Tuesday, 9 December 2014

ગ્રીનહાઉસમાં ખેતી : ખેડૂતો થાક્યા



ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ગ્રીનહાઉસઃ  જમીનજન્ય રોગો નાથી ન શકાતા ખેડૂતો નુકસાનીની ગર્તામાં ધકેલાયાઃ  છેલ્લા આઠ માસની રજૂઆતોને અંતે ખેડૂતોને ખાલી નિસાસા મળ્યાઃ ઉનાળાની ગરમીમાં બિન સિઝનના પાકો લેવામાં ખેડૂતોને સૌથી મોટી મુશ્કેલી : કૃષિ વિભાગે હતાશ ખેડૂતોની પણ મુશ્કેલીઓ સમજવી જરૃરી : ગ્રીનહાઉસમાં નિષ્ણાતોનો અભાવ

ગુ જરાતમાં એક સમય એવો હતો કે ગ્રીનહાઉસ શબ્દનું નામ પડતાં ખેડૂતો આધુનિક ખેતી, શાકભાજી, જરબેરા અને સબસિડીના મળતા પૈસાના સપનામાં ખોવાઇ જતા હતા. આજે સમય બદલાયો છે.  ખેતી નિષ્ણાતો પણ ગ્રીનહાઉસમાં શાકભાજીમાં આવતા જમીનજન્ય રોગ નેમેટોડને નાથી શકયા નથી. બેંગ્લોરમાં આ અંગેના પ્રયોગો બાદ ખેડૂતો માટે નેમેટોડને નાથવાના ઉપાયો દર્શાવાયા છે. પરંતુ આ ઉપાયો કેટલા કારગર નિવડે છે એ તો સમય બતાવશે. રાજ્યમાં ચારથી પાંચ વર્ષ પૂર્વે ગ્રીનહાઉસની ટેકનોલોજી અમલમાં આવી ત્યારે ખેડૂતોએ આ ટેકનોલોજીને અપનાવી હતી. આજે ગ્રીનહાઉસ ટેકનોલોજીને સમજી શકનાર ખેડૂતો માટે ગ્રીનહાઉસ એ લોખંડના સ્ટ્રક્ચર બનીને ઉભા રહી ગયા છે. આજે પણ રાજ્યમાં ગ્રીનહાઉસ ટેકનોલોજીના નિષ્ણાતોનો અભાવ છે. ગ્રીનહાઉસ ટેકનોલોજી અંગેના નિષ્ણાતો કૃષિ યુનિ. પાસે પણ નથી.
આજે પાંચ વર્ષના અંતે પ્રાંતિજના વદરાડમાં એક ગ્રીનહાઉસનું એકસલન્સ સેન્ટર ઉભું થઇ રહ્યું છે. જ્યાં ખેડૂતોને ગ્રીનહાઉસ ટેકનોલોજી અંગેની સમજ અપાશે. પરંતુ હાલમાં જ ગ્રીનહાઉસમાં ખેતી કરતા ખેડૂતો થાકી ગયા છે. ગ્રીનહાઉસ એ કોર્મિશયલ પ્રોજેક્ટ હોવાથી ખેડૂતોને બેંક લોન પર ઉંચુ વ્યાજ ચૂકવવું પડે છે. કુદરતી આફતનો પણ વીમો ન હોવાની સાથે પાક વીમો પણ ખેડૂતોને મળતો નથી. વીજળી પણ ઇન્ડસ્ટ્રીયલ ભાવથી ખેડૂતોને અપાય છે. જ્યારે સામે ખેડૂતોને પાકના ઉત્પાદન બાદ બજારભાવનો અભાવ છે. ખેડૂતો પાસેથી વેપારીઓ મનફાવે તે ભાવે પ્રોડક્ટની ખરીદી કરે છે કારણ કે ખેડૂતો પાસે માર્કેટનો અભાવ છે. જરબેરાની ખેતી પણ હવે ધીમેધીમે છોડી રહ્યા છે. જરબેરામાં શરૃઆતના સમયમાં ખેડૂતોને સારા ભાવ મળતા હોવાથી દક્ષિણ ગુજરાતમાં ઘણા ખેડૂતોએ જરબેરાની ખેતી અપનાવી હતી. હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ ગ્રીનહાઉસમાં શાકભાજીની ખેતી તરફ વળ્યા છે. જરબેરાનો બજાર ભાવ પ્રતિ ફૂલ ખેડૂતને માંડ રૃ.૧ મળતાં ખેડૂતને હવે ખેતી ખર્ચ પણ માથે પડવા લાગ્યો છે. કૃષિ વિભાગે ગ્રીનહાઉસમાં એમ્પેનલની શરૃઆત કરી સરકારે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં મારવાની જેમ પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો છે, જોકે, અત્યાર સુધીમાં રાજ્યમાં ૨૦૯૪થી વધુ ગ્રીનહાઉસ અને ૩૩૪૨ નેટહાઉસ ઉભા થઇ ચૂક્યા છે. ગ્રીનહાઉસમાં કરોડો રૃપિયાની સબસિડી ખેડૂતોને ચૂકવવા છતાં ખેડૂતોમાં ગ્રીનહાઉસના પ્રોજેક્ટ પ્રત્યે અસંતોષની લાગણી પેદા થઇ રહી છે. હજુ પણ એકસેલન્સ સેન્ટરની કામગીરી પૂર્ણ થવાની ખેડૂતો રાહ જોઇ રહ્યા છે. થોડા સમય પૂર્વે જ રાજ્યના ૪૫૦ ખેડૂતોએ આ અંગે કૃષિ વિભાગને રજૂઆત કરી હતી. જેમાં કૃષિમંત્રીના આદેશથી બાગાયતના અધિકારીઓએ ગ્રીનહાઉસની મુલાકાત લઇ રિપોર્ટ સબમીટ કર્યો હતો.
ગ્રીનહાઉસના પ્રોજેક્ટમાં સૌથી મોટી મુશ્કેલી હોય તો હવામાન અને રોગજીવાતની  છે. ગ્રીનહાઉસમાં ખેતી કરતા વિજાપુરના પ્રગતિશીલ ખેડૂત પટેલ ભાવિનભાઇ બાબુભાઇએ જણાવ્યું હતું કે, શરૃઆતમાં ગ્રીનહાઉસની ટેકનોલોજી અંગેની વિગતો જાણી ગ્રીનહાઉસ બનાવ્યું હતું આજે અમે પસ્તાઇ રહ્યા છીએ. નેમેટોડ રોકવાના શક્ય પ્રયાસો કર્યા છે. પડોશી રાજ્યના ગ્રીનહાઉસ સુધીની મુલાકાત લીધી હોવા છતાં પણ આ રોગ નાથી શકાયો નથી. હું તો ખેતીમાં નિષ્ણાત હોવા છતાં થાકી ગયો છું તો અન્ય ખેડૂતોની જ વાત જ શીદ કરવી. રાજ્યમાં સૌથી વધુ ગ્રીનહાઉસ એ સાબરકાંઠા જિલ્લામાં બન્યા છે. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ગ્રીનહાઉસની ટેકનોલોજી પાકમાં ઉપયોગી થતી ન હોવાની સૌથી વધુ બૂમરાણ મચાવી રહ્યા છે. ફક્ત સાબરકાંઠા જ નહી મહેસાણા, સુરત, રાજકોટ, આણંદ , બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ સહિતના લગભગ ગ્રીનહાઉસ અપનાવનાર મોટાભાગના ખેડૂતો આ અંગે કૃષિ વિભાગમાં રજૂઆત કરી ચૂક્યા છે. હવે કૃષિ વિભાગ ખેડૂતોને નુક્સાનીની ગર્તામાંથી બહાર કાઢે તેવી મીટ માંડી રહ્યા છે. 

રાજ્યના ખેડૂતોને મૂંઝવતા સૌથી મોટા પ્રશ્નો
ખેડૂતોને ગ્રીનહાઉસ ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોમાંથી કેટલીક બાબતોની અહીં છણાવટ કરાઇ છે.
* જમીન જન્ય રોગો જેવા કે નેમેટોડ ( ગંઠવા કૃમિ, ફૂગ તથા અન્ય રોગોને કારણે ઉત્પાદન મળતું નથી. આ રોગને રોકવાના ઉપાયોનો અભાવ છે. જેને ટાળી શકાતા ન હોવાથી આખરે ખેડૂતોએ નુક્સાન ભોગવવું પડે છે.
* ઉનાળાની સિઝનમાં ગરમીનું પ્રમાણ વધારે હોવાથી ખેડૂતો ઉનાળામાં ઓફ સિઝનમાં પાકનું ઉત્પાદન લઇ શકતા નથી અને નુકસાની ભોગવી રહ્યા છે.
* ગ્રીનહાઉસ એ આધુનિક ખેત પદ્ધતિ હોવાની સાથે વાવેતર કરાતા પાકોનું સ્થાનિક માર્કેટ ન હોવાથી વેપારીઓ મનફાવે તેવા ભાવ આપી ખેડૂતો પાસેથી માલ લઇ ખેડૂતોને છેતરી રહ્યા છે.
* બેંકો દ્વારા રૃટિન વ્યાજ લેવાય છે અને કુદરતી આફતનો કે પાકવીમાનો ખેડૂતને લાભ મળી શકતો નથી. વીજળી ઇન્ડસ્ટ્રીયલ રેટથી મળે છે. 

કૃષિવિભાગ ખેડૂતોને ટ્રેઇનીંગ આપવા પણ તૈયાર

ખેડૂતો ગ્રીનહાઉસમાં સફળ થાય તે માટે પૂરતા પ્રયાસો કરાઇ રહ્યા છે. વિશ્વભરના ગ્રીનહાઉસમાં શાકભાજીની ખેતી થઇ રહી છે. નિમેટોડની સમસ્યા હોવા છતાં ખેડૂતો ગ્રીનહાઉસમાં શાકભાજીની ખેતી કરી સફળ રહ્યા છે. ખેડૂતોને નિમેટોડની સમસ્યાથી બચાવવા માટે બેંગ્લોરમાં પ્રયત્નો થઇ રહ્યા છે. આ અંગેની એક ગાઇડલાઇન પણ બહાર પડાઇ છે. બાગાયત વિભાગ નિમેટોડથી અસરગ્રસ્ત ખેડૂતને ટ્રેઇનીંગ આપવા પણ તૈયાર હોવાનું નેશનલ ર્હોિટકલ્ચર મિશનના જોઇન્ટ ડિરેક્ટર સી.એમ.પટેલે જણાવ્યું હતું. ખેડૂતો માટે એક સીડી પણ બનાવી રાખી છે. જે અંતર્ગત ખેડૂતો સીડી જોઇને પણ નિમેટોડથી પાકને બચાવવાના પ્રયત્નો કરી શકે છે. ખેડૂતો માટે વદરાડમાં ગ્રીનહાઉસના એક્સલન્સ સેન્ટરની કામગીરી હવે પૂર્ણતાને આરે છે. જે ખેડૂતોને મદદરૃપ થશે. ખેડૂતોએ ગ્રીનહાઉસની ટેકનોલોજીનો યોગ્ય અમલ કરે તો સારો એવો ફાયદો મેળવી શકે છે. ખેડૂતો સાથે છેતરપિંડી અટકે માટે જ એમ્પેનલની કામગીરી કરાઇ છે. 



નેમેટોડને નાથવા આ ઉપાય અજમાવી જુઓ

ગ્રીનહાઉસ અને નેટહાઉસમાં વાવેતર કરાતા પાક મરચાં, ટામેટાં અને કાકડીમાં નેમેટોડ મેનેજમેન્ટ અત્યંત જરૃરી :  ગ્રીનહાઉસ અને ઓપન ર્ફાિમંગમાં નેમેટોડનો ત્રાસ : નેમેટોડ અને પેથોજન (બેકટેરિયા અને ફૂગ) થકી પાકને ૪૦થી ૭૦% જેટલું થતું નુકસાન : ખેતરમાં ગંઠવાકૃમિનો ઉપદ્રવ હોય તો પાકની ફેરબદલી કરવી હિતાવહ રહેશે


ગ્રી નહાઉસમાં દુનિયાભરમાં શાકભાજીની ખેતી થાય છે. આ પાકો બિયારણની અવસ્થાથી જ વિવિધ પેસ્ટ અને પેથોજનથી પ્રભાવિત થતા હોવાથી ખેડૂતોને મોટાપાયે નુક્સાન જતું હોય છે. આ જ સ્થિતિ ગુજરાતની પણ છે. રાજ્યના ગ્રીનહાઉસમાં પણ શાકભાજીના પાકોમાં નેમેટોડ અને પેથોજનનો ઉપદ્રવ વધારે છે. નેમેટોડનો ઉપદ્રવ વધે તો ખેડૂતોનો પાક ઘણીવાર સંપૂર્ણપણે નાશ પણ થાય છે. ખરાબ બિયારણના ઉપયોગથી ઓછી ક્વોલિટીના ટામેટાં અને મરચાંનું ઉત્પાદન થાય છે. સરવાળે ખેડૂતને આવકમાં ફટકો પડે છે. ગ્રીનહાઉસમાં આ પાક ઉગાડવાથી પેથોજન, પેસ્ટ, નેમેટોડ ખૂબ ઝડપથી વૃદ્ધિ પામે છે.

શાકભાજીની રક્ષિત ખેતીમાં કૃમિ પ્રબંધન : આપણા રોજિંદા ખોરાકમાં શાકભાજી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ખેડૂતોેને શાકભાજીની ટૂંકાગાળાની ખેતીમાંથી સારી એવી આવક થતી હોવાથી વિવિધ પ્રકારના શાકભાજી પાકોનો વિસ્તાર તથા વપરાશ પણ દિન પ્રતિદિન વધતો જાય છે. શાકભાજીની ખેતીમાં વિવિધ રોગો, જીવાતો તથા કૃમિથી ઉદ્ભવતા પ્રશ્રો મુખ્ય છે. ખુલ્લા ખેતરમાં થતા ટામેટાં, રીંગણ, ભીંડા, ચોળા, મરચી, બટાટા, મેથી, પાલક તથા બધાજ વેલાવાળા શાકભાજીમાં જુદા જુદા કૃમિથી ૨૫થી ૨૭ ટકા જેટલું નુકસાન થતું જોવા મળે છે. જ્યારે ગ્રીન હાઉસમાં કરવામાં આવતા મુખ્ય પાકો જેવા કે કેપ્સીકમ, ટામેટાં, કાકડી, ઘરકીન, શક્કર ટેટી, તરબૂચ, ભીંડામાં કૃમિ તથા તેના કારણે ઉત્પન્ન થતી ફૂગને કારણે ૪૦ થી ૮૦ ટકા જેટલું નુકસાન જોવા મળે છે.
સારા નિતારવાળી હલકા પ્રકારની બેસર કે ગોરાડું જમીન, ૨૫ંથી ૩૦ ંસે. ઉષ્ણતામાને જમીનમાં પ્રમાણસરનો ભેજ તથા અનુકૂળ યજમાન પાકોમાં કૃમિના વિકાસ અને વૃદ્ધિ વધુ જોવા મળે છે. પોલીહાઉસમાં કૃમિની વૃદ્ધિ માટે યોગ્ય વાતાવરણ મળી રહેતું હોઈ ૧૮થી ૨૪ માસમાં પાંચથી છ ગણો વધારો થાય છે, જે અંતે પોલીહાઉસને ખેતી માટે બિન ઉપયોગી બનાવે છે. પાક પર જીવાતો અને રોગો નરી આંખે જોઈ શક્તા હોવાથી ખેડૂતો તેનું સમયસર અસરકારક નિયંત્રણ કરી શકે છે, પરંતુ મોટા ભાગના કૃમિ સૂક્ષ્મ નરી આંખે જોઈ શકાતા નથી અને જમીનમાં રહેતા હોવાથી ખેડૂતોને કૃમિથી થતા નુકસાનનો ખ્યાલ આવતો નથી. પરિણામે ખેડૂતોને ઉત્પાદનમાં ભારે નુકસાની વેઠવી પડે છે.
કૃમિની ઓળખ : કૃમિ સર્પાકાર હોય છે. હલન-ચલન પણ સાપની જેમ જ કરે છે. મોંઢાનો તેમજ પૂંછડીનો ભાગ પાતળો હોય છે. પાકને નુકસાન કરતા કૃમિ ૦.૧ મીમી.થી ૧૯ મીમી. લાંબા અને ૦.૦૧ મીમીથી ૦.૧ મીમી જેટલા વચ્ચેથી જાડા હોય છે. કૃમિના મોઢાના ભાગમાં એક પોલી સોય જેવી અણીદાર ચુસિકા હોય છે, જેના વડે તે વનસ્પતિના મૂળમાં કાણું પાડી કોષોમાંથી ખોરાક ચુસે છે.
ગ્રીનહાઉસમાં કૃમિ નિયંત્રણના ઉપાયો
  • પાક લીધા પછી ઉનાળામાં ટ્રેક્ટરની ઊંડી ખેડ કરી પાકના જડીયા વીણી બાળી નાંખવા તેમજ જમીનને તપવા દેવી.
  • ખેતરમાં ગંઠવાકૃમિનો ઉપદ્રવ હોય તો પાકની ફેરબદલી કરવી.
  • કૃમિગ્રસ્ત વિસ્તારમાં કૃમિ પ્રતિકારક શાકભાજીની જાતોનું વાવેતર કરવું.
  • હવાની અવર-જવર થઈ શકે તે પ્રમાણે રોપાનું વાવેતર કરવું. ગ્રીન હાઉસમાં પૂરતી હવા, તાપમાન અને ભેજ જળવાઈ રહે તે રીતે વેન્ટીલેશન ગોઠવવું.
  •  રાસાયણિક ખાતર યોગ્ય રીતે આપવું વધુ પડતો નાઈટ્રોજન ન હોય તેનું ધ્યાન રાખવું.
  • સેન્દ્રિય ખાતરો પૂરતા પ્રમાણમાં વાપરવા, જમીનમાં એક જ જગ્યાએ વધુ ભેજ ન રહે તે પ્રમાણે ડ્રિપનું આયોજન કરવું.
  • ગ્રીનહાઉસ સ્ટ્રક્ચરની અંદર તથા બહાર નીંદામણ કરતાં રહેવું. ઘણીવાર બહારના ભાગે ઉગે નીંદામણો થકી કૃમિ પગમાં ચંપલ કે પછી બહાર વપરાયેલ કૃષિ ઓજારો મારફત પણ ગ્રીન હાઉસમાં પ્રવેશે છે. જેથી કૃષિ ઓજારો ધોયા બાદ જ અન્ય સ્ટ્રક્ચરમાં ઉપયોગમાં લેવાય તે જરૃરી છે.
  • કૃમિ નિયંત્રણ માટે પાળા બનાવતા પહેલાં તેમાં કૃમિ નિયંત્રણની માવજત ખૂબ જ જરૃરી છે અન્યથા આ પાળા કૃમિની વૃદ્ધિ માટેનું માધ્ય બની શકે છે.
  • જમીનને સારી રીતે ખેડયા બાદ પાક અનુસાર પદ્ધતિસરના પાળા બનાવવા જરૃરી છે. જમીન ચકાસણીની ભલામણ અનુસાર પાયાના ખાતરો ઉમેરવા. જૈવિક કૃમી નાશક એ એક પ્રકારની ફુગ છે જે કૃમિ ઉપર અલગ અલગ પ્રકારે અસર કરે છે. જેમ કે, તેના ચીકણા તંતુઓ કૃમિને જકડી રાખી તેના હલન ચલનને સિમિત કરે છે પરિણામે કૃમિ ભૂખથી મરી જાય છે. તે જ પ્રમાણે ઘણીવાર ફૂગ દ્વારા કૃમિમાંથી કોષ દ્રવ્યનું શોષણ કરીને પણ તેનો ખાતમો કરવામાં આવે છે. જે માટે ભારતીય બાગાયતી અનુસંધાન સંસ્થા, હિસ્સરઘટ્ટા, બેંગલુરું (આઈએચઆર) દ્વારા આ પ્રકારના જૈવિક નિયંત્રકોના ઉપયોગ અંગે માર્ગર્દિશકા બહાર પાડી છે.

 જે મુજબ એક ટન સેન્દ્રીય ખાતરો જેવા કે, છાણિયું ખાતર અથવા વર્મી કંમ્પોસ્ટ અથવા લીંબોળી ખોળ, બે કીલો ગ્રામ ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરઝીએનમ (જૈવિક ફુગનાશક), બે કીલો ગ્રામ પેસીલોમાયસીસ લીલાસીનસ (જૈવિક કૃમિનાશક), બે કિલો ગ્રામ સ્યુડોમોનાસ ફ્લુઓરેસેન્સ (જૈવિક બેકટેરીયાનાશક)ને ભેળવી મિશ્રણને છાંયામાં તૈયાર કરવું તથા પૂરતો ભેજ મળી રહે તે રીતે ૧૫ દિવસ સુધી જાળવવું. જે માટે ઉપર કંતાન અથવા મલ્ચીંગનું પ્લાસ્ટિક પણ ઢાંકી શકાય. અઠવાડિયે આ જૈવિક મિશ્રણને ઉપર-નીચે કરવાથી સમગ્ર મિશ્રણમાં જીવકોનો એક સરખો વિકાસ થાય છે.

મિશ્રણનો ઉપયોગ કરવાની મહત્વની  બે રીત
* જો છાણિયું ખાતર મિશ્રિત કરેલું હોય તો ૫ કિગ્રા. પ્રતિ ચો.મી. અથવા લીંબોળી ખોળ મિશ્રિત હોય તો ૨૦૦ ગ્રામ પ્રતિ ચો.મી. અથવા ર્વિમ કંમ્પોસ્ટ મિશ્રિત હોય તો ૧ કિગ્રા પ્રતિ
ચોમી. મુજબ પાળાની ઉપરના ૧૮ સેમી.માં ભેળવવું.
* છાણીયું ખાતર મિશ્રિત કરેલું હોય તો ૧૫૦ ગ્રામ પ્રતિ ચોમી અથવા લીંબોળી ખોળ મિશ્રિત તો ૫૦ ગ્રામ પ્રતિ ચોમી અથવા ર્વિમ કંપોસ્ટ મિશ્રિત હોય તો ૧૦૦ ગ્રામ પ્રતિ ચોમી મુજબ પાળાની ઉપરના ૨થી ૩ સેમી.માં દર ત્રીસ દિવસે ભેળવવાથી વધુ સારા પરિણામો મેળવી શકાય છે.
પ્રવાહી સ્વરૃપે જૈવિક નિયંત્રક દ્વાવણ તૈયાર કરવાની રીત ઃ  ૨૦ કિગ્રા લીંબોળી ખોળ આપવો.
* બે કિલો ગ્રામ ટ્રાયકોડમાં વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરઝીએનમ (જૈવિક ફુગનાશક)
* બે કિલો ગ્રામ પેસીલોમાયસીસ લીલાસીનસ (જૈવિક કૃમિનાશક)
* બે કિલો ગ્રામ સ્યુડોમોનાસ ફ્લુઓરેસેન્સ સાથે (જૈવિક બેકટેરીયાનાશક)
* ૨૦૦ લીટર પાણીમાં મિશ્રણ કરી ગાળીને અસરકારક રીતે જૈવિક મિશ્રણ તૈયાર કરી શકાય આ છોડ મી લીટર પ્રતિ ચો ૨ ગ્રામ પ્રતિ લિટર કે પાણીમાં ભેળવી ૫ મિશ્રણને પ્રવાહી સ્વરૃપે ડ્રીપમાં દીઠ આપી શકાય. આમ, ખેડૂતો કૃમિ નિયંત્રણ માટે જણાવેલી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી કૃમિ જન્ય રોગોનું અસરકારક નિયંત્રણ તેમજ તેનાથી થતાં ૪૦-૫૦ ટકા જેટલા નુકસાનને અટકાવી આર્િથક ફાયદો મેળવી શકાય છે. કૃમિ નિયંત્રણ માટે જૈવિક નિયંત્રકો વિવિધ યુનિર્વિસટીઓ તેમજ ખાનગી કંપનીઓમાંથી પણ મળી રહે છે, જેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવાથી કૃમિનું નિયંત્રણ કરી શકાય છે.

ગાદી ક્યારામાં ખુલ્લા ખેતરમાં ધરું ઉત્પાદન માટેના ઉપાયો

* ધરૃવાડિયાની જગ્યાએ બાજરીના ઢૂંસા, ઘઉંનું ભૂસું, ડાંગરના ફોતરાં અથવા નકામો કચરો ૭ કિગ્રા/ચોમી મુજબ પાથરી પવનની વિરુદ્ધ દિશામાં સળગાવવું. જેને "રાબીંગ"કહેવામાં આવે છે.
* ઉનાળામાં એપ્રિલ-મે માસ દરમિયાન ધરૃવાડિયાની જમીનમાં પાણી આપી વરાપે ખેડી ૧૦૦ માઈક્રોનનું પારદર્શક પ્લાસ્ટિક ૧૫ દિવસ સુધી હવાચુસ્ત રીતે ઢાંકી રાખવાથી (સોઈલ સોલરાઈઝેશન)જમીનમાં કૃમિ તથા રોગ-જીવાતનું નિયંત્રણ કરી શકાય છે.
* કૃમિનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં હોય તેવી જમીનમાં કાર્બોફ્યુરાન અથવા ફોરેટ ૫૦ ગ્રામ પ્રતિ ચોમી ઉપયોગ કરી શકાય. ટ્રાયકોડર્મા હર્જીએનમ અને સ્યુડોમોનાસ ફ્લુઓરેસેન્સ જેવા જૈવિક નિયંત્રકોનો ૫૦ ગ્રામ પ્રતિ ચોમી ઉપયોગ કરી શકાય.


જૈવિક નિયંત્રકો : જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવામાં આવેલ હોય તો દર ચાર દિવસે પાણી આપી પૂરતું ભેજ જાળવી રાખવું જરૃરી છે. આ નિયંત્રકોની પૂર્ણ અસરકારકતા માટે સેન્દ્રીય ખાતરનું વિઘટન થવું જરૃરી છે જેને ધ્યાને લઈ ક્યારામાં બીયારણ નાંખવા માટે ઓછામાં ઓછો પંદર દિવસનો ગાળો રાખવો. 

Sunday, 7 December 2014

બીટી કોટનમાં જીવાતો બીટીપ્રૂફ બની

 

કપાસમાં કાબરી અને ગુલાબી ઇયળનો વધતો ઉપદ્રવ :  ખેડૂતોએ બીટી સાથે દેશી કપાસની હાર વાવવાનું ટાળતાં ૧૦ વર્ષના અંતે જીવાતોએ બીટી જીનને પચાવી લીધું  :  બીટી જીનની અસર સામે જીવાતો પાવરફૂલ બનતાં ખેડૂતોને કપાસમાં નુક્સાની વધી  : રાજ્યમાં દરિયાઇ પટ્ટીના વિસ્તાર કોડિનાર, ધારી, સાવરકુંડલા અને જાફરાબાદ, રાજુલા જેવા વિસ્તારમાં ગુલાબી ઇયળનો વધુ ઉપદ્રવ  : નવી નીતિમાં બીટી સાથે નોન બીટી મિક્સ કરવાની યોજનાઓ ઘડાઇ છે પરંતુ હવે આ અમલવારી મોડી

ગુજરાતમાં કપાસની હેક્ટરદીઠ ઉત્પાદકતા વધારવામાં બીટી કોટનનો સિંહફાળો છે. આજે હેક્ટરદીઠ ઉત્પાદકતા એ બીટી કોટનને આભારી છે. રાજ્યમાં ૮૦ ટકા કપાસની વાવણી બીટી કોટનની થાય છે, પરંતુ ખેડૂતોની મનમાનીને પગલે રાજ્યમાં બીટી કોટનની ટેકનોલોજીને અસર પહોંચી છે. બીટી કોટનના વાવેતરમાં દેશી કોટનનું વાવેતર ફરજિયાત કરવાનું ખેડૂતોએ છોડી દેતાં આજે બીટી કોટનમાં આવતી જીવાતો બીટી પ્રૂફ બનવા લાગી છે. ખેતરોમાં હવે જીવાતોનો ઉપદ્રવ વધવા લાગ્યો છે. આ વર્ષે તેની અસર જોવા મળતાં વૈજ્ઞાાનિકો પણ અચંબામાં મૂકાયા છે. સૌથી વધુ નુક્સાન કરતી ગુલાબી ઇયળને કંટ્રોલ કરવી હવે મુશ્કેલ સાબિત થઇ રહી છે. જીવાતો બીટી જીનની ક્ષમતાને પચાવી ગઇ હોય તેવું ચિત્ર ઉદ્ભવ્યું છે. રાજ્યમાં બીટી કોટનને ૧૦ વર્ષથી વધુ સમય થવાની સાથે ખેડૂતો પોતાની ભૂલને પગલે હવે નુક્સાન ભોગવી રહ્યા છે. જો આ જ સ્થિતિ રહી તો આ જીવાતોને કપાસમાં નુક્સાન કરતાં અટકાવવાના નવા ઉપાયો કે નવા જીનનું કૃષિ વિભાગે સંશોધન કરવું પડશે. જોકે, નવી નીતિમાં બીટી સાથે નોન બીટી મિક્સ કરવાની યોજનાઓ ઘડાઇ છે પરંતુ હવે આ અમલવારી મોડી થઇ રહી હોવાનું સંશોધકો જણાવી રહ્યા છે.     
દે શમાં કપાસ એ અગત્યનો વિદેશી હૂંડિયામણ કમાઇ આપતો રોકડિયો પાક છે. કપાસ ઉગાડતા રાજ્યોમાં ગુજરાત એ મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં આશરે ૨૫થી ૨૭ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થવાની સાથે ૧૦૦થી ૧૧૦ લાખ ગાંસડી રૃનું ઉત્પાદન થાય છે. પાકમાં ઉત્પાદન પર અસર કરતા પરિબળો પૈકી જીવાતો સામે પાક સંરક્ષણ એ અગત્યનું પરિબળ છે. કપાસના પાકને ઘણી બધી જીવાતો નુક્સાન કરે છે. કપાસમાં જીવાતોના ઉપદ્રવથી ઉત્પાદનમાં ૧૦થી ૧૫ ટકાનો સીધો ખેડૂતોેને ફટકો પડે છે. કપાસના પાકમાં જીવાતો અલગ-અલગ ચાર તબક્કે પાકમાં આવતી હોય છે. કપાસમાં શરૃઆતના તબક્કામાં રસ ચૂસીને નુકસાન કરતી જીવાતોમાં મોલોમશી, તડતડિયા, થ્રિપ્સ, સફેદમાખી, રાતા ચૂસિયા અને મિલીબગ એ મુખ્ય છે. જ્યારે ડૂંખ, ફૂલ ભમરી અને જીંડવાને નુક્સાન કરતી જીવાતોમાં ટપકાંવાળી ઇયળ, લીલી ઇયળ, ગુલાબી ઇયળ અને  લશ્કરી ઇયળ એ મુખ્ય છે. આ જીવાતો બહુભોજી હોવાથી કપાસ સિવાયના પાકોને પણ નુક્સાન કરે છે. સમસ્યા સૌથી મોટી એ છે કે ખેડૂતો કપાસના પાકમાં આડેધડ દવાઓનો ઉપયોગ કરતા હોવાથી જીવાતોના કુદરતી દુશ્મનોનો પણ નાશ થઇ રહ્યો છે. પરિણામે જીવાતો હવે પાકમાં આક્રમક બની રહી છે. ખેડૂતો સંકલિત નિયંત્રણમાં પણ કાબરી ઇયળ, લીલી ઇયળ, લશ્કરી ઇયળ તથા ગુલાબી ઇયળના નરને આકર્ષવા ફેરોમોન ટ્રેપ દરેક માટે એક હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવામાં આવે તો તેમને નાથી શકાય છે. ડિસેમ્બરથી જાન્યુઆરીમાં ગુલાબી ઇયળ એ ફૂલભમરીની અંદર કાણું કરીને ઇંડું મૂકે છે. જીંડવું જેમ મોટું થાય તેમ તેમ ઇયળ મોટી થાય છે.
જીંડવું પરિપક્વ થાય ત્યારે તે ખૂલવા દેતી ન હોવાની સાથે ખૂલે તો પેશીના રૃપમાં બહાર આવે છે. તે કપાસીયો ખાઇ જવાની સાથે રૃનો ઢગલો થાય ત્યારે જમીનમાં પણ જોવા મળે છે. આ વર્ષે રાજ્યમાં કપાસના ખેતરમાં ગુલાબી ઇયળ અને રેડકોટન બગનો ઉપદ્રવ વધ્યો છે. જેના માટે ખેડૂતો જ જવાબદાર છે. છેલ્લા ૧૦ વર્ષથી ખેડૂતોએ દાખવેલી અક્ષમ્ય બેદરકારીને પગલે હવે જીવાતો પણ બીટીપ્રૂફ બનવા લાગી છે. જેની પર હવે દવાઓની પણ અસર થતી નથી. એકવાર જીવાત બીટી પ્રૂફ બન્યા બાદ તેનો વંશવેલો હવે કપાસના પાકને નુક્સાન પહોંચાડી રહ્યો છે. ખેડૂતોએ શરૃઆતમાં આવતી રોગ-જીવાત સામે રોકવાના અસરકારક પગલાં ભર્યાં હોત તો ખેડૂતો માટે વિક્ટ સ્થિતિ પેદા થઇ ન હોત.




ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવી ઇયળનું રિસર્જન અટકાવી શકાય

કપાસમાં હાલમાં સૌરાષ્ટ્રમાં ગુલાબી ઇયળનો સૌથી મોટો ઉપદ્રવ છે. કપાસના છેલ્લા સ્ટેજ પર ગુલાબી ઇયળનો ઉપદ્રવ આવતો હોય છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, જામનગર, રાજકોટ જિલ્લામાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધારે છે. દર વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ રહેતો હોય છે. આ વર્ષે કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેતાં ગુલાબી ઇયળ વહેલી આવી છે. હાલમાં કપાસમાં આ જીવાતનો ઉપદ્રવ અલગ-અલગ સ્ટેજે હોવાથી નુક્સાનની સરેરાશ તુલના કરવી અશક્ય છે. આમ છતાં ગુલાબી ઇયળની નુક્સાનનો ભોગ ખેડૂતો બની રહ્યા હોવાનું કપાસ સંશોધન કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાાનિક ડો. ખાનપરાએ જણાવ્યું હતું. હવે આ ઇયળોને રોકવી શક્ય ન હોવાથી ખેડૂતોને નુક્સાન જવાની સંભાવના વધુ છે. હાલમાં કપાસના છોડમાં ટોક્સીપ્રોસિનનું પ્રમાણ ઓછંુ હોવાથી આ ઇયળોનો ઉપદ્રવ વધ્યો છે. છોડ સૂકાતા તેમાં ઝેરનું પ્રમાણ ધીમેધીમે ઓછું થતું જાય છે અને ગુલાબી ઇયળ પોતાનો રંગ દેખાડતી હોય છે. રાજ્યમાં ખાસ કરીને દરિયાઇ પટ્ટીના વિસ્તાર કોડિનાર, ધારી, સાવરકુંડલા, ઝાફરાબાદ, રાજુલા જેવા વિસ્તારમાં ગુલાબી ઇયળનો વધુ ઉપદ્રવ છે. કપાસની છેલ્લી પરિપક્વ અવસ્થાએ હોવાથી આ ઇયળને કન્ટ્રોલ કરવું એ ખેડૂતો માટે આર્િથક રીતે ફાયદાકારક નથી. કપાસની વીણી પૂરી થઇ ગયા બાદ ખેતરમાં ઘેટાં બકરાં ચરાવી આગામી ખરીફ સિઝનમાં ગુલાબી ઇયળનું રિસર્જન અટકાવી શકાય છે. ગુલાબી ઇયળ એ કોશેટામાં રહેતી હોવાથી તે ખરી પડયા તેનાં ઇંડાં જમીનમાં ઉતરી તક મળે ત્યારે ફરી બહાર આવી કપાસને નુક્સાન કરે છે. 

કપાસમાં કાબરી અને ગુલાબી ઇયળ આવી

રાજ્યમાં રૃના ઓછા ભાવને પગલે ખેડૂતો બૂમરાણ મચાવી રહ્યા છે. હવે ટેકાના ભાવ પણ વધવાની શક્યતા ન હોવાથી ખેડૂતો માટે કપાસનું આ વર્ષ ફેઇલ જવાની શક્યતા છે. પરિણામે ખેડૂતો હવે કપાસ કાઢીને રવી સીઝનના પાકોના વાવેતરની પણ તૈયારીઓ આરંભી દીધી છે. રાજ્યમાં કપાસના પાકમાં આ વર્ષે કાબરી અને ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ અને કમોસમી વરસાદને પગલે ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધુ રહ્યો છે. ખાસ કરીને બીટી કોટનમાં નવરાત્રી અને દિવાળીની આસપાસ ગુલાબી ઇયળનો ઉપદ્રવ શરૃ થતો હોય છે. જેની સીધી અસર નવેમ્બર કે ડિસેમ્બરમાં દેખાય છે.  બીટી કોટનના બિયારણમાં ૪૫૦ ગ્રામ બીટી અને ૧૫૦ ગ્રામ નોન બીટી કપાસનું બિયારણ આવે છે. જે ખેડૂતોએ ખેતરના શેઢા પર બે હારમાં વાવેતર કરવાનું હોય છે. જેથી જીવાતો નોન બીટીમાંથી બીટી કપાસમાં ના આવે પરંતુ ખેડૂતોએ બીટી કપાસ સાથે નોન બીટીનું વાવેતર જ ટાળી દેતાં જીવાતોએ બીટી કપાસમાં સક્રિય થઇને બીટીના રજિસ્ટન્સ મેળવી લીધા છે. પરિણામે હવે બીટી કોટનમાં જીવાતોનો ધીમેધીમે ઉપદ્રવ વધવા લાગ્યો છે.  આ જીવાતોનો ઉપદ્રવ વધતાં કપાસની ગુણવત્તા બગડવાની સાથે કપાસ હલકો થઇ જતાં ખેડૂતોને આવકમાં પણ ફટકો પડી રહ્યો છે. આ વર્ષે કપાસમાં આ જીવાતોનું પ્રમાણ વધુ રહેતાં કપાસના ઉત્પાદન પર સીધી અસર થવાની પણ શક્યતા છે.


ઇયળનો શા માટે ઉપદ્રવ વધ્યો

* બીટી કપાસમાં લીલી ઈયળનો ઉપદ્રવ ન જણાતા કે નહીંવત્ રહેતો હોવાથી દવાના છંટકાવ ઓછા થાય જેથી આ જીવાતની વસતી વધવાની શક્યતાઓ વધી જાય છે.
* આ જીવાતનું નુકસાન જીંડવાંની અંદર થતું હોવાથી ખેડૂતો નુકસાન જોઈ શકતા નથી અને તેના માટે આ જીવાત સામે સજાગતા વિકાસ પામી નથી. જીવાત જીંડવાંમાં રહીને નુકસાન કરતી હોવાથી કીટનાશી દવા ઈયળ સુધી પહોંચી શકતી નથી.
* ખેડૂતો મોટે ભાગે પાકની પાછલી અવસ્થાએ દવા છાંટવાનું બંધ કરતાં હોય છે અને આ જીવાતનો ઉપદ્રવ પાકની પાછળની અવસ્થામાં વધારે રહેતો હોય છે.
* આ જીવાતના કુદરતી દુશ્મનો પણ બીજી અન્ય જીવાત કરતાં ઘણાં ઓછા હોવાથી જૈવિક નિયંત્રણનો કાર્યક્ષમ ઉપયોગ લઈ શકતો નથી.
* ખેડૂતો મોટે ભાગે કપાસ પૂરો થયેથી તેની કરાંઠીઓ ખેતરમાં એક જગ્યાએ બળતણ માટે મૂકી રાખે છે. આમ કરવાથી આ જીવાત અવશેષ પ્રભાવનો લાભ મળે છે.
* આ જીવાતને લીધે કપાસના ઉત્પાદનમાં નરી આંખે દેખાય તેવું નુકસાન ઓછું થતું હોવાથી ખેડૂતો તેના તરફ વધારે ધ્યાન રાખતા નથી. હકીકતમાં આ જીવાતથી કપાસની ગુણવત્તા ઉપર ખૂબ જ માઠી અસર પહોંચતી હોય છે અને સારા ભાવ મળતા નથી.
* કપાસ લોઢવાના જીન ચોમાસા સુધી ચાલુ રહેતા હોવાથી તેની આજુબાજુના ખેતરમાં આ ઈયળની શરૃઆત ખૂબ જ વહેલી થઈ જતી હોય છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Friday, 5 December 2014

ઘઉંની જાતો શોધવામાં જીવન ઘસી નાખનાર સોંદરડાના સંશોધકને મળો


સોંદરડા ગામના પ્રગતિશીલ ખેડૂત અને સંશોધક ૭૬ વર્ષની જૈફ વયે આજે પણ સંશોધન કરી રહ્યાં છે :  ઝીણવટભર્યાં અવલોકનો કરી છોડને જુદા તારવી તેની નોંધ રાખી હતી :  મુલાકાત લેવા જેવા સંશોધક :  ઘઉંના સંશોધકે દેશને ઘઉંની લોક-૧  અને રાજ્યને બીડબલ્યુ ૩૨૧, બીડબ્લ્યુ ૫૨૪ અને બીડબ્લ્યુ ૫૫૬ જાત પૂરી પાડી ધાન્યપાકોનું ઉત્પાદન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

દે શનાં ૮ રાજ્યો અને દુનિયાના વિવિધ દેશોમાં ઘઉંની લોક-૧ જાતે ડંકો વગાડયો છે. આજે લોક-૧ જાત ઘઉંના ખેડૂતોમાં વાવણી માટે બિલકુલ અતિ ઉત્તમ જાત છે. દેશને ઘઉંની લોક-૧ જાત અને રાજ્યને બીડબલ્યુ ૩૨૧, બીડબ્લ્યુ ૫૨૪ અને બીડબ્લ્યુ ૫૫૬ જાત પૂરી પાડનારા જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા ગામના અંબાવીભાઈ જેરામભાઈ ભલાણીએ ઘઉંની આ જાતો શોધવામાં જીવન ઘસી નાખ્યું છે અને ૭૬ વર્ષની જૈફ વયે પણ સંશોધન કરી રહ્યાં છે. લોક-૧ ઘઉંની જાતના સંશોધન અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મૂળ પાલિતાણાના ડો. ઝવેરભાઈ પટેલ અમેરિકા જઈ પ્લાન્ટ બ્રીડિંગમાં પી.એચડી. કરીને આવ્યા હતા અને તેઓએ લોકભારતી સંસ્થામાં વર્ષ ૧૯૬૭માં ઘઉં પર સંશોધનનું કામ શરૃ કર્યું હતું. તેમાં હું મદદનીશ તરીકે જોડાયો હતો. ઝવેરભાઈ પાલિતાણા રહેતા હતા એટલે તેઓ સવારે આવે અને અમે બંને ઘઉંનાં નિરીક્ષણો કરતા હતા.
 વાવણી અને કાપણી વિવિધ સંશોધનોમાં મને રસ પડવા લાગ્યો હતો. ઘઉંના ઉગાવા, ફૂટ, પાનના રંગ, આકાર, છોડની વર્તણૂકમાં વિવિધતા, વહેલી-મોડી પાકતી ડૂંડી, લાંબી-ટૂંકી, પહોળી-સાંકડી પૂતળીમાં વધુ-ઓછા દાણા આ બધાનું હું ઝીણવટથી નિરીક્ષણ કરતો હતો. ફેબ્રુઆરી ૧૯૬૮માં એક દિવસ હું અને ઝવેરદાદા વાવેતર કરેલા ક્યારાની લાઈનો જોતાં હતા ત્યારે તેઓ ઊભા રહી ગયા હતા અને મને પૂછયું હતું કે, આ બે લાઈનમાં શો તફાવત છે?' બંને લાઈનમાં છોડની ઊંચાઈ, ડૂંડીનો આકાર, રંગ, દેખાવ બધુ સરખું લાગે. મેં બારીકાઈથી જોઈને જવાબ આપ્યો હતો કે દાદા આ લાઈનની ડૂંડીની પૂતળીમાં આપણા માથાના વાળ કરતાંય પાતળી રુવાંટી છે. જ્યારે બીજી લાઈનની ડૂંડીમાં નથી. ઝવેરદાદાએ મને શાબાશી આપી અને કહ્યુંં કે હવે તું સાચો સંશોધક છે. ત્યારબાદ તેઓ ઘઉંના છોડમાં રહેલા જીવન અને તેની શૈલીની જાણકારી, વૈજ્ઞાાનિક તથ્યોનું જ્ઞાાન મને આપવા લાગ્યા. સવારના આઠથી સાંજના ચાર વાગ્યા સુધી ઘઉં સિવાય કોઈ વાત કરીએ નહીં. ઘઉંમાં સંકરણનું કામ મેં શીખી લીધું હતું.
ત્યારબાદ વર્ષ ૧૯૬૯માં જૂનાગઢ સંશોધન કેન્દ્રમાંથી ઘઉંની કેટલીક મેક્સિકન જાતો અમારી પાસે આવી હતી. તેમાં એસ-૩૦૮ અને એસ-૨૨૭નો સમાવેશ હતો. તે બધી જાતો વાવવામાં આવી. તેમાંથી એસ-૩૦૮ની લાઈનમાં ફૂટ નીકળવાની પૂરી થયા પછી એક છોડમાં સળી, પાન, રંગ, આકાર અને વિકાસ અન્ય કરતાં જુદો લાગ્યો. તે છોડના બધાં જ બી બીજા વર્ષે વાવ્યાં. તે દરેક છોડનો મેં અભ્યાસ કર્યો. ઝવેરદાદાએ તેમાંથી સારા છોડ પસંદ કરવા જણાવ્યું હતું. મેં ૧૦૫૦ છોડમાંથી મને ગમતા ૨૫૦ છોડમાં ટેગ લગાવ્યા અને ઝવેરદાદાએ તેમાંથી ૧૦૦ છોડ પસંદ કર્યા અને મેં ૧૫૦ છોડ રાખ્યા. દાદાએ મને અલગ ચોપડો તૈયાર કરી નોંધ કરવા સૂચવ્યું અને અમે બંને અમારી રીતે કામ કરવા લાગ્યા. ઘઉં સંશોધનમાં નવી જાતો તૈયાર કરવામાં સંકરણ કરવામાં આવતું, પરંતુ એસ-૩૦૮માંથી જે વિશિષ્ટ છોડ પસંદ કરવામાં આવેલો તેનું સંશોધન પસંદગી પદ્ધતિથી આગળ વધ્યું હતું. આખરે અંબાવીભાઇએ સફળતા મેળવી હતી.

દિવસના ૧૦થી ૧૨ કલાક સંશોધન કાર્યમાં પસાર કરે છે

અંબાવીભાઈ ભલાણીએ જણાવ્યું હતું કે, ૧૧ વર્ષ સુધી લોક-૧ પર સંશોધન કરાયા બાદ સત્તાવાર રીતે ગુજરાત સરકારે ૧૯૭૯માં લોક-૧ને રિલીઝ કરી હતી જ્યારે કેન્દ્ર સરકારે વર્ષ ૧૯૮૨માં લોક-૧ને સત્તાવાર રિલીઝ કરી હતી. હાલ આ લોક-૧ ઘઉંની ૮ રાજ્યમાં વાવણી થાય છે. જ્યાં જ્યાં લોક-૧ની વાવણી થાય છે ત્યાં વર્ષ ૨૦૧૨માં રિલીઝ થયેલી બીડબ્લ્યુ ૩૨૧, બીડબ્લ્યુ ૫૨૪ અને બીડબ્લ્યુ ૫૫૬ પણ અનુકૂળ આવી રહી છે. આ બીડબ્લ્યુ જાતોના સંશોધન પાછળ પણ રસપ્રદ કિસ્સો રહેલો છે. અંબાવીભાઈએ જણાવ્યું હતું કે, અમે વર્ષ ૧૯૯૭માં કર્નાલમાં મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્રમાં બધા વૈજ્ઞાાનિકોનું સંમેલન યોજાયું હતું, ત્યારે મેક્સિકોના ઘઉં સંશોધન કેન્દ્રના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે હવે સંકર જાતોનું કોઈ પરિણામ નથી મળી રહ્યું અને વધુ ઉત્પાદન પણ નથી મળી રહ્યું એટલે આ આખી વાતને કુદરતી રીતે તૈયાર કરવાનો મેં વિચાર કર્યો હતો અને સંશોધન શરૃ કર્યાં હતાં અને લોકો સમક્ષ બીડબ્લ્યુની ત્રણ જાત રજૂ કરી હતી. અંબાવીભાઈ આજે ૭૬ વર્ષની ઉંમરે પણ દિવસના ૧૦થી ૧૨ કલાક સંશોધન કાર્યમાં પસાર કરે છે તેમનો ઉદ્દેશ્ય વધારે ઉત્પાદન આપતી જાતો ખેડૂતોને સર્મિપત કરી દેશને કૃષિક્ષેત્રે મદદરૃપ થવાનો રહ્યો છે.



વર્ષ ૧૯૭૯માં લોક-૧ના નામે ઘઉંની જાત રિલીઝ થઈ


વર્ષ ૧૯૬૯માં જે ૧૫૦ છોડનાં બી ના પ્રયોગોને આગળ લઈ ગયો હતો તેમાંથી ૧૯૭૪માં જે જાત તૈયાર થઈ તેને મેં હાઈબ્રીડ-૧૬ નામ આપ્યું હતું. આ સિવાયની તૈયાર થયેલી જાતો તથા દાદાએ જે ૧૦૦ છોડ પસંદ કરેલા તેમાંથી તૈયાર થયેલી ૩થી ૪ જાતો એમ કુલ ૮ જાતો જૂનાગઢ સંશોધન કેન્દ્રમાં ચકાસણી કરવા માટે મોકલી હતી. અહીં જુદાં જુદાં સંશોધન કેન્દ્રમાં ચકાસણી કરવામાં આવી હતી અને જૂનાગઢ કેન્દ્રમાં હાઈબ્રીડ-૧૬ કલ્ચરની પસંદગી થઈ હતી. વર્ષ ૧૯૭૪થી ૧૯૭૮ સુધી સેન્ટ્રલ ઝોનમાં તેના ટ્રાયલ થયાં અને વર્ષ ૧૯૭૯માં લોક-૧ના નામે રિલીઝ થઈ હતી. 

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Wednesday, 3 December 2014

ચણા ખેડૂતોનું નસીબ ચમકાવશે


બે વર્ષથી ટેકાથી પણ નીચો રહેતો ભાવ, પરંતુ આ વર્ષે ચિત્ર બદલાશે : ચણાના વાવેતર અને ઉત્પાદનમાં ઘટાડો, મજબૂત માંગ, ટેકાના ભાવમાં વધારો થવાથી ચણાના ભાવ ઊંચા રહે તેવી શક્યતા : ચણાનું વાવેતર ઓછું રહ્યું તો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃ.૩૩૦૦ પહોંચશે : ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૩૧૭૫ : સરકારે ઉત્પાદનનો અંદાજ પણ ઘટાડયો : ૨૮મી નવેમ્બર સુધીમાં દેશમાં ૬૩.૮૫ લાખ હેક્ટરમાં વાવેતર : ખરીફ સીઝનમાં ૬૦.૦૨ લાખ ટન કઠોળના ઉત્પાદન સામે ૫૨ લાખ ટન ઉત્પાદન થવાની ગણતરી : ૧૯૫ લાખ ટન કઠોળનું ઉત્પાદન થવાની સંભાવના

છેલ્લાં બે વર્ષથી ટેકાના ભાવથી પણ નીચી કિંમતે ચણાનું વેચાણ કરતા ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે ચણાના ભાવ મજબૂત રહેવાની સંભાવના છે. ચણાના વાવેતર અને ઉત્પાદનમાં ઘટાડો, મજબૂત માંગ તેમજ ટેકાના ભાવમાં વધારો થવાથી ચણાના ભાવ ઊંચા રહે તેવી શક્યતા છે. આમ છતાં સ્ટોકને પગલે વધુ ઉછાળો આવે તેવી સંભાવના ઓછી છે. રાજ્યમાં પ્રતિ હેક્ટરે એક ટન ઉત્પાદિત થતા ચણાના વાવેતરમાં ૨૮મી નવેમ્બર સુધીમાં ૧૨ લાખ હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. સરકારે પણ ચણાનું ઉત્પાદન ઘટાડીને ૯૩ લાખ ટન થાય તેવો અંદાજ મૂક્યો છે. ૨૦૧૩-૧૪માં ચણાનું રેકોર્ડબ્રેક ૯૮ લાખ ટન ઉત્પાદન થયું હતું. ચણાનું વાવેતર ઘટવાના સંજોગો વચ્ચે વાવેતર ઓછું રહ્યું તો ચણાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃ.૩૩૦૦ પહોંચે તેવી પણ સંભાવના છે. ચણા એ રવી સીઝનનો મુખ્ય કઠોળ પાક હોવાથી ગુજરાતમાં પણ ચણાનું કઠોળમાં સૌથી વધુ વાવેતર થાય છે.

ર વી સીઝનનો મુખ્ય પાક ગણાતા ચણાની ખેતી ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં કરવામાં આવે છે. ખરીફની સાથે સાથે રવી સીઝનનો મુખ્ય પાક ગણાતા ચણાની ખેતી કરતા ખેડૂતોને આ વર્ષે ભાવ સારા મળે તેવી સંભાવનાઓ છે. આ વર્ષે રવી સીઝનની અંદર વાવણી પુરજોશમાં શરૃ થઈ ગઈ છે અને ૨૮ નવેમ્બર સુધી ચણાની કુલ ૬૩.૮૫ લાખ હેક્ટરની અંદર વાવણી પૂર્ણ થઈ ગઈ  છે. જ્યારે કે ગત વર્ષે ૭૫.૭૯ લાખ હેક્ટર વિસ્તારની અંદર વાવણી થઈ હતી. જો કે આ વાવણી હજુ પણ આગામી દિવસોમાં પોઝિટિવ ટોનમાં રહે તેવી પણ સંભાવનાઓ છે. રવી વાવણી મોડી થતા પાછલા કેટલાંક દિવસોની અંદર કઠોળના ભાવની સાથે સાથે ચણાના ભાવમાં પણ થોડો વધારો જોવા મળ્યો હતો. ચણાનો પૂરતો પુરવઠો, વટાણાની આયાત તેમજ ખરીફ સીઝનની અંદર કઠોળના મોડા ઉત્પાદનના અંદાજને કારણે ભાવમાં દબાણ જોવા મળી શકે છે.
ભારતમાં આ વર્ષે ચણાનું ઉત્પાદન ઘટે તેવી સંભાવના છે. ૨૮મી નવેમ્બર સુધીમાં દેશમાં ૬૩.૮૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ગત વર્ષે ૭૫.૭૯ લાખ હેક્ટર હતું. દેશમાં પ્રતિ હેક્ટરદીઠ ઉત્પાદકતા ૧ ટન છે એટલે કે જેટલા હેક્ટર વાવેતરમાં ઘટાડો એટલા ટન ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે. ભારતમાં કઠોળનું વાવેતર વધે તેવા ઓછા સંજોગો અને કેનેડામાં પણ કઠોળનું ઉત્પાદન ઘટે તેવી શક્યતાથી કઠોળના ભાવમાં સુધારો થવાની સંભાવના છે. ગત વર્ષે ૯૭ લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર થતાં ઉત્પાદન ૯૮ લાખ ટન થયું હતું. વર્ષ ૨૦૧૩-૧૪માં ચણાના રેકોર્ડબ્રેક ઉત્પાદનથી ચણાનો ભાવ એમએસપીથી પણ નીચો જતો રહ્યો હતો. હાલમાં ચણાના ઘટતા વાવેતરને પગલે ભાવમાં સુધારો આવવાની સંભાવના છે. ચણાના ભાવમાં વધારો થવાની મુખ્ય શક્યતાઓમાં ચણાના વાવેતરમાં ઘટાડો, કમજોર આવક, કઠોળનું ઉત્પાદન ઘટવાની આશંકા અને એમએસપીના ભાવમાં વધારો થવાની સાથે મજબૂત માંગથી ચણાના ભાવમાં વધારો થવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોથી ચણાની માંગ વધતાં ભાવમાં સુધારો થયો છે. દિલ્હીમાં ચણાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૩૧૦૦થી ૩૧૫૦ ચાલી રહ્યો છે. ચણાના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય મધ્યપ્રદેશમાં પણ હવે આવકો ઘટવાની સાથે સારી ગુણવત્તાવાળા ચણાના આગમનથી પણ ભાવમાં સુધારો જોવા મળ્યો છે. આમ છતાં સ્ટોકને પગલે ભાવમાં વધુ સુધારો થવાની સંભાવના બહુ જ ઓછી છે. ચણાના છેલ્લાં બે વર્ષથી ઘટતા ભાવને પગલે ખેડૂતો રાઇ અને ધાણાની ખેતી તરફ વળે તેવી સંભાવના છે.
૨૦૧૪-૧૫માં કૃષિ વિભાગે પણ ચણાનું ઉત્પાદન ઘટાડીને ૯૩ લાખ ટન થવાનો અંદાજ મૂક્યો છે. સરકારના પ્રથમ અંદાજમાં પણ ખરીફ સીઝનમાં ૬૦.૦૨ લાખ ટન કઠોળના ઉત્પાદન સામે ૫૨ લાખ ટન ઉત્પાદન થવાની ગણતરીઓ છે. સરકારે ચણાના ટેકાના ભાવમાં પણ ૭૫ રૃપિયાનો વધારો કર્યો છે. ચણાનો ટેકાનો ભાવ હાલમાં રૃ.૩૧૭૫ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે. આયાતના આંક જોઈએ તો એપ્રિલથી ઓગસ્ટ માસ સુધીમાં ૨૦.૧૬ લાખ ટન કઠોળની આયાત થઈ છે. જે ગત  વર્ષે ૧૭.૮૩ લાખ ટન હતી.  ચાલુ નાણાકીય વર્ષમાં ૩૦થી ૩૫ લાખ ટન કઠોળની આયાત થવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે ૩૧ ડિસેમ્બર બાદ ચણા સિવાયનાં તમામ કઠોળની ડયૂટી ફ્રી આયાતની મુદત ૩૧મી માર્ચ સુધી વધારી દીધી છે.

કેનેડામાં કઠોળ પાકના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના

ભારતમાં સૌથી વધુ કઠોળની આયાત કેનેડાથી થાય છે. ચાલુ વર્ષે કેનેડામાં પણ ચણાની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કેનેડામાં ચણાનું ઉત્પાદન ૧.૭૭ લાખ ટનથી ઘટીને ૧.૪૧ લાખ ટન રહે તેવી શક્યતા છે. ૨૦૧૩-૧૪ના વર્ષમાં ૪૪ લાખ ટન કઠોળની આયાતમાં ૧૫ લાખ ટન કઠોળ કેનેડાથી આયાત કરાયું હતું. વર્ષ ૨૦૧૪-૧૫ના શરૃઆતના પાંચ મહિનામાં પણ ૨૦.૧૬ લાખ ટન કઠોળની આયાતમાં ૬.૯૬ લાખ ટન કઠોળ કેનેડાથી આયાત કરાયું છે, પરંતુ હવે કેનેડામાં જ કઠોળનું ઉત્પાદન ઘટે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. 

દેશમાં પ્રથમ પાંચ મહિનામાં જ કઠોળની આયાત ૧૩ ટકા વધી

આર્િથક બાબતોની કેબિનેટ કમિટી (સીસીઈએ) દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫ની સીઝન માટે ચણાના લઘુતમ ટેકાના ભાવ ૩૧૭૫ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયા છે. જ્યારે કે ગત વર્ષે ભાવ ૩૧૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યા હતા. વર્ષ ૨૦૧૩-૧૪ની સીઝનમાં ચણાનું રેકોર્ડબ્રેક ઉત્પાદન આવતાં પાછલા કેટલાક મહિનાઓમાં માર્કેટની અંદર માંગ ઓછી રહેતા ભાવમાં થોડો ઘટાડો પણ જોવા મળ્યો હતો. દેશમાં ૨૮ નવેમ્બર સુધીમાં આ વર્ષે ૬૩.૮૫ લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે. જ્યારે કુલ કઠોળપાકોનું ૮૦ લાખ હેક્ટરની અંદર વાવેતર કરવામાં આવ્યું છે. 'સીસીઈએ' દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫ માટે અડદ અને તુવેરના લઘુતમ ટેકાના ભાવમાં રૃપિયા ૫૦નો વધારો કરવામાં આવ્યો હતો અને ભાવ ૪૩૫૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવ્યા હતા. તેવી જ રીતે મગના ભાવમાં પણ ૧૦૦ રૃપિયાનો વધારો કરાયો હતો અને ભાવ ૪૬૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલે પહોંચ્યો હતો.
આયાત-નિકાસના વેપારની વાત કરવામાં આવે તો અપેડાના મત પ્રમાણે ભારતમાંથી વર્ષ ૨૦૧૪માં એપ્રિલથી જૂન માસની અંદર કઠોળ પાકોની નિકાસમાં ૨૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૩ની સીઝનની અંદર ભારતે ૨.૩ બિલિયન અમેરિકન ડોલરનાં કુલ કઠોળની આયાત કરી હતી જે આગામી વર્ષ કરતાં ૨૮ ટકા વધારે માનવામાં આવે છે. જ્યારે વર્ષ ૨૦૧૩-૧૪ની સીઝનની અંદર આયાતમાં સીધો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે આ વર્ષે વધુ ઉત્પાદનના અંદાજોને કારણે આયાતમાં ૧૧ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે તેમ જાણકારોનું માનવું છે. હાલ તો સારી માંગ, એમએસપીમાં થયેલો વધારો તેમજ ખરીફ સીઝનના કઠોળ પાકોના મોડા ઉત્પાદનને કારણે ભાવ પર સીધી અસર જોવા મળી શકે છે.  દેશમાં કઠોળના સતત વધી રહેલા ભાવને કારણે તેની આયાતમાં પણ વધારો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં કઠોળની આયાતમાં ૧૩ ટકાનો વધારો નોંધાયો છે.
દેશના કુલ કઠોળપાકના ઉત્પાદનમાં માત્ર ચણાના ઉત્પાદનનો હિસ્સો ૪૮થી ૫૦ ટકાનો રહે છે. આ વર્ષે ઉત્પાદન સારુંં રહેતા ભાવ પણ સારા રહેશે તેમ તેવું વેપારીઓ અનુમાન લગાવી રહ્યાં છે. પાછલા કેટલાક મહિનાઓમાં ચણાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ એક મહિનાની અંદર એટલે કે નવેમ્બર માસની અંદર એનસીડીએક્સ ખાતે ચણાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. વેપારીઓના મતે આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી માસ દરમિયાન લગ્નની સીઝનમાં ચણાની માંગમાં વધારો થશે. ચણાની  માંગ વધશે તો તેની સામે ભાવ પણ વધે અને ડિસેમ્બર તેમજ જાન્યુઆરી માસ દરમિયાન ચણાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે વધારો રહેશેે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..


Wednesday, 26 November 2014

કપાસ : ખેડૂતોની સાથે રાજ્યના અર્થતંત્રને પણ અસર કરશે


ખેડૂતોને સીસીઆઇના ભરોસે છોડી દેવાયા : સીસીઆઇની ખરીદી પણ ખેડૂતોને નુકસાનીમાંથી નહીં બચાવી શકે : ખેડૂતોનો બંને બાજુ મરો  : ઉત્પાદન વધે તો પણ નુકસાન અને ઘટે તો પણ નુકસાન : કપાસના ભાવ વધે તેવી શક્યતાઓ ઘણી જ ઓછી : માર્ચ ૨૦૧૫ બાદ ભાવમાં સુધારો થવાની સંભાવના : જૂનાગઢ કૃષિ યુનિ.ના અંદાજ મુજબ દેશમાં રૃનું ઉત્પાદન ૩૪૬ લાખ ગાંસડી અને ગુજરાતમાં ૧૦૫ લાખ ગાંસડી રૃ પાકશે :  કપાસનું ૧૨૦ લાખ ગાંસડી ઉત્પાદન થવાનો અંદાજ :  ખેડૂતોને સરેરાશ ગત વર્ષની તુલનાએ મણે રૃ.૧૬૦ ઓછો મળતો ભાવ      ( 01 /12/ 2014 ની સ્થિતિ )

ગુ જરાતના ખેડૂતોના આધારસમા કપાસના પાકમાં ઓછા ભાવથી ખેડૂતો બૂમરાણ મચાવી રહ્યા છે. રાજ્યમાં ટેકાના ભાવના ખરીદકેન્દ્રો શરૃ થયાં છતાં પણ ખેડૂતોને પ્રતિ મણ ગત નવેમ્બરની તુલનાએ રૃ.૧૬૦ ઓછા મળી રહ્યા છે. રાજ્યમાં રેકોડબ્રેક ૩૦ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે અને ઉત્પાદન ૧૨૦ લાખ ગાંસડી થવાના અંદાજો મુકાયા છે. બીજી તરફ ચીનની કોટનનીતિમાં ફેરફાર થવાથી ખેડૂતોને કપાસની ખેતીમાં ખર્ચ પણ માથે પડી રહ્યો છે. સરકારે ટેકાના ભાવનાં ખરીદી કેન્દ્રો વધારવાની તૈયારી દર્શાવી ખેડૂતોના આ મામલામાંથી હાથ ખંખેરી લીધા છે અને હવે રૃની નિકાસ માટે નવા દેશો તરફ નજર લંબાવી છે. સરકારની ટેકાના ભાવમાં વધારો ન કરવાની સ્પષ્ટ નીતિને પગલે કપાસના ભાવના મામલાએ હવે રાજકીય રંગ ધારણ કર્યો છે. ખેડૂતોને મળી રહેલા ઓછા ભાવને પગલે આગામી દિવસોમાં રાજ્યભરમાં દેખાવો યોજાય તો નવાઇ નહીં. ખેડૂતો માટે કરમ કઠણાઇ એ છે કે, પાકનું ઉત્પાદન કરનાર ખેડૂતો ભાવ નક્કી કરી શકતા નથી.  કપાસમાં વાયદાબજારમાં પણ ૨૫૦૦ કરોડનું નુક્સાન ઇન્વેસ્ટરોએ ભોગવવું પડે તેવી શક્યતા છે. કપાસની ખેતીમાં ખેડૂતોને ફટકો સીધી અર્થવ્યવસ્થાને અસર કરશે. રાજ્યમાં ખરીફ સીઝનમાં વાવેતર કરતો પાક કપાસ ૩૦ લાખ હેક્ટરમાં વાવણી કરાય છે. ખેડૂતોની આવકમાં કપાસની આવકમાં મયમોટો હિસ્સો હોવાથી તેની સીધી અસર રાજ્યના અર્થતંત્ર પર અસર કરશે.

   દેેશમાં ખેતી જ એક એવો વ્યવસાય છે જેમાં ખેડૂતોના ભાગે હંમેશાં નુક્સાની આવે છે. ખેડૂતોના ખેતરમાં સારું પાકે તો ભાવની ભાંજગડમાં ખેડૂતો કમાણી કરી શકતા નથી. જો વરસાદ ઓછો હોય અને ઓછું પાકે તો પણ ખેડૂતોને નુકસાની ભોગવવી પડે છે. દેશમાં માત્ર ખેડૂતો જ પોતાની પ્રોડક્ટનો ભાવ નક્કી કરી શકતા નથી. રાતદિવસ કાળી મજૂરી કરીને પકવેલા અનાજના ભાવ એસી ઓફિસમાં બેસતા અને ખેતર પણ ન જોયું હોય તેવા અધિકારીઓ અને વેપારીઓ કરતા હોય છે. રાજ્યમાં સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્રના ખેડૂતોને જઇ રહ્યું છે. ગત વર્ષે મગફળીમાં પણ ખેડૂતોની આ જ સ્થિતિ રહી હતી. જેથી મગફળીથી ત્રાસીને ખેડૂતો કપાસની ખેતી તરફ વળતાં કપાસમાં પણ નુક્સાની કરી રહ્યા છે. રાજ્યમાં કપાસનું સરેરાશ ૨૫ લાખ હેક્ટરની આસપાસ વાવેતર થાય છે. આ વર્ષે ખેડૂતોએ રેકોર્ડબ્રેક ૩૦ લાખ હેક્ટરમાં વાવેતર કરતાં ઉત્પાદન ૧૨૦ લાખ ગાંસડી થવાના અંદાજો મુકાયા છે. જોકે, જૂનાગઢ કૃષિ યુનિ.ના અંદાજ મુજબ રાજ્યમાં ૧૦૫ લાખ ગાંસડી રૃનું ઉત્પાદન થશે. રાજ્યના ખેડૂતોને માર્કેટયાર્ડ અને સીસીઆઇનાં ખરીદકેન્દ્રો પરથી ગત વર્ષની તુલનાએ ૧૬૦ રૃપિયા પ્રતિ મણે ઓછો ભાવ મળી રહ્યો છે. હવે સ્થિતિ સુધરવાની શક્યતા ઘણી ઓછી હોવાથી ખેડૂતોને ગત વર્ષની તુલનાએ રૃ. ૧૬૩૨ કરોડનું નુક્સાન જવાની સંભાવના છે. ગુજરાતમાં ગત વર્ષે ૨૬.૯૧ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થતાં ઉત્પાદન ૧૨૦ લાખ ગાંસડી (રૃ) જેટલું વિક્રમજનક થયું હતું. ચાલુ વર્ષે ૨૦૧૪-૧૫માં વાવેતર વધીને ૩૦ લાખ હેક્ટરમાં થયું છે, પરંતુ ઉત્પાદન ઘટીને ૧૦૫ લાખ ગાંસડી આસપાસ થશે. ચાલુ વર્ષે ગુજરાતમાં વરસાદ એક મહિનો મોડો, જુલાઈ, ૨૦૧૪ના ત્રીજા અઠવાડિયામાં થયો હતો અને ચોમાસું મોડું શરૃ થયું હતું. જેથી ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ  અને ઉત્તર ગુજરાતમાં ભેજની તીવ્ર ખેંચ રહી છે. ઉપરાંત ઓક્ટોબર કે નવેમ્બર, ૨૦૧૪માં તાપમાન ઊંચું રહેતા લગભગ ૧૦ લાખ હેક્ટર જેટલા બિનપિયત કપાસની ઉત્પાદકતા નબળી રહેવાની સંભાવના છે. અંદાજે ૨૦ ટકા  જેટલાં ખેતરોમાં રાતડાને લીધે ઉત્પાદન પર માઠી અસર થશે. જ્યારે ૨૦ લાખ હેક્ટર જેટલા પિયત વિસ્તાર પૈકી લગભગ ૫૦ ટકા વિસ્તારમાં અપૂરતા પિયતને લીધે ઉત્પાદકતા સામાન્ય કરતાં ઓછી રહેશે. કેટલાંક ખેડૂતોએ પણ ઓછા ઉતારાની દહેશત વ્યક્ત કરી છે.

    મહારાષ્ટ્ર, રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં પણ સામાન્ય કરતાં ઓછી ઉત્પાદકતા રહેવાના અહેવાલ છે. દેશમાં ચાલુ વર્ષે કપાસનું વાવેતર વધીને ૧૨૬.૫૫ લાખ હેક્ટરમાં થયું છે. (જે ગત વર્ષે ૧૧૪.૩૭  લાખ હેક્ટર હતો) પરંતુ ઉત્પાદન (પ્રથમ આગોતરા અંદાજ તા. ૧૯-૯-૨૦૧૪ મુજબ) ૩૪૬ લાખ ગાંસડી આસપાસ રહેશે,  જે ગત વર્ષે વિક્રમજનક  ૩૬૫.૯૦ લાખ ગાંસડી મળ્યું હતું. ચાલુ વર્ષે ૨૦૧૪-૧૫માં વિશ્વસ્તરે કપાસનું ઉત્પાદન ગત વર્ષ (૧૫૫૦ લાખ ગાંસડી) જેટલું જ ૧૫૪૪ લાખ અંદાજવામાં આવ્યું છે (આઈસીએસીનો તા.૫-૧૧-૨૦૧૪નો અહેવાલ) પરંતુ અમેરિકામાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન ૨૭ ટકા જેટલું વધારે થવાનો અંદાજ છે તેમજ ચીન દ્વારા કપાસની આયાતમાં કાપ મૂકવાને લીધે અમેરિકા  અને વિશ્વબજારમાં કપાસના ભાવ ખૂબ જ ઘટી ગયા છે. (નવેમ્બર, ૨૦૧૩માં ૮૪.૬૫થી ઘટીને નવેમ્બર,૨૦૧૪માં ૬૭ સેન્ટ/પાઉન્ડ થયેલા છે એટલે કે કિલો રૃના ૯૨ રૃપિયા ગુજરાતમાં પણ હાલ તેટલા જ ભાવ છે) વિશ્વબજારમાં ભાવ ઘટવાથી તેમજ નિકાસની ઓછી શક્યતાને લીધે ભારતમાં પણ કપાસના ભાવ ઘટી ગયા છે. છેલ્લાં પાંચ  વર્ષથી વિશ્વસ્તરે બિનવપરાશી જથ્થો સતત વધી રહ્યો છે જે ગત  વર્ષના અંતે ૧૧૮૭ લાખ ગાંસડી રહ્યો હતો. કપાસ દુનિયાનો મહત્ત્વનો પાક હોવાથી ફૂડ, તેલ અને સોના-ચાંદીની બજારમાં થયેલી ઘટાડાની થોડી અસર કપાસ બજાર ઉપર પણ થવા સંભવ છે. ગુજરાતમાં નવેમ્બર, ૨૦૧૩માં કપાસનો ભાવ મણના રૃ. ૯૬૦ જેટલો હતો જે ઘટીને નવેમ્બર, ૨૦૧૪માં રૃ. ૮૦૦ આસપાસ છે. ગત વર્ષે કપાસની નિકાસ કરતી એક મોટી પાર્ટી ઊઠી જવાને લીધે પણ બજાર પર તેની માઠી અસર થઇ છે. ચાલુ વર્ષ માટે સરકારે કપાસના  ટેકાના ભાવ મણના રૃ. ૮૧૦ નક્કી કર્યા છે. ઉપરોક્ત વિગતે બજાર અહેવાલ, કપાસનું ઉત્પાદન અને વપરાશ,  બિનવપરાશી જથ્થો અને બજાર વલણની સમીક્ષા કરી, જૂનાગઢ કૃષિ યુનિર્વિસટીની સંશોધક ટીમે ગોંડલ વિનિમય બજારના કપાસના ઐતિહાસિક  માસિક ભાવના આંકડાઓનું પૃથક્કરણ કર્યું છે. જેના તારણ મુજબ એવું અનુમાન છે કે, આગામી ડિસેમ્બર, ૨૦૧૪થી ફેબ્રુઆરી,૨૦૧૫ દરમિયાન (વીણી  સમયે) કપાસનો ભાવ મણના રૃ.૮૦૦થી ૮૬૦ જેટલા રહેવાની શક્યતા છે. નજીકના ભવિષ્યમાં ભાવ વધવાની ખૂબ જ ઓછી શક્યતા હોવાથી ખેડૂતભાઈઓ વીણી કરી, તેનો સંગ્રહ  ન કરતા  ટેકાના ભાવે વેચાણ કરવા પોતાની  રીતે નિર્ણય  કરી શકે છે.  જો કે માર્ચ ૨૦૧૫ સુધી સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતા ખેડૂતો, થોડી રાહ જુએ તો પાક ઉત્પાદનના ખરા આંકડા પ્રાપ્ત થશે. બજાર થોડું સુધારા તરફી રૃ.૮૮૦ આસપાસ થવા સંભવ છે. 



ખેડૂતોની રૃમાં પ્રતિ મણ રૃ.૨૦૦ બોનસની માંગ
કપાસના મબલક ઉત્પાદન સામે તળિયે બેસી ગયેલા ભાવને કારણે ખેડૂતોને છતે માલે બેહાલ થવાનો વખત આવ્યો છે. ખેડૂતો દ્વારા કપાસનું વેચાણ કર્યા બાદ ઓઈલ અને જીન મિલરો પાસેથી રાજ્ય સરકાર ૪ ટકા વેટ અને કેન્દ્ર સરકાર ૧ ટકા ર્સિવસ ટેક્સ વસૂલે છે. આ રીતે દેશના સૌથી મોટા કપાસ ઉત્પાદક રાજ્ય ગુજરાતમાંથી દર વર્ષે કરોડો રૃપિયાની આવક સરકારની તિજોરીમાંથી ઠલવાય છે. ત્યારે આ વર્ષ નબળું હોવાને નાતે સરકારે મણ દીઠ ર૦૦ રૃપિયા બોનસ આપવું જોઈએ તેવી ખેડૂતોએ માગ કરી રહ્યા છે. 

ખેડૂતો કપાસના પાક પર રોટાવેટર ફેરવવા લાગ્યા 
કપાસના ઉત્પાદન સામે ઓછા ભાવથી ઘણા ખેડૂતો પ્રથમ વીણી બાદ જ રોટાવેટર ફેરવી રવી સીઝનના ઘઉં અને જીરુંના પાક લેવાની તૈયારી આરંભી દીધી છે. કમોસમી માવઠાથી કપાસનો પાક બગડવાની સાથે ભાવ ઓછા મળતાં ખેડૂતોએ પાકને ઉખાડી કાઢવાનો નિર્ણય લીધો છે. કપાસના ભાવ વધવાની નહીંવત્ શક્યતા વચ્ચે અન્ય પાકમાં ખેડૂતોને કમાવવાની આશા જાગી છે. કપાસ એ લાંબાગાળાનો પાક હોવા સામે ઓછા વળતરથી ખેડૂતોએ રવી સીઝનના વાવેતરનો આશરો લીધો છે. 

૩૦ કિમી.એ સીસીઆઇનું કેન્દ્ર  ખેડૂતોને વધુ પડતું અંતર  
સરકારે ૩૦ કિમી. એ એક સીસીઆઇનું ખરીદી કેન્દ્ર શરૃ કરવાની જાહેરાત તો કરી છે. હજુ સીસીઆઇનાં ખરીદ કેન્દ્રો દર ૩૦ કિમીએ શરૃ થયાં ન હોવા છતાં ખેડૂતોને ૩૦ કિમી.માં એક તાલુકો બદલવાની ફરજ પડી રહી છે. જેમાં ટ્રેક્ટર લઇને વેચવા જવું મોંઘુંં પડી રહ્યું છે. હાલમાં ટેકાના ભાવથી રૃનો ભાવ ૪૦થી ૫૦ નીચો હોવાથી ખેડૂતો ૩૦ કિમી. દૂર જઇ ટેકાના ભાવે સપ્તાહ બાદ પૈસા લેવાના બદલે ઓછા ભાવે પણ યાર્ડમાં રૃનું વેચાણ કરી રહ્યા છે. ટેકાના ભાવમાં પણ કાગળિયાની માથાકૂટ ખેડૂતો માટે માથાનો દુખાવો સાબિત થઇ રહી છે. 

નિકાસકારોને સરકારે પાંચ ટકા પ્રોત્સાહન આપવાની જરૃર 

દેશમાં રૃના ગગડતા જતા ભાવ વચ્ચે ખેડૂતોને હવે ભાવ વધુ મળે તેવી સંભાવના ન હોવાથી સીસીઆઇ રૃની ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. આ અંગે જિનિંગ એસો.ના પ્રમુખ દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સીસીઆઇની ખરીદી વધારી નુક્સાન કરવાને બદલે નિકાસકારોને પાંચ ટકાનું પ્રોત્સાહન આપે તો રૃના ભાવ વધી શકે છે. વિશ્વબજારમાં રૃના ગગડતા જતા ભાવ વચ્ચે સીસીઆઇને પણ ખરીદી બાદ વેચાણમાં નુકસાન જ જવાની શક્યતા છે. જો નિકાસકારોને પ્રોત્સાહન અપાય તો ખેડૂત, જીનર્સ અને નિકાસકારોને ફાયદો થઇ શકે છે. 


કપાસ : ખેડૂતો અને સરકારના ગળાનો ગાળિયો બન્યો

કપાસના ભાવને અસર, નિકાસ પણ ૪૦ ટકા ઘટશે : ૭૦ લાખ ગાંસડીથી વધુની નિકાસ નહીં થાય તેવા અંદાજો : ચીન આ વર્ષે ૫૦ ટકાથી પણ ઓછી આયાત કરશે : સરકારે ભાવ અને નિકાસ મુદ્દે ચોક્કસ રણનીતિ ન બનાવતા ખેડૂતો મુશ્કેલીમાં    ( ૨૪ નવેમ્બરની સ્થિતિ )

દે શમાં આ વર્ષે કપાસનું વાવેતર વધતાં બંપર ઉત્પાદન રહેવાના અંદાજોને કારણે ભાવ પર તેની સીધી અસર જોવા મળી છે. એક તરફ કપાસના ભાવ એમએસપીથી પણ નીચા ગયા હોવાની ખેડૂતો બુમરાણ મચાવી ભાવમાં વધારો કરવા માંગ કરી રહ્યાં છે. જો કે, બીજી બાજુ વધુ ઉત્પાદનને કારણે ડિસેમ્બર મહિનામાં ભાવ હજુ પણ નીચા જાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કપાસની નિકાસમાં પણ ૪૦ ટકાનો ઘટાડો રહેશે તેવાં અનુમાનો લગાવવામાં આવી રહ્યાં છે. દેશમાં આ વર્ષે ૪૦૦ લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, પરંતુ પાછલાં વર્ષ કરતાં આ વર્ષે ભાવ ૨૦ ટકાથી પણ વધારે ઘટી ગયા છે જેને કારણે નિકાસ ઘટે તેવી પણ સંભાવનાઓ છે. વેપારીઓએ આ પહેલાં વર્ષ ૨૦૧૪-૧૫ની સીઝનમાં ૯૦ લાખ ગાંસડી કપાસની નિકાસ થવાનું અનુમાન લગાવ્યું હતું. જો કે હવે ૭૦ લાખ ગાંસડીથી વધુની નિકાસ નહીં થાય તેવા અંદાજો વ્યક્ત કરવામાં આવી રહ્યાં છે. આ વર્ષે ચીને પણ પોતાની આયાત પર કાપ મૂક્યો છે. ચીન પાસે કપાસનો રેકોર્ડબ્રેક સ્ટોક રહેલો છે એટલે ચીન આ વર્ષે ૫૦ ટકાથી પણ ઓછી આયાત કરી શકે છે. જે પાછલાં ૫ વર્ષમાં સૌથી નીચલા સ્તરની માનવામાં આવે છે. સતત ઘટી રહેલા ભાવ પાછળ કપાસનો સ્ટોક પણ જવાબદાર માનવામાં આવે છે, કારણ કે વિશ્વના તમામ વેરહાઉસમાં કપાસનો સ્ટોક વધવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવ પાછલાં ૫ વર્ષના નીચલા સ્તરે આવી ગયા છે. આ વર્ષે દેશમાં કપાસના સારા ઉત્પાદનને કારણે લગભગ ૧૭૦ લાખ ગાંસડી કપાસનો સરપ્લસ સ્ટોક રહેલો છે.


વૈશ્વિક બજારોમાં કપાસના ભાવ ગગડી ગયા છે. ભારતમાં ય બંપર ઉત્પાદન અને વૈશ્વિક માંગ કમજોર રહેવાને કારણે ભાવ એમએસપીથી પણ નીચા ચાલી ગયા છે. ભાવની ભાંજગડ મુદ્દે સરકાર દ્વારા તેલંગણા અને આંધ્રપ્રદેશમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૃ કરવામાં આવી છે. આ સિવાય મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી પણ ધીમે ધીમે ખરીદી શરૃ કરી  છે. ખેડૂતો પાસેથી વધુમાં વધુ કપાસની ખરીદી થાય તે માટે સરકાર દ્વારા આંધ્રપ્રદેશ અને તેલંગણામાં ૯૦ સેન્ટરોને બદલે ૧૧૩થી ૧૧૮ સેન્ટરો ઊભાં કરવાની યોજના બનાવી છે, પરંતુ કાપડ મંત્રાલય, કૃષિ વિભાગ અને સરકાર કપાસના ભાવ અને નિકાસ મુદ્દે હજુ સુધી કોઈ ચોક્કસ રણનીતિ નથી બનાવી શક્યા જેને કારણે ખેડૂતોને કપાસના ભાવમાં ખોટ ખાવાનો વારો આવ્યો છે. 



કપાસના ટેકાના ભાવ નહીં વધે, હવે સીસીઆઈ ખેડૂતોનો આધાર : કૃષિ મંત્રાલયની બેઠકમાં કપાસના ટેકાના ભાવ નહીં પરંતુ ખરીદી વધારવાનો નિર્ણય લેવાયો : રાજ્યમાંથી ૨૩ લાખ ક્વિન્ટલ કપાસની ખરીદી કરાઈ
                                              ( ૧૭ નવેમ્બરની સ્થિતિ )
  
રા જ્યમાં કપાસના ભાવ ટેકાની આસપાસ રહેતાં ખેડૂતો બૂમરાણ મચાવી રહ્યા છે. રાજ્યમાં ૩૦ લાખ હેક્ટરમાં રેકોર્ડબ્રેક કપાસનું વાવેતર થયા બાદ ઉત્પાદન ૧૧૦ લાખ ગાંસડીથી ૧૨૦ લાખ ગાંસડી આવવાની શક્યતા છે, પરંતુ ભાવ ગત વર્ષ કરતાં મણે રૃ.૨૦૦ ઓછા મળતા હોવાથી ખેડૂતો બૂમરાણ મચાવી રહ્યા છે. કપાસના ટેકાના ભાવે રાજકીય રંગ પકડતાં સરકાર પણ સીસીઆઇ દ્વારા ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો શરૃ કરી પોતાનો બચાવ કરી રહી છે. કપાસના ટેકાના ભાવ વધારવા એ માત્ર કેબિનેટના હાથમાં હોવાથી હવે કોઇ પણ પ્રકારે ટેકાના ભાવમાં વધારો થાય તેવી શક્યતા નથી. રાજ્યમાં હાલ લગભગ સીસીઆઇ દ્વારા ૨૩થી ૨૪ કેન્દ્રો થકી ખરીદી  શરૃ કરાઇ છે. જેમાં ૧૪મી નવેમ્બર સુધીમાં ગુજરાતમાંથી ૨૩ હજાર ક્વિન્ટલની ખરીદી કરાઇ હતી.  ટેકાના ભાવે વેચાણમાં પણ ખેડૂતોને નુક્સાન જતું હોવાથી કપાસની ખેતીમાં આ વર્ષે કમાણી થવાની આશા ઠગારી નીવડી છે. ગત વર્ષે પણ મગફળીના ખેડૂતોના આ જ હાલ થયા હતા. ગત સપ્તાહે ટેકાના ભાવથી પણ ખેડૂતોને નુકસાન જતું હોવાની ગુજરાત આંધ્રપ્રદેશ, તેલંગણા અને મહારાષ્ટ્રમાં બૂમરાણ ઊઠતાં કૃષિ વિભાગે એક બેઠક બોલાવી હતી. જેમાં કેન્દ્રીય કૃષિ, વાણિજ્ય અને કાપડમંત્રી હાજર રહ્યા હતા. જેમાં ટેકાના ભાવ વધારવા બાબતે થયેલી ચર્ચા આખરે નિષ્ફળ રહી હતી. સીસીઆઇ સરેરાશ રોજની ૩૦થી ૩૫ હજાર ગાંસડીની ખરીદી કરી રહી છે. ૧૨મી નવેમ્બર સુધીમાં દેશમાંથી સીસીઆઇ દ્વારા ૨.૫૦ લાખ ગાંસડીની ખરીદી કરાઇ હતી. ટેકાના ભાવ બાબતે મળેલી બેઠકમાં કપાસના ટેકાના ભાવ વધારવા મુદ્દે પણ ચર્ચા થઈ હતી. આખરે બેઠક બાદ ટેકાના ભાવ નહીં પરંતુ કપાસના વધુ ઉત્પાદનને પગલે સીસીઆઇ દ્વારા રૃની વધુ ખરીદી નવાં સેન્ટરો ખોલી કરાશે તેવો નિર્ણય લેવાયો હતો. પરિણામે હવે કપાસના ભાવ વધે તેવી કોઇ સંભાવના નથી. ખેડૂતોને ટેકાના ભાવે વેચાણમાં પણ ૭-૧૨ના ઉતારા, વાવેતર નોંધ જેવા કાગળોની જરૃર પડતી હોવાથી ખેડૂતો ટેકાના ભાવે પણ વેચાણ ટાળી રહ્યા છે. 



રૃના ભાવ ટેકાની સમકક્ષ  :  મોડું પેમેન્ટ નડશે : સીસીઆઇ લેઇટ પેમેન્ટથી ખરીદી કરી રહ્યું હોવાથી ટેકાના ભાવે વેચવામાં પણ ખેડૂતો નિરૃત્સાહ : રૃના ભાવ વધવાની ઓછી શક્યતાથી ખેડૂતોને મોટો ફટકો પડશે : હાલમાં આઠ ટકાથી વધુ હવાવાળો આવતો માલ 
                                 ( ૧૦ નવેમ્બરની સ્થિતિ )
રાજ્યમાં કપાસના રેકોર્ડબ્રેક વાવેતર બાદ રૃના ટેકાની સમકક્ષ પહોંચેલા ભાવથી ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા છે. રૃના ભાવ વધે તેવી ઓછી શક્યતાઓ વચ્ચે ખેડૂતોની બૂમરાણોથી સીસીઆઇએ આંધ્રપ્રદેશ અને તેલંગાંણા બાદ ગુજરાતમાંથી પણ ખરીદીની પ્રક્રિયા આરંભી દીધી છે પરંતુ હાલમાં રૃમાં હવાનો પ્રશ્ન ઉભો થયો છે. સીસીઆઇ ૮ ટકાથી વધુ હવાવાળો માલ ખરીદતી ન હોવાથી સીસીઆઇ પણ ધ્યાનથી રૃની ખરીદી કરે તેવી સંભાવના છે. હાલમાં રાજ્યમાં રૃમાં ૧૫ ટકાથી વધુ માલમાં હવા આવી રહી છે.
   ગરમીનું વધારે પ્રમાણ અને ઠંડી શરૃ ન થતાં રૃની ગુણવત્તા બગડી રહી છે. સીસીઆઇની હવે દેશભરમાં રૃની ખરીદી શરૃ થતાં કપાસના ભાવમાં સુધારો જોવા મળ્યો છે પરંતુ ભાવમાં વધુ વધારો થવાની શક્યતા ઘણી ઓછી છે. સીસીઆઇ લેઇટ પેમેન્ટ આપતી હોવાથી ટેકાના ભાવે પણ ખેડૂતો વેચાણ કરવા રાજી નથી. ખેડૂતો ઓછા ભાવે યાર્ડમાં વેચાણ કરી રહ્યા છે પરંતુ ટેકાના ભાવે વેચાણ ન કરવાના મૂડમાં છે. આ અંગે રાજકોટના ખેડૂત પ્રફૂલભાઇ પટેલે જણાવ્યું હતું કે, સીસીઆઇ દ્વારા હાલમાં ખેડૂતોને કપાસ ખરીદીના એક સપ્તાહ બાદ ખેડૂતના બેન્કના ખાતામાં સીધા નાણા જમા કરવાની સગવડ છે. ખેડૂતો માલ વેચીને સીધા નાણા  લેવાની ટેવ વાળા હોવાથી ખેડૂતો લેઇટ પેમેન્ટથી વેચાણ ટાળી રહયા છે. નોર્થમાં સીસીઆઇ દ્રારા એકથી સવા ટકા કમિશન કાપી રોકડા નાણા ખેડૂતોને ચૂકવવામાં આવે છે. જોકે, ગુજરાતમાં આ સુવિધા ન હોવાથી ખેડૂતોને લેઇટ પેમેન્ટ અપાઇ રહ્યા છે. જ્યારે રોકડથી સરકારને રૃની ખરીદીમાં ભ્રષ્ટાચાર થવાનો ડર સતાવી રહ્યો છે. દેશમાં ૫મી નવેમ્બર સુધીમાં ૧૩.૦૩ લાખ ગાંસડીના કપાસની આવકો નોંધાઇ છે. જે ગયા વર્ષે ૧૯.૧૮ લાખ ગાંસડીની નોંધાઇ હતી. આમ આ વર્ષે રૃની આવકમાં ઘટાડો નોંધાયો છે. ખેડૂતોને રૃપિયા ૮૦૦થી નીચા ભાવે રૃનું વેચાણ પોષાતું ન હોવાથી ખેડૂતો પણ પક્કડ જમાવીને બેઠા છે. મગફળીની સરખામણીએ  રૃના વળતરદાયી ભાવથી કપાસનું વાવેતર ૪ લાખ હેક્ટર ઉંચકાયું છે.  ઓક્ટોબર મહિનામાં ઉંચા તાપમાનને પગલે કપાસના ચાંપવા ખરી પડયા હોવાની પણ ખેડૂતો બૂમરાણો મચાવી રહ્યા છે. હાલમાં ખેડૂતોને કપાસમાં બોનસ અપાય તો જ બે છેડા ભેગા થાય તેવી શક્યતાઓ વચ્ચે ખેડૂતોને બોનસ મળે તેવી કોઇ શક્યતા પણ નથી.

ટેકાના ભાવથી વેચાણમાં પણ ખેડૂતોને નુક્સાન

કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા આ વર્ષે દેશભરમાં રૃની ખરીદી શરૃ કરી દીધી છે પરંતુ આ વર્ષે ગત વર્ષ કરતા કપાસના બજારભાવ પ્રતિ મણે ૨૦૦ ઓછા હોવાથી ખેડૂતોની સ્થિતી કફોડી બની છે. ખેડૂતોને કપાસના સારા એવા ભાવ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને પ્રતિ ૨૦ કિલો કપાસના ભાવ ૮૦૦ રૃપિયા રાખવા માગણી કરવામાં આવી છે.  જો કે બજારભાવ સાથે જ ટેકાના ભાવ રહેતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે નહીં અને ઓછા ભાવે કપાસનું વેચાણ કરવા મજબુર બનવું પડશે તેવી સ્થિતી સર્જાઈ છે. કારણ કે પાછલા બે વર્ષ કરતા આ વર્ષે બજારભાવ બિલકુલ ઓછો સાબિત થયો છે. ખેડૂતોને વર્ષ ૨૦૧૨માં  ૯૨૦ રૃપિયા મણના ભાવ તો વર્ષ ૨૦૧૩માં ૧૦૦૦ સુધીના બજારભાવ મળ્યા હતા. જો કે આ વર્ષે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ૮૦૦ રૃપિયા પ્રતિ મણના ટેકાના ભાવે ખરીદી શરૃ થતાં સારી આવક થવાની સંભાવનાથી ખેડૂતો ટેકાના ભાવે વેચાણ કરવા પણ ઉતાવળ કરી રહ્યા છે.  




રૃના વેચાણમાં રાજ્યના ખેડૂતો સાવધાની રાખે :  ગુજરાતમાં નીલોફરથી હવામાન પલટાતાં રોગ-જીવાત વધવાની સંભાવનાને પગલે કપાસના પાકને આંશિક ફટકો  પડશે :  આંધ્રપ્રદેશ અને તેલંગણામાં રૃના ભાવ ટેકાના ભાવથી પણ નીચા જતા સીસીઆઇએ ખરીદી શરૃ કરી : વીણી દીઠ વેચાણ કરનાર ખેડૂત ફાવશે  : હાલમાં ઓછા ભાવે વેચાણ નુકસાનકારક સાબિત થશે 
                                                                                                            ( ૩ નવેમ્બરની સ્થિતિ )
રાજ્યમાં ખરીફ સીઝનમાં વાવેતર કરાતા રોકડિયા પાક કપાસના બમ્પર ઉત્પાદનના અંદાજો અને ચીનની કોટનનીતિને પગલે રૃના ભાવ ટેકાના ભાવની આસપાસ ચાલી રહ્યા છે. હાલમાં વધતા જતા ખેતીખર્ચ સામે ટેકાના ભાવથી ખેડૂતો નુકસાન જતું હોવાની બૂમરાણો મચાવી રહ્યા છે. આ વર્ષે દેશમાં રૃનું ૪૦૦ લાખ ગાંસડી ઉત્પાદન થવાના મુકાયેલા અંદાજો વચ્ચે આંધ્રમાં હૂડહૂડ અને ગુજરાતમાં નીલોફર વાવાઝોડાની અસરને પગલે સતત ધાબળિયું વાતાવરણ અને  છૂટાછવાયા વરસાદને પગલે કપાસના પાકમાં રોગ-જીવાતનો વધારો થવાની સંભાવના છે. હાલમાં કપાસના ઓછા મળતા ભાવથી ખેડૂતો કપાસનું એક સાથે વેચાણ કરવાને બદલે સાવચેતીથી વેચાણ કરશે તો ફાવશે. રાજ્યમાં હાલ કપાસનો ભાવ મણનો રૃપિયા ૮૦૦થી ૮૫૦ આસપાસ ચાલી રહ્યો છે. આંધ્રપ્રદેશ અને તેલંગણામાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેને પગલે સીસીઆઇએ કપાસની ખરીદી શરૃ કરી છે. સીસીઆઇ અત્યાર સુધી ૧૭ હજાર ગાંસડી રૃની ખરીદી કરી ચૂકી છે.

 સીસીઆઇએ મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણામાં ટેકાના ભાવનાં ખરીદી કેન્દ્રો શરૃ કર્યાં છે. આ વર્ષે રૃના ભાવ ટેકાના ભાવની આસપાસ રહેવાની સંભાવના વચ્ચે સીસીઆઇ પણ ખરીદી કરવાના મૂડમાં છે. કપાસમાં મોંઘાં બિયારણ, દવાઓ અને વીણીની મજૂરીના ભાવોમાં તોતિંગ વધારો થતાં પ્રતિમણે મળતો રૃનો રૃપિયા ૮૦૦નો ભાવ ખેડૂતો માટે ખોટનો સોદો સાબિત થઇ રહ્યો છે. રાજ્યના ખેડૂતોમાં રૃના ઉત્પાદનના મુકાયેલા અંદાજો બાબતે પણ મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. ગુજરાતમાં નીલોફરના પગલે રૃના ઉત્પાદન પર અસર પડશે તો ભાવમાં સુધારો થવાની શક્યતા હતી. પરંતુ નીલોફરનો ભય ટળી જતાં કપાસના ખેડૂતોનેે તો મોટી રાહત થઇ છે.
ગુજરાત એ દેશમાં કપાસ ઉત્પાદનમાં સૌથી અવ્વલ રાજ્ય ગણાય છે. આ વર્ષે પણ રૃનું ઉત્પાદન ૧૨૦ લાખ ગાંસડી આસપાસ થાય તેવી શક્યતાઓ વચ્ચે હવે આ ઉત્પાદનમાં ઘટાડો આવવાની ભીતી સેવાઈ રહી છે. જેને પગલે ખેડૂતો પણ જરૃરિયાત જેટલા કપાસનું વેચાણ કરે તે તેમના માટે યોગ્ય રહેશે. રૃમાં ચીનની કોટનનીતિમાં ફેરફાર થવાની સાથે દેશમાં કપાસના ઊંચા વાવેતરને પગલે રૃનું ઉત્પાદન વધવાના સંજોગો હતા. હવે આ અંદાજમાં ફેરફાર થાય તેવી પૂરી શક્યતાઓ છે. ગુજરાતમાં કપાસ જો કે હાલ રૃપિયાની મજબૂતીને પગલે અને અન્ય દેશોમાં ધીમી ખરીદીને કારણે ભાવ ઉંચકાવાની શક્યતાઓ ઓછી છે, પરંતુ આગામી વર્ષ ૨૦૧૫-૧૬ની સીઝનમાં કપાસના ભાવ સારા રહે તેવી સંભાવનાઓ રહેલી છે. 
  
વૈશ્વિક વપરાશ સામે ઉત્પાદન વધુ રહેતાં ભાવ પર અસર

૨૦૧૪-૧૫ની સીઝનમાં કપાસના વૈશ્વિક ભાવ પણ એકદમ નીચા રહેવાની સંભાવનાઓ છે. વૈશ્વિક વપરાશની સામે કપાસનું ઉત્પાદન વધુ રહ્યું છે સાથે જ સ્ટોક પણ વધારે પડતો હોવાથી ભાવ પર અસર જોવા મળી રહી છે. ચાલુ વર્ષે ૨૧૪ લાખ ટન કપાસનો સ્ટોક રહેવાની સંભાવનાઓ છે જે ગત વર્ષે ૧૯૭ લાખ ટન રહ્યો હતો. ચીન એ વિશ્વમાં સૌથી મોટો કપાસ ઉત્પાદક દેશ સાથે જ આયાતકાર અને વપરાશકાર પણ માનવામાં આવે છે. જો કે ચીન દ્વારા કોટન પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને પાછલાં ત્રણ વર્ષથી આયાતમાં ઘટાડો કરી દેવાતા તેની સીધી અસર ભાવ પર જોવા મળી છે. આ વર્ષે પણ ચીન મોટી માત્રામાં કપાસની આયાત કરે તેવી શક્યતાઓ ઓછી છે કારણ કે ચીન પાસે પણ કપાસનો ખાસ્સો એવો સ્ટોક બચેલો છે.

કપાસની વૈશ્વિક સ્થિતિ
વર્ષ        ૨૦૧૩-૧૪         ૨૦૧૪-૧૫
ઉત્પાદન  ૨૬૦                   ૨૬૧
વપરાશ   ૨૩૫                   ૨૪૪    
ટ્રેડિંગ      ૮૯                      ૭૯
સ્ટોક      ૧૯૭                   ૨૧૪
(આંક લાખ ટનમાં છે)
published in Gujarat leading agriculture news paper Agro sandesh..


આયુર્વેદિક ઔષધી મરેઠી


દોઢ વીઘામાં મરેઠીની ખેતી અપનાવતા ધોરાજીના ખેડૂત :  એક કિલો મરેઠીનો ભાવ ૩૦૦થી ૪૦૦ રૃપિયા  : ખેડૂત દોઢ વીઘામાંથી ૨.૮૦ લાખ રૃપિયાની કમાણી કરશે


પરિવર્તન ખેતીમાં પણ જરૃરી છે. કપાસ અને મગફળી જેવા એકના એક પ્રકારના પાકોનું વાવેતર કરી અને ખેડૂતો ભાવ ન મળતા હોવાની બૂમરાણ મચાવી રહયા છે. પાકના ભાવો એસી ઓફિસમાં બેસતા સરકારી અધિકારીઓ અને વેપારીઓ નક્કી કરતા હોય છે. ખેડૂત પોતે ઉત્પાદીત કરેલી પ્રોડક્ટનો ભાવ પણ નક્કી કરી શકતો નથી તેના જેવી કમનસીબી ખેડૂતો માટે કઇ હોઇ શકે. માટે જ ખેતીમાં બદલાવની જરૃર છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના એક ખેડૂતે નવો ચીલો ચાતરી એવી ઔષધિય પાકની ખેતી કરી છે. જેના ખેડૂત ભાવ જાતે નક્કી કરી કંપનીમાં મોકલાવે છે. મરેઠી નામની આયુર્વેદ ઔષધીય પાકની ખેતીમાં ખેડૂત કમાણી તો માત્ર ત્રણ લાખની કરે છે. જોકે, આ પાકના વાવેતર બાદ ખેડૂતને ભાવ ગગડી જશે તેવી કોઇ ચિંતા સતાવતી નથી.

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના શિક્ષિત યુવાન ખેડૂત સંદિપ કાછડિયાએ અન્ય ખેડૂતોની જેમ ચીલાચાલું ખેતી કરવાને બદલે આયુર્વેદ ઔષધીય મરેઠીની ખેતી અપનાવી છે. ખેતી અંગે વાત કરતાં ખેડૂત સંદિપે જણાવ્યું હતું કે, મરેઠીનો ઉપયોગ મગજના જ્ઞાાનતંતુ તથા અન્ય શારીરિક શક્તિવર્ધક દવાઓની બનાવટમાં કરવામાં આવે છે. સૌરાષ્ટ્રનું હવામાન આ ખેતીને અનુકૂળ છે. સાથે જ  જમીન કાળી અને ફળદ્રુપ હોય તો આ ખેતી બિલકુલ ઉત્તમ ગણી શકાય છે એટલે મેં આ વર્ષે પહેલી વાર ખેતી અપનાવી હતી. ઠંડું વાતાવરણ થાય એટલે બીજ એક ક્યારામાં છાંટી રોપ તૈયાર કર્યા હતા અને ૪૫ દિવસનો રોપ તૈયાર થયા પછી ફેરરોપણીથી ૨૪ની ઝાળીએ એક ક્યારામાં ત્રણ હાર રાખી લગભગ ભાદરવા માસની મધ્યમાં દોઢ વીઘા જમીનની અંદર પાયાનું ખાતર એન.પી.કે વીઘે ૧૦ કિલો નાંખી ફેરરોપણીથી વાવેતર કર્યું હતું. ત્યારબાદ ૪થી ૫ દિવસે પિયત આપ્યાં હતાં અને પૂરક ખાતર તરીકે વીઘે ૧૦ કિલો યુરિયાના મહિનામાં બે છંટકાવ કર્યા હતા.



આ ખેતીમાં ફૂગ, મોલોમશી અને ઝીણી ઈયળનો ઉપદ્રવ હોય તો ૧૦થી ૧૨ દિવસે દવાના છંટકાવ કરવા પડે છે. પૂરક ખાતર અને પિયત આપ્યા બાદ ફૂલ બેસવાનું શરૃ થાય છે. ફેરરોપણી કર્યા બાદ ૫૦ દિવસે ઉતારો કરવાનો રહે છે. શરૃઆતમાં ફૂલ મરૃન રંગનાં હોય છે. જ્યારે પાછળનો ભાગ પીળો રહે છે, પરંતુ ફૂલ પરના મરૃન કલરનાં ટપકા આખેઆખાં પીળાં થઈ જાય પછી ઉતારો કરવાનો રહે છે. ફૂલને તોડયા બાદ ત્રણથી ચાર દિવસ સૂકવવાના હોય છે અને બાદમાં તેને એક કોથળામાં ભરીને સંગ્રહ કરવામાં આવે છે. સૂકવ્યા પછી આ  ફૂલ વજનમાં એકદમ હલકાં થઈ જાય છે એટલે સૂકો માલ વેચવાનો રહે છે. સંદિપભાઈએ જણાવ્યું હતું કે, કુલ દોઢ વીઘામાંથી અંદાજે ૭૦૦થી ૮૦૦ કિલો જેટલું ઉત્પાદન થશે, એક કિલો મરેઠીનો ભાવ અત્યારે ૩૦૦થી ૪૦૦ રૃપિયા જેટલો ચાલે છે. કુલ ૭૦૦ કિલોગ્રામ મરેઠીનું ૪૦૦ રૃપિયા લેખે વેચાણ કરીએ તો ૨ લાખ ૮૦ હજાર જેટલી આવક થશે. આ મરેઠીનું વેચાણ ખાસ કરીને દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કોલકાત્તામાં થાય છે. વિવિધ શહેરોની કંપનીઓમાંથી ખેડૂતને ફોન કરવામાં આવે છે અને ખેડૂત સાથે જ સીધું ડિલિંગ કરવામાં આવે છે. જે તે કંપની સીધી જ ખેડૂત પાસેથી મરેઠીની ખરીદી કરે છે એટલે વેચાણ માટે પણ કોઈ મુશ્કેલી સર્જાતી નથી. માત્ર જે તે રાજ્યની કંપની હોય ત્યાં માલ પહોંચાડવાનો રહે છે અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ માત્ર ખેડૂતે ભોગવવાનો રહે છે. વળી કંપની દ્વારા જે તે ખેડૂતના બેંક એકાઉન્ટમાં એડવાન્સ પેમેન્ટ જમા કરી દેવામાં આવે છે એટલે નાણાંની લેવડ-દેવડ અંગેની મુશ્કેલી સર્જાતી નથી. આ ખેતીમાં મજૂરી, ખાતર, દવા અને રોપનો અંદાજે પ્રતિ કિલોએ ૭૦ રૃપિયા જેટલો ખર્ચ થાય છે. ૮૦૦ કિલો ઉત્પાદન મળેે તો કુલ ૫૬,૦૦૦ હજાર રૃપિયા જેટલો ખર્ચ થાય છે. સંદિપભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ ખેતીને ખાસ કરીને કાળી અને ફળદ્રુપ જમીન વધારે અનુકૂળ છે એટલે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ઉત્તમ ગણવામાં આવે છે.
                                                                                                                સંપર્ક  :  ૯૯૭૯૨ ૮૮૧૨૦
published in Gujarat leading agriculture news paper Agro sandesh..







Monday, 24 November 2014

કેરી મોડી આવશે


આંબા આરામની અવસ્થામાં ન જતાં સ્થિતિ બદલાઈ : ઠંડીની ઉણપ, ધાબળિયું વાતાવરણ અને કમોસમી વરસાદથી રાજ્યમાં આંબામાં મોર બંધાવાની પ્રક્રિયા વિલંબમાં પડી : સૌરાષ્ટ્રમાં કેસર કેરીને સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં આફૂસ કેરી પણ મોડી આવવાની સંભાવના : રાજ્યમાં ૨૫ ટકા કેરીના પાકને અસર પહોંચવાની સંભાવના

રાજ્યમાં આંબા પર મોર બંધાવાની પ્રક્રિયામાં અસમાન ઠંડી, ધાબળિયું વાતાવરણ અને માવઠું વિલન બનતાં એપ્રિલ-મે માસમાં બજારમાં આવતી કેરી એક મહિનો મોડી આવશે. રાજ્યમાં ઉત્પાદિત થતી ૧૦ લાખ ટન કેરીમાંથી ૨૫ ટકા કેરીનો મોર નવેમ્બર-ડિસેમ્બરમાં બંધાતો હોય છે, પરંતુ આંબા આરામની સ્થિતિમાં ન જતા હવે મોર બંધાવાની પ્રક્રિયા જાન્યુઆરી સુધી ખેંચાઈ જશે. જેની સીધી અસર કેરીના પાક પર પડશે. આ જ સ્થિતિ મહારાષ્ટ્રની પણ છે. મહારાષ્ટ્રમાં માવઠાથી આફૂસ મહિનો મોડી આવવાના સંજોગો સર્જાયા છે. સૌરાષ્ટ્રમાં આંબાના વિસ્તાર ગણાતા ધારી, ગીર અને વંથલી પંથકમાં માવઠાની અસરથી કેસર કેરીને સૌથી મોટો ફટકો પડયો છે. દેશમાં ગયા વર્ષે ૨૫.૫૦ લાખ હેક્ટરમાં પથરાયેલાં આંબાવાડિયામાંથી ઉત્પાદન ૧૮૬ લાખ ટન અને ગુજરાતમાં ૧.૪૧ લાખ હેક્ટર વિસ્તારમાંથી ૧૦.૦૩ લાખ ટન ઉત્પાદન મળ્યું હતું.

શિ યાળાની શરૃઆત છતાં ઠંડીનું ઓછું પ્રમાણ પાકને સીધી અસર પહોંચાડી રહ્યું છે. રાજ્યમાં કેરી એક મહિનો મોડી આવવા છતાં કેરીની ગુણવત્તા અને ઉત્પાદન જળવાઈ રહેશે. રાજ્યમાં સૌથી વધુ આંબાવાડિયા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છે. સૌરાષ્ટ્રમાં કેસર અને દક્ષિણ ગુજરાતની આફૂસ કેરીની મહેક દુનિયાભરમાં પ્રખ્યાત છે. આંબા પર મોર ત્રણ અલગ અલગ સ્ટેજે બંધાતો હોય છે. કૃષિ નિષ્ણાતો મોર બંધાવાના સ્ટેજ અને હવામાનને આધારે કેરીના ઉત્પાદન અને કેરીના સમયની આગાહી કરતા હોય છે. રાજ્યમાં નવેમ્બર- ડિસેમ્બરમાં કુલ ઉત્પાદિત થતી ૩૦ ટકા કેરીનો મોર બંધાય છે. ચોમાસા બાદ આંબો આરામની અવસ્થામાં ગયા બાદ મોરની પ્રક્રિયાનો આરંભ થાય છે. ચાલુ વર્ષે ચોમાસુ મોડા સુધી ચાલુ રહેવાની સાથે કમોસમી માવઠાથી આંબામાં આરામમાં જવાના સ્ટેજ પર સીધી અસર પહોંચી છે. પરિણામે નવેમ્બરમાં બંધાતા મોરની પ્રક્રિયા પણ વિલંબમાં મુકાઇ ગઇ છે. કેરીના ખેડૂતો માટે નવેમ્બર બાદનો સમયગાળો ઘણો જ અગત્યનો છે. ખેડૂતો આંબામાં હાલથી સમસયર પિયત અને ખાતર આપે તો જ સારા ઉત્પાદનનો લાભ મેળવી શકે છે. આંબામાં રોગ-જીવાતનું પ્રમાણ પણ નવેમ્બર બાદ શરૃ થતું હોય છે. ઠંડીનું પ્રમાણ ઘટતાં આંબામાં સ્ટેજ ખોરવાઇ ગયાં છે. જેના પરિણામ થકી કેરીનું ઉત્પાદન પણ વહેલું કે સમયસર આવે તેવી કોઈ સંભાવના નથી. દક્ષિણ ગુજરાતમાં આફૂસ સહિત સૌરાષ્ટ્રમાં કેસર કેરીમાં પણ આ જ સ્થિતિ હોવાનું કેરી સંશોધન વૈજ્ઞાાનિક ડો. આર. આર. વીરડિયાએ જણાવ્યું હતું. આંબામાં આ વર્ષે છેક જાન્યુઆરીના અંતમાં ફ્લાવરિંગ સ્ટેજ શરૃ થાય તેવી સંભાવના છે. વલસાડ બાજુ કેરીની પ્રક્રિયા પણ નિયત ક્રમ મુજબ ન હોવાથી રત્નાગીરી અને આફૂસ કેરી એપ્રિલના અંત સુધીમાં આવે તેવી શક્યતા ઘણી જ ઓછી છે. દર વર્ષે રત્નાગીરી અને આફૂસ કેરી કેસર કેરી કરતાં વહેલી બજારમાં આવેે છે, પરંતુ સૌરાષ્ટ્રની કેસર કેરીની વધુ માંગ રહે છે. કેસર કેરીના પાકમાં મોર આવવાની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી આ સમય દરમિયાન પાકનું ધ્યાન રાખવું ખૂબ જ જરૃરી છે. રાજ્યમાં ૧.૪૧ લાખ હેકટર આંબાવાડિયામાંથી ૧૦.૦૩ લાખ ટન ઉત્પાદન થાય છે. રાજ્યમાં પ્રતિ હેકટરે કેરીની સરેરાશ ઉત્પાદકતા સાડા સાત ટન જેટલી છે. જૂનાગઢ કૃષિ યુનિ. બાગાયતી વિભાગના સંશોધન વૈજ્ઞાાનિક ડો. આર. આર. વીરડિયાના જણાવ્યા અનુસાર, સામાન્યતઃ કેસર કેરીને પાકવા માટે ૯૦થી ૧૦૦ દિવસનો સમય લાગે છે. કેસર કેરીમાં ટી.એસ.એસ. ૮થી ૧૦ ટકા થાય ત્યારે જ પાકવાલાયક બને છે.


આંબામાં ફ્લાવરિંગ સ્ટેજ મહત્ત્વનું :  ઉષ્ણ અને સમશીતોષ્ણ હવામાન ધરાવતા અને સમુદ્રની સપાટીથી ૬૦૦ મીટર સુધીની ઊંચાઈ ધરાવતા પ્રદેશોમાં આંબાની વેપારી ધોરણે ખેતી કરી શકાય છે. આંબાની ઘણીખરી જાતો ૭૫૦થી ૩૭૫૦ મિમી. વરસાદવાળા વિસ્તારમાં સારી રીતે ઊગી શકે છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ અને ત્યારપછી ફેબ્રુઆરી માસ સુધી ભેજ વિનાનું સૂકું હવામાન આંબા પર મોર બેસવાની પ્રક્રિયામાં ઘણું જ ઉપયોગી છે. જો ઓક્ટોબરમાં મોડે સુધી વરસાદ ચાલુ રહે તો આંબામાં વાનસ્પતિક વૃદ્ધિ થયેલા આંબા પર મોર આવવાની પ્રક્રિયામાં વિક્ષેપ આવે છે. આંબા પર મોર આવતા સમયે શુષ્ક અને ઠંડું વાતાવરણ હોવું જોઇએ. આમ છતાં પુષ્પના ફલિનીકરણ માટે થોડું ઊંચું ઉષ્ણતામાન અને ફળના વિકાસના તબક્કામાં પૂરતી ગરમી મળવી જરૃરી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન વરસાદ, વાદળ કે ધુમ્મસવાળું વાતાવરણ મોર આવવા અને ફળ ધારણ પર માઠી અસર કરે છે અને રોગ-જીવાતના ઉપદ્રવમાં પણ વધારો કરે છે. માર્ચથી મે માસના સમયગાળામાં ઉષ્ણતામાન ૪૨ સે.થી વધારે થાય તો ગરમીથી ફળોને દાઝ લાગવાથી ખરી પડે છે તેમજ કેટલીક જાતોનાં ફળોમાં કપાસીના ઉપદ્રવથી નુક્સાનની સંભાવના વધે છે. 

હાલમાં આંબાને આ રોગથી બચાવો :  નવેમ્બરના અંતમાં કેરીના પાકમાં રોગ-જીવાત આવવાની સંભાવના છે. હાલથી જ ખેડૂતો સતર્ક રહે તો કેરીનું સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે. હાલમાં આંબામાં મઘીયો, મોર અને ડૂંખ ખાનારી ઇયળો, પાન કોરિયું તથા પાનનો ઝાળો તેમજ કાલવ્રણ રોગ આવવાની સંભાવના છે. આ રોગને નાથવા માટે ખેડૂતો ૧૦ લીટર પાણીમાં ૩ મિલી. ડેલ્ટામેથ્રિન ૨.૮ ટકા ઇસી.,સાયપરમેથ્રિન ૨૫ ટકા ઇસી. ૧.૨મીલી. કે આલ્ફામેથ્રિન ૧૦ ઇસી. ૧.૭ મીલી .ઉમેરી છેટકાવ કરે તો ફાયદો મેળવી શકે છે. આ ઉપરાંત ખેડૂતો ૧૦ લીટર પાણીમાં લેમ્ડાસાયહેલોથ્રિન ૫ ઇસી. ૬.૦ મિલિ. કે કાર્બેન્ડિઝમ ૫૦ ટકા વેપા. ૫ ગ્રામ ઉમેરી આંબામાં રોગ-જીવાત આવતી અટકાવી શકે છે.

મહારાષ્ટ્રમાં માવઠાથી આફૂસ કેરીને અસર : ગત સપ્તાહે દેશમાં વરસેલા માવઠાની અસરથી મહારાષ્ટ્ર પણ બાકાત રહ્યું ન હતું. કોંકણમાં વરસાદ પડતાં દ્રાક્ષ અને કેરીના બગીચાઓને સીધી અસર પહોંચી હતી. સતારા, બુલઢાણા, રત્નાગીરી, મહાબળેશ્વર અને પૂણેમાં તેમજ ઓરંગાબાદ, નાસિક, જાલના અને  પરભણીમાં પણ વરસાદની અસર રહી હતી. કોંકણ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં ભારે વરસાદથી કેરીની સીઝન મહિનો લેટ પડે તેવી સંભાવના કૃષિ અધિકારીઓએ વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રમાં ઓક્ટોબર-નવેમ્બરમાં આંબામાં મોર બંધાવાની પ્રક્રિયાનો આરંભ થતો હોય છે. જે વરસાદને પગલે આંબામાં મોર બંધાવાની પ્રક્રિયા આરંભાઇ હતી તેમાં વિક્ષેપ પડયો છે. આફૂસ કેરીને સૌથી વધુ સમસ્યા નડે તેવી સંભાવના છે. આફૂસ કેરીના આંબામાં મોર બંધાવાની પ્રક્રિયા નવેમ્બરના અંતમાં પૂર્ણ થતાં કેરી માર્ચમાં આવતી હોય છે, જે હવે મોડી આવશે. મહારાષ્ટ્રમાં ૪ લાખ હેક્ટરમાં આંબાવાડિયાં પથરાયેલાં છે. જેમાં આફૂસ કેરીનું ઉત્પાદન ૫ લાખ ટનની આસપાસ આવતું હોય છે. આફૂસ કેરીના ૩૦ ટકા પાકને માવઠાથી અસર થઇ છે. મહારાષ્ટ્રમાં રત્નાગીરીના પાકને માવઠાથી સામાન્ય અસર તો આફૂસ મહિનો લેટ આવે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

ગુજરાતમાં માવઠાથી ખરીફ અને રવી પાકને અસર થઈ : ગુજરાતમાં માવઠાએ માત્ર કેરીના પાકને અસર પહોંચાડી નથી, પરંતુ રવી અને ખરીફ પાકને પણ અસર થઇ છે. ખરીફમાં માવઠાથી કપાસ અને મગફળીના પાકને સીધી અસર પહોંચી છે. હવામાનમાં ફેરફારને પગલે ઠંડી જ ન જામતાં અને માવઠાથી રવી પાકમાં  ઘઉંના વાવેતર કરાયેલા પાકમાં પણ ઉગાવાની સમસ્યા સામે આવી છે. રાજ્યમાં માવઠાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી છે.

રાજ્યમાં કેરીનું ઉત્પાદન અને ઉત્પાદકતા
વર્ષ                    વાવેતર  ઉત્પાદન   ઉત્પાદકતા
૨૦૦૯-૧૦         ૧.૧૫   ૨.૯૯        ૨.૬
૨૦૧૦-૧૧         ૧.૨૧   ૮.૫૬        ૭.૦
૨૦૧૧-૧૨         ૧.૩૦   ૯.૧૧        ૭.૦
૨૦૧૨-૧૩         ૧.૩૬   ૯.૬૬        ૭.૯
૨૦૧૩-૧૪         ૧.૪૧   ૧૦.૦૩     ૭.૧૧
નોંધઃ વાવેતરના આંક લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં ઉપરાંત ઉત્પાદકતા હેક્ટર દીઠ ટનમાં છે.

દેશમાં ઉત્પાદિત કેરીના પાકનું સરવૈયું
વર્ષ                    વાવેતર    ઉત્પાદન  ઉત્પાદકતા
૨૦૦૭-૦૮         ૨૧.૫૩  ૧૩૭     ૬.૩૮
૨૦૦૮-૦૯         ૨૨.૦૧  ૧૩૯     ૬.૩૬
૨૦૦૯-૧૦         ૨૩.૦૮  ૧૨૭     ૫.૫૨
૨૦૧૦-૧૧         ૨૩.૧૨  ૧૫૦     ૬.૫૦
૨૦૧૧-૧૨         ૨૨.૯૬  ૧૫૧     ૬.૬૧
૨૦૧૨-૧૩         ૨૩. ૭૮ ૧૬૧     ૬.૮૦
૨૦૧૩-૧૪         ૨૫.૫૦  ૧૮૬     ૭.૨૦

નોંધ : વાવેતરના આંક લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં ઉપરાંત ઉત્પાદકતા હેક્ટર દીઠ ટનમાં છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..