નવા એમ્પેનલમાં
ગ્રીનહાઉસ ક્ષેત્રમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતી કંપનીઓનો નિયમ હવે ત્રણ વર્ષનો થઇ ગયો
ગુજરાતમાં ગ્રીનહાઉસનો
પ્રોજેક્ટ હંમેશાં વિવાદોમાં રહ્યો છે. પ્રોજેક્ટમાં ઉંચી મળતી સબસીડીની લાલચ જ વિવાદોનું
મૂળ છે. ગ્રીનહાઉસમાં વર્ષે કરોડો રૃપિયાના ફાળવાતા બજેટમાં કમાણીના નીત
નવા નુસખાઓ શોધાઇ રહ્યા છે. કૃષિ વિભાગમાં બાગાયત સેક્ટરમાં સૌથી વધુ પૈસાની ફાળવણી
થતી હોવાથી સંલગ્ન વ્યક્તિઓને હવે બાગાયતમાં કમાણી દેખાઇ રહી છે. ગ્રીનહાઉસના પ્રોજેક્ટમાં
૫૦ ટકા સબસીડી કેન્દ્ર અને વધારાની ૧૫ ટકા સબસીડી રાજ્ય સરકાર ખેડૂતોને આપે છે. એટલે
કે ૩૫ લાખનું ગ્રીનહાઉસ બનાવનાર ખેડૂતે શરૃઆતમાં નજીવા રોકાણમાં ૩૫ લાખનો પ્રોજેક્ટ
ઉભો કરી સારી કમાણી કર શકે છે. પરંતુ અમે રહી ગયા અને તમે ફાવી ગયાની ભાવના અને મારી
ઓળખાણ વાળી કંપની ગ્રીનહાઉસના એમ્પેનલમાંથી બાકાત રહી ગઇ નો ડંખ ભોગવનારને હવે ફરી
તક મળી ગઇ છે.
એમ્પેનલ અંગે
ઘણા લોકો અજાણ હોવાથી શરૃઆત એમ્પેનલ એટલે શું તેનાથી કરવી જરૃરી છે. રાજ્યમાં ગ્રીનહાઉસનો
પ્રોજેક્ટ અમલમાં આવ્યો ત્યારે બાગાયત વિભાગ દ્વારા ગ્રીનહાઉસનો પ્રોજેક્ટ રજૂ કરનાર
ખેડૂતની યોગ્ય ચકાસણી અને બેન્ક લોન મેળવવામાં ભાગ્યશાળી બનનાર ખેડૂતને ગ્રીનહાઉસ બનાવવાની
મંજૂરી અપાતી હતી. ભાગ્યશાળી શબ્દ એટલા માટે લખાયો છે કે બેન્ક લોન માટે હજારો ખેડૂતો
પ્રયાસ કરતા હોવા છતાં નસીબદાર ખેડૂત જ બેન્ક લોન મેળવવામાં સફળતા મેળવે છે.
બેંક લોનની
મંજૂરી મેળવનાર ખેડૂત બાગાયતના યોગ્ય ધારાધોરણો મુજબ ગ્રીનહાઉસની કામગીરી પૂરી કરે
ત્યારે સબસીડી માટે યોગ્ય ઠરતો હતો. આ પ્રોજેક્ટની શરૃઆતના વર્ષોમાં ગ્રીનહાઉસમાં આડેધડ
મંજૂરીઓ અપાઇ ગઇ હોવાનું બાગાયતને એકાએક (બાગાયત
વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ) ધ્યાને આવતાં બાગાયતે એમ્પેનલ બનાવી ગ્રીનહાઉસના
ક્ષેત્રમાં કેટલાક નિયંત્રણો મૂકી દીધા. જેમાં ૨૦૧૨માં નવેસરથી એમ્પેનલની કામગીરી શરૃ
કરી આ ક્ષેત્રમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતી કંપનીઓનો સમાવેશ કરી ગ્રીનહાઉસ બનાવતી કંપનીઓ
માટે પણ કેટલાક નિયમોનું પાલન કરવાનું ફરજિયાત બનાવ્યું.
હાલમાં દેશમાં
ગ્રીનહાઉસમાં એમ્પેનલ સિસ્ટમ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ અમલમાં છે. ગુજરાતમાં પ્રથમ
તબક્કાની એમ્પેનલની કામગીરીમાં ફક્ત છ કંપનીઓનો સમાવેશ થતાં રાજ્યમાં ગ્રીનહાઉસના વ્યવસાય
સાથે સંકળાયેલી કંપનીના સંચાલકોમાં સોપો પડી ગયો હતો. કારણ કે આ વ્યવસાય સાથે રાજ્યમાં
૧૫૦ કંપનીઓ સંકળાયેલી છે. જેઓની નારાજગી પણ ન સહેવાય ન રહેવાય તેવી હોવાથી ફરી ત્રીજા
મહિને ફરી એમ્પેનલમાં નવી કેટલીક કંપનીઓનો સમાવેશ થયો આખરે એક વર્ષમાં એમ્પેનલમાં સમાવેશ
૧૫થી વધુ કંપનીઓએ પોતાની કામગીરી શરૃ કરી ત્યાં એક જ વર્ષમાં બાગાયતની આ કામગીરી કોના
નજરે ચઢી. પરંતુ હવે નવેસરથી ગ્રીનહાઉસમાં એમ્પેનલની કામગીરી શરૃ થઇ ગઇ છે. જેમાં ૨૦૧૨માં
એમ્પેનલમાં સમાવેશ માટે ગ્રીનહાઉસ ક્ષેત્રમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતી કંપનીઓનો નિયમ
હવે ત્રણ વર્ષનો થઇ ગયો છે. કઇ કંપનીઓ માટે
બે વર્ષમાં ઘટાડો કરાયો એ તો વિચાર માગે તેવો પ્રશ્ન છે. સવાલ એમ્પેનલની કાનગીરીનો
નથી પરંતુ ગ્રીનહાઉસમાં એમ્પેનલની કામગીરીના
આ પ્રકરણમાં સપ્ટેમ્બરથી નવા ગ્રીનહાઉસની મંજૂરીઓ ટલ્લે ચઢી જતાં ગ્રીનહાઉસ બનાવવાના
સપનાં સેવનાર ખેડૂતોનાં સપનાં રોળાઇ રહ્યા છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment