૩૦
વીઘામાં કપાસની ખેતી કરી ખેડૂતે ૩૦૦૦ મણ રૃનું ઉત્પાદન મેળવ્યું : ૧૯૭૨માં સરકારી નોકરીમાં
ખેડૂતનો પગાર રૃપિયા ૮૪૦ હોવાના સમયે ખેડૂતે રૃપિયા ૨૨૦૦ના મરચાં પકવ્યાં હતાં
ભા
રત ખેતીપ્રધાન દેશ છે. આ બાબત પ્રાથમિક શાળામાં ભણાવવામાં આવે છે, પરંતુ એ જ વર્ગશિક્ષક
દ્વારા છાત્રને પૂછવામાં આવે કે તમારે શું બનવું છે? ત્યારે એક પણ વિદ્યાર્થી એવું
કહેતો સાંભળવા મળતો નથી કે હું સફળ અને પ્રગતિશીલ ખેડૂત બનીશ. આમ, બે પ્રકારની માનસિકતા
ભારતના વિકાસમાં અવરોધ ઊભો કરી રહી છે. આપણી સંસ્કૃતિ પાસે કહેવતોનો ભંડાર છે અને કહેવતોનો
ભંડાર આપણાં પુરાતન કાળના દિવ્ય ભવ્ય જ્ઞાાનનો સીધો વારસો છે. આ જ વારસાની એક કહેવત
છે કે ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર અને કનિષ્ટ નોકરી આ કહેવતને સાર્થક થશે ત્યારે ભારત
સાચા અર્થમાં ખેતીપ્રધાન રાષ્ટ્ર બનશે.
પાટણ
જિલ્લામાં આવેલ જંગરાલ ગામના સફળ અને પ્રગતિશીલ ખેડૂત તરીકે નોંધનીય ખેતી કરતા ઘનશ્યામભાઈ મણીલાલ બારોેટે પોતાના
જીવનમાં અનેક પ્રકારના ઉતાર-ચડાવ જોયા છે. વિશાળ સંયુકત પરિવારમાંથી આવતા આ ખેડૂતને
બાળપણમાં પરિવારની અનેક જવાબદારીઓ આવી પડી હોવા છતાં અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી સરકારી
નોકરી મેળવવવામાં પણ સફળ રહ્યા હતા. ૧૯૬૦માં
પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે નોકરી સ્વીકારી હતી. દરમિયાન માસિક ૭૦ રૃપિયા
પગારધોરણ હતું. જેની સામે પરિવારમાં ૪ નાનાં નાનાં ભાઈ-બહેનો અને અન્ય સામાજિક પ્રસંગો
અને સમાજના રીત-રિવાજો નિભાવવાના થતા હતા. સરકારી નોકરી સાથે અન્ય વ્યવહારો સાચવવામાં
અનેક મુશ્કેલીઓ પડતી હતી. ત્યારે ઘનશ્યામભાઇ નોકરી છોડી ઉત્તમ ખેતી તરફ વળ્યા હતા.
સરકારી
નોકરી છોડી ખેતી તરફ વાળવામાં જે તે સમયના પાટણ જિલ્લા ખેતીવાડી વિસ્તરણ અધિકારી મફતભાઈ
વી. પટેલે પ્રયત્નો કર્યા હતા. ૧૯૬૯માં મહેસાણા
જિલ્લાના જગુદણ વિસ્તારના ખેડૂતો મરચાંની ખેતી કરી સારી આવક મેળવતા હતા. આ મરચાંની
ખેતીમાંથી પ્રેરણા લઈ ઘનશ્યામભાઈ નોકરીમાંથી રાજીનામંુ આપી ખેતી તરફ વળ્યા હતા. જેઓએ
૧૯૬૯થી ૭ર સુધી નોકરી સાથે ઓવરટાઈમમાં ખેતી કરી સારી સફળતા મેળવી હતી. ખેતીમાં સારી
કમાણી જોતાં સરકારી નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામું
આપી પૂર્ણ સમય માટે ખેતીનો વ્યવસાય તરીકે સ્વીકાર કર્યો હતો.
૧૯૭૨માં
નોકરી કરતાં ચાર ગણી આવક મેળવી હતી
૧૯૭રના
વર્ષમાં સરકારી નોકરીનો ર્વાિષક પગારનો સરવાળો ૮૪૦ રૃપિયાનો થતો હતો તેની સામે પ્રથમ
વર્ષે જ ખેતીની આવકમાં રર૦૦ રૃપિયાનાં ખેડૂતે મરચાં પકવ્યાં હતાં. આમ, પ્રથમ વરસથી
જ ખેતી નોકરી કરતાં આગળ નીકળી ગઈ. ત્યારબાદ તબક્કાવાર બીજા વર્ષે ૩,પ૦૦, ત્રીજા વર્ષે
૮,૦૦૦ રૃપિયાનાં મરચાં પકવ્યાં હતાં. આમ, ખેતીમાં સતત પ્રગતિ કરતાં પરિવાર સમૃદ્ધ બનતો
ગયો. છેલ્લે ર૦૦૪ના વર્ષમાં બી.ટી. કપાસની
ખેતી તરફ વળ્યા દરમિયાન જ બી.ટી. કપાસના વાવેતર
સામે સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારી અધિકારીઓ ખેતરે ખેતરે ફરી બી.ટી
કપાસની ખેતીનો નાશ કરવા ફરી રહ્યા હતા. ઘનશ્યામભાઈના ખેતરમાં પણ આવ્યા હતા. આમ છતાં
કાયદાકીય જ્ઞાાન હોવાથી તમારી પાસે અમારો પાક નષ્ટ કરવાનો કોઈ આદેશ નહીં હોવાથી તમો
અમારો પાક નષ્ટ કરી શકશો નહીં એવી દલીલ કરી પાક બચાવવા મેદાને પડયા હતા. આમ, ખેતીમાં
આવતી અનેક મુશ્કેલીઓ સામે પણ ઝઝૂમી ખેડૂત તરીકે સફળતાઓ નોંધાવતા રહ્યા છે.
બી.ટી.
કપાસની ખેતીમાં કાઠું કાઢી છેલ્લાં ચાર વર્ષથી વીઘે સરેરાશ ૧૦૦ મણ રૃ ની ઉપજ મેળવી
રહ્યા છે. ર૦૧૧માં રપ વીઘામાં બીટી કપાસનું વાવેતર કરી ર,૩૭પ મણ રૃનું ઉત્પાદન મેળવ્યું
હતું. ત્યારબાદ ર૦૧રમાં ર૦ વીઘામાં ૧૦૪ મણની ઉપજની સરેરાશથી ર૦૮૦ મણ, ર૦૧૩માં ૩૦ વીઘામાં ૯ર મણની સરેરાશથી ર૭૬૦ મણ અને વર્ષ ર૦૧૪માં
આ વર્ષે ૩૦ વીઘામાં વાવેતર થકી ૧૦૦ મણની સરેરાશથી ૩૦૦૦ મણ રૃનું ઉત્પાદન મેળવ્યું છે.
આમ, બી.ટી કપાસની ખેતીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે અનેક વખત સફળ રહ્યા છે. ગત વર્ષ ર૦૧ર-૧૩ના વર્ષમાં વિશ્વ ફાર્મર કોન્ફરન્સ
ભારતમાં યોજાઈ હતી. જેમાં સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ ખેડૂતોને એકઠા કરવામાં આવ્યા હતા.
ભારતમાંથી કપાસની શ્રેષ્ઠ ખેતી કરનાર ત્રણ ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર
ભારતની ચર્ચામાં સહભાગી બનેલા અને ખેતીની વિગતો જણાવ્યા બાદ દ્વિતીય નંબરનો એવોર્ડ
ખેડૂતને એવોર્ડ મળ્યો હતો.
આમ,
એક સરકારી નોકરી છોડી ખેતી તરફ વળેલા ઘનશ્યામભાઈ બારોટ સમગ્ર ગુજરાતના ખેડૂતોને માર્ગદર્શન
પૂરું પાડી શકે તેવી ખેતી કરી સફળ બન્યા છે. તેઓના દ્વારા ચલાવવામાં આવતી ખેડૂત જાગૃતિ
પ્રવૃત્તિથી તે વિસ્તારના અનેક ખેડૂતો ખેતીમાં અનેક ફેરફારો લાવી ઉમદા ઉત્પાદન મેળવી
રહ્યા છે. ખેડૂતો દ્વારા ગમે ત્યારે માંગવામાં આવતી માહિતી તેઓ ખૂબ રસથી પૂરી પાડે
છે. બીજી તરફ એમના ખેતરની મુલાકાત લેતાં તમામ ખેડૂતોનું મુલાકાત પત્રક પણ નિભાવે છે.
દરેક ખેડૂતના સંપર્ક નંબરો મેળવી ખેડૂતોને વધુમાં વધુ મદદરૃપ બની ખેતીને વધુ સાર્થક
બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે. આમ, એક સફળ ખેડૂત પોતાના જીવનની તમામ સુખ સુવિધાઓ ખેતીની
આવક થકી મેળવી સમાજના અન્ય ખેડૂતો માટે ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. સંપર્ક કરોઃ ૯૯૨૫૭ ૩૨૧૬૧
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment