રાજકોટના
કાગવડ ગામે એશિયાનો સૌથી મોટો જ્ઞાનવર્ધક ચાર દિવસીય કૃષિમેળો સંપન્ન : ૪૨૦૦ મીટર
જમીનમાં સિંચાઇનું પ્રેક્ટિકલ પ્રદર્શન યોજાયું : કૃષિમેળામાં ૮૦૦ સ્ટોલ અને ૩૦થી વધુ
સેમિનારમાંથી ખેડૂતોએ કૃષિજ્ઞાનનો લાભ લીધો રાજ્યભરમાંથી દરરોજ છ લાખથી પણ વધુ લોકો
ઉમટયા : દેશ-વિદેશના કૃષિ તજજ્ઞો પણ હાજર રહ્યા : આધુનિક યંત્રઓજારો, જંતુનાશક દવાઓ,
સોલાર સિસ્ટમ અને ગ્રીનહાઉસના સ્ટોલ પર ખેડૂતોનો જમાવડો રહ્યોઃ કૃષિ પ્રદર્શનમાં પ્રગતિશીલ
ખેડૂતોએ મુલાકાતીઓ સાથે કૃષિજ્ઞાનની વહેંણી કરી : ડ્રિપ ઇરિગેશન માટે સ્થળ પર ડેમોસ્ટ્રેશન
સૌરાષ્ટ્રમાં કૃષિક્ષેત્રે ક્રાંતિનો શંખનાદ કાગવડથી શરૃ થયો. ખેડૂતોને અત્યાધુનિક ટેકનોલોજીથી જાણકાર બનાવવાના ઉદાત્ત હેતુસર યોજાયેલા આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શને ખેડૂતોને એક નવી દિશા આપી હતી. રાજકોટ જિલ્લાના કાગવડ ગામે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત દેશનો સૌથી
મોટો કૃષિ મેળો 'એગ્રીવિઝન ઇન્ડિયા ૨૦૧૪' માં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી ખેડૂતો કીડિયારાની
જેમ ઉભરાઇ આવતાં કૃષિક્ષેત્રે નવા વિચારોની વાવણીનો મૂળભૂત હેતુ આયોજકોનો પણ સફળ રહ્યો
હતો. પ્રદર્શનમાં ૮૦૦ જેટલા સ્ટોલ્સ ઉપરાંત ૫૦ જેટલા પેગોડા અને સેમિનાર માટેના હોલમાંથી
ખેડૂતો માટે કૃષિજ્ઞાાનની સરવાણી વહેતી હોય તેવા ઉત્સાહથી ખેડૂતોએ કૃષિ મેળાને માણ્યો
હતો. પ્રદર્શનનો સમય સવારે ૯ વાગ્યાનો હોવા છતાં વહેલી સવારથી જ આ સમિટ નિહાળવા લોકોનો
ભારે ધસારો જોવા મળતો હતો. આયોજકોએ ધાર્યા કરતાં પણ વધારે લોકોએ આ કૃષિ પ્રદર્શનનો
લાભ લીધો હતો.
No comments:
Post a Comment