળપાકોના રાજા ગણાતા કેરીનું ગુજરાત સહિત દેશભરમાં વાવેતર વધતું જાય છે. કેરીની સારી માંગ અને સારા ભાવને પગલે ખેડૂતો પણ વાવેતર વધારી રહ્યા છે. શિયાળાનો અંતિમ તબક્કો અને ગરમીની શરૃઆત થાય કે તુરંત જ કેરીના રસિકો કેરીની બજારમાં રાહ જોવા લાગે છે. આંબામાં આ વર્ષે ફ્લાવરિંગ ઉત્તમ તબક્કામાં હોવાથી કેરીનું ઉત્પાદન વધે તેવી સંભાવના છે. કેટલાક ખેડૂતો આંબામાં કલ્ટાર પિવડાવી ઉત્પાદન એપ્રિલમાં લેવાનો પ્રયત્ન કરતા હોય છે. જે કેરીની ગુણવત્તા માટે હાનિકારક છે. બાગાયતના અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલમાં આવતી કેરીની ગુણવત્તા સારી ન હોવાથી મેના અંતમાં આવતી કેરી જ ખાવાનો આગ્રહ રાખવો જોઇએ. મે મહિનો જ કેરીના ઉત્પાદનનો ઉત્તમ મહિનો છે.
 દક્ષિણ ગુજરાતમાં કેરીની મોટાપાયે ખેતી થાય છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લો મુખ્ય છે. આંબામાં ફ્લાવરિંગ અંગે વલસાડ જિલ્લાના નાયબ બાગાયત નિયામક સી.ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં માવઠા બાદ ફ્લાવરિંગમાં વધારો થયો છે. હાલમાં વલસાડમાં ૯૦ ટકા આંબામાં ફ્લાવરિંગ પૂર્ણ થઇ ગયું છે. ૨૦૧૩ કરતાં પણ આ વર્ષે ફ્લાવરિંગ સારું હોવાથી કેરીનું ઉત્પાદન વધવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ૬૫ હજાર હેક્ટરથી વધુમાં આંબાનું વાવેતર કરાયેલું છે. આ વર્ષે ઠંડી સપ્રમાણ રહેતાં ખેડૂતોને ફાયદો થાય તેવી શક્યતાઓ છે. જ્યારે વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામક નિકુંજભાઇ પટેલે જણાવ્યું હતું કે, વલસાડમાં ફ્લાવરિંગ ઉત્તમ તબક્કામાં છે. હાલમાં ૮૦થી ૯૦ ટકા વિસ્તારમાં ફ્લાવરિંગ થયું છે.


ફેબ્રુઆરીમાં ગરમીના પ્રમાણ પર ઉત્પાદનનો આધાર

આંબામાં હાલમાં ફ્લાવરિંગનો તબક્કો ચાલી રહ્યો છે. સારા હવામાનને પગલે ફ્લાવરિંગમાં વધારો થતાં ખેડૂતોને મોટો ફાયદો થવાની હાલમાં શક્યતા છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિ. ના ડો. આર.આર. વીરડિયાએ જણાવ્યું હતું કે, ડિસેમ્બરમાં સૌરાષ્ટ્રમાં ૫થી ૧૦ ટકા ફલાવરિંગ થયું હતું. છેલ્લે જ્યારે ઠંડીનું પ્રમાણ વધતાં ખેડૂતોને ફ્લાવરિંગમાં નુકસાન થવાની સમસ્યા સર્જાઇ હતી, પરંતુ ત્યારે ૨૦થી ૨૫ ટકા જ ફ્લાવરિંગ થયું હતું. હાલમાં ૯૦ ટકાથી વધુ આંબામાં ફ્લાવરિંગ થઇ ચૂક્યું છે. ધારી, વંથલી, તલાલા જૂનાગઢ, વિસાવદરમાં ફ્લાવરિંગ સારા તબક્કામાં છે. ઠંડી ઓછી રહેતાં ફ્લાવરિંગનું પ્રમાણ વધ્યું છે. હાલમાં ફ્લાવરિંગનો તબક્કો પૂર્ણ થવાને આરે છે. ફેબ્રુઆરીમાં ગરમીનું પ્રમાણ ૩૦ ડિગ્રીની આસપાસ રહેશે તો ખેડૂતોને કેરીના પાકમાં ફાયદો થવાની આશા છે. ગરમીના પ્રમાણ પર ફ્લાવરિંગનો આધાર હોવાથી આ મહિનો કેરી માટે મુખ્ય રહેશે.

કેરીમાં રાજ્યની સ્થિતિ
વર્ષ           વાવેતર    ઉત્પાદન  ઉત્પાદકતા
૨૦૦૮-૦૯  ૧.૧૫           ૨.૯૯      ૨.૬
૨૦૦૯-૧૦  ૧.૨૧          ૮.૫૬      ૭.૦  
૨૦૧૦-૧૧  ૧.૩૦          ૯.૧૧     ૭.૦
૨૦૧૧-૧૨  ૧.૩૬          ૯.૬૬      ૭.૯
૨૦૧૨-૧૩  ૧.૪૧          ૧૦.૦૩  ૭.૧૧
નોંધઃ વાવેતરના આંક લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં ઉપરાંત ઉત્પાદકતા અંદાજિત હેક્ટરદીઠ ટનમાં છે

દેશમાં રાજ્યદીઠ કેરીના ઉત્પાદનની સ્થિતિ                                                                                             ૨૦૧૧-૧૨                               ૨૦૧૨-૧૩
રાજ્ય                 વાવેતર    ઉત્પાદન    ઉત્પાદકતા         વાવેતર    ઉત્પાદન    ઉત્પાદકતા
ઉત્તર પ્રદેશ           ૨.૫૮    ૩૮.૪૦    ૧૪. ૯             ૨.૭૪    ૪૩.૮૬       ૧૬.૦૦
કર્ણાટક                ૧.૭૨    ૧૮.૬૮     ૧૧.૦             ૧.૭૮    ૧૭.૯૫       ૧૦.૦૮
બિહાર                ૧.૪૭    ૧૨.૪૧     ૮.૫                ૧.૪૭    ૧૩.૬૩       ૦૯.૨૭
તમિલનાડુ            ૧.૫૧    ૮.૮૯       ૫.૮                ૧.૫૨    ૭.૧૪         ૦૪.૬૯
ઓરિસ્સા            ૧.૯૭    ૭.૧૫       ૩.૭                ૧.૯૭    ૭.૫૩         ૦૩.૮૨
મહારાષ્ટ્ર              ૪.૮૨    ૫.૦૩       ૧.૧                ૪.૮૨    ૬.૩૩         ૦૧.૩૧

નોંધઃ વાવેતરના આંક લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં ઉપરાંત ઉત્પાદકતા અંદાજિત હેક્ટરદીઠ ટનમાં છે

કેરીમાં  દેશની સ્થિતિ
વર્ષ              વાવેતર  ઉત્પાદન  ઉત્પાદકતા
૨૦૦૬-૦૭  ૨૧.૫૩  ૧૩૭     ૬.૩૮
૨૦૦૭-૦૮  ૨૨.૦૧  ૧૩૯     ૬.૩૬
૨૦૦૮-૦૯  ૨૩.૦૮  ૧૨૭     ૫.૫૨
૨૦૦૯-૧૦  ૨૩.૧૨  ૧૫૦     ૬.૫૦
૨૦૧૦-૧૧  ૨૨.૯૬  ૧૫૧     ૬.૬૧
૨૦૧૧-૧૨  ૨૩. ૭૮ ૧૬૧     ૬.૮૦
૨૦૧૨-૧૩  ૨૫.૦૦  ૧૮૦     ૭.૨૦
નોંધઃ વાવેતરના આંક લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં ઉપરાંત ઉત્પાદકતા હેક્ટરદીઠ ટનમાં છે.


બજારમાં કેરીનો પાક આવવાનો યોગ્ય સમયગાળો

રાજ્ય                   સીઝન                               કેરી
આંધ્રપ્રદેશ            ફેબ્રુઆરી-મધ્ય જુલાઇ         બંગનપાલી, સુવર્ણલેખા, નીલમ
ગુજરાત               એપ્રિલ-જુલાઇ                  આલ્ફાન્ઝો, કેસર અને રાજાપુરી, હાફૂસ
કર્ણાટક                એપ્રિલ-જુલાઇ                  બંગનપાલી, તોતાપુરી, નીલમ,
મહારાષ્ટ્ર                માર્ચ-જુલાઇ                     આલ્ફાન્ઝો, કેસર, પૈરી
ઉત્તર પ્રદેશ            મે- ઓગસ્ટ                      બોમ્બે ગ્રીન, દશેરી, આમ્રપાલી, ચૌસા
published in Gujarat leading agriculture news paper Agro sandesh..