- મંઝિલ સુધી પહોંચવા મથામણ કરતા યુવા ભારતે બે ઘડી ઊભા રહી પાછલાં સો વર્ષની મુલવણી કરી નવા માર્ગ પ્રશસ્તિકરણ માટે પાછલાં સો વર્ષને એટલા માટે મુલવવાં પડે કે હવે પછીનો રસ્તો પસંદ કર્યો છે તે સાચો છે કે ખોટો તેનો અંદાજ આવે. છેલ્લા એક શતકમાં આ અંગ્રેજીકરણની આભા નીચે આપણે ગ્રહણ શું કર્યું તેની નાનકડી યાદી બનાવવી હોય અને તે પણ ખેતવિકાસની કે ખેતી લક્ષી અર્થતંત્ર ધરાવતા આ દેશમાં ઈ.સ. ૧૯૦૦થી ૨૦૦૦ સુધીનું કોષ્ટક કરવું જરૃરી છે. માત્ર ખેતીને, ખેતપેદાશોને અસર કરે છે તેવાં સો કામો ગણવા માટે શરૃઆત કરી તો માનસિક થાક લાગ્યો.
- ૧૯૦૫માં બ્રિટિશ ઇન્ડિયાના કાશ્મીર ખાતે બળબળતા એપ્રિલની ચોથી તારીખે એક પ્રચંડ ભૂકંપ આવ્યો હતો. એકાદ લાખ કરતાં વધારેમકાનો જમીનદોસ્ત બનવાની સાથે વીસ-પચ્ચીસ હજારથી વધારે માનવીઓ ચિરનીંદરમાં પોઢયા. સિત્તેરેક હજારથી વધારે પાલતુ પશુઓ મૃત્યુ પામ્યાં. કરોડો રૃપિયાના ખર્ચે તૈયાર કરેલી હિલસ્ટેશનો સુધી પાણીની વ્યવસ્થા પણ પડી ભાંગી. ૭.૮ જેટલી તીવ્રતા ધરાવતા બે ભૂકંપે ધરમશાલા અને કાંગરાના એક એક કાંગરાને ધરતીભેગો કરી દીધો હતો. દેશ આખામાં બ્રિટિશ સરકારનું સામ્રાજ્ય હતું. આ ભૂકંપે તે મહાસામ્રાજ્યને હલબલાવી દીધું અને પછી તો શોક પછીના અનેક આફ્ટરશોકમાં બ્રિટિશ સામ્રાજ્ય ખખડધજ બની ધીમે ધીમે એકએક કાંગરે વિખેરાવા લાગ્યું.
- ૧૯૧૪ના વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોના ખભે બંદૂકો ફોડીને બ્રિટિશરો પોરસાયા.
- ૧૯૧૪થી ૧૯૧૭ : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જ ભારતમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ.
- ૧૯૧૮ : લોખંડ ઉત્પાદન માટે મોટો સ્ટીલ ઓથોેરિટી ઓફ ઇન્ડિયા' નામનો પ્લાન્ટ નાંખીને ભારતના ખેતીપ્રધાન અર્થતંત્ર પર પહેલો કુઠારાઘાત કર્યો, જમીનો જે પાક ઉત્પાદન કરતી હતી તેને નકામી બનાવી ઉદ્યોગો તરફ ઊંધો રસ્તો દેખાડવાની શરૃઆત ( જો ખરેખર જ ભારતનું ભલું ઇચ્છતા હોત તો વિશ્વયુદ્ધ પહેલાં ઉદ્યોગો તરફ ધ્યાન કેમ ન આપ્યું.) બરાબર આસમયે જ અમદાવાદમાં ગાંધીવિચારની જ્યોત જેવો કોચરબ આશ્રમ સ્થપાયો. સરળ રહેણીકરણી, જરૃર પૂરતી જ વપરાશ, (ખેતી આધારિત દેશની મુખ્ય તાકાત છે.)
- ૧૯૨૦ : ગાંધીજીએ સ્વદેશી શિક્ષણ આપવા માટે ગુજરાત વિધ્યાપીઠની સ્થાપના કરી.
- ૧૯૨૫ : પશુધન એ ખેતીપ્રધાન દેશની મુખ્ય તાકાત છે. મુઠ્ઠીભર અંગ્રેજો સામે અંધકારમાં રહેતા નાગરિકોમાં ઉભરાતી કોઈક આશા દેખાઈ હશે તે ૧૯૨૫ના અરસામાં ભારતીય પશુ અનુસંશાધન સંસ્થાની સ્થાપના.
- ૧૯૨૯ : કૃષિ ઉત્પાદન, કૃષિ પદ્ધતિ, કૃષિ વિસ્તરણ અંગે આજે સો વર્ષ પછી પણ મન રાજી થાય તેવું કોઈ ખાસ કામ થયું નથી. ૧૯૦૦ની શરૃઆતથી અંગ્રેજો હોવાને કારણે ભારતમાં કેમેરાનું આગમન ઝડપથી થયું છે. પણ ખેતીવિષયક ફોટો ડોક્યુમેન્ટેશન થયું નથી. રાજા મહારાજાઓનાં ફોટો આલબમ છે. ખેતીની પેટન્ટ બુક કરાવવા આધારિત ખેતીના પાક, પદ્ધતિ, વાવણી વગેરેનું તસવીરી દસ્તાવેજીકરણ થયું નથી.
- ૧૯૨૯ : ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ નામની સંસ્થા સ્થપાય છે. જેને કારણે આજે ખેતીવિષયક સંસ્થાઓ થોડી ઘણી વિકસી શકી છે.
- ૧૯૩૭: ગાંધીજીએ ગ્રામીણ અને કૃષિ શિક્ષણ માટે નઇ તાલીમનો વિચાર આપ્યો હતો.
- ૧૯૪૨થી ૧૯૫૦ આ સમયગાળો ભારતીય અર્થતંત્ર માટે સુવર્ણઅક્ષરે લખવો પડે તેવી કેટલીક ઘટનાઓ બની. ભારતમાં ગ્રીન રિવોલ્યુશન (હરિયાળી ક્રાંતિ) વ્હાઈટ રિવોલ્યુશન ( શ્વેત ક્રાંતિ) બ્લૂ રિવોલ્યુશન (જળક્રાંતિ, ફિશરીઝ, મત્સ્ય ઉદ્યોગ) અને વૈચારિક ક્રાંતિ. સેફરોન રિવોલ્યુશન (ગુલામીમુક્ત ભારત) આ ચાર રંગોથી આપણો રાષ્ટ્રધ્વજ લહેરાય છે.
- ૧૯૪૦થી ૧૯૪૫ દુકાળના સમાચારો ભારતની ધરતી પર ઊતર્યા અને દેશના નેતાઓને અનાજની ચિંતા થવા લાગી. એક છેડે વૈજ્ઞાાનિકોએ મોલ ફૂડ કેમ્પેનિંગ હાથ ધર્યું. તેનું પરિણામલક્ષી કાર્ય થયું છેક ૧૯૭૭થી ૧૯૯૯માં (બાગાયત દેશભરમાં ખીલ્યું) ગુજરાતના દરેક ખેડૂતને છપ્પનિયો દુકાળ યાદ છે.
- ૧૯૪૩માં બંગાળનો દુકાળ, ૧૯૬૬-૬૭માં બિહારનો કારમો દુકાળ) વિશ્વભરના દેશો પર બીજા વિશ્વયુદ્ધની અસર હતી. ભારતની આંતરિક સ્થિતિ ગંભીર બની. અનાજ બાબતે છેક ૧૯૬૦ સુધી ધાન રશિયા જેવા દેશો પાસેથી ભીખ માગીને લાવવું પડે તેવી ખરાબ પરિસ્થિતિનો સામનો કર્યો અને તેને પરિણામે ખેતી તરફ ધ્યાન કેન્દ્રિત થયું.
- ૧૯૪૦ : ડો. રાધાક્રિષ્નન કમિશને ગ્રામીણ શિક્ષણ અને સંશોધન માટે ખેડૂતોને તાલિમ આપવા પર ભાર મૂકતાં ૧૯૪૦માં આણંદ ખાતે ઇન્સ્ટીટયૂટ ઓફ આણંદની સ્થાપના થઇ. જેમાં ડો.કનૈયાલાલ મુન્શીની સક્રીય ભૂમિકા રહી હતી.
- ૧૯૪૬: દેશમાં સહકારી ક્ષેત્રે દૂધ ઉત્પાદન અને વિતરણ માટે અમૂલની સ્થાપના થઇ. જેને દેશમાં શ્વેતક્રાંતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
- ૧૯૪૭ : દેશ આઝાદ થયો ત્યારે ઘઉંનુ ર્વાિષક ઉત્પાદન માત્ર ૬૪ લાખ ટન હતું. આથી વિદેશમાંથી ધઉંની મોટાપાયે આયાત કરવાની જરૃરિયાત ઉભી થઇ. નર્મદાના વહી જતા પાણીનો દેશના હીત માટે મહત્તમ ઉપયોગ કરવાસરદાર વલ્લભભાઇ પટેલે ૧૯૪૬-૪૭માં વિચાર આપ્યો હતા.
- ૧૯૫૦-૫૧ એપીએમસી એક્ટ લાગુ થયો. ભારતવર્ષની ભૂમિના કુદરતી નહેરો, ખીણો, વેલીઓના આધારે નજીવા ફેરફાર કરીને માત્ર સત્તર ટકા વિસ્તાર જ પાણી સીંચી શકાય તેવો હતો. બાકીની ભૂમિ માત્ર વરસાદ આધારિત ખેતી હતી. વારંવાર પડતાદુકાળ અને અતિવૃષ્ટિ સામે વૈકલ્પિક વ્યવસ્થા વિકસાવવાનો સમય પાક્યો અને ભારતવર્ષમાં મોટી નદીઓ પર મોટા ડેમ બાંધવાની વાતને ન છૂટકે વેગ આપવો પડયો. ભાખરા નાંગલ, નીહરી, હીરાકુડ, નાગાર્જુન સાગર સરદાર સરોવર વગેરે...
- ૧૯૫૦ : ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અમલમાં આવ્યું. ખેડૂતો તથા ગ્રામ્ય વિકાસને અગ્રિમતા મળે, આયુર્વેદ ટ્રસ્ટ સ્થપાયું જેને કારણે વનસ્પતિનું વર્ચસ્વ વધ્યું.
- ૧૯૫૦-૬૦ માં સમાજલક્ષી પંચર્વિષય યોજનાઓમાં સ્થાનિક ઉદ્યોગપતિઓ અને આંતરાષ્ટ્રીય ટ્રેક્ટર ઉત્પાદકો વચ્ચે સંયુક્ત સાહસ અંતર્ગતગ્રામીણ યાંત્રીકરણની શરૃઆત થઇ
- ૧૯૫૪ : નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન વુમનની સ્થાપના, સ્ત્રીસશક્તિકરણ.
- ૧૯૫૬ : ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિયેશન તથા ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ કમિશન રચાયાં.
- ૧૯૫૭ : વિદેશી વેપાર નીતિ અંગે કાર્યવાહીમાં નિકાસમાં ખેતી પેદાશો પર લક્ષ્ય આપ્યું.વિનોબા ભાવેનો ભુદાન પ્રયોગ થયો જે સફળ ન રહ્યો.
- ૧૯૬૦-૬૧ ર્ફિટલાઈઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના. અમદાવાદમાં આઈ.આઈ. એમ. જેવી આંતર રાષ્ટ્રીય શિક્ષણસંસ્થા જેના ભાવિમાં ઇરમા જેવી ગ્રામ્યવિકાસલક્ષી શિક્ષણસંસ્થા મળી. દેશના હવામાનને માફક આવતા પાકોના ઉત્પાદનને વધારવા માટે ૧૯૬૧માં એમ. એસ. સ્વામીનાથનના અધ્યસ્થાનેકમિશનની રચના કરાઇ. ૧૯૬૦માં ગોવિંદ વલ્લભપંત યુનિ.ની પંતનગર ખાતે સ્થાપના થઇ
- ૧૯૬૨ એનિમલ વેલફેર બોર્ડ તથા પંજાબ એગ્રીકલ્ચર યુનિર્વિસટીની સ્થાપના થઈ.
- ૧૯૬૨થી ૧૯૬૫ : સહકારી મંડળીઓ માટેની પૂર્વભૂમિકા તૈયાર થઈ જેને પરિણામે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, અમુલ જેવી ખેતીવર્ધક સંસ્થાઓનાં મંડાણ થયાં.
- ૧૯૬૩-૧૯૬૫ : સેન્ટ્રલ ઈન્સ્ટિટયૂટ ઓફ ફિશિંગ ટ્રેનિંગ કોલેજ, ડાયરેક્ટર ઓફ રાઈસ રિસર્ચ સંસ્થા હૈદરાબાદમાં શરૃ થઈ તેના પરિણામ સ્વરૃપે ભારતભરના વિવિધ જાતના ચોખાને આંતરરાષ્ટ્રીય બજાર મળ્યું. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના નેજા હેઠળ જુદાં જુદાં રાજ્યોમાં ખેતીવિષયક કેન્દ્રોને અવકાશ મળ્યો.
- ૧૯૬૮ : ઘઉનું સૌથી વધુ ઉત્પાદન આપતી જાત નોર્મન બોર્લેગ નામના વૈજ્ઞાાનિક દ્વારા દેશમાં રજૂ કરાઇ
- ૧૯૭૦ : દેશમાં હરિયાળી ક્રાંતિના પગરણ મંડાયા અને વિવિધ પાકોની અનેક સુધારેલી જાતોનું સંશોધન સાથે પાકની ઉત્પાદકતા વધારવાના પ્રયાસો આરંભાયા.
- ૧૯૬૫-૧૯૭૨ : બોર્ડર સિક્યુરિટી ફોર્સે સરહદ પરના ખેડૂતોને ભયમુક્ત કર્યા. આવાં વિવિધ સંશોધનાત્મક કાર્યમાં સરકારની સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ઉત્સાહભેર કામ કરવા લાગી. ઇન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ થતાં રહ્યાં.
- ૧૯૭૩: જીવદયા એ ભારતીય સંસ્કૃતિનો ધર્મ છે. ૧૯૩૯માં (લાઈવ સ્ટોક ઇમ્પ્રોટેન્શિયલ એક્ટ ૧૮૯૮નો સુધારો) થયેલા ફેરફારને વળીપાછો ૧૯૪૦, ૧૯૪૪, ૧૯૪૮, ૧૯૪૯ ૧૯૫૯, ૧૯૬૦, ૧૯૬૩ વારંવાર બદલીને વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ સુધી બદલ્યો. એવો તો બદલ્યો કે શિકારી પોતે શિકાર બની જાય.
- ૧૯૭૪ : ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ સ્થપાયું. પાણીની વધારે કાળજી રખાતી થઈ.
- ૧૯૭૬ : નેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ મેનેજમેન્ટ શરૃ થયું. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના નેજા હેઠળ હૈદરાબાદ ખાતે શરૃ થયેલી આ સંસ્થા નીચે અનેક ખેતીવિષયક રસ્તા ખુલ્લા થયા.
- ૧૯૭૭ : એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ સોસાયટી નામની સ્વૈચ્છિક સંસ્થાએ કર્ણાટકમાં ખેતી માટે મોટું કામ કર્યું.
- ૧૯૭૯ : ગુજરાતનો કાયાકલ્પ કરવાની શ્રેષ્ઠ યોજના, સરદાર સરોવર ડેમ નર્મદા ખાતે શુભ શરૃઆત થઈ. કચ્છ, સૌરાષ્ટ્ર સુધીના ખેડૂતોને નવું અજવાળું મળ્યું.
- ૧૯૮૦ : દેશમાં સૌ પ્રથમવાર ઇઝરાયેલમાં શોધાયેલી ડ્રીપ ઇરિગેશન ટેકનોલોજીનું નિદર્શનદેશની કૃષિ યુનિ.માં કરવામાં આવ્યું.
- ૧૯૮૭ : સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફ્રેશ વોટર સંસ્થા શરૃ થઈ.
- ૧૯૮૯ : વેસ્ટ બેંગાલમાં ચાના બગીચામાં કામ કરતા ખેતમજૂરોનું સંગઠન થયું .
- ૧૯૯૪ : વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન સોસાયટી ઓફ ઇન્ડિયા
- ૧૯૯૫ : ગ્રામ્ય વિકાસ માટે રૃરલ નોન ફાર્મ ડેવલપમેન્ટ એજન્સી
- ૨૦૦૨ : દેશમાં કોટનક્રાંતિ સર્જવામાં મુખ્યએવા હાઇબ્રિડ બીટીકોટનના વાવેતરનીદેશમાં મંજૂરી મળી.
- ૨૦૦૫ : કર્ણાટકમાં વધુ એક મોટોએલમાતી ડેમ શરૃ થયો.
- ૨૦૦૭ : ગુજરાતના સાગરકાંઠાના વિકાસ માટેની યોજના.
- ૨૦૦૮: કલ્પસર યોજનાની શક્યતા પાછળ ચકાસણી.
- ૨૦૧૦ : ગુજરાતમાં સોલાર શક્તિના ઉપયોગ માટે ઊર્જાશક્તિ પર કામ. રાધનપુર જેવા વિસ્તારમાં સૂર્યશક્તિથી ચમત્કાર સર્જાયો.
- ૨૦૧૧ : સૌરાષ્ટ્ર , પંચમહાલમાં નાનકડા ચેકડેમથી પાણી રોકવાથી ભૂગર્ભના જળભંડારમાં વધારો.
- ૨૦૧૨ : રાજસ્થાનના રણમાં ધીરુભાઈ અંબાણી સોલાર પાર્ક. શક્ય હોય ત્યાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના રહેણાંક પર સોલાર પેનલોથી વિદ્યુત ઉત્પાદનનો પ્રયોગ.
આ ખેતીનાં સો વર્ષની મુલવણીમાં શક્ય છે. કેટલીક બાબતો રહી જવા પામી હોય તેન ેઆપમેળે ઉમેરીને બીજા માટે ઉપયોગી બનાવજો. આવનારી પેઢીના નવયુવકો માટે આ ખેતવિરાસત છે. ખેતીનો વારસો છે. વારસો ભવ્યહશે તો આવતીકાલ વધારે ભવ્ય બનશે. તેમાં મહેનત, દીર્ઘદૃષ્ટિ અને સંયમ તથા મુલ્યાંકન શક્તિની તાતી જરૃર પડશે.
લેખન અને સંકલન : શૈલેષ રાવલ
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment