રાજ્યમાં
વરસાદની અછત સૌરાષ્ટ્ર અને ઉ.ગુજરાતમાં વધુ રહેશે : ૨૦૦૯ અને ૨૦૧૨ બાદ અલનીનોની અસરને
પગલે રાજ્યમાં ચોમાસું સામાન્ય રહેવાના એંધાણ : દેશના ૫૦૦ જિલ્લાઓ માટે આપાતકાલીન યોજના
ઘડાઈ : રૃ ૩૦ હજાર અબજનું વરસાદ આધારિત દેશનું અર્થતંત્ર : રાજ્યમાં ૪૮ લાખ હેક્ટર
ખરીફ વાવેતર વરસાદને ભરોસે : વરસાદની અસર કૃષિ સેક્ટરને પ્રભાવિત કરશે
રવી
સીઝનમાં કમોસમી માવઠાથી ખેતીમાં નુક્સાની ભોગવી રહેલા ખેડૂતો માટે વધુ એક માઠા સમચાર એ છે કે અલનીનોની
પગલે ૨૦૦૯ અને ૨૦૧૨માં વરસાદની અછતનો ભોગ બનનાર ગુજરાતમાં ખરીફ ૨૦૧૪માં પણ વરસાદની
અછત રહેવાની સંભાવના છે. અલનીનોની અસરથી ચોમાસું સામાન્ય રહેવાની આગાહીઓથી દેશના ૨૩
રાજ્યોના ૫૦૦ જિલ્લાઓમાં આપાતકાલીન યોજના ઘડાઇ ચૂકી છે. દેશમાં ૩૦ હજાર અબજનું વરસાદ
આધારિત અર્થતંત્ર છે. દેશની ઇકોનોમીમાં કૃષિ સેક્ટરનો મહત્વનો ફાળો છે. ભારત ચોખા,
ખાંડ, ઘઉં, અને કપાસમાં બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. દેશના ૨૩૫ લાખ ખેડૂતો
ચોમાસા પર નિર્ભર છે. કુલ ૧૪૦૦ લાખ હેક્ટર ખેતીલાયક જમીનમાંથી ૪૦ ટકા જમીનમાં સિંચાઈની
સુવિધા હોવાની સાથે દક્ષિણ ભારતમાં ચોખાનો પાક મુખ્યત્વે વરસાદ પર જ આધારિત છે. દેશમાં
૨૦૦૯માં વરસાદની અછતથી ૨૧૦૦ લાખ ટન અનાજ પાક્યું હતું. આ વર્ષે ૨૦૦૯ જેટલી અછત રહેવાની
નહીવત્ સંભાવનાઓ વચ્ચે પણ કૃષિ વિભાગે અછત નિવારવા તૈયારીઓ આરંભી છે. આ જ સ્થિતિ ગુજરાતની
પણ છે. રાજ્યમાં ૨૦૧૨ બાદ વધુ એક વરસાદની અછત રહેવાની સંભાવના છે. રાજ્યમાં ખરીફ સીઝનમાં
૯૦ લાખ હેક્ટરમાં થતા વાવેતર પૈકી ૪૮ લાખ હેક્ટર ખેતી વરસાદ પર આધારિત છે. અછત સર્જાય
તો સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર અને ઉ.ગુજરાતના ખેડૂતોને થશે.
૨૦૧૪ના
ચોમાસા પર અલનીનોની અસર રહે તેવી સંભાવનાઓ વચ્ચે કેન્દ્ર સરકારે અલનીનોની દેશમાં ઓછી
અસર રહે માટે અત્યારથી દેશના ૨૩ રાજ્યોના ૫૦૦ જિલ્લાઓમાં આકસ્મિક યોજનાઓની તૈયારીઓ
આરંભી દીધી છે. ઉપરાંત દેશના ૨૩ રાજ્યના કૃષિ વિભાગને પણ ઓછા વરસાદથી પાક ઉત્પાદનમાં
અસર ન વર્તાય માટે સાવધાન રહેવાની સૂચના અપાઇ છે. જો ેઅલનીનોની અસર વર્ષ ૨૦૦૯ના જેવી
ન હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. ૨૦૦૯માં દેશમાં છેલ્લા ૩૦ વર્ષમાં ના પડી હોય તેવી
અછત દેશના કૃષિ વિભાગ પર રહી હતી. અલનીનો હવામાનની એક એવી ઘટના છે કે દક્ષિણ અમેરિકાના
પશ્વિમીતટ પર ઉઠતા ગરમ પવનોને કારણે બનતા ચોમાસાના વાદળોને અસર પહોંચે છે. આ પ્રકારની
ઘટના દર ત્રણથી ૭ વર્ષ દરમિયાન ઉભી થાય છે ત્યારે દેશમાં વરસાદની અછત સર્જાય છે. અલનીનોની
અસરને પગલે દેશમાં ૫૦૦ જિલ્લાઓ માટે આપાતકાલિન આયોજનો ઘડાયા છે. જો વરસાદની અછત રહેશે
તો આપાતકાલિન યોજના દેશમાં લાગુ પડશે તેમ કૃષિમંત્રીએ ર્વાિષક ખરીફ સંમેલનમાં જણાવ્યું
હતું. દેશમાં અલનીનોને પગલે છેલ્લા દસકામાં ૨૦૦૨, ૨૦૦૪ અને ૨૦૦૯માં વરસાદની અછત રહી
છે. ૨૦૦૨માં વરસાદ સામાન્યથી ૨૨ ટકા ઓછો, ૨૦૦૪માં ૧૭ ટકા ઓછો જ્યારે ૨૦૦૯માં દેશમાં
ભયંકર અછત સર્જાઇ હતી. ૨૦૦૯ના ચાર મહિનામાં જ ૨૭ ટકા વરસાદ ઓછો વરસ્યો હતો. પરિણામે
ધાન્યપાકોનું ઉત્પાદન પણ ૨૧૮૧ લાખ ટન રહ્યું હતું. ૨૦૧૨માં અલનીનોને પગલે ૭ ટકા વરસાદ
ઓછો પડયો હતો. દેશમાં ખેતી એ મોટાભાગે વરસાદ અધારિત છે. અલનીનોને પગલે વૈજ્ઞાાનિકોને
પણ વરસાદની અછતમાં પણ ટકી રહે અને ઓછા સમયમાં ઉત્પાદન આપે તેવા બિયારણો તૈયાર કરવાની
સૂચનાઓ અપાઇ છે. ભારતમાં મોસમની જાણકારી આપતી સૌથી મોટી ખાનગી એજન્સીએ અનુમાન લગાવ્યું
છે કે આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.
આવકના
સમીકરણો બદલતો વરસાદ
ભારતમાં
ચોમાસું નિષ્ફળ જાય તો ચીજવસ્તુઓના વૈશ્વિક બજારમાં પણ ભૂકંપ સર્જાવાની શક્યતાઓ છે.
૨૦૦૮-૦૯માં ખાંડના નિકાસકાર ભારતે ખાંડની આયાત કરવી પડી હતી. કપાસ અને તેલીબિયાં બજારના
સમીકરણો બદલાય તો ભારતે કરોડો રૃપિયાનું વિદેશી હૂંડિયામણ ખર્ચીને આયાત કરવી પડે તેવી
સ્થિતિ પેદા થવાની શક્યતાઓ વધી જાય. સૌથી મહત્વની બાબત એ છે કે ખેતપેદાશો પરની સબસિડી
અને અન્ય કર્જ માફીની યોજનાઓ તેમજ સરકારી નીતિ મુજબ સારું ચોમાસું હોય તો યંત્ર સામગ્રીથી
લઇને બિયારણો પરની ખેડૂતોને અપાતી સબસિડીમાં ઘટાડો કરી શકાય છે. ભારતના કુલ ર્વાિષક
ઉત્પાદનમાં કૃષિનો ફાળો ફક્ત ૧૭થી ૨૦ ટકા છે તો ચોમાસાના સારા અને સમયસર વરસાદને આટલું
મહત્વ આપવામાં આવે તેવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. પરંતુ સારા અથવા ખરાબ વરસાદની
અસર ખેતી કે ખેડૂતો પર જ થતી નથી પરંતુ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અર્થતંત્રના બીજા
ક્ષેત્રો પર પણ થાય છે. ખાતર, બિયારણ, જંતુનાશકો, વીજળી અને ટેલીકોમ તેમજ બેન્કો પર
નબળાં ચોમાસાની સીધી અસર થાય છે.
