Monday, 30 June 2014

એગ્રો સંદેશઃ ત્રણ વર્ષ પૂર્ણ, ચોથા વર્ષમાં પ્રવેશ


૩ વર્ષ અને ૧૫૬ અંક પૂર્ણ કરીને આજે  ખેડૂતો માટે કટીબદ્ધ 'એગ્રો સંદેશ' કૃષિ સાપ્તાહિકનો ચતુર્થ વર્ષનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો. 'એગ્રો સંદેશ' એ ખેડૂતોનું ત્રણ વર્ષથી પથદર્શક બનતું આવ્યું  છે. કૃષિક્ષેત્રના વિવિધ વિષયો પૈકી 'એગ્રો સંદેશે' ૨૪ પેજ થકી ખેડૂતો માટે વૈવિધ્યસભર માહિતીનો રસથાળ પીરસ્યો છે. ખેડૂતો સુધી સચોટ અને સમયસર માહિતી પહોંચાડવી એ 'એગ્રો સંદેશ' નું હંમેશાં લક્ષ્ય રહ્યું છે. ૯ વિશેષાંક અને કૃષિ વિશેષ થકી ખેડૂતો સુધી તદ્દન નાવિન્યસભર માહિતી હંમેશાં 'એગ્રો સંદેશે' પહોંચાડી છે. ખરીફ હોય, રવી કે પછી ઉનાળુ સીઝન ખેડૂતો સુધી પાકના વાવેતરની વૈજ્ઞાાનિક ખેત પદ્ધતિ આપવાની સાથે 'એગ્રો સંદેશે' પાકના ભાવો અંગે પણ સમયસર અને ઝીણવટપૂર્વકની સચોટ માહિતી પહોંચાડી છે. સાથે દૈનિક બજારોમાં વિવિધ પાકોના ભાવોની ઉથલ-પાથલ અંગે પણ ખેડૂતોને વાકેફ કર્યા છે. ખેડૂતોના સંતાનો કૃષિ અભ્યાસક્રમ અંગેની માહિતીથી વંચિત ન રહે માટે કૃષિ યુનિ.માં ચાલતા વિવિધ અભ્યાસક્રમો અંગે પણ ખેડૂતોનું 'એગ્રો સંદેશ' માર્ગદર્શક બન્યું છે. કૃષિમાં વધતો ઇન્ટરનેટનો વ્યાપ હોય કે કાયદાઓની આંટીઘૂંટી તેમજ ખેડૂતોએ કરવા પડતા સાપ્તાહિક કૃષિ કાર્યો આ તમામ વિગતો આપવામાં 'એગ્રો સંદેશ' હંમેશાં અગ્રેસર રહ્યું છે. દેશની હોય કે રાજ્યની, ખેતીની તમામ વર્તમાન સ્થિતિ અંગે 'એગ્રો સંદેશે' હંમેશાં ખેડૂતોનું ધ્યાન દોર્યું છે. ખેડૂતોને પજવતા ખેતીલક્ષી પ્રશ્નો અંગે પણ 'એગ્રો સંદેશ' હંમેશાં હામી બનીને ઉભર્યું છે. ખેડૂતોને રાજ્યલક્ષી સહાય યોજનાઓ અંગે પણ 'એગ્રો સંદેશે' ખેડૂતોને સમયસર માર્ગદર્શન પૂરું પાડયું છે. ખેતીમાં અવનવી ટેકનોલોજી અપનાવનારા ખેડૂતો માટે પણ 'એગ્રો સંદેશ'ની પ્રોત્સાહકની ભૂમિકા રહી છે. આજે ત્રણ વર્ષના અંતે 'એગ્રો સંદેશ' એ ખેડૂતોનું પોતીકું સમાચાર પત્ર બનવાની સાથે ખેડૂતો સાથે એક પારિવારિક સંબંધ પણ ધરાવે છે.

published in Gujarat leading agriculture news paper Agro sandesh..




Tuesday, 17 June 2014

૨૫ હજારની નોકરી છોડી વર્ષે રૃ.૫૦ લાખ કમાતો ખેડૂત


ખેતીનો વારસો આગળ ધપાવવા ખાનગી નોકરી ઠુકરાવી કેળ, શેરડી, હળદર અને તરબૂચની ખેતી અપનાવતો નર્મદા જિલ્લાના નાંદોદનો ખેડૂતઃ જોડિયા ચાસમાં ટુકડા પદ્ધતિથી શેરડીના વાવેતરનો નવતર પ્રયોગ

આ જના યુવાનો ટૂંકા પગારની ખાનગી કંપનીઓની કે સરકારી નોકરી કરવાને બદલે ખેતી તરફ વધારે આકર્ષાઈ રહ્યા છે. યુવાનો હવે ખેતીને પણ એક વ્યવસાય માની તેમાં સફળ થવા મહેનત કરી રહ્યા છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘોડિયા ગામના બે યુવા ખેડૂતો પૈકી એક યુવા ખેડૂતે બે વર્ષનો ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન એન્જિનિયરીંગનો અભ્યાસ છોડીને અને બીજાએ રૃ. ૨૫ હજારની નોકરી છોડીને પોતાના બાપ-દાદાની ખેતીને આગળ ધપાવી આજની યુવાપેઢીને પ્રેરક દૃષ્ટાંત પૂરું પાડયું છે. આજે આ યુવા ખેડૂતો ખેતીમાં વર્ષે દહાડે અંદાજે રૃ.૫૦ લાખથી વધુની ઉપજ મેળવી રહ્યા છે.
નર્મદા જિલ્લાના ધાનપોર ગામના મૂળ વતની તૃષાલભાઈના પિતા કનકભાઈ શંકરભાઈ પટેલ વર્ષોથી પોતાની છૂટીછવાઈ ૧૦ એકર જમીનમાં અત્યાર સુધી કેળાંની ગાંઠોનું વાવેતર કરી જીવનનિર્વાહ ચાલે તેટલી ઉપજ મેળવતા હતા, પરંતુ કનકભાઈને ખેતીમાં રસ વધારે હોવાથી તેઓએ કૃષિ તજજ્ઞાો પાસેથી આધુનિક ખેત-પદ્ધતિ અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું. બંને દીકરાઓ ઉચ્ચ અભ્યાસ કરતાં હોવાથી આધુનિક ખેતી તરફ કેવી રીતે વળવું તે અંગે કનકભાઈ મૂંઝવણમાં હતા. જો કે આધુનિક ખેતી અંગે પોતાના પિતાની મૂંઝવણને બંને દીકરાઓ પારખી ગયા હતા અને તેમના દીકરાઓએ ખેત વ્યવસાયમાં ઝંપલાવવાનું નક્કી કરી નાંખ્યું હતું. વર્ષ ૨૦૦૮માં મોટા દીકરાએ બેંકની મોભાદાર નોકરીનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો. તો નાના દીકરાએ પણ વર્ષ ૨૦૦૯માં રૃપિયા ૨૫ હજારના પગારની ખાનગી નોકરીમાંથી રૃખસદ આપી દીધી હતી.
ત્યારબાદ પોતાના વતન ધાનપોરમાં ગામની છૂટીછવાઈ ૧૦ એકર જમીન વેચીને વાઘોડિયા ગામમાં ૭૦ એકર અને ઓરી ગામમાં ૩ એકર જમીન ખરીદી હતી અને આ જમીનમાં તેમણે તબક્કાવાર  શેરડી, કેળ, તરબૂચ અને હળદરની ખેતી શરૃ કરી હતી.
તૃષાલભાઈએ ૩૩ એકર જમીનમાં ટપક સિંચાઇ પદ્ધતિથી શેરડીની ખેતી કરી એક એકરે ૫૦થી ૬૦ ટન પાકનો ઉતારો મેળવ્યો હતો. એક ટન શેરડીનો ભાવ રૃ.૨૫૦૦ રહેતા એક એકર જમીનમાંથી રૃપિયા ૧.૨૫ લાખનું ઉત્પાદન મેળવ્યું હતું, જેમાં આશરે ૧૮થી ૨૦ હજારનો ખર્ચ બાદ કરતાં ૩૩ એકરમાં અંદાજે રૃપિયા ૩૬ લાખનો શેરડીમાં ચોખ્ખો નફો મેળવી લીધો હતો. તેવી જ રીતે વર્ષ ૨૦૧૨-૧૩માં તૃષાલભાઈએ ૧૦ એકર જમીનમાં ડ્રિપથી કેળાંના પાકમાં રૃપિયા ૨૦ લાખનું ઉત્પાદન મેળવ્યું હતું. જેમાં રૃ.૫ લાખનો ખર્ચ બાદ કરતાં વાર્ષિક ૧૫ લાખનો નફો મેળવ્યો હતો.


તૃષાલભાઈ તેમના વિસ્તારમાં તરબૂચની ખેતીમાં પણ પ્રથમ ખેડૂત રહ્યાં છે. છેલ્લાં ચાર વર્ષથી તેમની ચાર એકર જમીનમાં તરબૂચનો પાક લઈ રહ્યાં છે. જેમાં લીલાં અને પીળાં તરબૂચનું વાવેતર કર્યું છે. લીલાં તરબૂચમાં ખર્ચ બાદ કરતાં રૃ.૧.૯૫ લાખનાં ૨૫થી ૩૦ ટન તરબૂચનું ઉત્પાદન મેળવે છે. જ્યારે પીળાં તરબૂચમાં રૃ.૨૩ હજારનો ખર્ચ બાદ કરતાં રૃ.૧.૭ લાખના ૮ ટન તરબૂચનું ઉત્પાદન મેળવ્યું છે.
નેત્રંગમાં તરબૂચની ખેતી કરતાં એક ખેડૂતના ફાર્મની મુલાકાત તેમજ આત્મા પ્રોજેક્ટ હેઠળ જલગાંવના પ્રવાસમાં મળેલી જાણકારીથી તરબૂચની ખેતી માટે તેઓ પ્રેરાયા હતા. આ ખેતીમાં તેઓ મલ્ચિંગ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યાં છે. ભરૃચના કેટલાંક વેપારીઓે તો વાઘોડિયાના આ ખેડૂત પરિવારના તરબૂચ નો દર વર્ષે આગ્રહ રાખી તૃષાલભાઇ પાસે એડવાન્સ ઓર્ડર પણ બુક કરાવે છે. અવનવી ખેતી માટે હવે તૃષાલભાઈની હિંમત વધી ગઈ છે. તેઓએ વર્ષ ૨૦૧૨-૧૩માં કેળાંના પાકમાં બે ચાસની વચ્ચે ૨ એકર જમીનમાં હળદરનો આંતરપાક લીધો હતો.  જેમાં બિયારણ- દવા પેટે રૃપિયા ૪૦ હજારનો ખર્ચ બાદ કરતાં રૃપિયા ૧.૦૫ લાખનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. તૃષાલભાઈએ ગત વર્ષે ૪ એકર જમીનમાં રૃપિયા ૫.૪૦ લાખનાં તાઈવાન પપૈયાંનું ઉત્પાદન મેળવ્યું હતું. જેમાં રૃપિયા ૧.૩૦ લાખ જેટલો ઉત્પાદન ખર્ચ બાદ કરતાં ૪ લાખ રૃપિયાનો ચોખ્ખો નફો થયો હતો.



છેલ્લાં ૭ વર્ષથી શેરડીનું ઉત્પાદન મેળવતા તૃષાલભાઈએ નવીન ટેકનોલોજીની જાણકારી મેળવી હતી અને પૂના જઈને ટુકડા પદ્ધતિથી શેરડીના વાવેતર અંગેની તાલીમ પણ લીધી હતી. હાલ છેલ્લાં બે વર્ષથી તેઓ આ ટેકનોલોજી મુજબ બે એકર જમીનમાં શેરડીનું વાવેતર કરે છે અને સામાન્ય ૪૫ ટનના ઉત્પાદન સામે ૬૫થી ૭૦ ટન ઉત્પાદન મેળવી રહ્યા છે. આ વર્ષે પણ તેમણે નવી ટેકનોલોજીને આધારે ૧૬ એકરમાં ટુકડા પદ્ધતિથી શેરડીનું વાવેતર કર્યું છે.  જ્યારે સામાન્ય પદ્ધતિ મુજબ અન્ય ૨૭ એકરમાં પણ શેરડીનું વાવેતર કર્યું છે. આ પદ્ધતિમાં એક એકરમાં વાવેતર માટે ૧ ટન બિયારણની જરૃર પડે છે. જ્યારે સામાન્ય પદ્ધતિમાં ૩ ટન બિયારણની જરૃરિયાત રહે છે. જેથી બિયારણ ખર્ચમાં પણ ત્રણ ગણી બચત થઈ શકે છ
સંપર્ક : ૯૪૨૬૭ ૭૦૨૯૫
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Monday, 16 June 2014

ગુજરાતના ૧૨ જિલ્લામાં ખરીફ ખેતીને અસર પડશે


અલ નીનોની અસર રહેવાની સંભાવના ૭૦ ટકાથી વધુ : સામાન્યથી ઓછા વરસાદની સંભાવનાથી સિંચાઈ, વાવેતર અને વીજળી માટે કેન્દ્ર સરકારે પ્રયત્નો શરૃ કર્યા : જૂનમાં ચોમાસુ અલ્પ, જુલાઇમાં સામાન્યથી વધારે અને ઓગસ્ટમાં સરેરાશ રહેશે  દેશમાં ધાન્ય, તેલીબિયાં અને કઠોળ પાકોના વાવેતર અને ઉત્પાદન પર અસર પડશે :પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઓરિસ્સા, છત્તીસગઢમાં અલ નીનોની વધુ અસર રહેશે :વરસાદની અછતની સંભાવનાથી કન્ટીજન્સી પ્લાન અમલમાં


દેશમાં ૯૩ ટકા વરસાદ વરસવાની શક્યતા વચ્ચે અલ નીનોની અસર રહેવાની સંભાવના હવે ૭૦ ટકાથી વધુ થઇ છે. કૃષિ વિભાગે વીજળી, પિયત અને બિયારણની વહેંચણી માટેનાં પગલાં સમયસર ભર્યા હોવા છતાં કૃષિ વિભાગને ૨ લાખ કરોડથી પણ વધુ નુકસાન થવાની સંભાવના છે. ચોમાસું નબળું રહ્યું તો એગ્રીકલ્ચર જીડીપીમાં ૦.૮ ટકાનો ઘટાડો રહેવાની શક્યતા વચ્ચે એગ્રી વાયદા બજારમાં પણ તેજી આવી છે. ખરીફમાં ધાન્ય, કઠોળ, તેલીબિયાં સહિતના પાકોના વાવેતર પર વિપરીત અસર પડવાની સાથે ખાદ્યતેલના આયાત બિલમાં પણ મસમોટો વધારો નોંધાશે. ગુજરાતમાં વરસાદની અછત રહેવાની સંભાવના વચ્ચે કન્ટીજન્સી પ્લાન અમલમાં મૂકાયો છે. રાજ્યના ૨૬ જિલ્લા પૈકી ૧૨ જિલ્લાનો ખેતી વિસ્તાર વરસાદ અને સિંચાઇની અછતવાળો હોવાથી આ જિલ્લામાં અલ નીનોની અસર ખરીફ ખેતી પર પડવાનો અંદાજ છે. 
દે શમાં અલ નીનોની અસર રહેવાની સંભાવના હવે ૭૦ ટકાથી વધુ થઈ છે. ગત સપ્તાહે ભારતીય મોસમ વિજ્ઞાાન દ્વારા વરસાદ અંગેના જાહેર કરાયેલા તાજા અહેવાલ અનુસાર દેશમાં ચોમાસુ ૯૩ ટકા એટલે કે અંદાજ કરતાં પણ ઓછંુ રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. અગાઉ ચોમાસુ ૯૫ ટકા રહેવાનો અંદાજ હતો. દેેશમાં વરસાદની ૫ ટકા ઘટ રહે તો પણ કૃષિ વિભાગને ૧.૮૦ લાખ કરોડ રૃપિયાનું નુકસાન થવાની સંભાવના એસોચેમે અગાઉ વ્યક્ત કરી હતી. હવે વરસાદમાં ઘટાડો નોંધાતાં નુક્સાનનો આંક ૨ લાખ કરોડને પણ આંબી જાય તેવી શક્યતાઓ છે. કેન્દ્ર સરકારે વરસાદની અછતને પહોંચી વળવા અગાઉથી ૫૦૦ જિલ્લાઓ માટે કન્ટિજન્સી પ્લાન અમલમાં મૂકવાની તૈયારી આરંભી દીધી છે. અલ નીનોની અસર રહેવાના આગોતરા અંદાજથી કૃષિ વિભાગે મહિનાઓ પૂર્વેથી તૈયારીઓ આરંભી હોવા છતાં દેશમાં ૬૦ ટકા વાવેતર વિસ્તાર વરસાદ પર આધાર રાખે છે એ પણ ન ભૂલવું જોઇએ.
ગુજરાતમાં સરેરાશ વરસાદ ૫૦૦ મિમીથી ૮૦૦ મિમીની મર્યાદામાં જુલાઇથી સપ્ટેમ્બર માસ દરમિયાન પડે છે. તેમ છતાં ર્વાિષક વરસાદની વિશાળ વિષમતા પાકની ઉત્પાદકતાને ખૂબ જ અસરકર્તા બને છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૨થી ૨૦૧૧ના સમયગાળામાં સરેરાશ વરસાદ ૧૦૧૨ મિમી સામે ખરીફ ૨૦૧૨માં ૫૮૧.૧૩ મિમી વરસાદ નોંધાયો છે. પ્રાકૃતિક વિષમતાઓ ગુજરાતની ખેતીનું વિશિષ્ટ લક્ષણ છે. રાજ્યના વાયવ્ય છેડે અનાવૃષ્ટિની શક્યતાવાળા વિસ્તારો અને ૪૦૦ મીમી. જેટલો વરસાદ વાળા વિસ્તારો પણ છે. રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓ ૨૨૫ તાલુકાઓ પૈકી ૧૩ જિલ્લાના ૪૮ તાલુકાઓ વારંવાર અનાવૃષ્ટિનો ભોગ બને છે. જ્યારે પૂર્વ ગુજરાતના ૨૬ જિલ્લાઓ પૈકી ૧૨ જિલ્લાઓમાં લગભગ વરસાદની અછત જેવું રહે છે.
ખેડૂતો એલર્ટ બની સમયસર યોગ્ય પગલાં ભરશે તો જ વરસાદની અછતને ટાળી ઉત્પાદનમાં વધારો કરી શકશે, નહીં તો ખેડૂતોએ પણ પાક ઉત્પાદનમાં નુક્સાની વેઠવાનો વારો આવશે. ચાલુ સીઝનમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમનાં રાજ્યોમાં સૌથી વધુ અસર રહેવાની સંભાવના છે. જ્યારે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને છત્તીસગઢ સહિતના મધ્ય ભારતનાં રાજ્યમાં વરસાદની એલપીએ ૯૪ ટકા રહેવાની સંભાવના છે
 આઇએમડીના અંદાજ અનુસાર મધ્ય જૂન બાદ વરસાદમાં તેજી આવશે. ભારતમાં વરસાદ ૯૩ ટકા જેટલો રહેવાનો અંદાજ એટલે કે, ૮૨ સેન્ટીમીટર રહેશે. જ્યારે ૫૦ વર્ષોની સરેરાશ ૮૯ સેન્ટીમીટર છે. આમ, સરેરાશ ઓછા વરસાદથી ધાન્ય, તેલીબિયાં, કઠોળ સહિતના પાકોના વાવેતર અને ઉત્પાદન પર અસર પડશે. કૃષિ વિભાગ આ પરિસ્થિતિને ખાળવા પ્રયત્નો કરી રહ્યો છે, પરંતુ તેમાં કેટલી સફળતા મળે છે એ તો આગામી સમય જ બતાવશે.  વરસાદની અછત રહી તો
ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ખેતી પ્રભાવિત થશે તે ચોક્કસ છે. 

 દેશમાં વરસાદની અછત અને અનાજ ઉત્પાદન
વર્ષ                 વરસાદ   ખરીફ ઉત્પાદન    ર્વાિષક અનાજ ઉત્પાદન           ટકા                   
૨૦૦૬-૦૭         ૯૯.૬      ૧૧૦૫               ૨૧૭૨                                            -                       
૨૦૦૭-૦૮         ૧૦૫.૭    ૧૨૦૯               ૨૩૦૨                                     ૫.૯
૨૦૦૮-૦૯         ૯૮.૩      ૧૧૮૧               ૨૩૭૪                                     ૩.૧૨
૨૦૦૯-૧૦         ૭૮.૨      ૧૦૩૯               ૨૧૮૧                                     ૮.૧૬  
૨૦૧૦-૧૧         ૧૦૨       ૧૨૦૮               ૨૪૪૪                                    ૧૨.૦૯
૨૦૧૧-૧૨         ૧૦૧.૬    ૧૩૧૨               ૨૫૯૩                                     ૬.૦૬   
૨૦૧૨-૧૩         ૯૨.૯    ૧૨૮૦                ૨૫૭૧                                   -૦.૮૫  
૨૦૧૩-૧૪         ૧૦૫.૬    ૧૨૮૩               ૨૬૩૨                                    ૨.૩૬
૨૦૧૪-૧૫         ૯૩          -                        -                                           
નોંધ ઃ વરસાદ ટકાવારીમાં અને ઉત્પાદન લાખ ટનમાં છે.



અલનીનોથી ખાદ્યતેલોનું આયાત બિલ ૮૫ હજાર કરોડે પહોંચશે

ચોમાસું નબળું રહેશે તો આ વર્ષે અનાજના ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે જેને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં એગ્રીકલ્ચર જીડીપીમાં ૦.૮ ટકાનો ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસુ ખાસ કરીને પૂર્વોત્તરના પ્રદેશોમાં નબળું રહેશે જ્યારે ઉત્તર પૂર્વના પ્રદેશમાં સામાન્યથી મધ્યમ રહી શકે છે. જો જુલાઈ માસમાં ચોમાસું નબળુ રહે અથવા વરસાદ ન આવે તો ખરીફની સાથે સાથે ઉનાળુ પાકને પણ નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે. અલનીનોની સૌથી વધુ અસર ભારતીય તેલીબિયાંના ઉત્પાદન પર પડવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ભારતની ર્વાિષક ૧૮૫ લાખ ટન ખાદ્યતેલોની જરૃરિયાતમાંથી દેશમાં ૧૦૫થી ૧૧૦ લાખ ટન ખાદ્યતેલ આયાત થતું હોઈ અલ નીનોની ઈફેક્ટથી ભારતીય ખાદ્યતેલોનું આયાત બિલ ચાલું નાણાકીય વર્ષમાં વધીને રૃપિયા ૮૫ હજાર કરોડ થવાની એસોચેમે ધારણા મુકી છે. જો કે ગત નાણાકીય વર્ષમાં રૃપિયા ૫૮થી ૬૦ હજાર કરોડનું ખાદ્યતેલનું આયાત બિલ રહ્યું હતું.
 ખાસ કરીને ઉનાળુ પાક જુલાઈ માસમાં પડતા વરસાદ પર આધાર રાખતા હોય છે. જો જુલાઈ માસમાં વરસાદ નહીં પડે તો શેરડી, તેલિબિયાં અને અન્ય અનાજના ઉત્પાદન પર અસર વર્તાઈ શકે છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને ગુજરાતમાં ખેડૂતો ખાસ કરીને વરસાદ આધારીત ખેતી વધારે કરે છે. જો વરસાદ ખેંચાશે તો મોટાપાયે બાજરીના પાકના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે અને કઠોળ તેમજ તેલિબિયાં પાકોની ઓછી કાપણીને કારણે ખાદ્ય ફુગાવો પણ વધી શકે છે.  વર્ષ ૨૦૦૯માં દુષ્કાળની પરિસ્થિતિનેે કારણે સરકારે કઠોળની આયાત કરવી પડી હતી જ્યારે પૂર્વ ઉત્તરપ્રદેશમાં વરસાદ નહિવત પડતા ચોખાના ઉત્પાદન પર પણ અસર થઈ હતી. જો ચોમાસું જૂનના અંત સુધીમાં અથવા જુલાઈના પહેલા અઠવાડિયાની અંદર નહિ આવે તો જ્યાં સિંચાઈની સુવિધા નથી તેવા વિસ્તારોમાં ડાંગરની વાવણીને અસર થશે. સાથે જ ઉત્પાદન આંક પર પણ અસર થઈ શકે છે. 

એગ્રી વાયદામાં તેજી


ચોમાસું મોડું બેસશે તો એગ્રી વાયદામાં હજુ પણ સુધારો જોવા મળે તેવી પુરેપુરી શક્યતાઓ રહેલી છે. આ અગાઉ જે વર્ષોમાં અલ નીનોની અસર જોવા મળી હતી એ વર્ષોમાં પણ તમામ એગ્રી વાયદાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. જે આ વર્ષે પણ યથાવત રહી શકે છે. એનાલિસ્ટોના મતે એરંડા, ચણા, ગવારગમ, હળદર સહિતના એગ્રીવાયદામાં જૂન મહિનામાં ઉછાળો રહ્યો હતો જે આગામી મહિનામાં પણ તેજીના દૌરમાં રહી શકે છે. નબળા ચોમાસાને કારણે વાવણી પણ મોડી થશે જેને કારણે સીધી ઉત્પાદન પર અસર થશે. જો ઉત્પાદન ઘટશે તો ભારતે વિદેશમાંથી મોટાભાગની ચીજવસ્તુઓની ઊંચાભાવે આયાત કરવી પડશે. વળી એક તરફ ડોલર સામે રૃપિયાની મજબૂતી યથાવત જળવાઈ ન રહેતા આયાત દર પણ ઉંચા થશે જેને કારણે ભારતીય બજારમાં જણસોના ભાવ ઉંચા રહી શકે છે. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Saturday, 14 June 2014

કૃષિ આધારિત અર્થતંત્ર ધરાવતા દેશનું સો વર્ષનું મનોમંથન


  • મંઝિલ સુધી પહોંચવા મથામણ કરતા યુવા ભારતે બે ઘડી ઊભા રહી પાછલાં સો વર્ષની મુલવણી કરી નવા માર્ગ પ્રશસ્તિકરણ માટે પાછલાં સો વર્ષને એટલા માટે મુલવવાં પડે કે હવે પછીનો રસ્તો પસંદ કર્યો છે તે સાચો છે કે ખોટો તેનો અંદાજ આવે. છેલ્લા એક શતકમાં આ અંગ્રેજીકરણની આભા નીચે આપણે ગ્રહણ શું કર્યું તેની નાનકડી યાદી બનાવવી હોય અને તે પણ ખેતવિકાસની કે ખેતી લક્ષી અર્થતંત્ર ધરાવતા આ દેશમાં ઈ.સ. ૧૯૦૦થી ૨૦૦૦ સુધીનું કોષ્ટક કરવું જરૃરી છે. માત્ર ખેતીને, ખેતપેદાશોને અસર કરે છે તેવાં સો કામો ગણવા માટે શરૃઆત કરી તો માનસિક થાક લાગ્યો.
  • ૧૯૦૫માં બ્રિટિશ ઇન્ડિયાના કાશ્મીર ખાતે બળબળતા એપ્રિલની ચોથી તારીખે એક પ્રચંડ ભૂકંપ આવ્યો હતો. એકાદ લાખ કરતાં વધારેમકાનો જમીનદોસ્ત બનવાની સાથે વીસ-પચ્ચીસ હજારથી વધારે માનવીઓ ચિરનીંદરમાં પોઢયા. સિત્તેરેક હજારથી વધારે પાલતુ પશુઓ મૃત્યુ પામ્યાં. કરોડો રૃપિયાના ખર્ચે તૈયાર કરેલી હિલસ્ટેશનો સુધી પાણીની વ્યવસ્થા પણ પડી ભાંગી. ૭.૮ જેટલી તીવ્રતા ધરાવતા બે ભૂકંપે ધરમશાલા અને કાંગરાના એક એક કાંગરાને ધરતીભેગો કરી દીધો હતો. દેશ આખામાં બ્રિટિશ સરકારનું સામ્રાજ્ય હતું. આ ભૂકંપે તે મહાસામ્રાજ્યને હલબલાવી દીધું અને પછી તો શોક પછીના અનેક આફ્ટરશોકમાં બ્રિટિશ સામ્રાજ્ય ખખડધજ બની ધીમે ધીમે એકએક કાંગરે વિખેરાવા લાગ્યું.
  • ૧૯૧૪ના વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોના ખભે બંદૂકો ફોડીને બ્રિટિશરો પોરસાયા.
  • ૧૯૧૪થી ૧૯૧૭ : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જ ભારતમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ.
  • ૧૯૧૮ : લોખંડ ઉત્પાદન માટે મોટો સ્ટીલ ઓથોેરિટી ઓફ ઇન્ડિયા' નામનો પ્લાન્ટ નાંખીને ભારતના ખેતીપ્રધાન અર્થતંત્ર પર પહેલો કુઠારાઘાત કર્યો, જમીનો જે પાક ઉત્પાદન કરતી હતી તેને નકામી બનાવી ઉદ્યોગો તરફ ઊંધો રસ્તો દેખાડવાની શરૃઆત ( જો ખરેખર જ ભારતનું ભલું ઇચ્છતા હોત તો વિશ્વયુદ્ધ પહેલાં ઉદ્યોગો તરફ ધ્યાન કેમ ન આપ્યું.) બરાબર આસમયે જ અમદાવાદમાં ગાંધીવિચારની જ્યોત જેવો કોચરબ આશ્રમ સ્થપાયો. સરળ રહેણીકરણી, જરૃર પૂરતી જ વપરાશ, (ખેતી આધારિત દેશની મુખ્ય તાકાત છે.)
  • ૧૯૨૦ : ગાંધીજીએ સ્વદેશી શિક્ષણ આપવા માટે ગુજરાત વિધ્યાપીઠની સ્થાપના કરી.
  • ૧૯૨૫ : પશુધન એ ખેતીપ્રધાન દેશની મુખ્ય તાકાત છે. મુઠ્ઠીભર અંગ્રેજો સામે અંધકારમાં રહેતા નાગરિકોમાં ઉભરાતી કોઈક આશા દેખાઈ હશે તે ૧૯૨૫ના અરસામાં ભારતીય પશુ અનુસંશાધન સંસ્થાની સ્થાપના.
  • ૧૯૨૯ : કૃષિ ઉત્પાદન, કૃષિ પદ્ધતિ, કૃષિ વિસ્તરણ અંગે આજે સો વર્ષ પછી પણ મન રાજી થાય તેવું કોઈ ખાસ કામ થયું નથી. ૧૯૦૦ની શરૃઆતથી અંગ્રેજો હોવાને કારણે ભારતમાં કેમેરાનું આગમન ઝડપથી થયું છે. પણ ખેતીવિષયક ફોટો ડોક્યુમેન્ટેશન થયું નથી. રાજા મહારાજાઓનાં ફોટો આલબમ છે. ખેતીની પેટન્ટ બુક કરાવવા આધારિત ખેતીના પાક, પદ્ધતિ, વાવણી વગેરેનું તસવીરી દસ્તાવેજીકરણ થયું નથી. 
  • ૧૯૨૯ : ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ નામની સંસ્થા સ્થપાય છે. જેને કારણે આજે ખેતીવિષયક સંસ્થાઓ થોડી ઘણી વિકસી શકી છે.
  • ૧૯૩૭: ગાંધીજીએ ગ્રામીણ અને કૃષિ શિક્ષણ માટે નઇ તાલીમનો વિચાર આપ્યો હતો.
  • ૧૯૪૨થી ૧૯૫૦ આ સમયગાળો ભારતીય અર્થતંત્ર માટે સુવર્ણઅક્ષરે લખવો પડે તેવી કેટલીક ઘટનાઓ બની. ભારતમાં ગ્રીન રિવોલ્યુશન (હરિયાળી ક્રાંતિ) વ્હાઈટ રિવોલ્યુશન ( શ્વેત ક્રાંતિ) બ્લૂ રિવોલ્યુશન (જળક્રાંતિ, ફિશરીઝ, મત્સ્ય ઉદ્યોગ) અને વૈચારિક ક્રાંતિ. સેફરોન રિવોલ્યુશન (ગુલામીમુક્ત ભારત) આ ચાર રંગોથી આપણો રાષ્ટ્રધ્વજ લહેરાય છે.
  • ૧૯૪૦થી ૧૯૪૫ દુકાળના સમાચારો ભારતની ધરતી પર ઊતર્યા અને દેશના નેતાઓને અનાજની ચિંતા થવા લાગી. એક છેડે વૈજ્ઞાાનિકોએ મોલ ફૂડ કેમ્પેનિંગ હાથ ધર્યું. તેનું પરિણામલક્ષી કાર્ય થયું છેક ૧૯૭૭થી ૧૯૯૯માં (બાગાયત દેશભરમાં ખીલ્યું) ગુજરાતના દરેક ખેડૂતને છપ્પનિયો દુકાળ યાદ છે.
  • ૧૯૪૩માં બંગાળનો દુકાળ, ૧૯૬૬-૬૭માં બિહારનો કારમો દુકાળ) વિશ્વભરના દેશો પર બીજા વિશ્વયુદ્ધની અસર હતી. ભારતની આંતરિક સ્થિતિ ગંભીર બની. અનાજ બાબતે છેક ૧૯૬૦ સુધી ધાન રશિયા જેવા દેશો પાસેથી ભીખ માગીને લાવવું પડે તેવી ખરાબ પરિસ્થિતિનો સામનો કર્યો અને તેને પરિણામે ખેતી તરફ ધ્યાન કેન્દ્રિત થયું.

  • ૧૯૪૦ : ડો. રાધાક્રિષ્નન કમિશને ગ્રામીણ શિક્ષણ અને સંશોધન માટે ખેડૂતોને તાલિમ આપવા પર ભાર મૂકતાં ૧૯૪૦માં આણંદ ખાતે ઇન્સ્ટીટયૂટ ઓફ આણંદની સ્થાપના થઇ. જેમાં ડો.કનૈયાલાલ મુન્શીની સક્રીય ભૂમિકા રહી હતી.
  • ૧૯૪૬: દેશમાં સહકારી ક્ષેત્રે દૂધ ઉત્પાદન અને વિતરણ માટે અમૂલની સ્થાપના થઇ. જેને દેશમાં શ્વેતક્રાંતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
  • ૧૯૪૭ : દેશ આઝાદ થયો ત્યારે ઘઉંનુ ર્વાિષક ઉત્પાદન માત્ર ૬૪ લાખ ટન હતું. આથી વિદેશમાંથી ધઉંની મોટાપાયે આયાત કરવાની જરૃરિયાત ઉભી થઇ. નર્મદાના વહી જતા પાણીનો દેશના હીત માટે મહત્તમ ઉપયોગ કરવાસરદાર વલ્લભભાઇ પટેલે ૧૯૪૬-૪૭માં વિચાર આપ્યો હતા.
  • ૧૯૫૦-૫૧ એપીએમસી એક્ટ લાગુ થયો. ભારતવર્ષની ભૂમિના કુદરતી નહેરો, ખીણો, વેલીઓના આધારે નજીવા ફેરફાર કરીને માત્ર સત્તર ટકા વિસ્તાર જ પાણી સીંચી શકાય તેવો હતો. બાકીની ભૂમિ માત્ર વરસાદ આધારિત ખેતી હતી. વારંવાર પડતાદુકાળ અને અતિવૃષ્ટિ સામે વૈકલ્પિક વ્યવસ્થા વિકસાવવાનો સમય પાક્યો અને ભારતવર્ષમાં મોટી નદીઓ પર મોટા ડેમ બાંધવાની વાતને ન છૂટકે વેગ આપવો પડયો. ભાખરા નાંગલ, નીહરી, હીરાકુડ, નાગાર્જુન સાગર સરદાર સરોવર વગેરે...
  • ૧૯૫૦ : ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અમલમાં આવ્યું. ખેડૂતો તથા ગ્રામ્ય વિકાસને અગ્રિમતા મળે, આયુર્વેદ ટ્રસ્ટ સ્થપાયું જેને કારણે વનસ્પતિનું વર્ચસ્વ વધ્યું.
  • ૧૯૫૦-૬૦ માં સમાજલક્ષી પંચર્વિષય યોજનાઓમાં સ્થાનિક ઉદ્યોગપતિઓ અને આંતરાષ્ટ્રીય ટ્રેક્ટર ઉત્પાદકો વચ્ચે સંયુક્ત સાહસ અંતર્ગતગ્રામીણ યાંત્રીકરણની શરૃઆત થઇ
  • ૧૯૫૪ : નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન વુમનની સ્થાપના, સ્ત્રીસશક્તિકરણ.
  • ૧૯૫૬ : ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિયેશન તથા ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ કમિશન રચાયાં.
  • ૧૯૫૭ : વિદેશી વેપાર નીતિ અંગે કાર્યવાહીમાં નિકાસમાં ખેતી પેદાશો પર લક્ષ્ય આપ્યું.વિનોબા ભાવેનો ભુદાન પ્રયોગ થયો જે સફળ ન રહ્યો.
  • ૧૯૬૦-૬૧ ર્ફિટલાઈઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના. અમદાવાદમાં આઈ.આઈ. એમ. જેવી આંતર રાષ્ટ્રીય શિક્ષણસંસ્થા જેના ભાવિમાં ઇરમા જેવી ગ્રામ્યવિકાસલક્ષી શિક્ષણસંસ્થા મળી. દેશના હવામાનને માફક આવતા પાકોના ઉત્પાદનને વધારવા માટે ૧૯૬૧માં એમ. એસ. સ્વામીનાથનના અધ્યસ્થાનેકમિશનની રચના કરાઇ. ૧૯૬૦માં ગોવિંદ વલ્લભપંત યુનિ.ની પંતનગર ખાતે સ્થાપના થઇ
  • ૧૯૬૨ એનિમલ વેલફેર બોર્ડ તથા પંજાબ એગ્રીકલ્ચર યુનિર્વિસટીની સ્થાપના થઈ.
  • ૧૯૬૨થી ૧૯૬૫ : સહકારી મંડળીઓ માટેની પૂર્વભૂમિકા તૈયાર થઈ જેને પરિણામે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, અમુલ જેવી ખેતીવર્ધક સંસ્થાઓનાં મંડાણ થયાં.
  • ૧૯૬૩-૧૯૬૫ : સેન્ટ્રલ ઈન્સ્ટિટયૂટ ઓફ ફિશિંગ ટ્રેનિંગ કોલેજ, ડાયરેક્ટર ઓફ રાઈસ રિસર્ચ સંસ્થા હૈદરાબાદમાં શરૃ થઈ તેના પરિણામ સ્વરૃપે ભારતભરના વિવિધ જાતના ચોખાને આંતરરાષ્ટ્રીય બજાર મળ્યું. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના નેજા હેઠળ જુદાં જુદાં રાજ્યોમાં ખેતીવિષયક કેન્દ્રોને અવકાશ મળ્યો.
  • ૧૯૬૮ : ઘઉનું સૌથી વધુ ઉત્પાદન આપતી જાત નોર્મન બોર્લેગ નામના વૈજ્ઞાાનિક દ્વારા દેશમાં રજૂ કરાઇ
  • ૧૯૭૦ : દેશમાં હરિયાળી ક્રાંતિના પગરણ મંડાયા અને વિવિધ પાકોની અનેક સુધારેલી જાતોનું સંશોધન સાથે પાકની ઉત્પાદકતા વધારવાના પ્રયાસો આરંભાયા.
  • ૧૯૬૫-૧૯૭૨ : બોર્ડર સિક્યુરિટી ફોર્સે સરહદ પરના ખેડૂતોને ભયમુક્ત કર્યા. આવાં વિવિધ સંશોધનાત્મક કાર્યમાં સરકારની સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ઉત્સાહભેર કામ કરવા લાગી. ઇન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ થતાં રહ્યાં.
  • ૧૯૭૩: જીવદયા એ ભારતીય સંસ્કૃતિનો ધર્મ છે. ૧૯૩૯માં (લાઈવ સ્ટોક ઇમ્પ્રોટેન્શિયલ એક્ટ ૧૮૯૮નો સુધારો) થયેલા ફેરફારને વળીપાછો ૧૯૪૦, ૧૯૪૪, ૧૯૪૮, ૧૯૪૯ ૧૯૫૯, ૧૯૬૦, ૧૯૬૩ વારંવાર બદલીને વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ સુધી બદલ્યો. એવો તો બદલ્યો કે શિકારી પોતે શિકાર બની જાય.
  • ૧૯૭૪ : ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ સ્થપાયું. પાણીની વધારે કાળજી રખાતી થઈ.
  • ૧૯૭૬ : નેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ મેનેજમેન્ટ શરૃ થયું. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના નેજા હેઠળ હૈદરાબાદ ખાતે શરૃ થયેલી આ સંસ્થા નીચે અનેક ખેતીવિષયક રસ્તા ખુલ્લા થયા.
  • ૧૯૭૭ : એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ સોસાયટી નામની સ્વૈચ્છિક સંસ્થાએ કર્ણાટકમાં ખેતી માટે મોટું કામ કર્યું.
  • ૧૯૭૯ :  ગુજરાતનો કાયાકલ્પ કરવાની શ્રેષ્ઠ યોજના, સરદાર સરોવર ડેમ નર્મદા ખાતે શુભ શરૃઆત થઈ. કચ્છ, સૌરાષ્ટ્ર સુધીના ખેડૂતોને નવું અજવાળું મળ્યું.
  • ૧૯૮૦ : દેશમાં સૌ પ્રથમવાર ઇઝરાયેલમાં શોધાયેલી ડ્રીપ ઇરિગેશન ટેકનોલોજીનું નિદર્શનદેશની કૃષિ યુનિ.માં કરવામાં આવ્યું.
  • ૧૯૮૭ : સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફ્રેશ વોટર સંસ્થા શરૃ થઈ.
  • ૧૯૮૯ : વેસ્ટ બેંગાલમાં ચાના બગીચામાં કામ કરતા ખેતમજૂરોનું સંગઠન થયું .
  • ૧૯૯૪ : વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન સોસાયટી ઓફ ઇન્ડિયા
  • ૧૯૯૫ : ગ્રામ્ય વિકાસ માટે રૃરલ નોન ફાર્મ ડેવલપમેન્ટ એજન્સી
  • ૨૦૦૨ : દેશમાં કોટનક્રાંતિ સર્જવામાં મુખ્યએવા હાઇબ્રિડ બીટીકોટનના વાવેતરનીદેશમાં મંજૂરી મળી.
  • ૨૦૦૫ : કર્ણાટકમાં વધુ એક મોટોએલમાતી ડેમ શરૃ થયો.
  • ૨૦૦૭ : ગુજરાતના સાગરકાંઠાના વિકાસ માટેની યોજના.
  • ૨૦૦૮: કલ્પસર યોજનાની શક્યતા પાછળ ચકાસણી.
  • ૨૦૧૦ : ગુજરાતમાં સોલાર શક્તિના ઉપયોગ માટે ઊર્જાશક્તિ પર કામ. રાધનપુર જેવા વિસ્તારમાં સૂર્યશક્તિથી ચમત્કાર સર્જાયો.
  • ૨૦૧૧ : સૌરાષ્ટ્ર , પંચમહાલમાં નાનકડા ચેકડેમથી પાણી રોકવાથી ભૂગર્ભના જળભંડારમાં વધારો.
  • ૨૦૧૨ : રાજસ્થાનના રણમાં ધીરુભાઈ અંબાણી સોલાર પાર્ક. શક્ય હોય ત્યાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના રહેણાંક પર સોલાર પેનલોથી વિદ્યુત ઉત્પાદનનો પ્રયોગ.
વીતેલાં વર્ષો પર પાછળ દૃષ્ટિની બે ઘડી ઊભા રહી મૂલ્યાંકન કરવાની જરૃર એટલા માટે છે કે આવનારાં વર્ષોમાં લક્ષ્યાંક સુધી પહોંચવાનો રસ્તો ખરેખર સાચો છે કે તેમાં કોઈ સુધારાની જરૃર છે. તેનું એક સ્વમૂલ્યાંકન થાય, બે ઘડી વિશ્રામ મળે, પોતીકી વાડી, ખેતર, ઘર, પશુ હોસ્પિટલો, ખોડા ઢોર સાચવતા વાડા, ઘાસનું સંગ્રહાલય, બિયારણ, રાસાયણિક દવાઓ, પૌરાણિક પદ્ધતિથી કીટક નિયંત્રણો, ખેતીનાં ઓજારોમાં થયેલો બદલાવ, ટ્રેક્ટર ગાડાંની ડિઝાઈનમાં પરિવર્તન, મોટરસાઈકલ પર કેરિયર કે જોડાણગાડી વગેરે લગાવીને ઓછી મહેનતે વધારે ઉત્પાદન કેમ મેળવી શકાય તે માટે આવું પોતીકું મૂલ્યાંકન જરૃરી છે. દરેક વર્ષે, દશ વર્ષ, પચ્ચીસ વર્ષ, પચાસ વર્ષ,પંચોતેર વર્ષ કે સો વર્ષની ઉજવણીની પરંપરા પાછળ પણ એક સ્પષ્ટ હેતુ હોય છે. સ્વમૂલ્યાંકન સ્વદર્શન, પ્રતિબંધ ઓળખ, આંતરખોજ, જે શબ્દપ્રયોગ કરો તે. મુળ વાત એ છે કે વ્યક્તિગત સંસ્થાકીય પંચાયતો, તાલુકા, જિલ્લા, રાજ્યો કે દેશના વ્યવસ્થાતંત્રમાં આવી સ્વનિરીક્ષણની પદ્ધતિની જરૃર છે. મૂલ્યાંકન આવશ્યક છે, જેથી થયેલી ભૂલો સુધરે, બીજાની ભૂલો અટકે અને લક્ષનું સંધાન થાય.
આ ખેતીનાં સો વર્ષની મુલવણીમાં શક્ય છે. કેટલીક બાબતો રહી જવા પામી હોય તેન ેઆપમેળે ઉમેરીને બીજા માટે ઉપયોગી બનાવજો. આવનારી પેઢીના નવયુવકો માટે આ ખેતવિરાસત છે. ખેતીનો વારસો છે. વારસો ભવ્યહશે તો આવતીકાલ વધારે ભવ્ય બનશે. તેમાં મહેનત, દીર્ઘદૃષ્ટિ અને સંયમ તથા મુલ્યાંકન શક્તિની તાતી જરૃર પડશે.
લેખન અને સંકલન : શૈલેષ રાવલ
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Monday, 2 June 2014

નવી સરકાર સામે ચેલેન્જરૃપ : કૃષિક્ષેત્રના પાયારૃપ પડકાર


ભારતીય કૃષિ ક્ષેત્રનો દિવસે ને દિવસે વિકાસ થઈ રહ્યો છે. કૃષિના ક્ષેત્રમાં ઉન્નતિ અને વિકાસે જાણે હરણફાળ ભરી છે. દેશના જીડીપીમાં કૃષિનો પણ મસમોટો હિસ્સો રહેલો છે.  એક તરફ વિકાસ તો થઈ રહ્યો છે, તેની સામે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં વિવિધ પડકારો પણ રહેલા છે. કેટલાંક પડકારો કુદરતી  તો કેટલાંક માનવર્સિજત છે. આજથી બે વર્ષ પહેલાં ચોમાસું નબળું રહ્યું હતું.  આગામી ચોમાસું પણ અલ-નીનોની શક્યતાને પગલે નબળું રહી શકે છે. આજે પણ દેશનાં વિવિધ રાજ્યોમાં સિંચાઈ સંબંધિત સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. કૃષિ ક્ષેત્રમાં રોકાણ, વિભાજિત જમીનના એકીકરણ માટે કાયદો,  એગ્રીકલ્ચર માર્કેટિંગ, અપૂરતી સંગ્રહ સુવિધાઓ, નબળુ પરિવહન  અને ઉચ્ચ કવોલીટીના બિયારણ તેમજ કૃષિ સંબંધિત સમયસર માહિતીનો  અભાવ નવી સરકાર સામે પડકારરૃપ છે. જેને નજર સમક્ષ રાખીને કૃષિ વિભાગ, ખેડૂત અને સરકારે સાવચેતી રાખીને આગળ વધવું પડશે. કૃષિ ક્ષેત્રમાં આવા અનેક પડકારો છે જેની આપણે અહીં વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે.


ખેડૂતો માટે સારી ક્વોલિટીના બિયારણની તંગી : કૃષિ ક્ષેત્રમાં બિયારણ સૌથી મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે. બિયારણ પાકની ઉપજમાં અને કૃષિની ઉત્પાદકતામાં સતત વૃદ્ધિ હાંસલ કરવામાં મહત્ત્વપૂર્ણ ઈનપુટ માનવામાં આવે છે. સારી ગુણવત્તાનાં બીજનું ગરીબ ખેડૂતો વચ્ચે વિતરણ થવું પણ જરૃરી છે. જો કે ઊંચા ભાવને કારણે સારી ક્વોલિટીનાં બિયારણ ખેડૂતો સુધી નથી પહોંચી રહ્યાં. વર્ષ ૧૯૬૯માં સ્ટેટ ફાર્મર્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની સ્થાપના કરાઈ હતી. બિયારણ ઉદ્યોગે પણ દેશમાં પ્રભાવશાળી વૃદ્ધિ નોંધાવી છે ત્યારે આગામી સમયમાં પણ કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ નોંધાવી બિયારણ ઉદ્યોગ આગળ વધે તે જરૃરી છે. ખેડૂતોને સમયસર બિયારણ મળે તો કૃષિક્ષેત્રના વિકાસમાં બિયારણ એ મોટો ભાગ ભજવી શકે તેમ છે.
બિયારણના સંશોધનો પાછળ કરોડોનો ખર્ચ થતો હોવા છતાં નવાં બિયારણના સંશોધનોમાં  કૃષિ વિભાગ હજુ ઘણો પાછળ છે. વિશ્વ બજારમાં હેક્ટરદીઠ ઉત્પાદકતામાં ભારત ઘણો પાછળ હોવાનું કારણ ઉચ્ચ ક્વોલિટીના બિયારણનો અભાવ છે. દેશ પાસે કૃષિલાયક જમીન વધારે હોવા છતાં ઘણા પાકોના ઉત્પાદનમાં આપણે ઘણા પાછળ છીએ. જેથી નવી સરકારે સૌથી પહેલું પગલું ઉચ્ચ ક્વોલિટીના બિયારણોના ઉત્પાદન માટે ભરવું પડશે.

દેશમાં વધતી જતી સિંચાઈની સમસ્યા : સૌ કોઈ જાણે છે તેમ ભારતીય કૃષિ આમ તો ચોમાસા આધારિત છે. જો કે ચોમાસું ઘણી વાર અનિયમિત, અનિશ્ચિત અને અવિશ્વસનીય રહ્યું છે. ચોમાસાના અભાવને કારણે ખેડૂતોને સિંચાઈ પર આધાર રાખવો પડે છે. ચીન પછી ભારત સિંચાઈ આધારિત ખેતી કરતો બીજા નંબરનો દેશ છે. ભારતમાં એક તૃતિયાંશ ભાગમાં સિંચાઈ આધારિત ખેતી કરવામાં આવે છે. જો કે ભારતમાં સિંચાઈ સિસ્ટમમાં પણ ઘણાં બધા ફેરફાર કરવાની જરૃર છે. એક તરફ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં અડધાથી વધુ પાકો સિંચાઈ હેઠળ લેવામાં આવે છે. જ્યારે બાકીનાં રાજ્યોમાં સિંચાઈની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોને આર્િથક નુકસાની ભોગવવી પડે છે. ડ્રિપ અને ટપક જેવી ટેકનોલોજી હોવા છતાં આજે પણ ખેડૂતો ચોમાસા પર આધાર રાખે છે. ઇઝરાયેલમાં પાણીની તંગી હોવા છતાં પાણીની એક એક બૂંદનો ખેતીમાં ઉપયોગ કરી ઇઝરાયેલ આજે ખેતીમાં આગળ પડતો દેશ ગણાય છે જ્યારે દેશમાં કુલ સ્ટોરેજ ખેતીલાયક પાણીનો યોગ્ય ઉપયોગ થાય તો ખેડૂતોએ ચોમાસા પર નિર્ભર ના રહેવું પડે તેટલો પૂરતો વરસાદ તો દેશમાં થાય છે. જરૃર છે માત્ર સિંચાઇમાં ટેકનોલોજીનો અમલ કરવાનો.

દેશમાં યાંત્રિકીકરણનો અભાવ :  કૃષિ ક્ષેત્રમાં ઉન્નતિ આવી હોવા છતાં મોટાભાગના ખેડૂતો વાવણી, સિંચાઈ, પાળા બાંધવા માટે કે હાર્વેસ્ટિંગ માટે પરંપરાગત સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. નાના અને સીમાંત ખેડૂતો મજૂરોનો ઉપયોગ કરીને પોતાની ઉપજ ઘટાડી રહ્યા છે. જો કે આઝાદી પછી ભારતમાં યંત્ર ઓજારોનો બહોળો ઉપયોગ થાય તે દિશામાં પ્રયાસ કરવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૬૬-૬૭માં શરૃ કરવામાં આવેલી હરિયાળી ક્રાંતિને કારણે ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ભાર મૂકાયોે હતો. કૃષિ મશીનરીનો વધારે ઉપયોગ થાય તે દિશામાં મોટાપાયે કૃષિ મશીનરીના ઉદ્યોગોની સ્થાપના પણ કરવામાં આવી હતી. છતાં આજે કૃષિમાં યાંત્રિકરણનો પૂરતો ઉપયોગ થતો નથી અને ખેડૂતો ખેતી માટે મજૂરો પર જ આધારિત રહે છે.

 પાણીને કારણે ખેતીલાયક જમીનોનું ધોવાણ : ભારતીય કૃષિમાં જમીન ધોવાણ સૌથી મોટી સમસ્યા તરીકે બહાર આવી રહ્યું છે. ખેડૂતો માટે જમીન સૌથી મોટી સંપત્તિ માનવામાં આવે છે. જમીન દ્વારા જ ખેડૂતોને પાકની ઉત્પાદકતા સૌથી વધુ મળે છે. જો કે જમીન ધોવાણ થતાં ખેડૂતોને સૌથી મોટી નુકસાની વેઠવાનો પણ વારો આવે છે. ખાસ કરીને પાણી, પવન અને પ્રાણીઓ સહિત વિવિધ પરિબળોને કારણે જમીનનું ધોવાણ થતું હોય છે. પાણીને કારણે જમીનનું ધોવાણ થતા ખેડૂતને સૌથી મોટી નુકસાની આવે છે, અને જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે. જો કે આ ધોવાણને કેટલીક કૃષિ પદ્ધતિઓ અપનાવવાથી રોકી શકાય છે. સાથે જ નાના નાના ચેકડેમો, પાકની ફેરબદલી, આંતરપાક, ઢાળ પર વાવણી કરીને ખેડૂત જમીનનું ધોવાણ થતું અટકાવી શકે છે.

નબળું એગ્રીકલ્ચર માર્કેટિંગ : ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ એગ્રીકલ્ચર માર્કેટિંગની વ્યવસ્થા ચિંતાનો વિષય છે. યોગ્ય માર્કેટિંગની સુવિધાઓને અભાવે ખેડૂતોને પોતાની ઉપજ સ્થાનિક ટ્રેડર્સો અથવા વચેટિયાઓ મારફતે સાવ સસ્તા ફેંકી દેવાના ભાવે વેચવી પડે છે.  નાનાં ગામડાંઓમાં ખેડૂતને નાણાં ધીરનારને પણ પોતાની ઉપજ વેચવાનો વારો આવે છે. એક અંદાજ અનુસાર ઉત્તરપ્રદેશમાં ૮૫ ટકા ઘઉં, ૭૫ ટકા તેલીબિયાં પાકોનું ખેડૂતો પોતાના ગામમાં જ વેચાણ કરી દે છે. તેવી જ રીતે પશ્ચિમ બંગાળમાં ૯૦ ટકા શણ, પંજાબમાં ૭૦ ટકા તેલીબિયાં અને ૩૫ ટકા કપાસનું પોતાના ગામમાં જ વેચાણ કરવામાં આવે છે. ઘણાં માર્કેટના સર્વેને આધારે એ તથ્ય પણ સામે આવ્યું છે કે વિવિધ માર્કેટમાં વચેટિયાઓ ચોખાના ભાવ પર ૪૭ ટકા, મગફળીમાં ૫૨ ટકા અને બટાટામાં ૬૦ ટકાનો નફો કમાઈ રહ્યા છે. સરકાર દ્વારા નિયંત્રણ કરાતા વિવિધ બજારોમાં ખેડૂતોનાં હિત માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જો કે વચેટિયાઓને કારણે ખરીદ-વેચાણની પ્રક્રિયા ખોરંભે ચઢી છે અને ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા આર્િથક નુકસાન થઈ રહ્યું છે.

અપૂરતી સંગ્રહ સુવિધાઓ : ગ્રામિણ વિસ્તારોમાં સંગ્રહ સુવિધાઓનો અભાવ ગરીબ ખેડૂતો માટે વિનાશક સાબિત થઈ રહી છે. ખેડૂતોને લણણી પછી તરત જ પોતાની ઉપજને નીચા ભાવે વેચવાની ફરજ પડી રહી છે. એક અંદાજ મુજબ પાકની કાપણી પહેલાં ૯.૩ ટકા પાકને નુકસાન થાય છે. જ્યારે ૬.૬ ટકા પાકને સંગ્રહ સુવિધાઓ ન હોવાને કારણે નુકસાન થઈ રહ્યું છે. વર્તમાન સમયમાં પૂરતી સંગ્રહ વ્યવસ્થા હોવી જરૃરી છે. દેશમાં વિવિધ એજન્સીઓ દ્વારા વેર હાઉસિંગ અને સ્ટોરેજની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જો કે કેટલીક વાર અપૂરતી સંગ્રહ સુવિધાઓને કારણે ખેડૂતોને પોતાના પાકમાં આર્િથક નુકસાન ભોગવવું પડે છે.

અપૂરતું પરિવહન : ટ્રાન્સપોર્ટેશનનો મુદ્દો એગ્રીકલ્ચર ક્ષેત્રમાં સૌથી મોટો પડકાર માનવામાં આવે છે. આજે ભારતનાં કેટલાંય ગામડાંઓમાં યોગ્ય રસ્તાઓનો અભાવ છે. કૃષિ અને બજાર આ બંને ક્ષેત્રો રોડ સાથે જોડાયેલાં છે, પરંતુ બજાર સુધી કૃષિ ઉપજ પહોંચાડવા માટે વ્યવસ્થિત રોડની જોગવાઈ નથી, જેને કારણે બજાર ખેડૂતોથી દૂર જઈ રહ્યું છે. દેશનાં વિવિધ ગામડાંઓમાં વરસાદી માહોલ બાદ રોડની હાલત કથળતી જાય છે. જેને કારણે ટ્રાન્સપોર્ટેશનમાં ઘણીબધી મુશ્કેલીઓ સર્જાય છે.  દરેક ગામડાને યોગ્ય રોડથી જોડવામાં આવે અને પૂરતી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તો કૃષિના ક્ષેત્રમાં બહોળો વિકાસ થઈ શકે છે.
ખેડૂતો પાસે મૂડીની અછત : કૃષિમાં ટેકનોલોજીની પ્રગતિની સાથે સાથે મૂડીરોકાણ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે. ખેડૂતોનું રોકાણ પોતાની જમીનમાં જ સમાયેલું છે. ખેડૂતોને પોતાની ઉપજની રકમ મુખ્યત્વે નાણાં ધીરનાર, ટ્રેડર્સ અને કમિશન એજન્ટો પાસેથી મળતી હોય છે, પરંતુ આ ત્રણેય લોકો ખેડૂતો પાસે રહેલી ઉપજની મોટાભાગની રકમ વસૂલ કરી લે છે, એટલે કે કમીશન કાઢી લે છે. જેને કારણે ખેડૂતોને પોતાની ઉપજના નાણાં બિલકુલ ઓછા મળે છે. એટલે કે ખેડૂતને રોકાણ કરતા આવકની રકમ ઓછી મળે છે અને નાણાંકીય નુકસાન થાય છે. જો કે આ આખી પ્રક્રિયામાં પારદર્શક વહિવટનો અભાવ રહે છે, જેથી કૃષિને આંશિક નુકસાન પહોંચે છે. ખેડૂતો પાસે પૂરતી મૂડી હોય તો ખેતીમાં રોકાણ કરી ખેડૂતો સારી આવક મેળવી શકે તેમ છે. 



નાના અને વિભાજિત જમીનધારકો :  સમૃદ્ધ ભારતીય ખેડૂતો જમીન ધારણ કરેલી હોવાથી આર્િથક રીતે સધ્ધર તો બને છે, પરંતુ નાના અને વિભાજિત જમીનધારકોને કારણે કૃષિ ક્ષેત્રમાં જોઈએ તેવું પરિણામ નથી મળતું. ખાસ કરીને આપણો કાયદો કૃષિ ક્ષેત્ર માટે જવાબદાર માનવામાં આવે છે. એક ઉદાહરણ તરીકે વાત કરીએ તો એક પિતા પોતાના પુત્રોને જમીનની વહેંચણી કરી દે છે, ત્યારબાદ તેના પુત્રો કદાચ આર્િથક રીતે સધ્ધર હોય તો તેઓ જમીનમાં ખેતી કરવાનું પસંદ નથી કરતા અથવા એવું પણ બને કે સહિયારી જમીનમાં અલગ અલગ ખેતીને કારણે કૃષિ ઉત્પાદન પર અસર પણ થાય છે. તો ઘણી વાર પડતર જમીન રહેવાને કારણે ફળદ્રુપતામાં ઘટાડો થાય અથવા ત્યારબાદ લીધેલા પાકની ઉપજ પર અસર પણ વર્તાય. જમીન વિભાજન કર્યા બાદ સૌથી મોટી સમસ્યા સિંચાઈની પણ રહે છે. ધારો કે બે પુત્રને જમીનની વહેંચણી કરવામાં આવી હોય તો તેમાંથી એકને સિંચાઈની સગવડ મળી રહે છે, તો બીજાએ રાહ જોવી પડે છે, જેને કારણે સીધી અસર ખેતી પર પણ થઈ શકે છે. એટલું જ નહીં ખેતરની આસપાસની જમીનની હદ નક્કી કરવાને કારણે ફળદ્રુપ જમીનનો કેટલોક ભાગ પણ બરબાદ થઈ શકે છે. ભારતમાં વિભાજિત જમીનના એકીકરણ માટે કાયદો પણ અમલમાં મૂકવામાં આવ્યો છે, જો કે પરંપરાગત રીતે જે ચલણ ચાલ્યું આવે છે, તેને ખેડૂતો અપનાવી રહ્યા છે. એટલે આ કાયદાને જોઈએ તેવો પ્રતિસાદ નથી મળી રહ્યો. 



ખાતર અને દવાઓના યોગ્ય ઉપયોગનો અભાવ : ભારતીય ખેડૂતો પ્રાચીન અને રૃઢિગત પરંપરાને આધારે ખેતી કરતા હોવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જમીનની પૂરતી કાળજી લીધા વગર ખેતી કરાતી હોવાને કારણે પણ ઉપજ પર અસર વર્તાઈ રહી છે. બિનકાળજીપૂર્વક ખેતી કરવાને કારણે વિશ્વમાં પણ દરેક પાકની ઉપજમાં ઘટાડો જોવા મળ્યો છે. પાકને પૂરતાં ખાતરો અને યોગ્ય માવજત ન મળતાં હોવાને કારણે ઉપજમાં ઘટાડો જોવા મળે છે. જેવી રીતે માનવજાતના વિકાસ માટે પૂરતાં પોષકતત્ત્વો મળી રહેવાં જરૃરી છે, તેવી જ રીતે જમીનને પણ સારું પોષણ મળે તો સારી ઉપજ આપી શકે છે. એક અનુમાન મુજબ પૂરક ખાતરો આપવાથી એગ્રીકલ્ચર ઉપજમાં ૭૦ ટકાનો વધારો કરી શકાય છે. જો કે ઘણી વાર રાસાયણિક ખાતરો મોંઘાં હોવાને કારણે ઘણાં ખેડૂતોને પોસાય તેમ હોતું નથી. જો કે તેની સામે છાણિયાં ખાતરનો વપરાશ કરી શકાય છે. છાણિયાં ખાતરનો ઉપયોગ જમીનની ફળદ્રુપ શક્તિ ટકાવી રાખે છે. ભારતમાં ખાતરની સમસ્યા તીવ્ર અને જટિલ છે, પરંતુ તેની સામે ઓર્ગેનિક એટલે કે જૈવિક ખાતરનો વપરાશ પણ જમીનને ટકાવી રાખવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સમયયર ખેડૂતોને ખાતર પણ મળતા ન હોવા ઉપરાંત ખેડૂતોને ખાતર મેળવવા રીતસરની લાઇનો લગાવવી પડે છે. કરોડો રૃપિયાનું વિદેશી હૂંડિયામણ ખર્ચીને ખાતરની આયાત કરવા છતાં ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી તો પાકમાં કેટલું ખાતર વાપરવું તે દેશના ૫૦ ટકા ખેડૂતોને પ્રમાણભાન નથી. જેથી ખાતરના અને દવાના વપરાશની જાગૃતિ લાવવા પણ કૃષિ વિભાગે પ્રયત્નો કરવા પડશે.

વર્તમાન સમયમાં ભારતમાં ગ્રામિણ ક્ષેત્રમાં ૬૫૦૦ લાખ ટન ખાતરનું ઉત્પાદન થાય છે, જ્યારે શહેરી વિસ્તારમાં ૧૬૦૦ લાખ ટન ખાતરનું ઉત્પાદન થાય છે. જો કે આ તમામ ખાતરનો પૂરતા પ્રમાણમાં વપરાશ નથી થતો. સરકારના અથાગ પ્રયાસ બાદ રાસાયણિક ખાતરોનો વપરાશ વધારવામાં આવ્યો હતો. સાથે જ ખેડૂતોને યોગ્ય ખાતર મળે તે હેતુથી તેનાં ધોરણો જાળવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખેડૂતો પાસે હજુ પણ રાસાયણિક ખાતર અને દવા છંટકાવની યોગ્ય માહિતીનો અભાવ હોવાથી ખેડૂતો ખેતીમાં ખર્ચ વધારી જમીનની ફળદ્રુપતા ગુમાવવાની સાથે ઉત્પાદનમાં પણ ઝેર ભેળવી રહ્યા છે. ખરેખર ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે તે જરૃરી છે. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..