રક્ષિત ખેતીનો વ્યાપ ૧૦ હજાર હેક્ટરને આંબી ગયો : ધાન્યપાકોનું
ઉત્પાદન ૨૬૦૦ લાખ ટન અને બાગાયતી પાકોનું ૨૮૦૦ લાખ ટન ૨૦૧૩-૧૪માં ઉત્પાદન થયું : ખેતઓજારોનું
બજાર ૨૦૧૫માં ૮૧ લાખ બિલીયને પહોંચશે
ખેડૂતો હવે હાઈટેક ટેકનોલોજીથી
ખેતી કરવા લાગ્યા છે. હળ અને બળદથી ખેતી હવે ભૂતકાળ બનવા લાગી છે. ખરીફ હોય, રવી હોય
કે ઉનાળું સીઝન દરેક સીઝનની અંદર ખેડૂતો હવે અવનવી ટેકનોલોજી અપનાવીને ખેતી કરી રહ્યા
છે. પહેલાં માહિતીના અભાવે કે પછી પુરતા કૃષિ સાહિત્યના અભાવે ખેડૂતો જુની પુરાણી અને
પરંપરાગત પદ્ધતિઓ જ અપનાવતા હતા. હવે જમાનો બદલાયો છે એમ ખેડૂતો પણ બદલાયા છે. એક જમાનામાં
ખેતી એ બાપ દાદાનો ધંધો અથવા તો ખેડૂત એટલે ગરીબ અને તેનું ગામડાંમાં જ સ્થાન એવું
માની લેવામાં આવતું હતું. પરંતુ આજે ખેડૂતો લાખો રૃપિયાની કમાણી ખેતીમાંથી મેળવતા થતાં
ખેતી એક વ્યવસાય બની ગયો છે. વર્ષો પહેલાં ગ્રીન હાઉસ નામનો શબ્દ ભારતમાં પ્રચલિત ન
હતો પરંતુ ધીરે ધીરે વિદેશોમાંથી શીખ લઈને ભારતીય ખેડૂતો ગ્રીનહાઉસ, નેટહાઉસ કે પોલીનેટહાઉસથી
લઈને વિવિધ ટેકનોલોજી ખેતીમાં અપનાવી છે. આજે
ડ્રિપ, મલ્ચીંગ, નેનો ટેક્નોલોજી, પ્લાસ્ટિક કલ્ચર, ટિશ્યૂક્લચર, ર્વિમકમ્પોસ્ટ જેવી
ટેકનોલોજી ગામડાના ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે. રાજ્યમાં રક્ષિત ખેતીનો વ્યાપ એ ૧૦ હજાર
હેક્ટરને વટાવી જવાની સાથે ગ્રીનહાઉસ, નેટહાઉસ કે પોલીહાઉસની સંખ્યા પાંચ હજારના આંકને
આંબવા લાગી છે.સૂક્ષ્મ સિંચાઇમાં ગુજરાત એ દેશભરમાં ... જે દર્શાવે છે
કે આજે ખેડૂતો ખેતીમાં નવી ટેકનોલોજી અપનાવવામાં પાછીપાની કરતા નથી. હવે સમય એવો આવ્યો
છે કે લોકો પોતાના ઘરના ટેરેસ પર એટલે કે ધાબા પર પણ ગ્રીનહાઉસ ઉભું કરી શાકભાજી પાકોની
ખેતી કરતા થયા છે. ગુજરાતમાં હવે ટેકનોસેવી વ્યક્તિઓ નોકરીઓ છોડી ખેતી અપનાવવા લાગ્યા
છે. સમયનું ચક્ર બદલાયું છે. સરકાર પણ હવે ખેડૂતોના વિકાસ માટે આગળ આવતાં ખેતીમાં વિકાસનું
પૈડું અવિરત તેજીથી ફરી રહ્યું છે. આજે ખેડૂતો અવનવી ટેકનોલોજીથી માહિતગાર થાય તે માટે
જિલ્લા કે તાલુકા કક્ષાએ કૃષિમેળાઓ વિવિધ પ્રદર્શનો કે પછી વિવિધ પ્રોગ્રામ્સ પણ હાથ
ધરાય છે. આજે ગુજરાતએ કૃષિ વિકાસમાં હરણફાળ ભરી રહ્યું હોય તો ખેતીને વ્યવસાય તરીકે
અપનાવનાર ટેકનોસેવી ખેડૂતોને આભારી છે.
જીડીપીમાં ૧૩.૯ ટકાનો હિસ્સો
કૃષિ અને તેના સંલગ્ન ક્ષેત્રોનો હિસ્સો
કૃષિનો વિકાસ થવાને કારણે આજે
દેશના જીડીપીમાં પણ વૃદ્ધી નોંધાઈ છે.વર્ષ ૨૦૧૩-૧૪માં નોંધાયેલી કુલ જીડીપીમાં ૧૩.૯
ટકાનો હિસ્સો કૃષિ અને તેના સંલગ્ન ક્ષેત્રોનો રહેલો છે. એટલે કે ૭.૯૯ લાખ કરોડ છે.
વર્ષ ૨૦૧૩-૧૪માં કુલ ૪.૯ ટકા જીડીપી નોંધાયેલી છે. વર્ષ ૨૦૧૩-૧૪માં દક્ષિણી-પશ્ચિમના
ચોમાસાને કારણે સમગ્ર દેશમાં ૯૩૬.૭ મીમી વરસાદ નોંધાયો છે. જેમાં દેશના ૬૨૨ જિલ્લામાંથી
૧૮૪ જિલ્લામાં ૩૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ૨૬૪ જિલ્લાઓમાં ૪૨ ટકા, ૧૫૬ જિલ્લાઓમાં
૨૫ ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે ૧૮ જિલ્લાઓમાં ૩ ટકાથી પણ ઓછો વરસાદ પડયો છે.
આજે ૪૫ ટકા જમીનનો મુખ્ય આધાર એ વરસાદ હોવાથી સમગ્ર દેશમાં ડ્રિપની યોજના લાગુ કરાઇ
છે. દેશમાં વર્ષ ૨૦૧૩-૧૪માં દેશમાં ચોખાનું ૧૦૬૧, ઘઉંનું ૯૫૬ લાખ ટન અને મોટા અનાજના
૪૧૬ લાખ ટન ઉત્પાદન મળી ૨૬૦૦ લાખ ટન ધાન્યપાકોનું ઉત્પાદન થયું હતું. આ જ પ્રકારે બાગાયતના
ઉત્પાદને ૨૮૦૦ લાખ ટનના આંકને વટાવ્યો હતો. આજે દાડમ,કેરી, લીંબુ, એરંડા, કેળા, મગફળી,
કપાસ અને જીરુંના ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો છે.
૨ લાખ ૫૧ હજાર જેટલા ખેડૂતોને
ટ્ેનિંગ અપાઇ
બાગાયત પાકોની વાત કરવામાં આવે
તો મોટા ખેડૂતો પરંપરાગત પાકની સાથે હવે બાગાયતી પાકોની ખેતી કરવા લાગ્યા છે. દેશના
ખેડૂતોની સુઝબુઝને કારણે જ બાગાયત પાકોનું ઉત્પાદન વધ્યું છે. જેનો સીધો ફાયદો દેશને
અને ખેડૂતોને પણ થઈ રહ્યો છે. આજે દેશમાંથી મોટાપ્રમાણમાં બાગાયત પાકોની નિકાસ વધી
રહી છે. બાગાયતી ખેતીનો વ્યાપ વધારવા માટે દેશમાં નેશનલ હોર્ટીકલ્ચર મિશન હેઠળ ૨૦૧૩-૧૪માં
૨૯૬ જેટલી નવી નર્સરીની સ્થાપના કરાઇ છે. તો
પોસ્ટ હાર્વેસ્ટીંગ મેનેજમેન્ટ માટે ૧૧,૦૩૪ જેટલા યુનિટની સ્થપયા છે. જેમાં ૨૫૦૯ પેક
હાઉસ, ૪૪ કોલ્ડ સ્ટોરેજ યુનિટ, ૧૮ રેફ્રિજરેટેડ વાન, ૨૫ જેટલા પ્રી કુલિંગ યુનિટની
પણ સ્થાપના કરવામાં આવી છે. તો ૫૦૪ જેટલા પ્રિઝર્વેશન યુનિટ તેમજ ૫૦૫૦ જેટલા પુસા ઝીરો
એનર્જી કુલ ચેમ્બર્સની સ્થાપના કરવા માટે સરકાર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
બાગાયતનો વ્યાપ વધારવા માટે એનએચએમ હેઠળ અત્યાર સુધી ૨ લાખ ૫૧ હજાર જેટલા ખેડૂતોને
ટ્ેનિંગ પણ આપવામાં આવી છે. એટલું જ નહી વર્ષ ૨૦૦૭-૦૮માં ૨૦૨ લાખ હેક્ટરમાં બાગાયતી
ખેતીનો વ્યાપ હતો તે વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૭.૩ ટકાના વધારા સાથે ૨૩૭ લાખ હેક્ટરે પહોંચી
ગયો છે. વર્ષ ૨૦૦૭-૦૮ના મુકાબલે હવે બાગાયત ઉત્પાદનમાં પણ ૨૪ ટકાનો વધારો નોંધાયો છે
અને ઉત્પાદન કુલ ૨૮૦૦ લાખ ટને પહોંચી ગયું
છે.
૨૦૧૫ સુધીમાં ખેતઓજારોનું બજાર
૮૧ લાખ બિલીયન થશે
દેશમાં અનાજનું ઉત્પાદન વધારવા
માટે દેશનો ખેતીવાડી વિભાગ પણ સતત કાર્યશીલ રહે છે. અવનવી સ્કીમો અને ખેડૂતોને અનાજનું
ઉત્પાદન વધારવા માટે વિવિધ ગાઈડલાઈન પણ બહાર પડાય છે. આ ગાઈડલાઈનને અનુસરીને ખેડૂતો
વહેલી કે મોડી પાકતી જાતો અંગે માહિતી મેળવી શકે છે. એટલુંજ નહીં ક્યાં પાકને કેટલું
ખાતર આપવું ? ક્યો પાક કઈ સીઝનમાં લઈ શકાય ? અને તેના ફાયદા શું થાય છે ? તે અંગે પણ
ખેતીવાડી વિભાગ દ્વારા અવાર નવાર પરિપત્રો બહાર પડાતા હોય છે. જેનો અભ્યાસ કરીને ખેડૂતો
ખેતીમાં સુધારો કરતાં થયા છે. પહેલાના સમયમાં મજૂરોની માથાકુટ વચ્ચે પણ ખેડૂતોએ પોતાના
ઉભા પાકને બચાવવા માટે મહામહેનત કરવી પડતી હતી. હવે ખેતઓજારોની ટેકનોલોજીએ મજૂરોની
સમસ્યા દૂર તો નથી કરી પરંતુ હળવી જરૃર કરી છે. દેશમાં ૨૦૧૫ સુધીમાં ખેતઓજારોનું બજાર
૮૧ લાખ બિલીયન થવાની સંભાવના છે. ગુજરાત સહિત રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ,
ઉત્તરાખંડ અને તામિલનાડુ જેવાં રાજ્યોમાં ખેત ઓજારોનો વપરાશ વધ્યો છે. આજે પ્લાન્ટ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ, પાવર થ્રેસર, મલ્ટિ
ક્રોપ થ્રેસર, રોટાવેટર, સીડ કમ ર્ફિટલાઈઝર ડ્રીલ, કલ્ટિવેટર અને ટ્રેક્ટર સહિતનાં
સાધનોમાં સબસિડી વધી ડોલરનું થવાની સંભાવના છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ભારતમાં ટ્રેક્ટરના
વેચાણમાં ૨૦ ટકાનો વધારો નોંધાયો હતો. ચીનમાં ૪.૨૦ લાખ ટ્રેક્ટર અને અમેરિકામાં ૨ લાખ
ટ્રેક્ટરના વેચાણ સામે ભારતમાં ૬.૨૦ લાખ ટ્રેક્ટરનું
વેચાણ થયું હતું. દેશનાં ખેતઓજારમાં સૌથી મોટું બજાર ટ્રેક્ટર ઇન્ડસ્ટ્રીઝનું છે. ૧૯૬૧-૬૨માં
ટ્રેક્ટર બનાવવાની શરૃઆત છતાં આજે સૌથી વધુ ટ્રેક્ટરનું ઉત્પાદન કરતો દેશ ભારત છે.ગુજરાતમાં
૧૦૦૦ હેક્ટરે માત્ર ૧૨ ટ્રેક્ટર હોવા છતાં
આગામી વર્ષમાં પણ વેચાણમાં ૮થી ૧૦ ટકાનો વધારો રહેશે.
તેલિબિયાં પાકોની ખેતીથી દેશમાં
હરિયાળી ક્રાંતિ
દેશમાં હવામાનની સ્થિતીને ધ્યાનમાં રાખીને કુલ ૯
તેલિબીયાં પાકોની ખેતી કરવામાં આવે છે. એરંડા, સોયાબીન, તલ, રાયડો, મગફળી સહિતના વિવિધ
તેલિબિયાં પાકોની દેશમાં ખેતી વધી રહી છે.તેલિબીયાં પાક ખાસ કરીને વરસાદ આધારીત હોવાથી
હાલ તેનો પણ વ્યાપ વધી રહ્યો છે. દેશના સુકા અને અર્ધસુકા પ્રદેશોમાં નાના અને સિમાંત
ખેડૂતો માટે આજીવિકાનું સાધન પણ તેલિબીયાંના પાકો બની રહ્યાં છે.એક સમયે વર્ષ ૨૦૦૪-૦૫માં
૨૪૩ લાખ ટન તેલિબિયાં પાકોનું ઉત્પાદન થતું હતું તે વધીને વર્ષ ૨૦૧૨-૧૩માં ૩૦૯ લાખ
ટને પહોંચી ગયું છે. તેલિબિયાં પાકોનું સૌથી વધુ ઉત્પાદન વર્ષ ૨૦૧૦માં નોંધાયું ૩૨૪
લાખ ટન રહ્યું હતું. તેલિબિયાં પાકોની ઉપજ
વર્ષ ૨૦૦૪-૦૫માં ૮૮૫ કિલોગ્રામ પ્રતિ હેક્ટર હતી તે વધીને વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૧૬૯ કિલોગ્રામ
પ્રતિ હેક્ટરે પહોંચી ગઈ છે. દેશના આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, છત્તીસગઢ,
ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યના ખેડૂતોએ આ વર્ષે તેલિબીયાં પાક,
કઠોળ પાક કે પછી અનાજ અને શાકભાજી પાકોની વાવણી મોટાપાયે થઇ છે. દેશમાં ખરીફ સીઝનમાં
અનાજની વાવણીની વાત કરવામાં આવે તો ૨૨ ઓગસ્ટ સુધીમાં ૩૩૫ લાખ હેક્ટરની અંદર ડાંગરની
વાવણી નોંધાઈ છે. જ્યારે જુવારની ૧૭ લાખ હેક્ટર, બાજરીની ૬૧ લાખ હેક્ટર, મકાઈની ૭૪
લાખ હેક્ટરમાં વાવણી કરવામાં આવી છે. કઠોળ પાકોની વાત કરીએ તો તેમાં પણ સુધારો જોવા
મળ્યો છે. મોડો વરસાદ હોવા છતા દેશના ખેડૂતોએ ૩૩.૪૧ લાખ હેક્ટરમાં તુવેરની વાવણી કરી છે. તો અડદની ૨૨.૫૭ લાખ હેક્ટર અને મગની ૧૯.૫૪ લાખ હેક્ટરમાં
વાવણી કરી છે. એમ કુલ ૯૫ લાખ હેક્ટર વિસ્તારમાં કઠોળ પાકની વાવણી નોંધાઈ છે. તેલિબિયાં
પાકો પર નજર કરીએ તો કુલ ૧૦૯ લાખ હેક્ટરમાં સોયાબીનની વાવણી કરવામાં આવી છે. જ્યારે
તલની ૧૪.૪૫ લાખ હેક્ટર, એરંડાની ૭.૩૧ લાખ હેક્ટરમાં વાવણી કરવામાં આવી છે. કુલ તેલિબિયાં
પાકોની ૧૭૨ લાખ હેક્ટરમાં વાવણી નોંધવામાં આવી છે. જ્યારે દેશમાં કુલ ખરીફ વાવેતર ૯૬૬
લાખ હેક્ટરમાં થયું છે. આમ, મોડા પણ સાર્વત્રિક
વરસેલા વરસાદે આ વર્ષે ખરીફ પાકોનું ચિત્ર બદલી નાખ્યું છે અને તેલિબિયાં પાકોની ખેતીમાં
હરિયાળી ક્રાંતિ નોંધાવી છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment