મોડા વરસાદ અને કપાસના સારા ભાવે મગફળીનું વાવેતર ઘટાડયુંં : જીરુંના
વાવેતર વિસ્તારસમા સૌરાષ્ટ્રમાં કપાસના વાવેતરમાં ૩ લાખ હેક્ટરનો વધારો અને મગફળીના
વાવેતરમાં ૪ લાખ હેક્ટરનો ઘટાડો : ૨૦૧૩માં ૪.૫૫ લાખ હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું
હતું : જીરુંની જમીન ખેડૂતોએ કપાસને ફાળવી દીધી
રાજ્યમાં
મગફળીના ઉત્પાદન બાદ નવેમ્બરમાં ખેડૂતો જીરુંનું વાવેતર કરતા હોય છે. ગત વર્ષે રવી
સીઝનમાં ૪.૫૫ લાખ હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું હતું, પરંતુ ચાલુ વર્ષે રાજ્યના મુખ્ય
મસાલાપાક જીરુંનું વાવેતર કપાય તેવી સંભાવના છે. જીરુંનું વાવેતર મોટાભાગે મગફળીના
વાવેતર વિસ્તાર પર નિર્ભર છે. મોડા વરસાદ અને ઓછા ભાવને પગલે ખેડૂતોએ મગફળીનું વાવેતર
ટાળી કપાસમાં ઝંપલાવતાં મગફળીનું રાજ્યમાં ૧૨.૧૦ લાખ હેક્ટરમાં વાવેતર થયંું છે. કપાસનો
પાક ૨૦૦ દિવસનો હોવાની સાથે જીરુંના વાવેતર વિસ્તારસમી સૌરાષ્ટ્રની જમીનો ખેડૂતોએ કપાસને
ફાળવી દેતાં જીરુંના વાવેતર પર તેની સીધી અસર પડશે. હાલમાં ઊંઝા યાર્ડમાં જીરુંની ૫થી
૬ હજાર બોરીની આવક આવવાની સાથે મણના ભાવ રૃપિયા ૧૯૦૦થી ૨૧૦૦ ચાલી રહ્યા છે. મગફળીનું
રાજ્યમાં ૪ લાખ હેક્ટર વાવેતર કપાવાની સાથે કપાસના વાવેતરમાં રેકોર્ડબ્રેક ૩ લાખ હેક્ટરનો
વધારો જીરુંનું વાવેતર કાપશે અને નવી સીઝનમાં જીરુંનું વાવેતર મોડું થશે. દેશમાં હાલમાં
જીરુંનો ૨૦થી ૨૫ લાખ બોરી સ્ટોક હોવાથી નિકાસમાંગમાં ઉછાળો છતાં ભાવ સરેરાશ જળવાઈ રહ્યા
છે. જોકે, નવી સીઝનમાં જીરુંના ભાવમાં ઉછાળો રહે તેવી શક્યતા છે.
વિ
શ્વમાં સૌથી વધુ મસાલા પાકોનું ઉત્પાદન કરતો દેશ ભારત છે. દેશમાં જીરુંના વાવેતર અને
ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૭૦ ટકાથી પણ વધુ છે. ત્યાર પછી રાજસ્થાન આવે છે. રાજ્યમાં
છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ મુજબ ૩.૫૦ લાખ હેક્ટરની આસપાસ જીરુંનું વાવેતર થાય છે.
વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન ગુજરાતમાં જીરુંનું વાવેતર અંદાજે ૩.૩૫ લાખ હેક્ટરમાં થયું હતું
જે અગાઉના વર્ષ કરતાં ૧૦ ટકા ઓછું હતું. ગુજરાતમાં જીરુંનું વાવેતર ગત વર્ષે ૪.૫૫ લાખ
હેક્ટરમાં થયું હતું.
છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન દેશમાં જીરુંનું ઉત્પાદન
સારું થયું હોવા છતાં ઘરઆંગણે જીરુંના ભાવ રૃ.૨૨૦૦ની આસપાસ જળવાઈ રહ્યા છે. જીરંુના
મુખ્ય નિકાસકારો સીરિયા અને તુર્કી છે, પરંતુ તેમનું ઉત્પાદન જૂન અને જુલાઈના અંતમાં
મોડું આવે છે. ભારતીય જીરુંની નિકાસ યુએસ, યુકે, યુએઈ, જાપાન, બ્રાઝિલ વગેરે દેશોમાં
કરવામાં આવે છે. જીરુંનો
દેશમાં ર્વાિષક વપરાશ ૩૬થી ૩૮ લાખ ગૂણી છે જેમાં દર વર્ષે વધારો થતો જાય છે. ભારતમાં
૪૦-૪૨ લાખ ગૂણી જીરુંના ઉત્પાદનના અંદાજ વચ્ચે ૨૦૧૩-૧૪માં વાવેતર વધતાં ૪૫થી ૫૦ લાખ
ગૂણી જીરુંનું ઉત્પાદન થયું હતું. ગુજરાતમાં
જીરુંના સૌથી મોટા માર્કેટ ગણાતા ઊંઝામાં હાલમાં ૫થી ૬ હજાર બોરીની આવક આવી રહી છે
અને ભાવ ૧૯૦૦થી ૨૧૦૦ ચાલી રહ્યા છે. દેશમાં ૨૦૧૦-૧૧માં ૩૫ લાખ ગૂણી જ્યારે ૨૦૧૧-૧૨માં
૪૦ ગૂણી જીરુંનું ઉત્પાદન થયું હતું. મસાલા બજારના રિપોર્ટ મુજબ ૨૦૧૨-૧૩માં એક લાખ
ગૂણી જીરુંની નિકાસ થઈ છે.
ગુજરાતમાં
કપાસનું ૨૯.૩૦ લાખ હેક્ટર અને મગફળીનું ૧૨.૧૦ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. વરસાદ
ખેંચાતાં વાવેતર પણ લંબાતા ખેડૂતોએ જુલાઇ મધ્ય બાદ કપાસ અને મગફળીની વાવણી કરી છે.
રાજ્યમાં જીરુંનંુ વાવેતર મોટાભાગે મગફળીનો પાક લીધા બાદ ખાલી પડતી જમીનમાં ખેડૂતો
કરતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે રાજ્યમાં મોડું વાવેતર અને કપાસના વધેલા વાવેતરને પગલે
જીરુંનું વાવેતર કપાય તેવી સંભાવના છે. ગત વર્ષે મગફળીનું ૧૬.૪૯ લાખ હેક્ટરમાં વાવેતર
થતાં નવેમ્બરમાં મગફળીનાં ખાલી પડેલાં ખેતરોમાં ખેડૂતોએ સારા ભાવને પગલે જીરુંનું વાવેતર
કરતાં વાવેતરનો આંક ૪.૫૫ લાખ હેક્ટરે પહોંચી
ગયો હતો, પરંતુ આ વર્ષે સ્થિતિમાં ફેરફાર છે. મગફળીના ખેડૂતોને ઓછા મળેલા ભાવ અને કપાસના
સરેરાશ ભાવ અને વરસાદની અછત બાદ મગફળીમાં ઉભડી મગફળીના વાવેતરની સ્થિતિ જ બાકી રહેતાં
આ વર્ષે મગફળીના ખેડૂતો કપાસની ખેતી તરફ વળ્યા છે.
કપાસનો
પાક ૧૯૦થી ૨૩૦ દિવસનો હોવાથી જીરુંના વાવેતરનો યોગ્ય સમયગાળો પૂર્ણ થઇ જતો હોવાથી આ
વર્ષે કપાસના વધેલા વાવેતરની અસર જીરુંના વાવેતરને પડે તેવી પૂરી સંભાવના છે. જીરુંના
વાવેતર માટે હબ ગણાતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મગફળીનું સૌથી વધુ વાવેતર કપાયું
છે. ૨૦૧૩માં આ વિસ્તારમાં મગફળીનું વાવેતર વધતાં ખેડૂતોએ ખાલી પડેલી જમીનમાં જીરુંનું
વાવેતર કર્યું હતું. સૌરાષ્ટ્રમાં ગત વર્ષે મગફળીનું ૧૪.૩૮ લાખ હેક્ટર અને કપાસનું
૧૬.૯૪ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું જ્યારે ચાલુ વર્ષે મગફળીનું ૧૦.૦૮ લાખ હેક્ટર
અને કપાસનું ૨૦.૦૮ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.
ગુજરાતમાં
જીરુંનું વાવેતર
પાક સરેરાશ ૨૦૧૩ ૨૦૧૪
જીરું ૩.૪૯ ૩.૩૫ ૪.૫૫
કપાસ ૨૭.૧૭ ૨૬.૬૨ ૨૯.૩૦
મગફળી ૧૪.૩૯ ૧૬.૪૯ ૧૨.૧૦
નોંધ
વાવતેરના આંક લાખ હેક્ટરમાં છે.
દેશમાં
જીરુંનો સ્ટોક અને નિકાસની સ્થિતિ
હાલ
સમગ્ર દેશમાં જીરુંનો સ્ટોક ૨૦થી ૨૫ લાખ બોરી (એક બોરી =૫૫ કિલો) છે. ગુજરાતના માર્કેટયાર્ડોની અંદર ૨૦ લાખ બોરી સ્ટોક છે. જ્યારે
જોધપુરમાં ૩થી ૪ લાખ બોરી સ્ટોક છે. અત્યાર સુધી નવી સીઝનના પાકનો ૫૦ ટકા હિસ્સો જોધપુરના
બજારમાં આવી ચૂક્યો છે. તો એપ્રિલ-ડિસેમ્બર ૨૦૧૩માં જીરુંની નિકાસ ૯૬,૫૦૦ ટન થઈ હતી
જે પાછલા વર્ષના મુકાબલે ૮૯ ટકા વધારે છે. જાણકારોના મતે જીરુંનો સપ્ટેમ્બર વાયદો વર્ષના
અંત સુધીમાં ૧૨,૦૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલના સ્તરે કારોબાર કરી શકે છે.
રાજસ્થાનમાં
જીરું અને વરિયાળી પરથી વેટ નાબૂદ
રાજસ્થાનમાં
જીરું અને વરિયાળી પર લગાવાયેલા ૫ ટકા વેટને વેપારીઓના ભારે વિરોધ બાદ સરકારે નાબૂદ
કરી દીધો છે. જીરું અને વરિયાળી પરથી વેટ નાબૂદ કરાતા ખેડૂતો, વેપારીઓ અને મજૂરોને ફાયદો થશે. ઉલ્લેખનીય
છે કે ગત ૧૪ જુલાઈના રોજ સામાન્ય બજેટમાં રાજસ્થાન સરકારે જીરું અને વરિયાળી ઉપર ૫
ટકા વેટ લગાવી દીધો હતો.
મગફળીમાં
ખેડૂતોને ટેકાના ભાવ પણ ન મળ્યા
સૌરાષ્ટ્રના
ખેડૂતો માટે ખરીફ સીઝનનો મુખ્ય પાક ગણાતા મગફળીનું ખેડૂતોએ ગત ખરીફમાં ૧૬.૪૯ લાખ હેક્ટરમાં
વાવેતર કરતાં હેક્ટરદીઠ ઉતારા પણ વધતાં ઉત્પાદન ૨૫ લાખ ટને પહોંચ્યું હતું. પરિણામે
ઉત્પાદનની સામે માંગ ન રહેતાં ખેડૂતોએ મગફળીનું ટેકાના ભાવથી પણ નીચા ભાવે વેચાણ કરવું
પડયું હતું. આમ, ખેડૂતોને સરેરાશ નુક્સાની સહન કરવી પડી હતી. જ્યારે કપાસમાં મણે રૃ.૭૫૦થી
રૃ.૯૦૦ના ભાવ જળવાતાં ખેડૂતો ફાયદામાં રહ્યા છે. જેથી આ વર્ષે મગફળીના ખેડૂતો પણ કપાસની
ખેતી તરફ વળતાં કપાસનું વાવેતર વધ્યું છે જેની અસર જીરુંના વાવેતર પર પડશે. ફ
કપાસ
અને મગફળીના વાવેતરની બે વર્ષની તુલના
૨૦૧૩ ૨૦૧૪
જિલ્લા મગફળી કપાસ જીરું મગફળી કપાસ
કચ્છ ૭૦,૨૦૦ ૭૮,૫૦૦ ૩૧,૯૦૦ ૧૮,૩૦૦ ૫૩,૬૦૦
બનાસકાંઠા ૫૨,૨૦૦ ૪૫,૮૦૦ ૭૧,૪૦૦ ૫૦,૦૦૦ ૪૦૪૦૦
મહેસાણા ૬૪,૦૦ ૫૧,૨૦૦ ૫,૯૦૦ ૭,૭૦૦ ૫૪૦૦૦
સાબરકાંઠા ૮૨,૩૦૦ ૧,૨૬,૧૦૦ ૧,૬૦૦ ૨,૯૩૦૦ ૧,૧૮,૦૦
કુલ ૧,૪૩,૭૦૦ ૩,૧૫,૮૦૦ ૧,૩૬,૧૦૦ ૧,૦૫૧,૦૦ ૩,૧૯,૬૦૦
અમદાવાદ ૧૦૦ ૧,૮૫,૭૦૦ ૩૦,૦૦૦ ૧૦૦ ૧,૪૮,૨૦૦
સુરેન્દ્રનગર ૨૬,૪૦૦ ૪,૧૫,૭૦૦ ૧,૦૮,૯૦૦ ૬,૪૦૦ ૩,૬૯,૦૦૦
રાજકોટ ૩,૨૬,૮૦૦ ૩,૩૯,૪૦૦ ૪૮,૨૦૦ ૨,૨૫,૫૦૦ ૨,૭૩,૫૦૦
જામનગર ૩,૫૭,૨૦૦ ૧,૮૦,૧૦૦ ૪૪,૦૦૦ ૧,૩૯૩,૦૦ ૧,૭૯,૯૦૦
પોરબંદર ૮૫,૪૦૦ ૮,૯૦૦ ૨૬,૬૦૦ ૬,૭૮,૦૦ ૨૧,૨૦૦
જૂનાગઢ ૩,૮૬,૨૦૦ ૭૯,૨૦૦ ૨૦,૩૦૦ ૨,૨૪,૭૦૦ ૯૪,૯૦૦
અમરેલી ૧,૩૭,૮૦૦ ૩,૪૬,૨૦૦ ૫,૦૦૦ 7૦,૮૦૦ ૪,૧૨,૨૦૦
ભાવનગર ૧,૧૮,૫૦૦ ૩,૨૫,૨૦૦ ૨,૮૦૦ ૬૨,૦૦૦ ૨,૧૬,૧૦૦
સૌરાષ્ટ્ર ૧૪,૩૮,૩૦૦ ૧૬,૯૪,૭૦૦ ૨,૫૫,૯૦૦ ૧૦,૮૦,૫૦૦ ૨૦,૦૮,૨૦૦
કુલ ૧૬,૬૦,૩૦૦ ૨૬,૯૧,૧૦૦ ૪,૫૫,૦૦૦ ૧૨,૧૦,૦૦૦ ૨૯,૩૦,૦૦૦
નોંધ : જીરુંના વાવેતર માટે મગફળીનું વાવેતર સૌથી વધુ
અસરકારક રહેતું હોય છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment