Monday, 26 May 2014

વીઘે ૧૦૦ મણ રૃ પકવતો જંગરાલનો ખેડૂત


૩૦ વીઘામાં કપાસની ખેતી કરી ખેડૂતે ૩૦૦૦ મણ રૃનું ઉત્પાદન મેળવ્યું  : ૧૯૭૨માં સરકારી નોકરીમાં ખેડૂતનો પગાર રૃપિયા ૮૪૦ હોવાના સમયે ખેડૂતે રૃપિયા ૨૨૦૦ના મરચાં પકવ્યાં હતાં

ભા રત ખેતીપ્રધાન દેશ છે. આ બાબત પ્રાથમિક શાળામાં ભણાવવામાં આવે છે, પરંતુ એ જ વર્ગશિક્ષક દ્વારા છાત્રને પૂછવામાં આવે કે તમારે શું બનવું છે? ત્યારે એક પણ વિદ્યાર્થી એવું કહેતો સાંભળવા મળતો નથી કે હું સફળ અને પ્રગતિશીલ ખેડૂત બનીશ. આમ, બે પ્રકારની માનસિકતા ભારતના વિકાસમાં અવરોધ ઊભો કરી રહી છે. આપણી સંસ્કૃતિ પાસે કહેવતોનો ભંડાર છે અને કહેવતોનો ભંડાર આપણાં પુરાતન કાળના દિવ્ય ભવ્ય જ્ઞાાનનો સીધો વારસો છે. આ જ વારસાની એક કહેવત છે કે ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર અને કનિષ્ટ નોકરી આ કહેવતને સાર્થક થશે ત્યારે ભારત સાચા અર્થમાં ખેતીપ્રધાન રાષ્ટ્ર બનશે.
પાટણ જિલ્લામાં આવેલ જંગરાલ ગામના સફળ અને પ્રગતિશીલ ખેડૂત તરીકે  નોંધનીય ખેતી કરતા ઘનશ્યામભાઈ મણીલાલ બારોેટે પોતાના જીવનમાં અનેક પ્રકારના ઉતાર-ચડાવ જોયા છે. વિશાળ સંયુકત પરિવારમાંથી આવતા આ ખેડૂતને બાળપણમાં પરિવારની અનેક જવાબદારીઓ આવી પડી હોવા છતાં અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી સરકારી નોકરી મેળવવવામાં પણ સફળ રહ્યા હતા. ૧૯૬૦માં  પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે નોકરી સ્વીકારી હતી. દરમિયાન માસિક ૭૦ રૃપિયા પગારધોરણ હતું. જેની સામે પરિવારમાં ૪ નાનાં નાનાં ભાઈ-બહેનો અને અન્ય સામાજિક પ્રસંગો અને સમાજના રીત-રિવાજો નિભાવવાના થતા હતા. સરકારી નોકરી સાથે અન્ય વ્યવહારો સાચવવામાં અનેક મુશ્કેલીઓ પડતી હતી. ત્યારે ઘનશ્યામભાઇ નોકરી છોડી ઉત્તમ ખેતી તરફ વળ્યા હતા.
    સરકારી નોકરી છોડી ખેતી તરફ વાળવામાં જે તે સમયના પાટણ જિલ્લા ખેતીવાડી વિસ્તરણ અધિકારી મફતભાઈ વી. પટેલે  પ્રયત્નો કર્યા હતા. ૧૯૬૯માં મહેસાણા જિલ્લાના જગુદણ વિસ્તારના ખેડૂતો મરચાંની ખેતી કરી સારી આવક મેળવતા હતા. આ મરચાંની ખેતીમાંથી પ્રેરણા લઈ ઘનશ્યામભાઈ નોકરીમાંથી રાજીનામંુ આપી ખેતી તરફ વળ્યા હતા. જેઓએ ૧૯૬૯થી ૭ર સુધી નોકરી સાથે ઓવરટાઈમમાં ખેતી કરી સારી સફળતા મેળવી હતી. ખેતીમાં સારી કમાણી  જોતાં સરકારી નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપી પૂર્ણ સમય માટે ખેતીનો વ્યવસાય તરીકે સ્વીકાર કર્યો હતો.

૧૯૭૨માં નોકરી કરતાં ચાર ગણી આવક મેળવી હતી
૧૯૭રના વર્ષમાં સરકારી નોકરીનો ર્વાિષક પગારનો સરવાળો ૮૪૦ રૃપિયાનો થતો હતો તેની સામે પ્રથમ વર્ષે જ ખેતીની આવકમાં રર૦૦ રૃપિયાનાં ખેડૂતે મરચાં પકવ્યાં હતાં. આમ, પ્રથમ વરસથી જ ખેતી નોકરી કરતાં આગળ નીકળી ગઈ. ત્યારબાદ તબક્કાવાર બીજા વર્ષે ૩,પ૦૦, ત્રીજા વર્ષે ૮,૦૦૦ રૃપિયાનાં મરચાં પકવ્યાં હતાં. આમ, ખેતીમાં સતત પ્રગતિ કરતાં પરિવાર સમૃદ્ધ બનતો ગયો.  છેલ્લે ર૦૦૪ના વર્ષમાં બી.ટી. કપાસની ખેતી તરફ વળ્યા દરમિયાન જ  બી.ટી. કપાસના વાવેતર સામે સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારી અધિકારીઓ ખેતરે ખેતરે ફરી બી.ટી કપાસની ખેતીનો નાશ કરવા ફરી રહ્યા હતા. ઘનશ્યામભાઈના ખેતરમાં પણ આવ્યા હતા. આમ છતાં કાયદાકીય જ્ઞાાન હોવાથી તમારી પાસે અમારો પાક નષ્ટ કરવાનો કોઈ આદેશ નહીં હોવાથી તમો અમારો પાક નષ્ટ કરી શકશો નહીં એવી દલીલ કરી પાક બચાવવા મેદાને પડયા હતા. આમ, ખેતીમાં આવતી અનેક મુશ્કેલીઓ સામે પણ ઝઝૂમી ખેડૂત તરીકે સફળતાઓ નોંધાવતા રહ્યા છે.           
   બી.ટી. કપાસની ખેતીમાં કાઠું કાઢી છેલ્લાં ચાર વર્ષથી વીઘે સરેરાશ ૧૦૦ મણ રૃ ની ઉપજ મેળવી રહ્યા છે. ર૦૧૧માં રપ વીઘામાં બીટી કપાસનું વાવેતર કરી ર,૩૭પ મણ રૃનું ઉત્પાદન મેળવ્યું હતું. ત્યારબાદ ર૦૧રમાં ર૦ વીઘામાં ૧૦૪ મણની ઉપજની સરેરાશથી ર૦૮૦ મણ, ર૦૧૩માં  ૩૦ વીઘામાં ૯ર મણની સરેરાશથી ર૭૬૦ મણ અને વર્ષ ર૦૧૪માં આ વર્ષે ૩૦ વીઘામાં વાવેતર થકી ૧૦૦ મણની સરેરાશથી ૩૦૦૦ મણ રૃનું ઉત્પાદન મેળવ્યું છે. આમ, બી.ટી કપાસની ખેતીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે અનેક વખત સફળ રહ્યા છે.   ગત વર્ષ ર૦૧ર-૧૩ના વર્ષમાં વિશ્વ ફાર્મર કોન્ફરન્સ ભારતમાં યોજાઈ હતી. જેમાં સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ ખેડૂતોને એકઠા કરવામાં આવ્યા હતા. ભારતમાંથી કપાસની શ્રેષ્ઠ ખેતી કરનાર ત્રણ ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ભારતની ચર્ચામાં સહભાગી બનેલા અને ખેતીની વિગતો જણાવ્યા બાદ દ્વિતીય નંબરનો એવોર્ડ ખેડૂતને એવોર્ડ મળ્યો હતો.

   આમ, એક સરકારી નોકરી છોડી ખેતી તરફ વળેલા ઘનશ્યામભાઈ બારોટ સમગ્ર ગુજરાતના ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડી શકે તેવી ખેતી કરી સફળ બન્યા છે. તેઓના દ્વારા ચલાવવામાં આવતી ખેડૂત જાગૃતિ પ્રવૃત્તિથી તે વિસ્તારના અનેક ખેડૂતો ખેતીમાં અનેક ફેરફારો લાવી ઉમદા ઉત્પાદન મેળવી રહ્યા છે. ખેડૂતો દ્વારા ગમે ત્યારે માંગવામાં આવતી માહિતી તેઓ ખૂબ રસથી પૂરી પાડે છે. બીજી તરફ એમના ખેતરની મુલાકાત લેતાં તમામ ખેડૂતોનું મુલાકાત પત્રક પણ નિભાવે છે. દરેક ખેડૂતના સંપર્ક નંબરો મેળવી ખેડૂતોને વધુમાં વધુ મદદરૃપ બની ખેતીને વધુ સાર્થક બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે. આમ, એક સફળ ખેડૂત પોતાના જીવનની તમામ સુખ સુવિધાઓ ખેતીની આવક થકી મેળવી સમાજના અન્ય ખેડૂતો માટે ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.                              સંપર્ક કરોઃ  ૯૯૨૫૭ ૩૨૧૬૧
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Monday, 19 May 2014

ખરીફમાં સોયાબીન, ચોળા અને ગુવારના બિયારણમાં ઘટ


ખરીફમાં ૧૪૫ લાખ ક્વિન્ટલ બિયારણનો વપરાશ થશે : દેશમાં બિયારણનું બજાર રૃ.૧૨ હજાર કરોડે પહોંચ્યું   : ગુજરાતમાં ૮૦૦ કરોડનું બજાર :  દેશમાં ખરીફમાં સૌથી વધુ ચોખાના બિયારણનો વપરાશ  : ૧૨ ટકાના દરે બિયારણ સેક્ટરનો વધતો ગ્રોથ :૨૦૧૮ સુધીમાં બિયારણના વપરાશમાં બે ગણો વધારો થશે :વિશ્વમાં વધતી જતી વસતી અને ખેતીલાયક ઓછી થતી જમીનને પગલે લોકોની જરૃરિયાત પૂરી પાડવા ઓછી જમીનમાં વધુ ઉત્પાદન જ આજનો કૃષિમંત્ર :  ખેડૂતોએ કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો હશે તો બિયારણમાં સુધારા કરવા પડશે : આજે દેશમાં ૧૨ ટકાના દરે બિયારણ ઉદ્યોગનો વિકાસ થઇ રહ્યો છે : રાજ્યમાં હાલમાં ૧૩ લાખ ક્વિન્ટલ બિયારણની જરૃરિયાત સામે ૨૦૧૭ સુધીમાં માંગમાં મોટો વધારો થશે

દેશમાં બિયારણ બજારે ૧૨ ટકાના દરે હરણફાળ ભરતાં માર્કેટ ૧૨,૦૦૦ કરોડ રૃપિયાના આંકે પહોંચ્યું છે. ગુજરાતમાં પણ બિયારણ માર્કેટનો આંક ૮૦૦ કરોડ રૃપિયા છે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત બિયારણો જ કૃષિક્ષેત્રના વિકાસની ચાવી હોવાથી કૃષિવિભાગ પણ બિયારણોનાં સંશોધનો પાછળ કરોડો રૃપિયાનો ખર્ચ કરી રહ્યો છે. દેશમાં ખરીફ સીઝનમાં ૧૦૦૦ લાખ હેક્ટરમાં વાવેતર થતુંં હોવાથી ચાલુ ખરીફ સીઝનમાં ૧૪૫ લાખ ક્વિન્ટલ બિયારણનો વપરાશ થશે. કૃષિવિભાગના તમામ પ્રયત્નો છતાં સોયાબીન, ચોળા અને ગુવારનું બિયારણ જરૃરિયાત કરતાં ઓછંુ હોવાથી આ બિયારણની ખરીદીમાં ખેડૂતો સચેત રહે તે જરૃરી છે. ગુજરાતમાં પણ હવે બિયારણના વપરાશનો આંક ૧૩ લાખ ક્વિન્ટલે પહોંચી ગયો છે. ખરીફ સીઝનની તૈયારીઓ શરૃ થઈ ગઈ હોવાથી ખેડૂતો પણ હવે બિયારણની ખરીદી શરૃ કરશે.                                                                                                             

  
ખેડૂતો બિયારણની ખરીદીમાં સાવધાની રાખેઃ રાજ્યમાં રૃ.૮૦૦ કરોડનું બિયારણ બજાર
રા જ્યમાં કૃષિ ક્ષેત્રનો વ્યાપ વધવાની સાથે વાવેતરમાં પણ વધારો થઇ રહ્યો છે પરિણામે બિયારણની માંગમાં વધારો નોંધાયો છે. ૨૦૧૩-૧૪માં ૧૩.૮૧ લાખ ક્વિન્ટલ બિયારણની માંગ ૨૦૧૬-૧૭ સુધીમાં ૨૩.૮૨ લાખ ક્વિન્ટલ થઈ જશે. આમ, બિયારણનો વ્યવસાય સતત પ્રગતિ કરી રહ્યો છે. સતત વધતી જતી માંગને પગલે ખેડૂતોએ પણ હવે સચેત બનવાની ખાસ જરૃર છે. ગુજરાતમાં હાલમાં બિયારણનું માર્કેટ રૃપિયા ૮૦૦ કરોડનું છે. જે ટૂંકાગાળામાં રૃપિયા ૧૦૦૦ કરોડ રૃપિયાએ પહોંચી જશે. બિયારણની માંગ વધતાં ખેડૂતો સાથે બિયારણમાં છેતરપિંડીનો વ્યાપ પણ વધી રહ્યો છે. બિયારણની માંગ સામે ખાનગી કંપનીઓ ખેડૂતોને ગુણવત્તા વિનાનું બિયારણ પધરાવી રહી હોવાની બૂમરાણો મચી રહી છે. આ વર્ષે તલના બિયારણની માંગ વધતાં સૌરાષ્ટ્રમાં મોટાપાયે નકલી બિયારણ પધરાવી દીધું હોવાનું અને ઉગાવા બાદ પાકની વૃદ્ધિ થઇ ન હોવાના દાખલાઓ બહાર આવ્યા છે. આમ ખાનગી લેભાગુ કંપનીઓ પણ બિયારણમાં માંગ અને સીઝન સમયે ગુણવત્તા વગરનું બિયારણ ખેડૂતોને વેચાણ કરી રહી છે. કર્ણાટકમાં તો ગુણવત્તા વગરનું બીટી કોટનનું બિયારણ ખેડૂતોને વેચાણ કરવામાં આવ્યું હોવાનો મામલો કોર્ટ સુધી
પહોંચ્યો છે.   કર્ણાટકે મહારાષ્ટ્રની એક ટોપ લેવલની  કંપનીના બિયારણના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેથી હવે ખરીફના વાવેતરની ખેડૂતોએ તૈયારીઓ શરૃ કરી છે ત્યારે ખેડૂતોએ બિયારણમાં છેતરપિંડીનો ભોગ બનતાં અટકે તે માટે કેટલીક વિગતો અહીં પ્રસ્તુત છે. ખાસ કરીને જુદા જુદા પાકોના બિયારણમાં ખેડૂતો સાથે બેરોકટોક અને ખુલ્લેઆમ છેતરપિંડી થતી જોવા મળે છે. મોટા મોટા દાવા કરાયા બાદ ખેડૂતોને કોઈ જ ઉપજ મળતી નથી. નાણાંની સાથે સાથે આખું વર્ષ અને ખેડૂતોની મહેનત પણ પાણીમાં જતી રહે છે ત્યારે નકલી અને ગુણવત્તા વગરના બિયારણ માટે ખેડૂતોને ખાસ કાયદાકીય રક્ષણ મળેલું છે. બિયારણમાં છેતરપિંડી થાય તો ખેડૂતો બિયારણ વેચનાર સામે ફોજદારી સુધીનાં પગલાં લઈ શકે છે. બિયારણ અશુદ્ધ સાબિત થાય તો બાદમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી ગુનો દાખલ થઈ શકે છે. જેમાં પ્રથમ ગુના માટે રૃ.પ૦૦નો દંડ અને ત્યારબાદ બીજી વખતના ગુના માટે ૬ માસની કેદની સજા અને રૃ. ૧ હજારના દંડની સજાની જોગવાઈ છે. ખેડૂતોએ બિયારણ ખરીદતી વખતે ખાસ તકેદારી રાખીને કેન્દ્રિય બોર્ડ દ્વારા પ્રમાણિત થયેલું બિયારણ જ ખરીદવું જોઈએ. બિયારણ અધિનિયમ ઉપરાંત છેતરપિંડી અંગેનો ગુનો પણ બિયારણ વેચનાર સામે દાખલ થઈ શકે છે. ખેડૂતોને પૂરતું કાયદાકીય રક્ષણ મળેલું છે. બસ, જરૃર છે ફક્ત ખેડૂતોએ આગળ આવીને કાર્યવાહી કરવાની. 


ખરીફમાં ૨૧.૫૫ લાખ ક્વિન્ટલ મગફળીના બિયારણની માંગ રહેશે

દેશમાં બિયારણની ખરીફ સીઝનમાં ૧૪૫ લાખ ક્વિન્ટલ જરૃરિયાત સામે સ્ટોક ૧૪૯ લાખ ક્વિન્ટલ : સોયાબીનના બિયારણમાં ૬.૯૬ લાખ ક્વિન્ટલની ઘટ :ભારતમાં વ્યવસાયિક બીજ ઉત્પાદનમાં આંધ્રપ્રદેશ, બિહાર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ અગ્રેસર રાજ્ય

દે શમાં ખરીફ સીઝન થકી બિયારણ, દવા અને ખાતરના માર્કેટનું પણ ભવિષ્ય નક્કી થતું હોય છે. ખેતીમાં બિયારણ એ ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે. ભારતમાં પરંપરાગત રીતે બિયારણનો સંગ્રહ અને વાવણી કરવામાં આવતી હતી, પરંતુ બદલાયેલા કૃષિ વ્યવસાયમાં ખેતી એ આજીવિકાનું નહીં પરંતુ કમાણીનું સાધન બની ગઈ હોવાથી સુધારેલા તથા સંશોધિત કરેલા વિવિધ પાકોનાં બિયારણોનો ઉપયોગ વધતો જાય છે. આથી ખેતીમાં સીડ ઉદ્યોગ ધમધોકાર પ્રગતિ કરી રહ્યો છે. હાઇબ્રિડ બિયારણો સીડ માર્કેટમાં ૩૦ ટકા હિસ્સો ધરાવે છે. ખાનગી  ક્ષેત્રમાં ૩૫૦થી વધુ કંપનીઓ સક્રિય છે. ભારતમાં વ્યવસાયિક બીજ ઉત્પાદનમાં આંધ્રપ્રદેશ, બિહાર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ વગેરે અગ્રેસર રાજ્યો છે. ગુજરાતમાં ચોખા, ઘઉં અને બાજરી જેવા ધાન્ય પાકોથી લઈને ચણા, મગ, અડદ સહિતના કઠોળ પાક તેમજ એરંડા, મગફળી જેવા તેલીબિયાં પાક સહિત અંદાજે ૩૦ જેટલા પાકની ૧,૦૦૦થી વધુ જાતોનાં બિયારણનું રાજ્યમાં ઉત્પાદન થાય છે. એટલું જ નહીં ગુજરાતમાં સોયાબીન, શણ, ગુવાર, મરચાં જેવા પાકની ખેતી પ્રમાણમાં ઓછી થતી હોવા છતાં આ પાકના બિયારણની તેમની ઉચ્ચ ગુણવત્તાને કારણે અન્ય રાજ્યોમાં વિશેષ માંગ રહે છે. ગુજરાતમાં ૧૩ લાખ ક્વિન્ટલ બિયારણની જરૃરિયાત પડતી હોય છે.
એક સમય હતો જ્યારે બિયારણના ઉત્પાદન માટે ગુજરાત બીજનિગમ, કૃભકો જેવી સરકારી સંસ્થાઓ જ કાર્યરત હતી, પરંતુ બિયારણ સેક્ટરના વિકાસને ધ્યાનમાં રાખતા હવે ખાનગી કંપનીઓ પણ બિયારણના ઉત્પાદનમાં પ્રવેશી છે.  વધુમાં ગુજરાતના ચારેય ખૂણે પ્રસરેલી દાંતીવાડા, આણંદ, નવસારી અને જૂનાગઢની કૃષિ યુનિર્વિસટીઓમાં નવાં નવાં બિયારણનાં સંશોધનો અવિરત ચાલતાં રહે છે.  ગુજરાતના બિયારણની મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભારે માંગ છે. દેશમાં હવે પ્રતિ હેક્ટર વધુ ઉત્પાદન આપતી હાઇબ્રિડ જાતોનું વાવેતર વધવા લાગ્યું છે. ૨૦૧૧માં વિશ્વમાં ૨૯ દેશમાં ૨૫ હાઇબ્રિડ જાતોના વાવેતરનો આંક ૧૬ લાખ હેકટર હતો. આ આંક દર્શાવી રહ્યો છે કે વિશ્વમાં હાઇબ્રિડ જાતોનું વાવેતર વધી રહ્યું છે. 

કપાસનું ૨.૧૭ લાખ ક્વિન્ટલ બિયારણ ઉપયોગમાં લેવાશે

સ ફેદ સોનું ગણાતા કપાસની ચમક હવે વધી રહી છે. વિશ્વમાં રૃના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે આવવાના ઉજળા સંજોગો વચ્ચે કપાસનું દેશમાં ૧૧૦ લાખ હેક્ટરથી વધુમાં વાવેતર થશે. ગુજરાતમાં ૨૬ લાખ હેક્ટરથી વધુમાં કપાસની ખેતી થાય છે. બીટી કોટનના પ્રવેશ બાદ હેક્ટર દીઠ ઉત્પાદકતામાં પણ સુધારો આવતાં ખેડૂતો હવે કપાસની ખેતી તરફ વળ્યા છે. ગુજરાતની હેક્ટરદીઠ ઉત્પાદકતા ૭૦૦ કિલો છે. સૌથી વધુ બિયારણનું વેચાણ આંધ્રપ્રદેશમાં થતું હોવાથી બિયારણની કંપનીઓના બિયારણના વેચાણ એજન્ડામાં મુખ્ય આંધ્ર, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય હોય છે. બીટી કપાસનું બિયારણ બનાવી વેચાણ કરતી આ કંપનીઓ હાલમાં બિયારણના વેચાણ માટે સૌથી વધુ પ્રયત્નો કરી રહી છે. 
 દેશમાં હાઇબ્રિડ કપાસની મોટાપાયે ખેતી થાય છે. ચાલુ સીઝનમાં કપાસના ૨.૧૭ લાખ ક્વિન્ટલ બિયારણનો વપરાશ થાય તેવો કૃષિ વિભાગને અંદાજ છે. વિશ્વમાં કપાસનો વપરાશ વધતાં ધીમે ધીમે તેની ખેતી વધી રહી છે. ગુજરાતમાં ખરીફ ખેતીમાં કપાસની મુખ્ય પાક તરીકે ખેતી થાય છે. ગુજરાતમાં સૌથી વધુ કપાસ સૌરાષ્ટ્રમાં પાકે છે. રાજ્યમાં ૯૦થી ૧૨૦ લાખ ગાંસડી રૃનું ઉત્પાદન ખેડૂતો કરે છે. ગુજરાતના રૃની ગુણવત્તા સારી હોવાથી નિકાસમાં મોટાપાયે ગુજરાતના રૃની પસંદગી થાય છે. કપાસના બિયારણમાં વિશ્વ કે દેશ ક્ષેત્રે ગુજરાતનું પ્રદાન જોઇએ તો સૌ પ્રથમ કપાસના બિયારણની જાત ૧૯૫૧માં દેવીરાજ (૧૭૦ સીઓ-૨) લંબતારી અને આંતરજાતીય ઇન્ડો અમેરિકન જાત બહાર આવી હતી. બાદમાં ૧૯૭૧માં સંકર-૪ વિશ્વમાં સૌ પ્રથમ વ્યાપારિક ધોરણે બહાર પડેલી હરસુટમ હાઇબ્રિડ જાત હતી. ગુજરાતમાં કપાસ એ ખરીફ સીઝનનો મુખ્ય પાક હોવાથી કપાસના બિયારણમાં અવનવાં સંશોધનો થતાં રહ્યાં છે. દ


દેશમાં ખરીફમાં બિયારણની જરૃરિયાત અને સ્ટોક
પાક                   જરૃરિયાત               સ્ટોક                 સરસાઈ
ચોખા                 ૬૪,૭૩,૦૧૫      ૭૨,૫૨,૮૬૨      ૭,૭૯,૮૪૭
મકાઇ                 ૭,૯૬,૭૭૬         ૮,૭૬,૬૧૩         ૮૦,૧૩૪
બાજરી               ૨,૨૪,૭૭૬         ૨,૩૨,૭૩૩         ૭૯૫૭
જુવાર                 ૧,૩૬,૪૭૪         ૧,૬૨,૩૧૭         ૨૫,૮૪૩
રાગી                  ૨૮,૮૪૮             ૩૨,૪૩૦             ૩૫૮૨
બાજરી               ૨૫૪૩               ૪૧૧૦               ૧૫૬૭
કુલ ધાન્ય            ૭૬,૬૨,૧૩૫      ૮૫,૬૧,૦૬         ૮,૯૮,૯૩૦
તુવેર                   ૨,૬૨,૭૨૧         ૨,૭૦,૭૩૩         ૮૦૧૨
ચોળા                 ૩૨,૬૨૨             ૩૧,૨૭૭            -૧૩૪૫
મગ                    ૨,૩૧,૮૨૨         ૨,૫૭,૬૨૬         ૨૫,૮૦૪
અડદ                  ૧,૮૦,૬૩૩         ૨,૪૧, ૯૮૭        ૬૧,૩૫૪
મઠ                      ૨૫,૦૦૦         ૧૩,૮૦૦             -૧૧,૨૦૦
કુલ કઠોળ             ૭,૪૭,૦૪૭         ૮,૩૦,૨૩૨         ૮૩,૧૮૫
મગફળી              ૨૧,૫૫,૮૧૮      ૨૧,૭૦,૩૧૦      ૧૪,૪૯૨
એરંડા                 ૭૧,૫૩૫           ૮૫,૨૫૬              ૧૩,૭૨૧
તલ                    ૨૩,૪૮૭           ૨૯,૦૩૭               ૫,૫૫૦
સોયાબીન            ૩૪,૨૯,૦૫૮      ૨૭,૩૨,૮૯૧      - ૬,૯૬,૧૬૭
સૂર્યમુખી              ૧૮,૨૫૯           ૧૯,૦૧૪               ૭૫૫
કુલ તેલીબિયાં        ૫૬,૯૯,૦૧૨      ૫૦,૩૭,૪૧૫      -૬,૬૧,૫૯૭
કપાસ                 ૨,૧૭,૪૪૫         ૨,૫૭,૦૧૬         ૩૯,૫૭૧
શણ                   ૪૫,૩૫૩             ૬૧,૩૦૪            ૧૫,૯૫૧
ગુવાર                 ૭૪,૪૫૦             ૬૭,૭૦૮            -૬૭૪૨
સરેરાશ કુલ           ૧,૪૫,૬૫,૯૨૪   ૧,૪૯,૪૬,૦૯૪   ૩,૮૦,૧૭૧
નોંધ : બિયારણના આંક ક્વિન્ટલમાં છે. (એક ક્વિન્ટલ એટલે ૧૦૦ કિલો)



બિયારણ માર્કેટનું વ્યવસ્થાતંત્ર

બિયારણોના ઉત્પાદન બાદ ખેડૂતો સુધી યોગ્ય સમયમાં પહોંચાડવું એ પણ એટલું જ જરૃરી છે. દેશના સીડ પ્રોગ્રામમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપરાંત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર, સ્ટેટ એગ્રીક્લ્ચર યુનિ., ખાનગી સેક્ટર  આ ઉપરાંત નેશનલ લેવલનાં બે કોર્પોરેશન પણ સામેલ છે. જેમાં નેશનલ સીડ કોર્પોરેશન અને સ્ટેટ ફાર્મ કોર્પોરેશન પણ સામેલ છે. બિયારણના આ વ્યવસાયમાં દેશની ૧૦૦ મોટી કંપનીઓ, ૧૫ સ્ટેટ સીડ કોર્પોરેશન, ૨૨ સ્ટેટ સીડ ર્સિટફિકેશન એજન્સી અને ૧૦૪ સ્ટેટ સીડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં ચેકિંગ બાદ બિયારણોને પ્રમાણિત કરાય છે. 

હાઈબ્રિડ મકાઈના બિયારણનું બજાર આગામી બે વર્ષમાં ડબલ થશે

હા ઈબ્રિડ મકાઈના બિયારણનો વ્યાપ સતત વધી રહ્યો છે. આગામી બે વર્ષની અંદર હાઈબ્રિડ મકાઈના બિયારણનો વપરાશ ૨ લાખ ટને પહોંચે તેવી શક્યતાઓ  છે. ગત વર્ષે હાઈબ્રિડ મકાઈના બિયારણનો વપરાશ ૯૦,૦૦૦ ટન રહ્યો હતો. જો કે હવે પોલ્ટ્રી સેક્ટર અને વિવિધ ઔદ્યોગિક એકમોમાં મકાઈની માગ વધતા બિયારણ માર્કેટમાં ઉછાળો જોવા મળશે. ઉદ્યોગકારોનું કહેવું છે કે હાલ દેશમાં હાઈબ્રિડ મકાઈની ખેતી વધી રહી છે. જેવી રીતે પાછલા કેટલાક દાયકાઓથી હાઈબ્રીડ કપાસની ખેતી થઈ રહી છે તેમ હવે લોકો હાઈબ્રીડ મકાઈની ખેતી પણ વધારે અપનાવી રહ્યા છે. ખાસ કરીને હાઈબ્રિડ બિયારણથી સારી ઊપજ મળતી હોવાથી ખેડૂતો ખાસ્સા એવા આકર્ષાયા છે.
દેશમાં હાઈબ્રિડ બિયારણનું બજાર ૧૨,૦૦૦ કરોડ રૃપિયાનું છે જેમાંથી ૧૫૦૦ કરોડ રૃપિયાનો હિસ્સો માત્ર હાઈબ્રિડ મકાઈના બિયારણનો રહેલો છે. દેશમાં મકાઈનું ઉત્પાદન કરતાં રાજ્યોમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશ કુલ ઉત્પાદનનો ત્રીજો હિસ્સો ધરાવે છે.  ભારતનાં વિવિધ રાજ્યોમાં ૧૪ જેટલાં રાજ્ય લેવલે સીડ કોર્પોરેશન આવેલાં છે. જ્યારે ૨ નેશનલ લેવલનાં સીડ કોર્પોરેશન છે. જ્યારે ૨૦ જેટલી મલ્ટિનેશનલ કંપનીઓ છે. તો  ૫૦૦ જેટલી નાની મોટી કંપનીઓ બિયારણ ક્ષેત્રનો વ્યાપ વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવી રહી છે. મોટાભાગની બિયારણ કંપનીઓ કર્ણાટક, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં દબદબો ધરાવે છે અને હાઈબ્રિડ બિયારણનો વપરાશ વધારવા પ્રયાસો કરી રહી છે. વિશ્વમાં મકાઈની ખેતી મોટાપાયે થઈ રહી છે. ખાસ કરીને પશુ આહાર તરીકે મકાઈનો વપરાશ પણ વધારે રહે છે. તેવી જ રીતે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ સ્ટાર્ચ માટે તેમજ અન્ય ઔદ્યોગિક ઉત્પાદનોમાં પણ મકાઈનો વપરાશ વધી રહ્યો છે. 

૨૦૧૮માં બિયારણ બજારના વ્યાપમાં ૬.૫ ટકાનો વધારો રહેશેે
આ જકાલ ખેડૂતો હાઈબ્રિડ બિયારણ અને દેશી બિયારણ તરફ વધારે આર્કિષત થઈ રહ્યા છે. હાઈબ્રિડ બિયારણ પાકની સારી એવી ઉપજ આપે છે, તેની સામે આ બિયારણનો વ્યાપ પણ વધી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર દેશમાં વર્ષ ૨૦૧૮ની અંદર પરંપરાગત, બાયોટેક અને જીએમ બિયારણના વપરાશમાં જોરદાર વધારો નોંધાશે. વિશ્વમાં સોયાબીન, મકાઈ, કપાસ અને અન્ય ધાન્યપાકોમાં બિયારણ આધારે ખેતીની ઉપજ નક્કી કરવામાં આવે છે. જો કે એક રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૮ની અંદર ૩.૧૮ લાખ અબજ વૈશ્વિક બિયારણ બજાર રહેશે. વર્ષ ૨૦૧૧માં ૨.૦૪ લાખ અબજનું બિયારણ બજાર રહ્યું હતું તેની સામે આ વધારો દોઢો માનવામાં આવે છે. સાથે જ વર્ષ ૨૦૧૨ કરતાં પણ વર્ષ ૨૦૧૮માં બિયારણ બજારના વ્યાપમાં ૬.૫ ટકાનો વધારો રહેશે. હાઈબ્રિડ બિયારણની જેમ વર્ષ ૨૦૧૧માં ૯૦,૦૦૦ અબજનુંં બાયોસીડ બજાર પણ રહ્યું હતું. જો કે વર્ષ ૨૦૧૮માં ૧.૮૦ લાખ અબજનું બાયોટેક બિયારણ બજાર રહે તેવી પણ શક્યતાઓ જોવા મળી શકે છે. બાયોટેક બિયારણમાં થઈ રહેલા વિકાસને કારણે પણ કોર્મિશયલ બિયારણ માર્કેટના વિકાસમાં વધારો નોંધાશે. ખાસ કરીને ખેતીલાયક જમીન ઘટવાની સાથે સાથે વધતી વસતીને કારણે પણ લોકો જીએમ પાક તરફ આર્કિષત થઈ રહ્યા છે અને તેના બિયારણના વપરાશમાં પણ ધીરે ધીરે વધારો કરી રહ્યા છે. એક તરફ જીએમ બિયારણની અમુક જાતો ઈકોલોજિકલ સીસ્ટમ માટે હાનિકારક પણ માનવામાં આવે છે, પરંતુ તેનું પોષણમૂલ્ય વધારે હોવાથી તેના વપરાશમાં પણ વધારો થતો હોવાનું સાબિત થયું છે. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..




Tuesday, 13 May 2014

કેસર કેરીનું આગમનઃ ઉત્પાદન ઓછું, છતાં ભાવ સરેરાશ


તલાલામાં સારી કવોલિટીની કેરીના બોકસના ભાવ ૪૭૫, નબળીના ૧૭૫ અને સરેરાશના ભાવ ૨૨૫ સુધી ઉપજ્યા : કેરીની સીઝન ગુજરાતમાં ૨૧ દિવસ મોડી શરૃ થઇ  : કેસર કેરીનું ૪૦ ટકા ઉત્પાદન ઘટશે  : ૨૦મી મે બાદ કેસર કેરીની પૂરજોશમાં આવક શરૃ થશે : હાફૂસ કેરીની નિકાસ પરના પ્રતિબંધથી કેરીનો ભાવ તળિયે  : કેરીના ખેડૂતોને સારી આવક રળવાની તક હાફૂસના પ્રતિબંધે ખોરવી દીધી  : હાફૂસ કેરીનો કુલ કારોબાર આ વર્ષે ૧૫૦૦ કરોડ રૃપિયા રહે તેવી સંભાવના :  દેશમાંથી અરબ અમીરાતમાં સૌથી વધુ થતી કેરીની નિકાસ :મહારાષ્ટ્રમાં તાપમાન અચાનક ૪૦ ડિગ્રીએ પહોંચી જતાં કેરી જલદી પાકી ગઈ

સમગ્ર વિશ્વમાં સ્વાદ અને સોડમ માટે પ્રખ્યાત બનેલી સૌરાષ્ટ્ર પંથકની કેસર કેરીની ગત સપ્તાહથી આવક શરૃ થઇ ગઇ છે. તલાલામાં હરાજીનો પ્રારંભ થતા જ શુક્રવાર સુધીમાં ૧૪,૦૦૦ બોક્સની આવક થઈ હતી જેમાં  સારી ક્વોલિટી બોક્સના ભાવ ૪૭૫, નબળીના ૧૭૫ અને સરેરાશના ભાવ ૨૨૫ સુધી ઉપજ્યા હતા. ગત વર્ષ કરતાં ૨૧ દિવસ સીઝનની શરૃઆત મોડી થઈ છે. ગયા વર્ષે આ યાર્ડમાં ૧૬મી એપ્રિલે કેસર કેરીની હરાજી ચાલુ થઈ હતી. જ્યારે આ વર્ષે પાછોતરા પાકના કારણે ૬ મેથી કેરીની સીઝન ચાલુ થઈ છે. ગત સપ્તાહે નવસારી એપીએમસી માર્કેટમાં ૫,૦૦૦ ક્વિન્ટલ કેરીની આવક શરૃ થઇ હતી. જેમાં હાફૂસનો મણનો ભાવ રૃપિયા ૪૦૦થી ૭૫૦, કેસરનો ભાવ રૃ. ૪૬૫થી ૧૦૦૦ અને લંગડાનો ભાવ રૃપિયા ૪૦૦થી ૭૦૦ રહ્યો હતો
 મોસમની કેટલીય અનિયમિતતાઓના કારણે આ વખતે સીઝન મોડી બેઠી છે અને લાંબા સમય સુધી ચાલશે.  તલાલા એ કેરીનું મુખ્ય મર્કેટયાર્ડ હોવા છતાં ગોંડલમાં વધારે કેરીની આવક આવી રહી છે. તો અંકલેશ્વરમાં પણ તોતાપુરી કેરીની સારી આવક આવી રહી છે.
  ૨૦ મી મે બાદ કેસર કેરીથી રાજ્યના બજારો ઉભરાશે ત્યારે કેરીના ભાવ હજુ નીચા જાય તેવી શક્યતા છે. આ વર્ષે કેસર કેરીને માવઠાના ત્રણ ફટકાથી ઉત્પાદન હવે ૬૦ ટકા જ રહી જતાં ખેડૂતોને પણ સારા ભાવ મળવાની આશા હતી પરંતુ હાફૂસ કેરી પર નિકાસની પ્રતિબંધથી હાફૂસની આવક વધુ રહેતાં કેરીના ભાવ નીચા ગયા છે. સરેરાશ  કેસર કેરીના ભાવને પણ તેની અસર પડી છે. હાલમાં સૌથી ઓછા ભાવ કેસર કેરીના બજારમાં ખેડૂતોને મળી રહ્યા છે. તલાલા યાર્ડમાં કેસર કેરીના બોક્સની હરાજી ચાલુ થઈ હતી દરમિયાન બોક્સમાં કેરી કાચી હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી હતી. હજુ આવક ધીમે પગલે છે, પણ આગામી તા. ૨૦ મે સુધીમાં વધારો થશે. ગત વર્ષે યાર્ડમાં કેરીના વેચાણની ૬૩ દિવસ સીઝન ચાલી હતી અને સીઝન દરમિયાન આ યાર્ડમાં કુલ ૧૧,૮૫,૦૮૬ કેરીના બોક્સની આવક થઈ હતી. હરાજીના પ્રથમ દિવસે ૧૦ કિલો વજનનાં ૩૨૫૦ બોક્સ વેચાણ માટે આવ્યાં હતાં. ખેડૂતોને સરેરાશ એક બોક્સના રૃ.૨૪૫ લેખે વેચાણ ભાવ પ્રાપ્ત થયા હતા. સારી ક્વોલિટીની કેરીના બોક્સનો ભાવ રૃ. ૫૫૦ રહ્યો હતો. જ્યારે નબળી કેરીના બોક્સનો ભાવ સીઝનમાં સરેરાશ ૨૦૦ રૃપિયા રહ્યો હતો. જ્યારે આ સીઝનમાં હરાજીનો ગત મંગળવારથી પ્રારંભ થતાં  પ્રથમ દિવસે દસ કિલો વજનનાં ૮૩૦૦ બોક્સની આવક થઈ હતી.


તલાલા કેસર કેરીનું મુખ્ય યાર્ડ પણ આવકમાં ગોંડલ યાર્ડ મોખરે
તલાલા એપીએમસી કેરીના વેચાણમાં મોખરે યાર્ડ આવે છે. આમ છતાં ગોંડલ એ ઝોનલ પીઠામાં આવવાની સાથે ધારી, રાજકોટ નજીક હોવાથી મોટા ખેડૂતો કેરીનું વેચાણ ગોંડલ માર્કેટમાં કરતા હોય છે. શુક્રવારના રોજ તલાલા માર્કેટયાર્ડમાં ૨૬૮૦ બોક્સની આવક સામે ગોંડલમાં ૧૩,૨૧૦ બોક્સની આવક હતી. ખેડૂતોને ભાવ પણ મણે રૃ.૬૦૦થી ૧૦૦૦ સુધીના મળ્યા હતા. આવકની અસમાનતા અંગે તલાલા યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, તલાલા યાર્ડમાં હજુ શરૃઆત છે. જેમ આવક વધશે તેમ વેપારી પેઢી ખુલશે ૧૫મી મે બાદ તલાલા યાર્ડમાં આવકનું પ્રમાણ વધશે. ગત વર્ષે યાર્ડમાં કુલ ૧૧.૮૫ લાખ કેરીનાં બોક્સની આવક થઈ હતી ઃ તલાલામાં ૨૦૧૩માં ૧૬મી એપ્રિલથી બજારની શરૃઆત થઇ હતી. પરિણામે યાર્ડમાં સીઝનમાં કુલ ૧૧.૮૫ લાખ કેરીનાં બોક્સની આવક થઈ હતી. જ્યારે ૨૦૦૯ - ૧૦માં પ૦ લાખથી પણ વધુ કેસર કેરીનાં બોક્સની આવક થતાં  અંદાજે ૧૦૦ કરોડથી પણ વધુ કેસર કેરીના ખેડૂતોને ચૂકવાયા હતા.

૧૫મી મે સુધીમાં કેસર કેરીની આવકમાં વધારો થશે
તાલાલા પંથકમાં આ વર્ષે કેસર કેરીના પાકને વાતાવરણે ભારે નુકસાન કર્યું છે. શરૃઆતમાં વ્યાપક ઠંડી અને ત્યારબાદ બરફના કરા સાથે કમોસમી વરસાદ થવાના કારણે કેસર કેરીનો પાક પાછો ધકેલાઈ ગયો હતો અને પાકનું વ્યાપક ધોવાણ થવાના કારણે આ સાલ પાક ઓછો થવાનો અંદાજ છે. ગત વર્ષ કરતાં આ સાલ કેરીની સીઝન મોડી શરૃ થઈ રહી છે અને પાછોતરા પાકના કારણે ખૂબ જ લાંબી ચાલશે. મંગળવારથી શરૃ થઈ રહેલી કેસર કેરીની સીઝન પ્રારંભમાં ધીમી રહેશે પણ ૧૫મી મે બાદ કેરીના બોકસની આવકમાં નોંધપાત્ર વધારો થશે.

કેસર કેરીની સીઝન મોડીઃ હાફૂસને નુકસાન, દશેરીને ચાંદી જ ચાંદી
દે શમાં ૨૫ લાખ હેક્ટરમાં આંબાના વાવેતર વચ્ચે ૨૦૧૨-૧૩માં ૧૮૦ લાખ ટન કેરીનું ઉત્પાદન થયું હતું. ચાલુ વર્ષે કેરીની સીઝનની શરૃઆતમાં જ કેરીની નિકાસ પર પ્રતિબંધ લાગી જતાં હાફૂસ હાલમાં ઓછા ભાવે બજારમાં વેચાઈ રહી છે. હાફૂસની આવકોથી મંુબઈ સહિત દિલ્હી અને ગુજરાતનાં બજારો પણ ઉભરાઈ રહ્યાં છે ત્યારે હવે ગુજરાતની કેસર અને લંગડાની આવક શરૃ થતાં હાફૂસની માંગ ઘટવા લાગશે. કેસર કેરીને પણ ચાલુ વર્ષે હવામાન નડતાં કેસરની આવકમાં પણ ૪૦ ટકાનો ઘટાડો થાય તેવી શક્યતા છે.
આવક વધતાં અને યુરોપમાં પ્રતિબંધ લાગતાં હાફૂસના ભાવ અડધા
ચાલુ સીઝનમાં દેશના લોકો માટે હાફૂસ કેરી વધારે મીઠી બની છે. આવક વધતાં અને કેરીની આયાત પર યુરોપિયન યુનિયનોના પ્રતિબંધ અને અન્ય દેશોની કાર્યવાહીની આશંકાને પગલે હાફૂસ કેરીના ભાવ ઘટીને અડધા થઈ ગયા છે. સાથે જ ટ્રેડર્સોના મતે હાફૂસ કેરી દેશના અન્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં પહોંચશે તો અન્ય વેરાઇટીઓના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. એક તરફ ગરમી વધવાને કારણે હાફૂસ કેરીની આવકમાં બેથી ત્રણ ગણો વધારો થયો છે, આ વર્ષે કેરીનો પાક પણ સારો હોવાથી ઉત્પાદનમાં પણ વધારો જોવા મળ્યોે છે, હાફૂસ કેરીના ભાવમાં ૧૫ દિવસ પહેલાં જ ઘટાડો શરૃ થઈ ચૂક્યો છે. અખાત્રીજના દિવસે દેશનાં વિવિધ માર્કેટમાં કેરીની આવકમાં વધારો જોવા મળ્યો હતો. અખાત્રીજના દિવસે મુંબઈના વાશીના હોલસેલ માર્કેટમાં હાફૂસ કેરીનાં ૨ લાખ બોક્સ ઉતારવામાં આવ્યાં હતાં, જ્યારે ૧૫ દિવસ પહેલાં ૬૦,૦૦૦ જેટલાં બોક્સ ઉતારાયાં હતાં. વિવિધ વેપારીઓનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં તાપમાન અચાનક ૪૦ ડિગ્રીએ પહોંચી જતાં કેરી જલદી પાકી ગઈ છે. કર્ણાટકમાં વરસાદ પડી રહ્યો છે જેને કારણે ફળની સાઈઝ વધી રહી છે અને ઉત્પાદન વધારે આવતાં ભાવ પણ ગગડી રહ્યા છે. એક તરફ મુંબઈમાં આવક વધતાં દિલ્હીમાં પણ કેરીના ભાવમાં કડાકો બોલાઈ ગયો છે અને ભાવ ઘટીને ૩૫૦થી ૪૦૦ રૃપિયા પ્રતિ ડઝન થઈ ગયા છે.  ખાસ કરીને એપ્રિલથી જૂનમાં દક્ષિણનાં રાજ્યોમાંથી દિલ્હીમાં કેરીની નિકાસ કરવામાં આવે છે. જૂન બાદ ઉત્તરપ્રદેશની કેરી દિલ્હીના માર્કેટમાં પહોંચવાની શરૃઆત થઈ જાય છે. જો કે હાલ દેશનંા વિવિધ માર્કેટમાં કેરીનો પુરવઠો વધારે પ્રમાણમાં પહોંચી રહ્યો હોવાથી ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

જાપાની માર્કેટમાં પણ ભારતીય કેરીની નિકાસ ઠપ
યુરોપિયન યુનિયનની સાથે સાથે જાપાનમાં પણ કેરીની નિકાસ લગભગ ઠપ થઈ રહી છે. જો કે જાપાને સત્તાવાર રીતે કેરીની આયાત પર પ્રતિબંધ નથી લગાવ્યો. જાપાને લગભગ બે દાયકા બાદ જૂન ૨૦૦૬માં ભારતીય કેરીની આયાત પરથી પ્રતિબંધ હટાવી દીધો હતો, પરંતુ ટ્રેડર્સોના મતે જાપાની આયાતકારોએ શરૃઆતમાં ભારતીય કેરીની આયાત માટે રસ દાખવ્યો હતો. જો કે બાદમાં કેરીમાં જંતુનાશક દવાઓના અવશેષ મળતા જાપાનનો પણ ભારતીય કેરી પરથી ભરોસો ઊઠી ગયો છે.
નિકાસકારોનું કહેવું છે કે, જાપાનમાં કેરીની નિકાસ કરવાથી સારી એવી આવક પ્રાપ્ત થાય છે, જો કે પાછલા વર્ષથી અહીં કેરીની નિકાસ શક્ય નથી બની રહી જેને કારણે પણ ભારતીય કેરીના બજારને નુકસાની વેઠવી પડે છે.

હાફૂસ પર પ્રતિબંધથી દશેરી કેરીની નિકાસ ચમકશે
યુરોપમાં હાફૂસ કેરી પર લાગેલા પ્રતિબંધને લઈને કેન્દ્ર સરકાર ચિંતા કરી રહી છે, પરંતુ આ તરફ ઉત્તરપ્રદેશના કેરી ઉત્પાદકો પ્રતિબંધનેે એક સારી તક માની રહ્યા છે. દેશમાં સૌથી વધારે કેરીનું ઉત્પાદન કરનારા ઉત્પાદકોને દશેરી કેરીના સૌથી વધારે ઓર્ડર મળવાની આશા બંધાઈ છે. આ વર્ષે ૪૦ લાખ ટન કેરીનું ઉત્પાદન કરનાર ઉત્તરપ્રદેશ નિકાસના મામલે મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના મુકાબલે પાછળ છે. જો કે રાજ્યમાં ઉત્પાદિત થતી દશેરી કેરીની વિદેશમાં ખાસ્સી એવી માંગ છે. ઉત્તરપ્રદેશમાંથી ખાસ કરીને ખાડી દેશોમાં અને કેટલાક યુરોપિયન દેશોમાં દશેરીની નિકાસ કરવામાં આવે છે. ગત વર્ષે ઉત્તરપ્રદેશમાંથી ૧૨,૦૦૦ ટન કેરીની નિકાસ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના ઉત્પાદકોનું કહેવું છે કે, હાફૂસ પર પ્રતિબંધ લાગતા દિલ્હી અને મુંબઈના નિકાસકારો ઉત્તરપ્રદેશના ઉત્પાદકોનો સંપર્ક સાધી રહ્યા છે. એક તરફ ઉત્તરપ્રદેશના મલિહાબાદના ઉત્પાદકોને આ વર્ષે દશેરી કેરીનું ઉત્પાદન ૩ લાખ ટનથી પણ વધારે રહેવાની આશા છે.
ગત વર્ષે મલિહાબાદ, માલ અને કાકોરીમાં ૪.૪ લાખ ટન કેરીનું ઉત્પાદન થયું હતું. મલિહાબાદમા ૩૦,૦૦૦ હેક્ટર વિસ્તારમાં કેરીની ખેતી કરવામાં આવે છે. જ્યારે સમગ્ર ઉત્તરપ્રદેશમાં ૨.૭૫ લાખ હેક્ટર વિસ્તારમાં કેરી પકવવામાં આવે છે. જો કે આ વર્ષે જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીમાં મોર આવવાને સમયે થયેલા કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે કેરીને ખાસ્સું એવું નુકસાન પહોંચ્યંું હતું. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના મલિહાબાદમાં નિકાસકારોની સુવિધા માટે મેંગો પેકહાઉસની પણ સ્થાપના કરવામાં આવી છે. દશેરીના ઉત્પાદન માટે જાણીતો મલિહાબાદ વિસ્તાર નિકાસમાં પોતાના જ પ્રદેશ સહારનપુર કરતાં પણ ઘણો પાછળ છે. સહારનપુરથી માત્ર દશેરી જ નહીં, પરંતુ ચૌસા અને સફેદા જેવી કેરીની અન્ય જાતોની પણ નિકાસ કરવામાં આવે છે. 
ભારતીય કેરી પર પ્રતિબંધથી પાકિસ્તાન જાગ્યું : ગરમ પાણીમાં પ્રોસેસ કર્યા બાદ કેરીની નિકાસ શરૃ કરી
એક તરફ યુરોપિયન યુનિયન દ્વારા ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, તો બીજી તરફ પાકિસ્તાન પોતાના દેશની કેરીને વિદેશોમાં આકર્ષવા માટે અને નિકાસ વધારવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા 'હોર્ટી-ફ્રેશ પ્રોસેસિંગ હોટ વોટર ટ્રીટમેન્ટ'' (એચડબ્લ્યુટી) નામની પ્રોસેસ પદ્ધતિ અપવાનીને કેરીની નિકાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના કરાંચી સ્થિત એક ખાનગી કંપની દ્વારા આ ફેસિલિટી ઊભી કરવામાં આવી છે. જેમાં કેરીને ૪૮ ડિગ્રી સુધી ગરમ પાણીમાં એક કલાક સુધી પ્રોસેસ કરવામાં આવે છે, ત્યારબાદ તેને સૂકવવામાં આવે છે અને પછી તેને ઠંડા તાપમાનની અંદર રાખીને પેકેજિંગ કરી વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. ગરમ પાણી અને વેક્ષ ટ્રીટમેન્ટમાંથી પસાર થયેલી આ કેરી લગભગ ૩૫ દિવસ સુધી બિલકુલ ફ્રેશ રહી શકે છે અને તેની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. પાકિસ્તાનની આ કંપનીના પ્રોજેક્ટને ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા, મોરેશિયસ, હોંગકોંગ, મલેશિયા, અમેરિકા, ઈરાન, ચીન અને લેબેનોને પણ આવકારી છે, એનો મતલબ એ થયો કે આ દેશોએ પાકિસ્તાની કેરીની આયાતને મંજૂરી આપી છે. કંપનીનું કહેવું છે કે, ગરમ પાણીમાં કેરીને પ્રોસેસિંગ કરવાથી ૯ પ્રકારના રોગ નાશ પામે છે. આ પ્રકારની ટ્રીટમેન્ટ અમેરિકાના એગ્રીકલ્ચર વિભાગ એટલે કે યુએસડીએ દ્વારા કરવામાં આવે છે, અમેરિકા સહિત અન્ય દેશો પણ આ પ્રકારની ટ્રીટમેન્ટ કરે છે, જેનાથી કેરી જંતુનાશક અવશેષોથી મુક્ત રહી શકે છે. આમ, ભારતીય કેરીની નિકાસના પ્રતિબંધનો પાકિસ્તાન સીધો ફાયદો ઉઠાવી રહ્યુંં છે અને વિદેશોમાં પોતાની કેરીની ગુણવત્તા જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યું છે.
ફેબ્રુઆરીમાં ખેડૂતોએ કરેલા દવાના છંટકાવે નિકાસ પર રોક લગાવી

વિદેશમાં ભારતની હાફૂસ કેરી પર યુરોપીય વ્યાપાર સંગઠને રોક લગાવતાં સ્થાનિક બજાર અને ખાડીના દેશોમાં ભારતીય કેરીના ભાવમાં ભારે ઘટાડો આવ્યો છે. એક અઠવાડિયા પૂર્વે એક ડઝન કેરીનો ભાવ રૃપિયા ૧૫૦૦ હતો તે હાલમાં રૃપિયા ૩૦૦થી ૪૦૦ થઇ ગયો છે. યુરોપમાં હાફૂસ કેરી પર પ્રતિબંધથી લગભગ ૨૦ ટકા કેરીની ઓછી નિકાસ થશે. હવે નિકાસકારોને ખાડી દેશ અને સ્થાનિક બજારમાં હાફૂસ કેરીનું વધુ વેચાણ થવાની આશા છે. હાફૂસ વિશેષ સ્વાદને પગલે ઊંચા ભાવ હોવાથી સામાન્ય લોકો આ કેરીથી વંચિત રહેતા હવે ઓછા ભાવને પગલે સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટતાં કેરી રસિકોને હાફૂસનો પણ સ્વાદ ચાખવા મળી શકે છે. હાફૂસ કેરીનો ભાવ ડઝનના રૃપિયા ૧૫૦થી ૨૦૦ સુધી આવે તેવી પણ શક્યતાઓ છે.
૨૦૧૨-૧૩માં હાફૂસ કેરીનો કુલ કારોબાર ૨૫૦૦ કરોડ રૃપિયા રહ્યો હતો જે આ વર્ષે ૧૫૦૦ કરોડ રૃપિયા રહે તેવી સંભાવના છે. ૨૦૧૨-૧૩માં કેરીની નિકાસ ૫૫,૦૦૦ ટન હતી જેમાં યુરોપમાં નિકાસનો હિસ્સો ૩,૮૯૦ ટન હતો. હાફૂસની યુરોપમાં આયાત પર રોક લાગતાં   નુકસાન થવાની સંભાવના છે. ફેબ્રુઆરીમાં વરસાદને પગલે કેરીમાં લાગેલાં રોગ-જીવાત રોકવા માટે ખેડૂતોએ દવાનો છંટકાવ કરવો પડયો અને યુરોપિયન યુનિયનને આ કેરીમાં દવાનું પ્રમાણ મળી ગયું છે. હવે કર્ણાટકની કેરીની આવક શરૃ થવાની સાથે મેમાં ગુજરાતની કેસર અને લંગડાની આવક શરૃ થતાં હાફૂસ કેરીને ફટકો પડશે. ખેડૂતો વહેલી કેરી પકવી સારા ભાવ મેળવવા કેરી પર કેલ્શિયમ કાર્બાઇડનો છંટકાવ કરતા હોવાથી તેની ગુણવત્તા જોખમાવા લાગી છે.
હાફૂસ કેરીને હવે સ્થાનિક ખરીદદારો પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવાનું માની અળગા થઇ રહ્યા છે. પરિણામે હાફૂસ કેરી પકવતા ખેડૂતોની હાલત ખરાબ થઇ ગઇ છે. જ્યાં મુંબઇમાં મેની શરૃઆતમાં ૮૦થી ૮૫ હજાર પેટી કેરી ઊતરતી ત્યાં હાલમાં સવા બે લાખ પેટી કેરી ઉતારાઇ રહી છે. પરિણામે હાફૂસ કેરીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જાપાન, અમેરિકા બાદ હવે યુરોપિયન દેશોના હાફૂસ કેરી પરના પ્રતિબંધને પગલે કેરી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.

યુરોપિયન યુનિયનના દેશોમાં નિકાસ પ્રતિબંધથી મુશ્કેલી

વિદેશમાં કેરીની નિકાસ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પેકેજિંગ હાઉસ દ્વારા જ કરવામાં આવે છે. યુરોપિયન યુનિયને કેરીમાં જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવા બાબતે વાંધો ઉઠાવતાં કોમર્સ મંત્રાલય અને યુરોપિયન સંઘ વચ્ચે મંત્રણા ચાલુ હતી ત્યાં ઇયુએ ભારતીય કેરીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતાં ભારત ઊંઘતું ઝડપાયું છે. ભારતની કેરીની વિદેશમાં ભારે ડિમાન્ડ છે. છેલ્લાં ત્રણ વર્ષના આંક જોઇએ તો ૨૦૧૦-૧૧માં ૧૬૫ કરોડ રૃપિયાની ૫૮,૮૬૩ ટન કેરીની નિકાસ કરાઇ હતી. ૨૦૧૧-૧૨માં ૨૧૦ કરોડ રૃપિયાની ૬૩,૪૧૧ ટન અને ૨૦૧૨-૧૩માં ૨૬૫ કરોડ રૃપિયાની ૫૫,૪૧૩ ટન કેરીની નિકાસ કરાઇ હતી.
બ્રિટનમાં પાકિસ્તાની કેરી કરતાં ભારતીય કેરીની માંગ ડબલ છે. અમેરિકામાં પણ વલસાડ અને સૌરાષ્ટ્રની કેરીની ભારે માંગ છે. દેશમાં જે કેરીનો ડાઘવાળો માલ વેચાય છે તે બિલકુલ નિકાસલાયક ન હોવાથી ગુણવત્તા વગરની કેરીઓ ભારતમાં ઠલવાય છે અને સારી ક્વોલિટીનો માલ નિકાસ થાય છે. ચાલુ વર્ષે યુરોપિયન સંઘના પ્રતિબંધથી ભારતને ૧૦૦થી ૧૨૦ કરોડ રૃપિયાનું નુક્સાન સહન કરવું પડશે. અહીંયાં આપણે જોઇએ કે, કેરીમાં ભારતનું નિકાસ બજાર કેવું છે. દેશમાંથી સૌથી વધુ કેરી આરબ અમીરાતમાં ગત વર્ષે નિકાસ કરવામાં આવી હતી. ગત વર્ષે આરબ અમીરાતમાં ૩૭,૫૯૮ ટન કેરીની નિકાસમાંથી ૧૬૨ કરોડ રૃપિયાની ભારતે આવક મેળવી હતી. ત્યારબાદ યુકેમાં ૩,૩૦૪ ટન કેરીની નિકાસ થકી ભારતીય નિકાસકારોએ રૃપિયા ૩૨ કરોડ ઊભા કર્યા હતા. સાઉદી અરેબિયા, કતાર, બાંગ્લાદેશ અને નેપાલ ભારતના મુખ્ય નિકાસકાર દેશો છે. યુરોપિયન યુનિયન સંઘના પ્રતિબંધથી હાફૂસ કેરીની નિકાસને અસર પહોંચી છે, પરંતુ અપેડાના નિકાસના આંક જોઇએ તો ભારતે ૨૦૧૨-૧૩માં કુલ ૫૫ હજાર ટન કેરીની નિકાસ પૈકી ૩,૮૦૦ ટન કેરી યુરોપિયન દેશોમાં નિકાસ કરી હતી, જે પાશેરામાં પૂણી સમાન છે. 
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Monday, 12 May 2014

સફેદ સોનાની ચમક વધશે


રૃના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં નંબર ૧ બનશે : ૨૦૧૪-૧૫માં રૃના ૧૪૨૮ લાખ ગાંસડી વૈશ્વિક વપરાશ સામે ઉત્પાદન ૧૪૮૧ લાખ ગાંસડી રહેશે : અલ નીનોને પગલે ભારતમાં રૃનું ઉત્પાદન ૩૭૦ લાખ ગાંસડી જ્યારે ચીનમાં ૩૫૨ લાખ ગાંસડી થશે : ચીનમાં રૃનું ઉત્પાદન ઘટવાનો ફાયદો ભારતને ફળશે : કપાસનું વૈશ્વિક ઉત્પાદન ૨ ટકા ઘટશે અને વપરાશ ૩ ટકા વધશે

દેશમાં સફેદ સોનું ગણાતા કપાસની ખેતીનો વ્યાપ સતત વધતાં વિશ્વમાં રૃના ઉત્પાદનમાં બીજો ક્રમાંક ધરાવતો ભારત દેશ ૨૦૧૪-૧૫માં પ્રથમ સ્થાન ગ્રહણ કરશે. ચીનની ૨૦૧૧ની કોટન પોલિસી અંતર્ગત ચીની મિલોએ રૃનો વપરાશ ઘટાડતાં ચીનમાં આગામી વર્ષમાં ૩૫૨ લાખ ગાંસડી જ્યારે ભારતમાં ૩૭૦ લાખ ગાંસડી રૃનુંં ઉત્પાદન થશે. વિશ્વમાં અલ નીનોની શક્યતાથી કપાસનું વાવેતર સરેરાશ રહેવાના અંદાજથી રૃનું ઉત્પાદન ૧૪૮૧ લાખ ગાંસડી જ્યારે વપરાશ ૧૪૨૮ લાખ ગાંસડી રહેશે. ભારતમાં કપાસનું વાવેતર ૧૧૫ લાખ હેક્ટર અને રાજ્યમાં ૨૬થી ૨૭ લાખ હેક્ટર થતું હોય છે. કપાસના ભાવ જળવાઈ રહેતાં ચાલુ ખરીફમાં પણ ખેડૂતો કપાસનું વાવેતર ઘટાડે તેવા સંજોગો ઓછા હોવાથી બિયારણની માંગમાં પણ ૫ ટકાનો ઉછાળો આવ્યો છે.
વિ શ્વમાં કપાસના ઉત્પાદનમાં ભારત બીજું સ્થાન ધરાવે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો ખરીફ સીઝનનો મુખ્ય પાક કપાસ છે. કપાસમાં અન્ય પાક કરતાં સારી આવક મળતી હોવાથી તેની ખેતી વધી છે. ૨૦૧૩-૧૪માં કપાસનું દેશમાં ૩૭૬ લાખ ગાંસડીથી વધુ ઉત્પાદન થયું છે. હાલમાં વિશ્વમાં ચીન એ કપાસના ઉત્પાદનમાં નંબર વનનું સ્થાન ધરાવે છે, પરંતુ ચીનમાં ૨૦૧૧ બાદ કોટન પોલિસી બદલાવાની સાથે ચીની મિલોએ રૃનો વપરાશ ઘટાડતાં હવે ચીનમાં કપાસનું વાવેતર ઘટી રહ્યું છે. જેના પગલે વર્ષ ૨૦૧૪-૧૫માં ભારત ચીન કરતાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરતો દેશ બનશે. ભારતમાં વર્ષ ૨૦૧૪-૧૫માં ૩૭૦ લાખ ગાંસડી રૃનુંં ઉત્પાદન થશે જ્યારે ચીનમાં રૃનું ઉત્પાદન છ ટકા ઘટીને ૩૫૨ લાખ ગાંસડી રહેવાનો ઈન્ટરનેશનલ કોટન એડવાઈઝરી કમિટીએ અહેવાલ રજૂ કર્યો છે.
એક તરફ ભારતમાં કપાસના પાકને ખાસ કરીને નબળા હવામાનને કારણે અસર થઈ શકે છે. જો કે ચીનમાં કપાસના ઉત્પાદનમાં ૧૦ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ૩૮૪ લાખ ગાંસડી કપાસના ઉત્પાદનની સામે વર્ષ ૨૦૧૪-૧૫માં ચીનમાં ૩૫૨ લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થશે. ચીનના ઝિન્જીયાંગ પ્રદેશ અને બહારના કેટલાંક પ્રાંતોમાં કપાસના ટેકાના ભાવ મર્યાદિત કરાતા ઉત્પાદનના આંકમાં ઘટાડો પણ જોવાઈ શકે છે.
ચીનમાં વર્ષ ૨૦૧૧માં રિઝર્વ પોલિસીને કારણે મિલોમાં કપાસના વપરાશમાં ૧૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. વર્ષ ૨૦૧૦-૧૧માં ૯૬ લાખ ટન વપરાશ હતો, તેની સામે વર્ષ ૨૦૧૩-૧૪માં ૭૯ લાખ ટન કપાસનો વપરાશ રહી ગયો હતો. જો કે વપરાશના આ ઘટાડાનો આંક વર્ષ ૨૦૧૪-૧૫માં પણ ઘટે તેવી શક્યતા છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ચીનમાં કપાસના વપરાશમાં ૧ ટકાનો ઘટાડો નોંધાશે અને કુલ વપરાશ ૭૮ લાખ ટન રહેશે તેમ ઈન્ટરનેશનલ કોટન એડવાઈઝરી કમિટીનું માનવું છે. એપ્રિલ માસની શરૃઆતમાં ચીન સરકાર દ્વારા શરૃઆતી હરાજીના ભાવ નીચા રાખવામાં આવ્યા હતા. જો કે આ તરફ કપાસના સૌથી મોટા ગ્રાહક ગણાતા, ભારત, પાકિસ્તાન અને તુર્કીમાં વર્ષ ૨૦૧૪-૧૫માં મિલોમાં કપાસના વપરાશમાં વૃદ્ધિ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

પંજાબ કપાસના વાવેતર માટે એકર દીઠ રૃ. ૪૦૦૦ સબસિડી આપશે
અલ-નીનો પ્રેરિત નબળા ચોમાસાની આગાહી નિમિત્તે ભરપૂર પાણીથી ઉત્પાદિત થતા ચોખાને બદલે રોકડિયો પાક, કપાસના વાવેતર માટે વધુ જમીન ફાળવવા પંજાબ સરકારે ખેડૂતને એકર દીઠ રૃ. ૪૦૦૦ની સબસિડી ઓફર કરી છે. નબળા ચોમાસે ખેતીનું વૈવિધ્યકરણ યોજના હેઠળ સરકારે પંજાબના પાંચ જિલ્લાની ૧૫૦૦ એકર જમીનને આરંભમાં સપોર્ટ પૂરો પાડવાનું નક્કી કર્યું છે. અન્ય રાજ્યો પણ આવી વૈવિધ્યકરણ અને સબસિડી યોજના ટૂંકમાં જાહેર કરે તેવી સંભાવના એગ્રી એનાલીસ્ટો જોઇ રહ્યા છે. આ સબસિડી ઓછા વરસાદમાં ઝીંક ઝીલી શકે તેવા હાઇબ્રીડ બિયારણ ખરીદવા માટે આપવામાં આવશે. આ નવી યોજનામાં પરંપરાગત રીતે એકર દીઠ ૧૦,૦૦૦ બિયાંના વાવેતરને બદલે ૩૩,૦૦૦ બિયાંનું વાવેતર કરી શકાશે. નવી પદ્ધતિના અમલથી ખેડૂતને ૩૦થી ૭૦ ટકાનો વધુ નફો રળવાની તક મળશે. નવું બિયારણ, રૃ પાકવાની મુદતમાં એક મહિનાનો ઘટાડો સંભવિત બનાવશે.

ચીન ખાસ કરીને બાંગ્લાદેશ, વિયેતનામ અને ઈન્ડોનેશિયામાંથી કપાસની આયાત કરીને પોતાની માંગ સરભર કરશે : આઈસીએસીના મતે વર્ષ ૨૦૧૪-૧૫માં વિશ્વમાં કુલ ૨૪૩ લાખ ટન કપાસનો વપરાશ થશે, જેમાં પાછલાં વર્ષ કરતાં ત્રણ ટકાનો વધારો નોંધાશે. એક તરફ મિલોમાં વપરાશ વધશે, પરંતુ કપાસનું વૈશ્વિક ઉત્પાદન ૨ ટકા ઘટશે અને કુલ ઉત્પાદન ૨૪૩ લાખ ટન થાય તેમ માનવામાં આવી રહ્યંુ છે. એટલે વૈશ્વિક ઉત્પાદન અને વપરાશ બંનેમાં તફાવત પણ જોવા મળી શકે છે તેમ આઈસીએસીનું કહેવું છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ૮૭ લાખ ટન કપાસનો વૈશ્વિક વેપાર નોંધાયો હતો, જેની સામે વર્ષ ૨૦૧૪-૧૫માં ઘટાડો થશે અને વૈશ્વિક વેપાર ૮૨ લાખ ટનનો રહેશે. ઉત્પાદનની સાથે સાથે ચીનમાં કપાસની આયાતમાં પણ જબરદસ્ત ઘટાડો નોંધાઈ શકે છે. આઈસીએસીના મતે વર્ષ ૨૦૧૪-૧૫માં ચીન દ્વારા ૨૨ લાખ ટન કપાસની આયાત થઈ શકે છે, જે વર્ષ ૨૦૧૩-૧૪ કરતાં ૩૦ ટકા ઓછી રહેશે. ચીન દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨માં ૫૩ લાખ ટન કપાસની આયાત કરવામાં આવી હતી તેની સામે પણ ૬૦ ટકાનો ઘટાડો જોવાઈ શકે છે. ચીન વર્ષ ૨૦૧૪-૧૫માં ૨૪ લાખ ટન કપાસની આયાત કરી શકે છે. ચીન ખાસ કરીને બાંગ્લાદેશ, વિયેતનામ અને ઈન્ડોનેશિયામાંથી કપાસની આયાત કરીને પોતાની માંગ સરભર કરશે. ઉલ્લેખનીય છે કે, ચીન દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫માં થતી કપાસની આયાત વર્ષ ૨૦૧૩-૧૪ કરતાં ૧૩ ટકા વધારે રહેશે.

કપાસનું વૈશ્વિક ઉત્પાદન
દેશ             ૨૦૧૨-૧૩         ૨૦૧૩-૧૪        
ચીન               ૭૬                   ૬૯     
ભારત             ૬૨                   ૬૩
અમેરિકા          ૩૭                  ૨૮
પાકિસ્તાન        ૨૦                  ૨૦
બ્રાઝિલ           ૧૩                  ૧૬
ઉઝબેકિસ્તાન     ૯                    ૯
ઓસ્ટ્રેલિયા       ૧૦                   ૮
નોંધ  : ઉત્પાદન અને વપરાશના આંક લાખ ટનમાં છે

કપાસનો વપરાશ
દેશ            ૨૦૧૩-૧૪
ચીન               ૭૯
ભારત             ૫૦       
પાકિસ્તાન       ૨૫
તુર્કી               ૧૩
બ્રાઝિલ             ૯
બાંગ્લાદેશ          ૮
અમેરિકા           ૪૬

બિયારણની માંગ ગુજરાત, મહારાષ્ટ્રમાં વધશે

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગત વર્ષે કપાસના બિયારણની માગમાં અનુક્રમે ઘટાડો થયા બાદ આ વર્ષે ખરીફ વાવેતર માટેના બિયારણમાં ૫ ટકાનો વધારો થાય તેવી શક્યતા છે. ગયા વર્ષે આ બન્ને રાજ્યોમાં કપાસની કેટલીક જમીન ખેડૂતોએ સોયાબીન અને મગફળીને ફાળવી દેતાં કપાસ વાવેતર ઘટયું હતું. જોકે, મગફળીમાં ખેડૂતોને વ્યાપક નુક્સાન સામે કપાસમાં ફાયદો થવાથી આ જમીનમાં કપાસનું વાવેતર થાય તેવી શક્યતા છે. ગયા વર્ષે બિયારણના વેચાણમાં નબળી માંગને પગલે ૪ કરોડ પેકેટ સ્ટોકમાં પડયાં રહ્યાં હતાં. જોકે બિયારણ ઉદ્યોગ કહે છે કે, પ્રીમિયમ બિયારણનો કોઈ સ્ટોક વધ્યો નહોતો. દેશમાં વેચાતાં કુલ બિયારણમાંથી ૨૫ ટકાનું આંધ્રપ્રદેશમાં વેચાણ થાય છે, આ વર્ષે પણ આ ટ્રેન્ડ જળવાઈ રહેશે. આરંભમાં નબળા વાવેતર બાદ સરેરાશ ૧૫ લાખ હેક્ટરની તુલનાએ ૨૨ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. નબળા ચોમાસાના વર્તારાને પગલે કપાસનાં મૂળિયાં ઊંડે સુધી જમીનમાં ઊતરેલાં હોઈ તે લાંબો સમય સુધી પાણી વગર રહી શકે છે.                નોંધ : એક ગાંસડી એટલે 170 kg


Monday, 5 May 2014

અલ નીનો : આંતરપાક અને સંકલિત ખેતી ઉત્તમ રહેશે


  • અલ નીનોના સંકટથી એરંડા, ગવાર ગમ, ગવાર અને સોયાબીનમાં ૩ ટકાથી વધારેની તેજી જોવાઈ
  • વર્ષ ૨૦૦૯માં અલ નીનોની અસરને કારણે તેલીબિયાં, ખાંડ અને કપાસ જેવી કૃષિ જણસોના ભાવ નવી ઊંચાઈ પર પહોંચી ગયા હતા
  • દેશમાં અલ નીનોની સૌથી વધારે અસર વર્ષ ૧૯૯૭ -૯૮માંં જોવા મળી હતી
  • અમેરિકન વૈજ્ઞાાનિકોના મતે અલ નીનોના એક્ટિવ થવાના ચાન્સ ૩૦ ટકા છે જ્યારે ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાાનિકોના મતે અલ નીનોની ૭૦ ટકા અસર રહેશે
  • વર્ષ ૨૦૦૯માં ૨૧.૮૧ કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું હતું જે આ વર્ષે ૨૬૦૦ કરોડ ટન થવાનો અંદાજ મુકાયો હતો
  • આજે પણ ૫૦ ટકા વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી પર નિર્ભર
  • અલ નીનોની અસરને પગલે ગત તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ એક તત્કાલિક યોજના તૈયાર કરવા માટે બેઠક બોલાવાઈ હતી .
  • અલ નીનોની  સૌથી વધુ અસર સોયાબીન, શેરડી, તેલીબિયાં અને કઠોળ પાકો પર પડશે  
  • ઓછા ઉત્પાદનના ભયે મોંઘવારીમાં વધારો થશે, કૃષિ વિકાસદરમાં ઘટાડો નોંધાશે 
  • ૨૦૦૪-૦૫માં જીડીપીમાં એગ્રીકલ્ચરનો હિસ્સો ૧૬ ટકા હતો તે ઘટીને હવે ૧૧.૮ ટકા થઈ ગયો
  • ૨૦૦૯માં ચોમાસું ખરાબ રહ્યું હતું ત્યારે વરસાદ સામાન્યથી ૨૩ ટકા ઓછો રહ્યો હતો
દેશમાં કૃષિક્ષેત્ર માટે વરસાદ એ મુખ્ય આધાર છે. આજે પણ ખરીફ સીઝનમાં ૪૦ ટકા ખેતી વરસાદ પર આધારિત હોવાની સાથે ૫૦ ટકા વસતીનો મુખ્ય રોજગાર એ ખેતી છે. ગુજરાતમાં ૯૦ લાખ હેક્ટરમાં થતા ખરીફ વાવેતર પૈકી ૪૨ લાખ હેક્ટર જમીનમાં પિયતની સુવિધા હોવાથી ૪૮ લાખ હેક્ટરમાં થતું ખરીફ વાવેતર ખેડૂતો વરસાદને ભરોસે કરે છે. રાજ્યમાં ચોમાસું સામાન્ય રહેવાના ઓછા સંજોગો વચ્ચે ગત સપ્તાહે કૃષિ વિભાગની મળેલી બેઠકમાં ખેડૂતોને ઓછા પાણીએ થતા પાકોના વાવેતરની સલાહ, ઘાસચારો અને પાણીના સ્ટોરેજ માટેના મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. વરસાદની પેટર્ન બદલાઇ જતાં અલ નીનોને પગલે વરસાદ મોડો રહેશે કે ૧૫મી જૂનથી ચોમાસુ સમયસર રહેશે તેવા અંદાજો લગાવવા મુશ્કેલ હોવાથી કૃષિ વિભાગ પણ ખેડૂતોને વહેલી પાકતી જાતોનું વાવેતર કરવું કે મોડી પાકતી જાતોનું વાવેતર ઉત્તમ રહેશે તેવી સલાહ આપવામાં મૂંઝવણ અનુભવી રહ્યો છે. અસામાન્ય વરસાદના સંજોગો વચ્ચે ખેડૂતોએ ખરીફમાં કમાણી માટે મિશ્રપાક કે સંકલિત ખેત વ્યવસ્થાપન અપનાવવું ઉત્તમ રહેશે. અલ નીનોની અસરને પગલે દેશમાં ૫૦૦ જિલ્લાઓમાં કૃષિ વિભાગ દ્વારા કન્ટિજન્સી પ્લાન અમલ કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.                                
ગુ જરાતમાં ખરીફ સીઝનમાં ૮૫ લાખ હેક્ટરથી વધુમાં વાવેતર થાય છે. જેમાં સૌથી વધુ વાવેતર કપાસનું ૨૬થી ૨૭ લાખ હેક્ટરમાં અને મગફળીનું ૧૫ લાખ હેક્ટરની આસપાસ થાય છે. રાજ્યમાં પિયત માટે સુવિધા ઉભી કરવા કૃષિ વિભાગના પ્રયત્નો છતાં રાજ્યમાં ૪૨ લાખ હેક્ટરમાં પિયતની સુવિધા ઉભી કરાઇ છે. બાકીની ખરીફ ખેતી વરસાદ આધારિત જ થાય છે.  રાજ્યમાં વરસાદની અછત રહે તો સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને થતી હોય છે. સૌરાષ્ટ્ર એ રાજ્યના કૃષિક્ષેત્રનો મુખ્ય આધાર છે. ખરીફમાં સૌથી વધુ વાવેતર પણ સૌરાષ્ટ્ર પંથકમાં થતું હોવાથી વરસાદની અછત રહે તો તેની સીધી અસર રાજ્યના કૃષિ વિકાસદર પર જોવા મળી શકે છે. રાજ્યમાં સૌથી વધુ કપાસ અને મગફળીનું વાવેતર પણ સૌરાષ્ટ્રમાં થાય છે. આ ઉપરાંત તલ અને સોયાબીનની ખેતીમાં પણ સૌરાષ્ટ્ર રાજ્યમાં મોખરે છે. સૌરાષ્ટ્રમાં પિયતની સુવિધા ઊભી થાય તો રાજ્યના કૃષિ વિકાસદરમાં પણ વધારો નોંધાય છે. દેશમાં નબળા ચોમાસાની અસર ગુજરાતને થાય તેવી શક્યતા ઓછી હોવા છતાં રાજ્યના કૃષિ વિભાગે અછતને ટાળવા તૈયારીઓ આરંભી દીધી છે. અહીંયાં અલનીનોને પગલે દેશમાં થયેલી અસરો અંગેની વધુ વિગતો જોઈશું.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક તૃતિયાંશ વરસાદ ઓછો થઈ શકે છે. ગયા વર્ષે કૃષિ વિકાસદર ૪.૬ ટકા હતો જો કે આ વર્ષે અલનીનોની અસર વર્તાશે તો કૃષિ વિકાસદરમાં ૦.૧ અથવા ૦.૨ ટકાનો જ ફરક જોવા મળશે. ઓછા વરસાદને કારણે દીર્ઘકાલીન ઉપજ પ્રભાવિત થશે તો ખેડૂતો પાસે ઓછી સમયમર્યાદાના પાકનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે. જો કે વર્તમાન સમયમાં પણ દેશ પાસે ધાન્ય, ખાંડ અને ચોખાનો પર્યાપ્ત સ્ટોક રહેલો છે. વર્ષ ૨૦૦૯માં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો. ઉત્પાદન અને માંગના આંકડા પર એક નજર કરીએ તો દેશમાં કુલ ૨૩૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન નોંધાયું છે જેની સામે ૧૧૭ લાખ ટન ખાંડનો સ્ટોક પડયો છે. કઠોળની વાત કરવામાં આવે તો કુલ ૨૪૦ લાખ ટન દાળની માંગ છે જેની સામે સ્ટોક પર્યાપ્ત નથી, કારણ કે મોટાભાગના કઠોળ પાકોની આયાત કરવામાં આવે છે. દેશમાં કુલ ૧૦૦૦ લાખ ટનથી પણ વધારે ચોખાનું ઉત્પાદન થાય છે, પરંતુ માંગને પૂરી કર્યા બાદ પણ ચોખાનો કુલ ૨૪૪ લાખ ટન જેટલો સ્ટોક યથાવત્ છે. તેવી જ રીતે ઘઉંનો પણ ૧૯૦ લાખ ટન જેટલો સ્ટોક બચેલો છે. વર્ષ ૨૦૦૯માં ચોમાસું ખરાબ રહ્યું હતું ત્યારે વરસાદ સામાન્યથી ૨૩ ટકા ઓછો રહ્યો હતો. આ સમયે અનાજના ઉત્પાદનમાં ૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો અને સૌથી ઓછું ઉત્પાદન ચોખાનું રહ્યું હતું. જ્યારે ઘઉંનું ઉત્પાદન વર્ષ ૨૦૦૮ જેટલું જ રહ્યું હતું. જો કે એક તરફ સારા અને નબળા ચોમાસાને પગલે એગ્રીકલ્ચર ક્ષેત્રથી જીડીપીના ગ્રોથ પર અસર વર્તાઈ શકે છે. વર્તમાન સમયમાં જીડીપીમાં એગ્રીકલ્ચરનું યોગદાન પણ ઘટયું છે. કારણ કે વર્ષ ૨૦૦૪-૦૫માં એગ્રીકલ્ચરનો હિસ્સો ૧૬ ટકા હતો તે ઘટીને હવે ૧૧.૮ ટકા થઈ ગયો છે. જીડીપી ગ્રોથ અને એગ્રીકલ્ચર ક્ષેત્રનું યોગદાન સીધી રીતે જોડાયેલું છે કારણ કે જીડીપીનો ગ્રોથ મોટાપાયે ખેતી પર નિર્ભર છે. નાણાકિય વર્ષ ૨૦૧૩-૧૪માં ૪.૬ ટકાના હિસાબથી એગ્રીકલ્ચર ગ્રોથ રહેવાનું  અનુમાન લગાવવામાં આવ્યું છે. આમ છતાં જીડીપીમાં એગ્રીકલ્ચર ગ્રોથ ઓછો રહેશે.


 ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં વરસાદની અછત રહેશે
દેશમાં ચોમાસુ સમયસર બેસવાની સાથે વચ્ચે વરસાદની અછત રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ચોમાસું સમયસર જૂનથી બેસી ગયા બાદ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં વરસાદની અછત રહે તેવી શક્યતાઓ છે. આ સમયગાળામાં વરસાદ ઓછો રહેશે. હવામાન ખાતાએ ૫૦ વર્ષના સરેરાશ વરસાદ ૮૯ સેન્ટિમીટરના ૯૫ ટકા વરસાદ પડશે તેવી આગાહી કરી છે. ગત વર્ષે દેશમાં સામાન્ય કરતાં છ ટકા વધુ વરસાદ પડયો હતો. દેશમાં હાલમાં ૧૦ અબજ ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ છે જે ગયા વર્ષ કરતાં પણ વધારે છે. આમ છતાં કૃષિ વિભાગ શક્ય તમામ પ્રયત્નો કરી રહ્યો છે.

અલ નીનોથી કૃષિજગતને અસર

હવામાન વિભાગ દ્વારા દેશમાં ૮૦ ટકા વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસું સામાન્યથી ઓછું રહેવાની પણ શક્યતાઓ રહેલી છે. આ બધાં સમીકરણોની વચ્ચે અલ નીનોની અસર ખેડૂતોને અડચણરૃપ પણ બની શકે છે. અલ નીનો એક્ટિવ થયું હોવાની વિદેશી વૈજ્ઞાાનિકો દ્વારા ભવિષ્યવાણી કરાયા બાદ ભારતીય હવામાન વિભાગે પણ અલનીનો રહેશે તેવો અંદાજ લગાવ્યો છે. ચોમાસું સારું રહે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે અને જો ચોમાસું ખરાબ રહે તો સંગ્રહખોરોને ફાયદો થઈ શકે છે સાથે જ ચાલુ સીઝનના પાકને વ્યાપક નુકસાન પણ પહોંચી શકે છે. ફાયદા અને નુકસાનની આ વાત પાછળ માત્ર અલ નીનોની અસરથી ખેતીનું ભવિષ્ય અધ્ધરતાલ પણ રહી શકે છે.

શું મુશ્કેલીઓ સર્જાઈ શકે?
દેશની ૪૦ ટકા ખેતીની સિંચાઈ ખાસ કરીને ચોમાસા પર આધારિત હોય છે. શેરડી, કપાસ, ચણા, ઘઉં, રાઈ અને કઠોળની વાવણી પ્રાકૃતિક વરસાદ પર આધાર રાખે છે. જો વરસાદ ખેંચાય અથવા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય તો આ તમામ પાકને અસર પડી શકે છે. જેને કારણે ખેડૂતોને મુશ્કેલીમાં મુકાવાનો વારો પણ આવી શકે છે.

ઓછા વરસાદની ચિંતાથી કૃષિ જણસોમાં તેજી

આ વર્ષે ખરીફ સીઝનમાં ઓછા વરસાદના અનુમાનને પગલે કૃષિ જણસોના ભાવમાં વધારો જોવા મળી શકે છે. નેશનલ કોમોડિટીઝ એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેંજ (એનસીડીએક્સ)માં વિવિધ વાયદાબજારમાં મોટાભાગની કૃષિ જણસોમાં એક ટકાથી વધારે તેજી જોવાઈ છે જ્યારે થોડા સમય પહેલાં એરંડા, ગવાર ગમ, ગવાર અને સોયાબીનમાં ૩ ટકાથી વધારેની તેજી જોવાઈ હતી. તો આ તરફ જવ, ચણા, જીરું, રાઈ સહિત હળદરમાં તેજી જોવાઈ હતી. દરેક જણસોની વાયદા કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો. ઉદાહરણ તરીકે જો વાત કરીએ તો સોયાબીનના ભાવ એટલા માટે વધ્યા કારણ કે તેની આવક ઓછી રહી હતી. જો કે તેનું મુખ્ય કારણ હવામાન વિભાગનું પુર્વાનુમાન પણ માનવામાં આવે છે. વિશ્લેષકોનું પણ માનવું છે કે, નબળા ચોમાસાને કારણે દેશના ઉત્તરીય અને પશ્ચિમી વિસ્તારો ખાસ્સા એવા પ્રભાવિત થશે જ્યાં મોટાપાયે ખેતી કરવામાં આવે છે. વિશ્લેષકો એવું પણ માને છે કે સોયાબીન, કપાસ, હળદર અને ગુવાર જેવા મુખ્ય પાકો આગામી ચોમાસાની સીઝનમાં ખાસ્સા એવા પ્રભાવિત પણ થશે. ઉદ્યોગ વિશ્લેષકોનું પણ માનવું છે કે,  ખરીફ સીઝનમાં ૨૦૦૯ની સીઝન રિપીટ થઈ શકે છે, કારણ કે વર્ષ ૨૦૦૯માં અલ નીનોની અસરને કારણે તેલીબિયાં, ખાંડ અને કપાસ જેવી કૃષિ જણસોના ભાવ નવી ઊંચાઈ પર પહોંચી ગયા હતા. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે જો વર્ષ ૨૦૦૯ જેવી સ્થિતિ સર્જાશે તો આગામી મહિનાઓમાં કૃષિ જણસોના ભાવમાં તેજી ચોક્કસ વર્તાશે.

શેના પર પડી શકે અસર?

અલ નીનોને કારણે ખેતી પર અને ગ્રામીણ ખરીદીની ક્ષમતા પર અસર પડી શકે છે. ગ્રામીણ વસ્તીના ૬૦ ટકા ઉપભોક્તા વિવિધ વસ્તુઓના ખરીદદાર હોય છે. જો આ માંગમાં ઘટાડો થાય તો દેશની ઔદ્યોગિક ગતિ ધીમી પડી શકે છે. વર્તમાન સમયમાં દેશમાં બનતી ૪૮ ટકા મોટરસાઈકલ અને ૪૪ ટકા ટીવી સેટોનું વેચાણ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં થાય છે અને આ માંગ સારા ચોમાસા સાથે જોડાયેલી હોય છે. અલ નીનોને કારણે સ્ટોક માર્કેટ અને કોમોડિટીઝ એટલે કે વિવિધ ખાણી-પીણીની ચીજોથી લઈને દરરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓની પણ સંગ્રહખોરી થઈ શકે છે. જો દુષ્કાળની સ્થિતિ સર્જાય તો સંગ્રહખોરો નફો પણ કમાઈ શકે છે અને મોંઘવારી વધી શકે છે સાથે જ શેરબજારમાં કડાકો પણ જોવાઈ શકે છે.
કોને ફાયદો થશે?
અલ નીનોની અસરની આશંકાની વચ્ચે વિદેશી રોકાણકારો અને બજારોને ફાયદો થઈ શકે છે. અમેરિકા અને કેનેડાથી આવતા ઘઉં અને ઓસ્ટ્રેલિયાની દાળ અને અનાજની મનફાવતી કિંમતો ભારતીય બજારમાં જોવા મળી શકે છે. તો શેરબજારમાં પણ વિદેશી રોકાણકારોને રોકાણ કરવાનો મોકો મળી શકે છે. જો કે આ તરફ ઓછા વરસાદને કારણે ખેતીની પેટર્ન બદલી શકાય છે. દુષ્કાળ જેવી સ્થિતિમાં પંજાબમાં બાસમતી ચોખાની એવી જાતોનું વાવેતર કરવામાં આવે છે જે ઓછા પાણીમાં પણ સરળતાથી ઊગી શકે છે. આ સિવાય અન્ય પાકોમાં પણ આ પ્રકારનો નુસખો અપનાવવામા આવે છે. જેનાથી અલ નીનોની અસરથી બચી શકાય છે.

શું છે અલ નીનોની ભવિષ્યવાણી?

અલ નીનોની સક્રિયતાની વાત યુએસ નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેયરિક એડમિનિસ્ટ્રેશન અને ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ મેટ્રોલોજી (બીઓએમ)એ કરી છે. અમેરિકન વૈજ્ઞાાનિકોના મતે અલ નીનોના એક્ટિવ થવાના ચાન્સ ૩૦ ટકા છે જ્યારે ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાાનિકોના મતે અલ નીનોની અસર ૭૦ ટકા રહેશે. આમ તો ભારતીય હવામાન વિભાગે આ ભવિષ્યવાણીને ફગાવી દીધી છે. અલ નીનોની અસરને પગલે ગત તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ એક તાત્કાલિક યોજના તૈયાર કરવા માટે બેઠક પણ બોલાવવામાં આવી હતી. આ બેઠક દુષ્કાળની આશંકાને ધ્યાનમાં રાખીને દેશના ૫૦૦ જિલ્લામાં ઈમરજન્સી પ્લાનની તૈયારી કરવા માટે કરવામાં આવી હતી. જો કે આ બેઠક અલનીનોની અસર વર્તાય તે પહેલા પૂર્વાનિયોજીત પગલાના સ્વરૃપે કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

૨૦૧૫માં કાળઝાળ ગરમી અલ નીનોને આભારી રહેશે

વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૪માં દેશમાં ચોમાસા દરમિયાન ગરમીની આંશિક અસર જોવા મળી હતી. જો કે વર્ષ ૨૦૦૯માં તેની સક્રિયતાને કારણે દેશમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી. જેેને કારણે વિદેશમાંથી મોંઘા ભાવે ખાંડ અને દાળની આયાત કરવી પડી હતી. જો કે દેશમાં અલ નીનોની સૌથી વધારે અસર વર્ષ ૧૯૯૭-૯૮માંં જોવા મળી હતી. હવે માનવામાં આવી રહ્યું છે કે જો વર્ષ ૨૦૧૫ સૌથી વધારે ગરમીનું વર્ષ રહેશે તો તેની પાછળનું કારણ અલ નીનો જ ગણવામાં આવશે.

ચોમાસું કઠોળ વપરાશકારના બજેટને અસ્તવ્યસ્ત કરી નાખશે

ચાર વર્ષના સામાન્ય કે સામાન્યથી સારા ચોમાસા પછી આ વર્ષનું અલનીનો પ્રભાવિત નબળું ચોમાસું, તાજેતરમાં જે રીતે કાંદાએ ગ્રાહકોની આંખમાં આંસુ લાવી દીધાં હતાં એ જ પ્રકારે આ વર્ષે કઠોળ તેમના બજેટને અસ્તવ્યસ્ત કરી નાખવાની શક્યતા ધરાવે છે. અલ-નીનોની આગાહી પછી એસોચેમે કરેલા એક સર્વેક્ષણમાં જણાયું હતું કે ભારતના કુલ કઠોળ ઉત્પાદનમાં ૮૦ ટકા હિસ્સો આપતાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોમાં ઓછો વરસાદ પડવાની ધારણાએ, આ પાકને વ્યાપક અસર થવાની સંભાવના વધી ગઇ છે. એસોચેમના પ્રમુખ રાણા કપૂર કહે છે કે કઠોળમાં માગ પુરવઠાની અસમાનતા, સ્ટેપલ ફૂડના ભાવ પર પણ વ્યાપક અસર ઊભી કરશે. આ જોતાં ફુગાવાનો ઘોડો તબેલામાંથી નાસી છૂટે તે પહેલાં ફૂડ સિક્યુરિટી કે સલામતીના અસંખ્ય પગલાં અત્યારથી જ લેવા જરૃરી બની ગયા છે. એસોચેમનો અભ્યાસ કહે છે કે ૨૦૧૬ સુધીમાં આપણે ૨૧૦ લાખ ટન કઠોળ ઉત્પાદને પહાંેચશું. જ્યારે આગામી વર્ષોમાં વપરાશ, વધીને ૨૩૦ લાખ ટન જેટલો થઇ જશે. ભારતમાં ૨૨૦થી ૨૩૦ લાખ હેક્ટરમાં કઠોળ વાવેતર થાય છે અને ર્વાિષક ઉત્પાદન ૧૩૦ થી ૧૮૦ લાખ ટન આવતું હોય છે.

જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો ૧૧.૮ ટકા રહી ગયો

સામાન્ય ચોમાસાનો મતલબ ચોમાસુ સીઝનમાં ૯૬થી ૧૦૪ ટકા વરસાદ રહેશે. જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિનાની ચોમાસુ સીઝનમાં ૧૧૦ ટકા વરસાદને સરપ્લસ ચોમાસું કહેવામાં આવે છે. જો કે કોઈ વિસ્તારમાં ૮૦ ટકા અથવા તેનાથી ઓછો વરસાદ હોય તો આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત માનવામાં આવે છે. અલ નીનોની અસરને કારણે વર્ષ ૨૦૦૯માં પાછલાં કેટલાંક વર્ષોના મુકાબલે અનાજનું ઓછું ઉત્પાદન પણ નોંધાયંુ હતું. વર્ષ ૨૦૦૯માં ૨૧.૮૧ કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું હતું. આ સિવાય અન્ય અનાજ અને શેરડીની ઉપજમાં પણ ઘટાડો નોંધાયો હતો. દેશને ખાંડની પણ આયાત કરવી પડી હતી અને સમગ્ર દુનિયામાં ખાંડના ભાવ ૩૦ ટકા સુધી વધી ગયા હતા. ચાલુ વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૩-૧૪માં દેશમાં રેકોર્ડબ્રેક ૨૬૩૦ કરોડ ટન અનાજનું ઉત્પાદન થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જો કે અલ નીનોની સક્રિયતા તેને બરબાદ પણ કરી શકે છે. હવામાન વિભાગ દ્વારા અલ નીનોની ૬૦ ટકા અસર વર્તાઈ શકે છે. એટલે એમ પણ કહી શકાય કે ચોમાસું સામાન્યથી ઓછું પણ રહી શકે છે. ભારતમાં અલ નીનોનો પ્રભાવ વરસાદની અછત અને દુષ્કાળના સ્વરૃપમાં જોવામાં આવે છે. જેની સીધી અસર ખેતી પર પડી શકે છે અને જીડીપીમાં ખેતીનું યોગદાન ઘટતા ઘટતા ૧૧ ટકા સુધી પણ આવી ગયું છે. જે ૨૦૦૪-૦૫માં ૧૬ ટકા હતું. આજે પણ ૫૦ ટકા વસતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી પર નિર્ભર છે. જો કે કેટલાંક ઉદ્યોગોની રોજી-રોટી પણ ખેડૂતોના ઘરમાં આવતી સમૃદ્ધિ પર નિર્ભર રહે છે. આવી સ્થિતિમાં જો ખેતી પ્રભાવિત થાય તો રસોઈકામમાં આવતી તમામ ચીજવસ્તુઓ મોંઘી થાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. અલ નીનોની અસર માત્ર ખેડૂતોને જ નહીં, પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ અસર કરી શકે છે. જો કે વર્તમાન સમયમાં ખેડૂતોએ ગભરાવાની કોઈ જરૃર નથી, કારણ કે સરકાર દ્વારા અલ નીનોના સંકટ સામે રક્ષણ મેળવવા માટે વિશેષ પગલાં પણ લેવાઈ રહ્યાં છે.

આખરે શું છે અલ નીનો?
અલ નીનો એક સ્પેનિશ શબ્દ છે. તેની શાબ્દિક ઓળખ લિટલ બોય એટલે કે નાનકડા છોકરા તરીકે કરવામાં આવે છે. દક્ષિણ અમેરિકાના પ્રશાંત મહાસાગરમાં ક્રિસમસ બાદ તુરંત સમુદ્રનું પાણી અચાનક અસામાન્યરૃપથી ગરમ અને ઠંડું થવાની ઘટનાને સાંકેતિકરૃપથી બાળક ઈસા મસીહ સાથે જોડવામાં આવ્યું છે અને સમુદ્રમાં સર્જાતી આ ઘટનાને અલ નીનો કહેવામાં આવે છે. એટલે જે વર્ષે અલ નીનો એક્ટિવ થાય છે ત્યારે દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસા પર અસર પડે છે. જેને કારણે વિશ્વના કેટલાંક ભાગોમાં ભારે વરસાદ પડે છે અથવા કેટલાંક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. ભારતમાં અલ નીનો ચોમાસાની સીઝનમાં એટલે કે ચાર મહિના સુધી જ તેની અસર દેખાય છે.  જો કે અલ નીનો એક્ટિવ રહેવાના સંકેત ૯ મહિના સુધી જોવા મળી શકે છે. ખાસ કરીને અલ નીનો ૨થી ૭ વર્ષના અંતર દરમિયાન એક્ટિવ થાય છે.

લા નીનો એટલે શું?

લા નીનોની અસર અલ નીનો કરતાં વિપરીત હોય છે. લા નીનો એક સ્પેનિશ શબ્દ છે. લા નીનો શબ્દનો અર્થ 'નાનકડી છોકરી' એવો થાય છે. જ્યારે અલ નીનોનો અર્થ 'નાનકડો છોકરો' એમ માનવામાં આવે છે.  ખાસ કરીને  લા નીનોની અસર પાંચ મહિના સુધી રહે છે. એક તરફ અલ નીનો ખાસ કરીને ચિલી, પેરુ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને ખાસ્સું એવું પ્રભાવિત કરે છે તેની સામે  લા નીનો ઉત્તર અમેરિકા સહિતના વિવિધ વિસ્તારોને પ્રભાવિત કરે છે. જો કે લા નીનો ખાસ કરીને ભારત માટે ફળદાઈ સાબિત થયું છે. અલ નીનોને કારણે જ્યારે દુષ્કાળની સ્થિતી સર્જાય છે તેની સામે લા નીનોને કારણે ચોમાસુ સારું રહે છે અને વરસાદ સારો એવો વરસે છે. લા નીનોને કારણે  ખાસ કરીને દક્ષિણ -પશ્ચિમ ભારતમાં સારું ચોમાસુ રહે છે. વર્ષ ૨૦૦૯માં અલ નીનોની અસર જોવા મળી હતી તેની સામે વર્ષ ૨૦૧૦માં લા નીનોને પગલે ભારતમાં વરસાદ સારો રહ્યો હતો. 

  • વરસાદની પેટર્ન બદલાઈ જતાં ખરીફમાં  ઓછાં પાણીએ પાકતા પાકના વાવેતરની ખેડૂતોને કૃષિ વિભાગની સલાહ 
  • દેશમાં કુલ ૧૦૦૦ લાખ ટનથી પણ વધારે થતા ચોખાના ઉત્પાદન સામે કુલ ૨૪૪ લાખ ટન જેટલો સ્ટોક યથાવત્ , ચોખાની ર્વાિષક જરૃરિયાત દેશને ૯૭૦ લાખ ટન
  • ઠોળ પાકોની આયાત વધશે 
  • ૨૦૦૯માં ધાન્યપાકોનું ઉત્પાદન ૭ ટકા ઘટયું હતું 
  • ગુજરાતમાં અલ નીનોની સામાન્ય અસર રહેશે
  • દેશની ૪૦ ટકા ખરીફ ખેતી ચોમાસા પર આધારિત
  • દેશમાં ૮૦ ટકા વરસાદ રહેવાની આગાહી કરાઈ
  • વર્તમાન સમયમાં દેશમાં બનતી ૪૮ ટકા મોટરસાઈકલ અને ૪૪ ટકા ટીવી સેટોનું માત્ર ગ્રામીણ વિસ્તારોમાં થતું વેચાણ
published in Gujarat leading agriculture news paper Agro sandesh..