ચોમાસુ ભારત માટે કઇ રીતે મહત્વનું
ભારત એ ઉદ્યોગ પ્રધાન દેશ હોવાનું સ્ટેટસ જાળવવા મથામણ કરી રહ્યું છે. આમ છતાં પરંપરાગત રીતે હજારો વર્ષોથી ભારત કૃષિ પ્રધાન દેશ રહ્યો છે અને બીજા સૈકાઓ સુધી તેમાં કોઇ ફરક પડવાનો નથી. આજે ભારતના અર્થતંત્રને ધબકતું રાખતા ર્વાિષક રૃપિયા 2 લાખ અબજના બજારમાં કૃષિ પેદાશો એકમાત્ર 30,૦૦૦ અબજ રૃપિયાનો હિસ્સો ધરાવે છે. દેશમાં કુલ ૧૭૦૦ લાખ જમીનમાં પિયતની સુવિધા નહીંવત છે. દેશમાં ૬૦ ટકા હિસ્સો સંપૂર્ણપણે વરસાદ આધારિત છે. અર્થતંત્રની દૃષ્ટીએ જોઇએ તો ભારતનું ર્વાિષક 30,૦૦૦ અબજ રૃપિયાનું બજાર વરસાદ આધારિત છે. આયોજન પંચના રિપોર્ટ મુજબ સરેરાશ ઓછો વરસાદ થયો છે ત્યારે ભારતનું ખાદ્ય સામગ્રીનું આયાત બિલ ૧૬.૫ ટકા જેટલું વધ્યું છે. દેશમાં મોંઘવારી સરેરાશ દોઢ ટકો વધી છે. ભારતમાં ખરીફના બે મુખ્ય પાક ઘઉં અને ચોખામાંથી દક્ષિણ ભારતમાં ચોખાનો પાક વરસાદ આધારિત જ છે. ચોખાના ઉત્પાદનમાં વિશ્વમાં બીજો ક્રમ ધરાવતા ભારતમાં ચોખાનું વાવેતર ૮૫ ટકા વરસાદ પર નિર્ભર છે. બ્રાઝિલ બાદ ભારત શેરડીના ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવે છે. શેરડી એ લાંબાગાળાનો પાક છે. જો વરસાદ અપૂરતો રહે અને શેરડીનો પાક નિષ્ફળ જાય તો વિદેશી હૂંડિયામણ ઘટવાની સાથે દેશમાં ખાંડના ભાવમાં તોતિંગ વધારો થવાની સંભાવના છે. તેલીબિયાં પાકોનું પણ દેશમાં સૌથી વધુ વાવેતર ખરીફ સીઝન એટલે ચોમાસાની સીઝનમાં થાય છે. તેલીબિયાંના પાકોમાં હજુ ભારતે આત્મનિર્ભરતા મેળવી નથી. ફક્ત તેલીબિયાં આયાત બંધ કરાય તો વર્ષે ભારત ૮૦ કરોડ ડોલર રૃપિયા બચાવી શકે તેમ છે. આ ઉપરાંત વરસાદની અસર રવી અને ઉનાળામાં પણ પડે તેવી સંભાવના છે. આમ વરસાદ કૃષિક્ષેત્રમાં પાયાની ભૂમિકા ભજવે છે. ખેતીને ભારતમાં કન્ટ્રોલર ઓફ પ્રાઇસ પણ કહી શકાય છે. ખેતીની સીધી અસર ઔદ્યોગિક ઉત્પાદન પર થાય છે કારણ કે ઔદ્યોગિક ઉત્પાદન માટે જરૃરી લગભગ ૪૦ ટકા સામાન કૃષિક્ષેત્ર પૂરો પાડે છે. ભારતની કુલ જમીનનો ૪૦ ટકા ભાગ કૃષિ હેઠળ છે.
ગુજરાતને
અલનીનો કેવી અસર પહોંચાડી શકે?
ગુજરાતમાં
ખેતીલાયક જમીનો પૈકી ૯૦ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ સીઝનમાં ખેતી થાય છે. જેમાં સૌથી
મોટો આધાર એ વરસાદ છે. રાજ્યમાં માત્ર ૪૨ લાખ હેક્ટરમાં પિયતની સુવિધા છે. ૪૮ લાખ હેક્ટરમાં
ખરીફ સીઝન વરસાદ આધારિત છે. અલનીનોને પગલે વરસાદની અછત સર્જાય તો ૪૮ લાખ હેક્ટરમાં
થયેલી ખેતી સામે પ્રશ્નાર્થ સર્જાવાની શક્યતા વધી જાય. રાજ્યના પાટણ, કચ્છ, પંચમહાલ,
દાહોદ, સાબરકાંઠા, સહિતના જિલ્લાઓમાં મોટાભાગે
વરસાદ આધારિત ખેતી થાય છે. ગુજરાતમાં વરસાદની અછતની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને ઉત્તર
ગુજરાતમાં ખાસ કરીને થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં
મહી નદીના પાણીથી ખેડૂતો પિયતની સુવિધા ધરાવે છે. દક્ષિણ ગુજરાતમાં પણ નર્મદા અને તાપીના
પાણી પિયત માટે ઉપયોગમાં લેવાય છે. રાજ્યમાં
વરસાદની અછત ૨૦૦૯ અને ૨૦૧૨માં પણ જોવા મળી હતી.
અલનીનોની કયા દેશમાં કેવી અસર રહેશે
અલનીનોએ દુનિયાભરના મોસમ પર પોતાની અસર દેખાડી છે. અલનીનોને પગલે ક્યાંક વરસાદની અછત તો ક્યાં ધોધમાર વરસાદ વરસશે. પરિણામે ચોખા, પામ તેલ , ખાંડ, કોફી, રબર જેવા પાકો પર અસર થવાની સંભાવના છે. ભારત સહિત દક્ષિણ, પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર-પૂર્વ બ્રાઝિલમાં વરસાદની અછત જ્યારે પેરું, બોલિવીયામાં ધોધમાર વરસાદ તેમજ મધ્ય પ્રશાંત ક્ષેત્રમાં ચક્રવાત અને અમેરિકાના દક્ષિણ પશ્વિમી રાજ્યોમાં તોફાન આવવાની સંભાવના છે.
ભારતઃ ભારતમાં અલનીનોને પગલે વરસાદની અછતથી ખરીફ ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી સંભાવના વધી જાય છે. વર્ષ ૨૦૦૯માં ચાર દાયકાનો સૌથી મોટો દુષ્કાળ પડયો હતો.
ચીનઃ ચીનમાં અલનીનોની કોઇ અસર પડશે નહીં, ચીનમાં શેરડી, કોફી, ચોખા અને કપાસની મોટી ખેતી થાય છે.
અમેરિકાઃ વાવેતરના સમયે હવામાન બગડવાની સંભાવનાથી ઘઉં અને મકાઇના ઉત્પાદન પર અસર થવાની સંભાવના છે. જેને પગલે વિશ્વના એગ્રીકલ્ચર માર્કેટમાં તેજી આવવાની શક્યતા છે.
બ્રાઝિલઃ બ્રાઝિલમાં કોફીના પાક પર અસર થવાની સંભાવના છે. અલનીનોના પગલે અહીં વરસાદની અછત રહેવાની સંભાવના છે.
મલેશિયાઃ મલેશિયામાં વરસાદની અછતથી પામતેલના ઉત્પાદન પર સીધી અસર પડવાનો અંદાજ છે. રબરનું ઉત્પાદન પણ ઘટવાની સંભાવના છે.
ઇન્ડોનેશિયાઃ ઇન્ડોનેશિયામાં અલનીનોને પગલે પામના છોડ નાના હોવાથી ખાસ અસર રહેશે નહીં. અહીંયાં પામની ખેતી વધતાં ઉત્પાદન ૨૫૦ લાખ ટન થવાની સંભાવના છે. કોફીની કાપણી જૂનમાં થતી હોવાથી કોફીના ઉત્પાદન પર અસર પડવાની શક્યતા છે. રબરના ઉત્પાદનમાં પણ ઇન્ડોનેશિયામાં ઘટાડો થવાની સંભાવના રહેશે.
થાઇલેન્ડઃ ભારત માટે ચોખાની નિકાસમાં સૌથી મોટા હરિફ દેશ થાઇલેન્ડમાં ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે. રબરનું ઉત્પાદન આ દેશમાં ઘટવાની સંભાવના છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment