Tuesday, 17 June 2014

૨૫ હજારની નોકરી છોડી વર્ષે રૃ.૫૦ લાખ કમાતો ખેડૂત


ખેતીનો વારસો આગળ ધપાવવા ખાનગી નોકરી ઠુકરાવી કેળ, શેરડી, હળદર અને તરબૂચની ખેતી અપનાવતો નર્મદા જિલ્લાના નાંદોદનો ખેડૂતઃ જોડિયા ચાસમાં ટુકડા પદ્ધતિથી શેરડીના વાવેતરનો નવતર પ્રયોગ

આ જના યુવાનો ટૂંકા પગારની ખાનગી કંપનીઓની કે સરકારી નોકરી કરવાને બદલે ખેતી તરફ વધારે આકર્ષાઈ રહ્યા છે. યુવાનો હવે ખેતીને પણ એક વ્યવસાય માની તેમાં સફળ થવા મહેનત કરી રહ્યા છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘોડિયા ગામના બે યુવા ખેડૂતો પૈકી એક યુવા ખેડૂતે બે વર્ષનો ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન એન્જિનિયરીંગનો અભ્યાસ છોડીને અને બીજાએ રૃ. ૨૫ હજારની નોકરી છોડીને પોતાના બાપ-દાદાની ખેતીને આગળ ધપાવી આજની યુવાપેઢીને પ્રેરક દૃષ્ટાંત પૂરું પાડયું છે. આજે આ યુવા ખેડૂતો ખેતીમાં વર્ષે દહાડે અંદાજે રૃ.૫૦ લાખથી વધુની ઉપજ મેળવી રહ્યા છે.
નર્મદા જિલ્લાના ધાનપોર ગામના મૂળ વતની તૃષાલભાઈના પિતા કનકભાઈ શંકરભાઈ પટેલ વર્ષોથી પોતાની છૂટીછવાઈ ૧૦ એકર જમીનમાં અત્યાર સુધી કેળાંની ગાંઠોનું વાવેતર કરી જીવનનિર્વાહ ચાલે તેટલી ઉપજ મેળવતા હતા, પરંતુ કનકભાઈને ખેતીમાં રસ વધારે હોવાથી તેઓએ કૃષિ તજજ્ઞાો પાસેથી આધુનિક ખેત-પદ્ધતિ અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું. બંને દીકરાઓ ઉચ્ચ અભ્યાસ કરતાં હોવાથી આધુનિક ખેતી તરફ કેવી રીતે વળવું તે અંગે કનકભાઈ મૂંઝવણમાં હતા. જો કે આધુનિક ખેતી અંગે પોતાના પિતાની મૂંઝવણને બંને દીકરાઓ પારખી ગયા હતા અને તેમના દીકરાઓએ ખેત વ્યવસાયમાં ઝંપલાવવાનું નક્કી કરી નાંખ્યું હતું. વર્ષ ૨૦૦૮માં મોટા દીકરાએ બેંકની મોભાદાર નોકરીનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો. તો નાના દીકરાએ પણ વર્ષ ૨૦૦૯માં રૃપિયા ૨૫ હજારના પગારની ખાનગી નોકરીમાંથી રૃખસદ આપી દીધી હતી.
ત્યારબાદ પોતાના વતન ધાનપોરમાં ગામની છૂટીછવાઈ ૧૦ એકર જમીન વેચીને વાઘોડિયા ગામમાં ૭૦ એકર અને ઓરી ગામમાં ૩ એકર જમીન ખરીદી હતી અને આ જમીનમાં તેમણે તબક્કાવાર  શેરડી, કેળ, તરબૂચ અને હળદરની ખેતી શરૃ કરી હતી.
તૃષાલભાઈએ ૩૩ એકર જમીનમાં ટપક સિંચાઇ પદ્ધતિથી શેરડીની ખેતી કરી એક એકરે ૫૦થી ૬૦ ટન પાકનો ઉતારો મેળવ્યો હતો. એક ટન શેરડીનો ભાવ રૃ.૨૫૦૦ રહેતા એક એકર જમીનમાંથી રૃપિયા ૧.૨૫ લાખનું ઉત્પાદન મેળવ્યું હતું, જેમાં આશરે ૧૮થી ૨૦ હજારનો ખર્ચ બાદ કરતાં ૩૩ એકરમાં અંદાજે રૃપિયા ૩૬ લાખનો શેરડીમાં ચોખ્ખો નફો મેળવી લીધો હતો. તેવી જ રીતે વર્ષ ૨૦૧૨-૧૩માં તૃષાલભાઈએ ૧૦ એકર જમીનમાં ડ્રિપથી કેળાંના પાકમાં રૃપિયા ૨૦ લાખનું ઉત્પાદન મેળવ્યું હતું. જેમાં રૃ.૫ લાખનો ખર્ચ બાદ કરતાં વાર્ષિક ૧૫ લાખનો નફો મેળવ્યો હતો.


તૃષાલભાઈ તેમના વિસ્તારમાં તરબૂચની ખેતીમાં પણ પ્રથમ ખેડૂત રહ્યાં છે. છેલ્લાં ચાર વર્ષથી તેમની ચાર એકર જમીનમાં તરબૂચનો પાક લઈ રહ્યાં છે. જેમાં લીલાં અને પીળાં તરબૂચનું વાવેતર કર્યું છે. લીલાં તરબૂચમાં ખર્ચ બાદ કરતાં રૃ.૧.૯૫ લાખનાં ૨૫થી ૩૦ ટન તરબૂચનું ઉત્પાદન મેળવે છે. જ્યારે પીળાં તરબૂચમાં રૃ.૨૩ હજારનો ખર્ચ બાદ કરતાં રૃ.૧.૭ લાખના ૮ ટન તરબૂચનું ઉત્પાદન મેળવ્યું છે.
નેત્રંગમાં તરબૂચની ખેતી કરતાં એક ખેડૂતના ફાર્મની મુલાકાત તેમજ આત્મા પ્રોજેક્ટ હેઠળ જલગાંવના પ્રવાસમાં મળેલી જાણકારીથી તરબૂચની ખેતી માટે તેઓ પ્રેરાયા હતા. આ ખેતીમાં તેઓ મલ્ચિંગ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યાં છે. ભરૃચના કેટલાંક વેપારીઓે તો વાઘોડિયાના આ ખેડૂત પરિવારના તરબૂચ નો દર વર્ષે આગ્રહ રાખી તૃષાલભાઇ પાસે એડવાન્સ ઓર્ડર પણ બુક કરાવે છે. અવનવી ખેતી માટે હવે તૃષાલભાઈની હિંમત વધી ગઈ છે. તેઓએ વર્ષ ૨૦૧૨-૧૩માં કેળાંના પાકમાં બે ચાસની વચ્ચે ૨ એકર જમીનમાં હળદરનો આંતરપાક લીધો હતો.  જેમાં બિયારણ- દવા પેટે રૃપિયા ૪૦ હજારનો ખર્ચ બાદ કરતાં રૃપિયા ૧.૦૫ લાખનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. તૃષાલભાઈએ ગત વર્ષે ૪ એકર જમીનમાં રૃપિયા ૫.૪૦ લાખનાં તાઈવાન પપૈયાંનું ઉત્પાદન મેળવ્યું હતું. જેમાં રૃપિયા ૧.૩૦ લાખ જેટલો ઉત્પાદન ખર્ચ બાદ કરતાં ૪ લાખ રૃપિયાનો ચોખ્ખો નફો થયો હતો.



છેલ્લાં ૭ વર્ષથી શેરડીનું ઉત્પાદન મેળવતા તૃષાલભાઈએ નવીન ટેકનોલોજીની જાણકારી મેળવી હતી અને પૂના જઈને ટુકડા પદ્ધતિથી શેરડીના વાવેતર અંગેની તાલીમ પણ લીધી હતી. હાલ છેલ્લાં બે વર્ષથી તેઓ આ ટેકનોલોજી મુજબ બે એકર જમીનમાં શેરડીનું વાવેતર કરે છે અને સામાન્ય ૪૫ ટનના ઉત્પાદન સામે ૬૫થી ૭૦ ટન ઉત્પાદન મેળવી રહ્યા છે. આ વર્ષે પણ તેમણે નવી ટેકનોલોજીને આધારે ૧૬ એકરમાં ટુકડા પદ્ધતિથી શેરડીનું વાવેતર કર્યું છે.  જ્યારે સામાન્ય પદ્ધતિ મુજબ અન્ય ૨૭ એકરમાં પણ શેરડીનું વાવેતર કર્યું છે. આ પદ્ધતિમાં એક એકરમાં વાવેતર માટે ૧ ટન બિયારણની જરૃર પડે છે. જ્યારે સામાન્ય પદ્ધતિમાં ૩ ટન બિયારણની જરૃરિયાત રહે છે. જેથી બિયારણ ખર્ચમાં પણ ત્રણ ગણી બચત થઈ શકે છ
સંપર્ક : ૯૪૨૬૭ ૭૦૨૯૫
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment