૧૯૫
લાખ ટન કઠોળનું ૨૦૧૩-૧૪માં દેશમાં ઉત્પાદન થયું : ૩૦ લાખ ટન કઠોળની આયાત કરતું ભારત : વધતો જતો વપરાશ : દેશમાં ૧ ઓગસ્ટ સુધીમાં કઠોળનું કુલ વાવેતર ૬૭.૧૯ લાખ હેક્ટરમાં
થયું : ગત વર્ષની તુલનાએ ૧૨ લાખ હેક્ટર વાવેતર ઘટયું : ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી વાવેતર
થતું હોઈ વાવેતરનો આંક ઊંચકાશે પણ ઉત્પાદન ઘટશે
દેશમાં
કઠોળનું ખરીફ સીઝનમાં ૧૦૦ લાખ હેક્ટરથી વધુમાં થતા વાવેતરમાં ઘટ અને હેક્ટરદીઠ ઉત્પાદકતામાં
ઘટાડો આવવાની સંભાવનાને પગલે હવે કઠોળનું ઉત્પાદન ૫૫ લાખ ટન આસપાસ રહે તેવી શક્યતા
છે. ગત વર્ષે ૬૧ લાખ ટન કઠોળ ખરીફ સીઝનમાં પાકતા કુલ ઉત્પાદન આંક ૧૯૫ લાખ ટનને વટાવી
ગયો હતો. દેશમાં કઠોળની ર્વાિષક જરૃરિયાત ૨૨૦થી ૨૩૦ લાખ ટન હોવાથી ભારત વર્ષે ૩૦ લાખ
ટન કઠોળ આયાત કરે છે. કઠોળનું ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી વાવેતર થતું હોવાથી વાવેતરનો
આંક ઊંચકાવાની સંભાવના છતાં ઉત્પાદનમાં ઘટને પગલે કઠોળના ભાવમાં તેજી શરૃ થઇ છે. કઠોળની
તહેવારોને પગલે માંગ વધતાં હવે છેક દિવાળી સુધી કઠોળના ભાવ ઘટે તેવી સંભાવના ઓછી છે.
કઠોળના ભાવમાં એક મહિનામાં ૧૧ ટકાનો ઉછાળો નોંધાયો છે. વાવેતર લેટ હોવાથી ઉત્પાદન પણ
મોડું આવવાની શક્યતાથી કઠોળની આયાત કરવી પડે તેવા સંજોગો પણ ઊભા થયા છે.
ભા
રતમાં કઠોળ પાકોનું મોટાપાયે વાવેતર કરાય છે. વિશ્વમાં ભારત કઠોળના ઉત્પાદનમાં ૨૫ ટકાનો
હિસ્સો ધરાવે છે. જ્યારે વૈશ્વિક વપરાશમાં ભારતનો ૩૦ ટકા હિસ્સો રહેલો છે. ભારતમાં
ખાસ કરીને ચણા, તુવેર, મસૂર, મગ અને અડદ જેવા કઠોળ પાકની વાવણી મોટાપાયે કરવામાં આવે
છે. જો કે તેમ છતાં ભારતમાં ઉત્પાદનની સામે જરૃરિયાત પૂરી કરવા માટે કેનેડા, ઓસ્ટ્રેલિયા,
મ્યાનમાર, રશિયા, ચીન અને ટાન્ઝાનિયામાંથી કઠોળની આયાત કરવી પડે છે. વર્ષ ૨૦૦૭-૦૮માં
અને વર્ષ ૨૦૦૯-૧૦માં ગ્રામીણ અને ઘરેલું વપરાશ વધી જતા ડિમાન્ડ અને સપ્લાયના પુરવઠાને
ખાસ્સી અસર રહી હતી. વર્ષ ૨૦૦૯માં દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે ખરીફ ઉત્પાદન ઓછું
આવતા અને વર્ષ ૨૦૧૨માં ચણાના ઓછા ઉત્પાદનને કારણે ફુગાવા પર પણ અસર વર્તાઈ હતી. દેશના
કૃષિ મંત્રાલયના ત્રીજા આગોતરા અંદાજ મુજબ દેશમાં કઠોળનું કુલ ૧૯૫ લાખ ટન ઉત્પાદન રહેવાનો
અંદાજ છે. જો કે તેની સામે આ વર્ષે વરસાદ ખેંચાતા
વાવણીમાં ઘટાડો થયો છે જેને કારણે ઉત્પાદન ઓછું આવવાના અંદાજો લગાવાઈ રહ્યા છે. સામે
પક્ષે ભારતમાં સ્થાનિક માગ તેજ બનશે તેની સામે ભાવમાં પણ ઉછાળો આવી શકે છે. જાણકારોના
મતે કઠોળ પાકની આયાત અને નિકાસ બંને પર પણ ભાવની અસર વર્તાઈ શકે છે.
આ વર્ષે
દેશમાં નબળા ચોમાસાને કારણે ખરીફ સીઝનમાં કઠોળ પાકોના વાવેતરને બહુ મોટો ફટકો પડયો
છે. કઠોળનું વાવેતર મોડું અને ઓછું થવાને કારણે
નવી સીઝનનું ઉત્પાદન એક મહિનો મોડું આવે તેવી પણ સંભાવનાઓ રહેલી છે. બીજી તરફ ઈદથી
લઈને દિવાળી અને ત્યારબાદના તહેવારોને પગલે દેશની જરૃરિયાત પૂરી કરવા માટે કઠોળની આયાત
વધે તેવી પણ જાણકારો સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યાં છે. દેશના કૃષિ મંત્રાલયના આંકડાઓ
પ્રમાણે દેશમાં ૧ ઓગસ્ટ સુધીમાં કઠોળનું કુલ વાવેતર ૬૭.૧૯ લાખ હેક્ટર વિસ્તારમાં થયું
છે. જે ગત વર્ષે ૭૯.૫૦ લાખ હેક્ટર વિસ્તારમાં થયું હતું.
મગ : કૃષિ મંત્રાલયના આંકડાઓ અનુસાર ૨૫મી જુલાઇ સુધીમાં દેશના ખેડૂતોએ ૧૦.૨૮ લાખ હેક્ટરમાં
મગની વાવણી કરી છે. જે પાછલા વર્ષના મુકાબલે ૪૨ ટકા ઓછી છે. વરસાદની ઘટને પગલે ૮.૨૪
લાખ ટન મગનું ઉત્પાદન રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ પહેલા ૧૦.૮૩ લાખ
ટન ઉત્પાદન થવાનો અંદાજ હતો. એટલે કે વરસાદ ખેંચાતા મગના ઉત્પાદનમાં ૨ લાખ ટનથી વધુની
ઘટ જોવા મળી શકે છે. સમગ્ર સીઝન દરમિયાન ૨૪.૧ લાખ હેક્ટરમાં મગની વાવણી નોંધાય છે.
તુવેરઃ
તુવેરનું વાવેતર ૨૫મી સુધીમાં ૨૮.૮ લાખ હેક્ટરથી ઘટીને આ વર્ષે ૧૬.૩ લાખ હેક્ટરમાં
થયું છે. જે પાછલા વર્ષના મુકાબલે ૪૨.૫ ટકા ઓછું છે. પાછલા વર્ષે આ સમયગાળામાં ૨૮ લાખ
હેક્ટરમાં વાવણી થઈ હતી. કર્ણાટકમાં સૌથી વધુ ૪,૦૪,૦૦૦ હેક્ટરમાં વાવણી થઈ છે જે પાછલા
વર્ષ કરતાં ૩૦ ટકાનો ઘટાડો દર્શાવે છે. મહારાષ્ટ્રમાં પણ તુવેરની વાવણીમાં ૫૮ ટકાનો
ઘટાડો નોંધાયો છે. દેશમાં ૩૭.૧૭ લાખ ટન તુવેરનું
ઉત્પાદન રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો પરંતું વરસાદની ઘટને પગલે હવે ૩૨.૩૩
લાખ ટન તુવેરનું ઉત્પાદન રહેવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે એટલે કે ઉત્પાદનના આંકમાં
૫ લાખ ટનથી વધુનો ઘટાડો જોવા મળશે. જાણકારોના મતે દેશમાં કઠોળનું વાવેતર ઓગસ્ટ મહિનાના
પહેલા સપ્તાહ સુધી થઈ શકે છે
દેશમાં
મોડા વાવેતર અને ઓછા વરસાદને કારણે કઠોળના ઉત્પાદન પર પણ અસર પહોંચે તેવી સંભાવના છે.
જેને કારણે ગત વર્ષ જેટલું કઠોળનું ખરીફ ઉત્પાદન થાય તેવી શક્યતા ઓછી છે. દેશમાં ગત
વર્ષે ખરીફ સીઝનમાં ૬૧ લાખ ટન કઠોળનું ઉત્પાદન રહ્યું હતું. ભારતમાં કઠોળની મોટાપાયે
કેનેડાથી આયાત થાય છે. કેનેડા વિશ્વના મસૂરની કુલ નિકાસમાં ૬૫ ટકા હિસ્સો ધરાવે છે
અને વટાણામાં ૫૪ ટકા હિસ્સો ધરાવે છે. ઈન્ડિયન પલ્સીસ એન્ડ ગ્રેઈસ એસોસિયેશનના આંકડા
પ્રમાણે ભારતમાં ગત વર્ષે ૭.૫ લાખ ટન મસૂરનું ઉત્પાદન થયું હતું અને ૪ લાખ ટન આયાત
કરવી પડી હતી. ભારતે કેનેડાથી ગત વર્ષે ૧૦ લાખ ટન મસૂર અને વટાણાની આયાત કરી હતી. આમ,
ભારતમાં કઠોળની જેટલી આયાત થાય છે તેની ચોથા ભાગની આયાત કેનેડામાંથી થાય છે. એક તરફ
દેશમાં વર્ષ ૨૦૧૪-૧૫ની સીઝનમાં ૧૨ લાખ ટન અડદનું ઉત્પાદન રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો
હતો તે હવે વરસાદની અછતને પગલે મોડી વાવણી થતા ૧૦.૪૭ લાખ ટન રહેવાનો અંદાજ છે. એટલે
આગામી દિવસોમાં ભારતમાં કઠોળની આયાત વધે તેવી સંભાવનાઓ છે. વળી ચોમાસું મોડું રહેતા
ઉત્પાદન પણ ઓછું અને મોડું આવશે જેને કારણે ભાવ વધે તેવી પણ સંભાવનાઓ રહેલી છે. દૃ
પાંચ
વર્ષમાં કઠોળનું વાવેતર અને ઉત્પાદન
વર્ષ વાવેતર ઉત્પાદન ઉત્પાદકતા
૨૦૦૮-૦૯ ૨૨૦ ૧૪૫ ૬૫૯
૨૦૦૯-૧૦ ૨૩૨ ૧૪૬ ૬૩૦
૨૦૧૦-૧૧ ૨૬૪ ૧૮૨ ૬૯૧
૨૦૧૧-૧૨ ૨૪૪ ૧૭૦ ૬૯૯
૨૦૧૨-૧૩ ૨૩૨ ૧૮૩ ૭૮૯
૨૦૧૩-૧૪ ૨૬૭ ૧૯૫ ૭૩૦
(નોંધ : વાવેતર લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં છે, ઉત્પાદકતા કિલોમાં છે.)
દાળના
ભાવમાં ભડકો (ભાવ કિલોનો છે)
તુવેર
દાળ ભાવ
જાન્યુઆરી ૫૫ રૃપિયા
એપ્રિલ ૬૩ રૃપિયા
જુલાઈ ૬૫ રૃપિયા
ચણા
દાળ ભાવ
જાન્યુઆરી ૩૮ રૃપિયા
એપ્રિલ ૪૨ રૃપિયા
જુલાઈ ૬૫ રૃપિયા
અડદ
દાળ ભાવ
જાન્યુઆરી ૬૦ રૃપિયા
એપ્રિલ
૭૦ રૃપિયા
જુલાઈ ૮૦ રૃપિયા
મસૂર
દાળ ભાવ
જાન્યુઆરી ૬૦ રૃપિયા
એપ્રિલ ૬૮ રૃપિયા
જુલાઈ ૭૦ રૃપિયા
મોડા
ચોમાસાથી દાળના ભાવમાં તેજીના અણસાર
મો
ડા ચોમાસાને કારણે દેશમાં તુવેરની વાવણી સતત ઘટી રહી છે. રાજ્યની જો વાત કરવામાં આવે
તો ૨૮ જુલાઈ સુધી રાજ્યમાં ૧,૧૬,૧૦૦ હેક્ટર વિસ્તારની અંદર તુવેરની વાવણી નોંધાઈ છે.
પાછોતરા વરસાદને કારણે કઠોળ પાકોના વાવેતરમાં સુધારો જોવાયો છે. જો કે હજુ પણ દેશના
કેટલાંક ભાગોમાં વરસાદની ઘટને પગલે કઠોળ પાકના વાવેતરમાં સામાન્ય સુધારો જોવા મળી રહ્યો
છે. ૧ ઓગસ્ટ સુધીમાં દેશમાં ૬૭.૧૯ લાખ હેક્ટરમાં કઠોળની વાવણી નોેંધાઈ છે. જે પાછલા
વર્ષના મુકાબલે ઓછી છે. જેને કારણે પાછલા ૧૫ દિવસની અંદર તુવેર અને અડદની દાળના ભાવમાં
૨૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલે તેજી જોવા મળી હતી.
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે માંગ વધવાની સંભાવનાઓને પગલે વર્તમાન સમયમાં
તુવેર અને અડદના ભાવમાં ૧૫૦થી ૨૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલે તેજી રહી શકે છે. દાળના વેપારીઓનું
કહેવું છે કે, આગામી સમયમાં તમામ દાળના ભાવમાં તેજી આવવાની સંભાવના છે ખાસ કરીને ચણાની
દાળના ભાવમાં ૩૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલે ઉછાળો આવી શકે છે. વરસાદની સીઝનમાં શાકભાજીના
મુકાબલે દાળની માંગ વધી જતા ભાવવધારો થઈ શકે છે. ગત સપ્તાહે ગુજરાતમાં તુવેરના ભાવમાં
૩૦૦ રૃપિયાનો ઉછાળા સાથે ૫૦૦૦થી ૫૧૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યા હતા તો મુંબઈમાં
અડદનો ભાવ ૫૪૦૦થી ૫૪૫૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલે રહ્યો હતો.
ખાસ
કરીને ખરીફ સીઝનમાં ૩૮ લાખ હેક્ટરમાં તેની વાવણી થાય છે. જો કે આ તરફ ખરીફ સીઝનમાં
કર્ણાટકમાં સૌથી વધારે ૪,૦૪,૦૦૦ લાખ હેક્ટર વિસ્તારમાં તુવેરની વાવણી નોંધાઈ છે. જે
ગત વર્ષના મુકાબલે ઓછી છે. તો આ તરફ મહારાષ્ટ્રમાં તુવેરની વાવણીમાં ૫૮ ટકાનો ઘટાડો
નોંધાયો છે. ૨૫ જુલાઈ સુધી મહારાષ્ટ્રના ખેડૂતોએ ૩,૭૨,૭૦૦ હેક્ટરમાં તુવેરની વાવણી
કરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૩-૧૪માં આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક
રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં વરસાદ સારો રહેતા ખરીફ સીઝનમાં તુવેરની વાવણીમાં
વધારો રહ્યો છે. જો કે આ વર્ષે વરસાદ ખેંચાતા વાવણીમાં ઘટાડો નોંધાયો છે. જેને કારણે
ઉત્પાદન પર પણ અસર વર્તાશે અને ભાવ વધશે.
રાજ્યમાં
પાછલા એક અઠવાડિયાની અંદર સારો વરસાદ પડતા કઠોળ પાકની વાવણી વધી છે. રાજ્યમાં મગ, તુવેર,
અડદ અને અન્ય કઠોળના વાવેતર વિસ્તારમાં વધારો થયો છે. વરસાદને પગલે છેલ્લા બે વર્ષમાં
૨.૨૮ લાખ હેક્ટર સરેરાશ વાવેતરની સામે ૨૮ જુલાઈ સુધીમાં ૧.૯૭ લાખ હેક્ટરમાં વાવણી થતા
ઉત્પાદનમાં થોડો સુધારો રહેવાની પણ જાણકારો આગાહી કરી રહ્યાં છે પરંતુ અન્ય રાજ્યોમાં
વાવણી લાયક વરસાદ ન રહેતાં દેશમાં સરેરાશ ઉત્પાદન ઘટશે જે ચિંતાનો વિષય છે તેવું જાણકારોનું
માનવું છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment