Monday, 16 June 2014

ગુજરાતના ૧૨ જિલ્લામાં ખરીફ ખેતીને અસર પડશે


અલ નીનોની અસર રહેવાની સંભાવના ૭૦ ટકાથી વધુ : સામાન્યથી ઓછા વરસાદની સંભાવનાથી સિંચાઈ, વાવેતર અને વીજળી માટે કેન્દ્ર સરકારે પ્રયત્નો શરૃ કર્યા : જૂનમાં ચોમાસુ અલ્પ, જુલાઇમાં સામાન્યથી વધારે અને ઓગસ્ટમાં સરેરાશ રહેશે  દેશમાં ધાન્ય, તેલીબિયાં અને કઠોળ પાકોના વાવેતર અને ઉત્પાદન પર અસર પડશે :પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઓરિસ્સા, છત્તીસગઢમાં અલ નીનોની વધુ અસર રહેશે :વરસાદની અછતની સંભાવનાથી કન્ટીજન્સી પ્લાન અમલમાં


દેશમાં ૯૩ ટકા વરસાદ વરસવાની શક્યતા વચ્ચે અલ નીનોની અસર રહેવાની સંભાવના હવે ૭૦ ટકાથી વધુ થઇ છે. કૃષિ વિભાગે વીજળી, પિયત અને બિયારણની વહેંચણી માટેનાં પગલાં સમયસર ભર્યા હોવા છતાં કૃષિ વિભાગને ૨ લાખ કરોડથી પણ વધુ નુકસાન થવાની સંભાવના છે. ચોમાસું નબળું રહ્યું તો એગ્રીકલ્ચર જીડીપીમાં ૦.૮ ટકાનો ઘટાડો રહેવાની શક્યતા વચ્ચે એગ્રી વાયદા બજારમાં પણ તેજી આવી છે. ખરીફમાં ધાન્ય, કઠોળ, તેલીબિયાં સહિતના પાકોના વાવેતર પર વિપરીત અસર પડવાની સાથે ખાદ્યતેલના આયાત બિલમાં પણ મસમોટો વધારો નોંધાશે. ગુજરાતમાં વરસાદની અછત રહેવાની સંભાવના વચ્ચે કન્ટીજન્સી પ્લાન અમલમાં મૂકાયો છે. રાજ્યના ૨૬ જિલ્લા પૈકી ૧૨ જિલ્લાનો ખેતી વિસ્તાર વરસાદ અને સિંચાઇની અછતવાળો હોવાથી આ જિલ્લામાં અલ નીનોની અસર ખરીફ ખેતી પર પડવાનો અંદાજ છે. 
દે શમાં અલ નીનોની અસર રહેવાની સંભાવના હવે ૭૦ ટકાથી વધુ થઈ છે. ગત સપ્તાહે ભારતીય મોસમ વિજ્ઞાાન દ્વારા વરસાદ અંગેના જાહેર કરાયેલા તાજા અહેવાલ અનુસાર દેશમાં ચોમાસુ ૯૩ ટકા એટલે કે અંદાજ કરતાં પણ ઓછંુ રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. અગાઉ ચોમાસુ ૯૫ ટકા રહેવાનો અંદાજ હતો. દેેશમાં વરસાદની ૫ ટકા ઘટ રહે તો પણ કૃષિ વિભાગને ૧.૮૦ લાખ કરોડ રૃપિયાનું નુકસાન થવાની સંભાવના એસોચેમે અગાઉ વ્યક્ત કરી હતી. હવે વરસાદમાં ઘટાડો નોંધાતાં નુક્સાનનો આંક ૨ લાખ કરોડને પણ આંબી જાય તેવી શક્યતાઓ છે. કેન્દ્ર સરકારે વરસાદની અછતને પહોંચી વળવા અગાઉથી ૫૦૦ જિલ્લાઓ માટે કન્ટિજન્સી પ્લાન અમલમાં મૂકવાની તૈયારી આરંભી દીધી છે. અલ નીનોની અસર રહેવાના આગોતરા અંદાજથી કૃષિ વિભાગે મહિનાઓ પૂર્વેથી તૈયારીઓ આરંભી હોવા છતાં દેશમાં ૬૦ ટકા વાવેતર વિસ્તાર વરસાદ પર આધાર રાખે છે એ પણ ન ભૂલવું જોઇએ.
ગુજરાતમાં સરેરાશ વરસાદ ૫૦૦ મિમીથી ૮૦૦ મિમીની મર્યાદામાં જુલાઇથી સપ્ટેમ્બર માસ દરમિયાન પડે છે. તેમ છતાં ર્વાિષક વરસાદની વિશાળ વિષમતા પાકની ઉત્પાદકતાને ખૂબ જ અસરકર્તા બને છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૨થી ૨૦૧૧ના સમયગાળામાં સરેરાશ વરસાદ ૧૦૧૨ મિમી સામે ખરીફ ૨૦૧૨માં ૫૮૧.૧૩ મિમી વરસાદ નોંધાયો છે. પ્રાકૃતિક વિષમતાઓ ગુજરાતની ખેતીનું વિશિષ્ટ લક્ષણ છે. રાજ્યના વાયવ્ય છેડે અનાવૃષ્ટિની શક્યતાવાળા વિસ્તારો અને ૪૦૦ મીમી. જેટલો વરસાદ વાળા વિસ્તારો પણ છે. રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓ ૨૨૫ તાલુકાઓ પૈકી ૧૩ જિલ્લાના ૪૮ તાલુકાઓ વારંવાર અનાવૃષ્ટિનો ભોગ બને છે. જ્યારે પૂર્વ ગુજરાતના ૨૬ જિલ્લાઓ પૈકી ૧૨ જિલ્લાઓમાં લગભગ વરસાદની અછત જેવું રહે છે.
ખેડૂતો એલર્ટ બની સમયસર યોગ્ય પગલાં ભરશે તો જ વરસાદની અછતને ટાળી ઉત્પાદનમાં વધારો કરી શકશે, નહીં તો ખેડૂતોએ પણ પાક ઉત્પાદનમાં નુક્સાની વેઠવાનો વારો આવશે. ચાલુ સીઝનમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમનાં રાજ્યોમાં સૌથી વધુ અસર રહેવાની સંભાવના છે. જ્યારે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને છત્તીસગઢ સહિતના મધ્ય ભારતનાં રાજ્યમાં વરસાદની એલપીએ ૯૪ ટકા રહેવાની સંભાવના છે
 આઇએમડીના અંદાજ અનુસાર મધ્ય જૂન બાદ વરસાદમાં તેજી આવશે. ભારતમાં વરસાદ ૯૩ ટકા જેટલો રહેવાનો અંદાજ એટલે કે, ૮૨ સેન્ટીમીટર રહેશે. જ્યારે ૫૦ વર્ષોની સરેરાશ ૮૯ સેન્ટીમીટર છે. આમ, સરેરાશ ઓછા વરસાદથી ધાન્ય, તેલીબિયાં, કઠોળ સહિતના પાકોના વાવેતર અને ઉત્પાદન પર અસર પડશે. કૃષિ વિભાગ આ પરિસ્થિતિને ખાળવા પ્રયત્નો કરી રહ્યો છે, પરંતુ તેમાં કેટલી સફળતા મળે છે એ તો આગામી સમય જ બતાવશે.  વરસાદની અછત રહી તો
ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ખેતી પ્રભાવિત થશે તે ચોક્કસ છે. 

 દેશમાં વરસાદની અછત અને અનાજ ઉત્પાદન
વર્ષ                 વરસાદ   ખરીફ ઉત્પાદન    ર્વાિષક અનાજ ઉત્પાદન           ટકા                   
૨૦૦૬-૦૭         ૯૯.૬      ૧૧૦૫               ૨૧૭૨                                            -                       
૨૦૦૭-૦૮         ૧૦૫.૭    ૧૨૦૯               ૨૩૦૨                                     ૫.૯
૨૦૦૮-૦૯         ૯૮.૩      ૧૧૮૧               ૨૩૭૪                                     ૩.૧૨
૨૦૦૯-૧૦         ૭૮.૨      ૧૦૩૯               ૨૧૮૧                                     ૮.૧૬  
૨૦૧૦-૧૧         ૧૦૨       ૧૨૦૮               ૨૪૪૪                                    ૧૨.૦૯
૨૦૧૧-૧૨         ૧૦૧.૬    ૧૩૧૨               ૨૫૯૩                                     ૬.૦૬   
૨૦૧૨-૧૩         ૯૨.૯    ૧૨૮૦                ૨૫૭૧                                   -૦.૮૫  
૨૦૧૩-૧૪         ૧૦૫.૬    ૧૨૮૩               ૨૬૩૨                                    ૨.૩૬
૨૦૧૪-૧૫         ૯૩          -                        -                                           
નોંધ ઃ વરસાદ ટકાવારીમાં અને ઉત્પાદન લાખ ટનમાં છે.



અલનીનોથી ખાદ્યતેલોનું આયાત બિલ ૮૫ હજાર કરોડે પહોંચશે

ચોમાસું નબળું રહેશે તો આ વર્ષે અનાજના ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે જેને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં એગ્રીકલ્ચર જીડીપીમાં ૦.૮ ટકાનો ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસુ ખાસ કરીને પૂર્વોત્તરના પ્રદેશોમાં નબળું રહેશે જ્યારે ઉત્તર પૂર્વના પ્રદેશમાં સામાન્યથી મધ્યમ રહી શકે છે. જો જુલાઈ માસમાં ચોમાસું નબળુ રહે અથવા વરસાદ ન આવે તો ખરીફની સાથે સાથે ઉનાળુ પાકને પણ નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે. અલનીનોની સૌથી વધુ અસર ભારતીય તેલીબિયાંના ઉત્પાદન પર પડવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ભારતની ર્વાિષક ૧૮૫ લાખ ટન ખાદ્યતેલોની જરૃરિયાતમાંથી દેશમાં ૧૦૫થી ૧૧૦ લાખ ટન ખાદ્યતેલ આયાત થતું હોઈ અલ નીનોની ઈફેક્ટથી ભારતીય ખાદ્યતેલોનું આયાત બિલ ચાલું નાણાકીય વર્ષમાં વધીને રૃપિયા ૮૫ હજાર કરોડ થવાની એસોચેમે ધારણા મુકી છે. જો કે ગત નાણાકીય વર્ષમાં રૃપિયા ૫૮થી ૬૦ હજાર કરોડનું ખાદ્યતેલનું આયાત બિલ રહ્યું હતું.
 ખાસ કરીને ઉનાળુ પાક જુલાઈ માસમાં પડતા વરસાદ પર આધાર રાખતા હોય છે. જો જુલાઈ માસમાં વરસાદ નહીં પડે તો શેરડી, તેલિબિયાં અને અન્ય અનાજના ઉત્પાદન પર અસર વર્તાઈ શકે છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને ગુજરાતમાં ખેડૂતો ખાસ કરીને વરસાદ આધારીત ખેતી વધારે કરે છે. જો વરસાદ ખેંચાશે તો મોટાપાયે બાજરીના પાકના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે અને કઠોળ તેમજ તેલિબિયાં પાકોની ઓછી કાપણીને કારણે ખાદ્ય ફુગાવો પણ વધી શકે છે.  વર્ષ ૨૦૦૯માં દુષ્કાળની પરિસ્થિતિનેે કારણે સરકારે કઠોળની આયાત કરવી પડી હતી જ્યારે પૂર્વ ઉત્તરપ્રદેશમાં વરસાદ નહિવત પડતા ચોખાના ઉત્પાદન પર પણ અસર થઈ હતી. જો ચોમાસું જૂનના અંત સુધીમાં અથવા જુલાઈના પહેલા અઠવાડિયાની અંદર નહિ આવે તો જ્યાં સિંચાઈની સુવિધા નથી તેવા વિસ્તારોમાં ડાંગરની વાવણીને અસર થશે. સાથે જ ઉત્પાદન આંક પર પણ અસર થઈ શકે છે. 

એગ્રી વાયદામાં તેજી


ચોમાસું મોડું બેસશે તો એગ્રી વાયદામાં હજુ પણ સુધારો જોવા મળે તેવી પુરેપુરી શક્યતાઓ રહેલી છે. આ અગાઉ જે વર્ષોમાં અલ નીનોની અસર જોવા મળી હતી એ વર્ષોમાં પણ તમામ એગ્રી વાયદાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. જે આ વર્ષે પણ યથાવત રહી શકે છે. એનાલિસ્ટોના મતે એરંડા, ચણા, ગવારગમ, હળદર સહિતના એગ્રીવાયદામાં જૂન મહિનામાં ઉછાળો રહ્યો હતો જે આગામી મહિનામાં પણ તેજીના દૌરમાં રહી શકે છે. નબળા ચોમાસાને કારણે વાવણી પણ મોડી થશે જેને કારણે સીધી ઉત્પાદન પર અસર થશે. જો ઉત્પાદન ઘટશે તો ભારતે વિદેશમાંથી મોટાભાગની ચીજવસ્તુઓની ઊંચાભાવે આયાત કરવી પડશે. વળી એક તરફ ડોલર સામે રૃપિયાની મજબૂતી યથાવત જળવાઈ ન રહેતા આયાત દર પણ ઉંચા થશે જેને કારણે ભારતીય બજારમાં જણસોના ભાવ ઉંચા રહી શકે છે. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment