કપાસના
ઉત્પાદન અને ચોખાની નિકાસમાં ભારત વિશ્વમાં નંબર વન બને તેવા સંજોગો : બાગાયત, ફૂડ
પ્રોસેસિંગ, ફાર્મ મિકેનાઇઝેશન અને એગ્રો કેમિકલ વ્યવસાયમાં ભારત પ્રગતિના પંથે : ખેતીની
પ્રગતિ એટલે ખેડૂતોની પ્રગતિ : સૂક્ષ્મ સિંચાઈ માટે રૃ.એક હજાર કરોડ ખર્ચાશે : દેશમાં
કૃષિનો વિકાસ થાય અને ખેડૂતોને સરળતાથી ધિરાણ મળે એ માટે આઠ લાખ કરોડ રૃપિયાની જોગવાઇ
કરાઇ : ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં ૨૦૦૦થી ૨૦૧૪ સુધીમાં દેશમાં ૫૩૬૦ કરોડ ડોલરનું રોકાણ
થશે : એગ્રો કેમિકલ વ્યવસાય ૨૦૧૯ સુધીમાં ૨૬૧ અબજ ડોલરનો થશે : ૨૭.૧૪ લાખ કરોડની આયાત
અને ૧૮.૯૪ લાખ કરોડની નિકાસ કરાઈ : ૭ સેક્ટરના વિકાસ માટે ૧૦ હજાર યુવાઓને તાલીમ અપાશે
દિવાળીના
તહેવારોના માહોલમાં દીવાઓના ઝગમગાટ વચ્ચે જગતના તાત ગણાતા ખેડૂતોનું જીવન પણ દિવાળીના
દીવાઓની જેમ નવા વર્ષમાં ઝળહળશે. કપાસ અને ચોખામાં ખેડૂતોની મહેનતને પગલે વિશ્વમાં
નંબર વન બનવાના ઉજળા સંજોગો વચ્ચે ખેતીમાં ખેડૂતોનો વિકાસ થાય તે માટે ૮ લાખ કરોડ રૃપિયાની
કૃષિ ધિરાણ પેટે જોગવાઈ કરાઈ છે. સૂક્ષ્મ સિંચાઇ માટે પણ રૃ. એક હજાર કરોડની જોગવાઇ
વચ્ચે એગ્રો કેમિકલ વ્યવસાય પણ ૨૦૧૯ સુધીમાં ૨૬૧ અબજ ડોલરનો થવાનો અંદાજ છે. દેશમાંથી
ખેડૂતોની મહેનતને પગલે ૧૮.૯૪ લાખ કરોડ રૃપિયાની નિકાસ થઇ છે. ભારતે ખેતીના વિકાસ માટે
બાવન દેશો સાથે એમઓયુ કરવાની સાથે ૨૦૧૫ સુધીમાં દેશનાં ૯ રાજ્યોમાં એક્સલન્સ સેન્ટર
શરૃ થઇ જશે. કર્ણાટકમાં દેશનો સૌથી મોટો ફૂડ પાર્ક શરૃ થવાની સાથે યુરિયાના ઉત્પાદન
માટે રૃ.૫૦ હજાર કરોડની જોગવાઇ કરાઇ છે. સરકારના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેક ઇન
ઇન્ડિયામાં પણ કૃષિક્ષેત્રના બે સેક્ટરના સમાવેશથી આગામી દિવસોમાં કૃષિ ક્ષેત્રમાં
પ્રગતિ રહેશે.
દેશમાં
કૃષિક્ષેત્રના વિકાસમાં વધારો થતો જાય છે. દેશની ૬૦ ટકા આબાદીને સીધી કે આડકતરી રીતે
રોજગારી પૂરી પાડતા આ ક્ષેત્રે છેલ્લા દાયકામાં ઘણો વિકાસ કર્યો છે. આજે ભારત એ કઠોળ,
ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર છે. શેરડીના ઉત્પાદનમાં બ્રાઝિલ બાદ બીજો
ક્રમ ધરાવે છે. ૨૦૧૪માં કૃષિક્ષેત્ર ૪.૬ ટકાના દરે વિકાસ કરે તેવી સંભાવના છે. છેલ્લા
દાયકામાં પાકના ઉત્પાદન ખર્ચને આધારે નક્કી કરાતી એમએસપીના ભાવોમાં પણ વધારો થયો છે.
દેશમાં મસાલા બજારના મજબૂત માળખાને પગલે નિકાસ બજાર દર વર્ષે ૧૫ ટકાના દરે વધીને ૨૦૧૬-૧૭માં
૩ અબજ ડોલરે પહોંચે તેવી સંભાવના છે. ભારત કપાસના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે
પહોંચે તેવી સંભાવના વચ્ચે ચોખાની નિકાસમાં પણ ભારત વિશ્વમાં પ્રથમ ક્રમ હાંસલ કરે
તેવી શક્યતા છે. બાસમતી ચોખાના ઉત્પાદન અને સ્ટોક વચ્ચે ભારતમાંથી ૧૨૦થી ૧૨૫ લાખ ટન
ચોખાની નિકાસ થાય તેવા સંજોગો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતે સાઉથ આફ્રિકા, ઇજિપ્ત,
પોલેન્ડ અને યુક્રેન જેવા દેશોમાં પણ બાસમતી ચોખાની નિકાસમાં વધારો કર્યો છે. દેશમાં
એફડીઆઇ અંતર્ગત સૌથી વધુ રોકાણ ફાર્મ મિકેનાઇઝેશન ક્ષેત્રમાં થયું છે. જેમાં ૨૦૦૦થી
૨૦૧૪ સુધીમાં ૩૫૯ મિલિયન ડોલરનું ભારતમાં રોકાણ થયું છે. દેશમાં એગ્રીકલ્ચર ક્ષેત્રમાં
હવે ખાનગી કંપનીઓએ પણ ઝંપલાવી કરોડોનું રોકાણ કરી કૃષિક્ષેત્રનો ગ્રોથ વધારી રહી છે. આ ઉપરાંત દેશભરમાં સૂક્ષ્મ સિંચાઇ યોજના લાગુ કરવા
માટે પણ એક હજાર કરોડ રૃપિયાની ફાળવણી કરાઇ છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજના પણ દેશભરમાં
લાગુ કરાઇ છે. દેશમાં ચાલુ વર્ષે વરસાદની અછત વચ્ચે પણ વાવેતર વધ્યું છે.
રાજ્યમાં
ખાતરોમાં સૌથી વધુ વપરાશ યુરિયા ખાતરનો થાય છે. દર વર્ષે કરોડો
રૃપિયાનું વિદેશી હૂંડિયામણ માત્ર યુરિયાની આયાત પાછળ ખર્ચ કરવા છતાં પણ ખેડૂતો યુરિયાની બૂમરાણ મચાવતા હોય છે. જેને પગલે ભારતે ખાતરના પ્લાન્ટોને ફરી ચાલુ કરવા રૃ. ૫૦ હજાર કરોડ ખર્ચવાનો નિર્ણય લીધો છે. જેમાં તેલંગણા, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઓરિસ્સામાં સંયંત્રોને ચાલુ કરાશે. આ માટે બજેટમાં પણ રાષ્ટ્રીય ગેસ ગ્રીડની સ્થાપના માટે રૃ.૧૦ હજાર કરોડની જોગવાઇ કરાઇ છે. આ સંયંત્રોમાં ગ્રીડના માધ્યમથી ગેસ પૂરો પડાશે. ફૂડ પ્રોસેસિંગ સેકટરનો પણ વધતો વિકાસઃ દેશમાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટરનો પણ કૂદકે ને ભૂસકે વિકાસ થઇ રહ્યો છે. જેને પગલે પ્રોસેસિંગ સેક્ટરના વિકાસ માટે પણ કૃષિ વિભાગ સક્રિય બન્યું છે. એગ્રો પ્રોસેસિંગ યુનિટ વધારવા માટે પણ બજેટમાં નાબાર્ડને વધારાની ૨૦૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. ફૂડ પ્રોસેસિંગની મશીનરીની આયાત પર પણ ડયૂટી ઘટાડીને ૧૦ ટકામાંથી ૬ ટકા કરી દેવાઇ છે. આ સેક્ટરમાં રોકાણ કરવા ઇચ્છુક વ્યક્તિઓ માટે પણ સહાયતા ડેસ્ક લોન્ચ કરાયું છે. સ્કિલ મેનેજમેન્ટ અંતર્ગત પણ કૃષિ ક્ષેત્રના ૭ સેક્ટરમાં ૧૦,૦૦૦ નિષ્ણાતોની ફોજ ઊભી કરવા માટે લાખો રૃપિયાનું રોકાણ કરાયું છે. દેશમાં બિહાર, મહારાષ્ટ્ર, હિમાચલ અને છત્તીસગઢમાં પાંચ મેગા ફૂડ પાર્ક ઊભા કરાયા છે. આ ઉપરાંત ૮૩ નવી પ્રપોઝલો પણ ફૂડ પાર્ક માટે આવી છે. જે કૃષિક્ષેત્રના વિકાસનાં લક્ષણો છે. આ ઉપરાંત ૨૦ નવા કોલ્ડચેઇન પ્રોજેક્ટોને પણ મંજૂરી આપી દેવાઇ છે. ૨૦૧૫ સુધીમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ ૨૫૮ બિલિયન ડોલરે પહોંચે તેવી સંભાવના છે. ૨૦૦૦થી ૨૦૧૪ સુધીમાં દેશમાં ૫૩૬૦ કરોડ ડોલરનું રોકાણ થયું છે.
રૃપિયાનું વિદેશી હૂંડિયામણ માત્ર યુરિયાની આયાત પાછળ ખર્ચ કરવા છતાં પણ ખેડૂતો યુરિયાની બૂમરાણ મચાવતા હોય છે. જેને પગલે ભારતે ખાતરના પ્લાન્ટોને ફરી ચાલુ કરવા રૃ. ૫૦ હજાર કરોડ ખર્ચવાનો નિર્ણય લીધો છે. જેમાં તેલંગણા, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઓરિસ્સામાં સંયંત્રોને ચાલુ કરાશે. આ માટે બજેટમાં પણ રાષ્ટ્રીય ગેસ ગ્રીડની સ્થાપના માટે રૃ.૧૦ હજાર કરોડની જોગવાઇ કરાઇ છે. આ સંયંત્રોમાં ગ્રીડના માધ્યમથી ગેસ પૂરો પડાશે. ફૂડ પ્રોસેસિંગ સેકટરનો પણ વધતો વિકાસઃ દેશમાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટરનો પણ કૂદકે ને ભૂસકે વિકાસ થઇ રહ્યો છે. જેને પગલે પ્રોસેસિંગ સેક્ટરના વિકાસ માટે પણ કૃષિ વિભાગ સક્રિય બન્યું છે. એગ્રો પ્રોસેસિંગ યુનિટ વધારવા માટે પણ બજેટમાં નાબાર્ડને વધારાની ૨૦૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. ફૂડ પ્રોસેસિંગની મશીનરીની આયાત પર પણ ડયૂટી ઘટાડીને ૧૦ ટકામાંથી ૬ ટકા કરી દેવાઇ છે. આ સેક્ટરમાં રોકાણ કરવા ઇચ્છુક વ્યક્તિઓ માટે પણ સહાયતા ડેસ્ક લોન્ચ કરાયું છે. સ્કિલ મેનેજમેન્ટ અંતર્ગત પણ કૃષિ ક્ષેત્રના ૭ સેક્ટરમાં ૧૦,૦૦૦ નિષ્ણાતોની ફોજ ઊભી કરવા માટે લાખો રૃપિયાનું રોકાણ કરાયું છે. દેશમાં બિહાર, મહારાષ્ટ્ર, હિમાચલ અને છત્તીસગઢમાં પાંચ મેગા ફૂડ પાર્ક ઊભા કરાયા છે. આ ઉપરાંત ૮૩ નવી પ્રપોઝલો પણ ફૂડ પાર્ક માટે આવી છે. જે કૃષિક્ષેત્રના વિકાસનાં લક્ષણો છે. આ ઉપરાંત ૨૦ નવા કોલ્ડચેઇન પ્રોજેક્ટોને પણ મંજૂરી આપી દેવાઇ છે. ૨૦૧૫ સુધીમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ ૨૫૮ બિલિયન ડોલરે પહોંચે તેવી સંભાવના છે. ૨૦૦૦થી ૨૦૧૪ સુધીમાં દેશમાં ૫૩૬૦ કરોડ ડોલરનું રોકાણ થયું છે.
૨૦૧૫ સુધીમાં ઇઝરાયેલ ૨૮ એક્સલન્સ સેન્ટર ઊભાં કરશે
ઇઝરાયેલ અને ભારત વચ્ચે ૨૦૦૮માં એક્સલન્સ સેન્ટર શરૃ કરવા માટે સમજૂતી થઈ હતી. જે કરાર બે વાર લંબાઇ ચૂક્યા છે. હવે ૨૦૧૫ સુધીમાં ઇઝરાયેલ ૯ રાજ્યોમાં ૨૮ એક્સલન્સ સેન્ટરની કામગીરી પૂર્ણ કરે તેવી શક્યતા છે. ગુજરાતમાં ૪ એક્સલન્સ સેન્ટર ઊભાં કરાયાં છે. ઇઝરાયેલે પીપીપી મોડ પર ડેરીક્ષેત્રમાં પણ સહયોગ માટે તૈયારી દર્શાવી છે. જે અંતર્ગત ભારત અને ઇઝરાયેલ વચ્ચે કરાર થવાની સંભાવના છે.
ભારતે
ખેતીના વિકાસ માટે બાવન દેશો સાથે એમઓયુ કર્યાઃ
ભારતમાં કૃષિ ક્ષેત્ર સંલગ્ન સેક્ટરોના વિકાસ માટે બાવન દેશો સાથે એમઓયુ કરાયા
છે. જેમાં કૃષિક્ષેત્રના વિકાસ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ, રોગપ્રતિકારક જીવાણુઓની
આપ-લે, ફૂડ પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન સેક્ટર, ડેરી, મત્સ્યપાલન અને પ્લાન્ટ પ્રોટેક્શન
ઉપરાંત પશુપાલનનો સમાવેશ છે.
બાગાયતની
પ્રગતિ એટલે ખેડૂતોની પ્રગતિ : ગુજરાતમાં
બાગાયતી ખેતીનો વ્યાપ વધતો જાય છે. બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર વધારવા કૃષિ વિભાગની
પણ સક્રિયતાને પગલે ફળપાકોનો વાવેતર વિસ્તાર ૨૦૧૬-૧૭માં ૫.૧૦ લાખ હેક્ટર, શાકભાજી પાકોનો
વાવેતર વિસ્તાર ૬.૨૭ લાખ હેક્ટર અને મસાલા તેમજ ફૂલપાકોનો વાવેતર વિસ્તાર ૬.૩૫ લાખ
હેક્ટરે લઇ જવા પ્રયત્નો હાથ ધરાયા છે. ગુજરાતમાં બાગાયતના વિકાસને પગલે ૧૨,૦૦૦ હેક્ટરમાં
પ્લાસ્ટિક મલ્ચિંગનો ઉપયોગ થવાની સાથે કેળામાં હેક્ટરદીઠ ઉત્પાદકતા ૫૮ ટન સુધી મળી
છે. રાજ્યમાં એકંદરે ૮૬૩ પેકહાઉસ, ૪૮૧ સામાન્ય કોલ્ડ સ્ટોરેજ, ૪૨ રાઇપનીંગ ચેમ્બર,
૯૧ ર્શોિટગ ગ્રેડિંગ યુનિટ, ૧૯ ટિશ્યૂકલ્ચર લેબોરેટરી, ૨૦૯૪ ગ્રીનહાઉસ અને ૩૩૪૨ નેટહાઉસ
ઉભા કરાયા છે. આ વર્ષમાં સાબરકાંઠા જિલ્લાના વદરાડ સ્થિત ઇઝરાયેલના સહયોગથી એકસલન્સ
સેન્ટર ફોર વેજીટેબલ શરૃ થશે. જેથી ખેડૂતોને ફાયદો થશે. કચ્છમાં પણ ખારેકનું પોસ્ટ
હાર્વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર ઉભું થઇ રહ્યું છે. તલાલામાં પણ એક્સલન્સ સેન્ટર ઓફ મેંગો
નિર્માણ પામી રહ્યું છે. છેલ્લા દાયકામાં બાગાયતના બજેટમાં ૨૫ ગણો વધારો થયો છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..