Tuesday, 9 December 2014

ગ્રીનહાઉસમાં ખેતી : ખેડૂતો થાક્યા



ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ગ્રીનહાઉસઃ  જમીનજન્ય રોગો નાથી ન શકાતા ખેડૂતો નુકસાનીની ગર્તામાં ધકેલાયાઃ  છેલ્લા આઠ માસની રજૂઆતોને અંતે ખેડૂતોને ખાલી નિસાસા મળ્યાઃ ઉનાળાની ગરમીમાં બિન સિઝનના પાકો લેવામાં ખેડૂતોને સૌથી મોટી મુશ્કેલી : કૃષિ વિભાગે હતાશ ખેડૂતોની પણ મુશ્કેલીઓ સમજવી જરૃરી : ગ્રીનહાઉસમાં નિષ્ણાતોનો અભાવ

ગુ જરાતમાં એક સમય એવો હતો કે ગ્રીનહાઉસ શબ્દનું નામ પડતાં ખેડૂતો આધુનિક ખેતી, શાકભાજી, જરબેરા અને સબસિડીના મળતા પૈસાના સપનામાં ખોવાઇ જતા હતા. આજે સમય બદલાયો છે.  ખેતી નિષ્ણાતો પણ ગ્રીનહાઉસમાં શાકભાજીમાં આવતા જમીનજન્ય રોગ નેમેટોડને નાથી શકયા નથી. બેંગ્લોરમાં આ અંગેના પ્રયોગો બાદ ખેડૂતો માટે નેમેટોડને નાથવાના ઉપાયો દર્શાવાયા છે. પરંતુ આ ઉપાયો કેટલા કારગર નિવડે છે એ તો સમય બતાવશે. રાજ્યમાં ચારથી પાંચ વર્ષ પૂર્વે ગ્રીનહાઉસની ટેકનોલોજી અમલમાં આવી ત્યારે ખેડૂતોએ આ ટેકનોલોજીને અપનાવી હતી. આજે ગ્રીનહાઉસ ટેકનોલોજીને સમજી શકનાર ખેડૂતો માટે ગ્રીનહાઉસ એ લોખંડના સ્ટ્રક્ચર બનીને ઉભા રહી ગયા છે. આજે પણ રાજ્યમાં ગ્રીનહાઉસ ટેકનોલોજીના નિષ્ણાતોનો અભાવ છે. ગ્રીનહાઉસ ટેકનોલોજી અંગેના નિષ્ણાતો કૃષિ યુનિ. પાસે પણ નથી.
આજે પાંચ વર્ષના અંતે પ્રાંતિજના વદરાડમાં એક ગ્રીનહાઉસનું એકસલન્સ સેન્ટર ઉભું થઇ રહ્યું છે. જ્યાં ખેડૂતોને ગ્રીનહાઉસ ટેકનોલોજી અંગેની સમજ અપાશે. પરંતુ હાલમાં જ ગ્રીનહાઉસમાં ખેતી કરતા ખેડૂતો થાકી ગયા છે. ગ્રીનહાઉસ એ કોર્મિશયલ પ્રોજેક્ટ હોવાથી ખેડૂતોને બેંક લોન પર ઉંચુ વ્યાજ ચૂકવવું પડે છે. કુદરતી આફતનો પણ વીમો ન હોવાની સાથે પાક વીમો પણ ખેડૂતોને મળતો નથી. વીજળી પણ ઇન્ડસ્ટ્રીયલ ભાવથી ખેડૂતોને અપાય છે. જ્યારે સામે ખેડૂતોને પાકના ઉત્પાદન બાદ બજારભાવનો અભાવ છે. ખેડૂતો પાસેથી વેપારીઓ મનફાવે તે ભાવે પ્રોડક્ટની ખરીદી કરે છે કારણ કે ખેડૂતો પાસે માર્કેટનો અભાવ છે. જરબેરાની ખેતી પણ હવે ધીમેધીમે છોડી રહ્યા છે. જરબેરામાં શરૃઆતના સમયમાં ખેડૂતોને સારા ભાવ મળતા હોવાથી દક્ષિણ ગુજરાતમાં ઘણા ખેડૂતોએ જરબેરાની ખેતી અપનાવી હતી. હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ ગ્રીનહાઉસમાં શાકભાજીની ખેતી તરફ વળ્યા છે. જરબેરાનો બજાર ભાવ પ્રતિ ફૂલ ખેડૂતને માંડ રૃ.૧ મળતાં ખેડૂતને હવે ખેતી ખર્ચ પણ માથે પડવા લાગ્યો છે. કૃષિ વિભાગે ગ્રીનહાઉસમાં એમ્પેનલની શરૃઆત કરી સરકારે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં મારવાની જેમ પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો છે, જોકે, અત્યાર સુધીમાં રાજ્યમાં ૨૦૯૪થી વધુ ગ્રીનહાઉસ અને ૩૩૪૨ નેટહાઉસ ઉભા થઇ ચૂક્યા છે. ગ્રીનહાઉસમાં કરોડો રૃપિયાની સબસિડી ખેડૂતોને ચૂકવવા છતાં ખેડૂતોમાં ગ્રીનહાઉસના પ્રોજેક્ટ પ્રત્યે અસંતોષની લાગણી પેદા થઇ રહી છે. હજુ પણ એકસેલન્સ સેન્ટરની કામગીરી પૂર્ણ થવાની ખેડૂતો રાહ જોઇ રહ્યા છે. થોડા સમય પૂર્વે જ રાજ્યના ૪૫૦ ખેડૂતોએ આ અંગે કૃષિ વિભાગને રજૂઆત કરી હતી. જેમાં કૃષિમંત્રીના આદેશથી બાગાયતના અધિકારીઓએ ગ્રીનહાઉસની મુલાકાત લઇ રિપોર્ટ સબમીટ કર્યો હતો.
ગ્રીનહાઉસના પ્રોજેક્ટમાં સૌથી મોટી મુશ્કેલી હોય તો હવામાન અને રોગજીવાતની  છે. ગ્રીનહાઉસમાં ખેતી કરતા વિજાપુરના પ્રગતિશીલ ખેડૂત પટેલ ભાવિનભાઇ બાબુભાઇએ જણાવ્યું હતું કે, શરૃઆતમાં ગ્રીનહાઉસની ટેકનોલોજી અંગેની વિગતો જાણી ગ્રીનહાઉસ બનાવ્યું હતું આજે અમે પસ્તાઇ રહ્યા છીએ. નેમેટોડ રોકવાના શક્ય પ્રયાસો કર્યા છે. પડોશી રાજ્યના ગ્રીનહાઉસ સુધીની મુલાકાત લીધી હોવા છતાં પણ આ રોગ નાથી શકાયો નથી. હું તો ખેતીમાં નિષ્ણાત હોવા છતાં થાકી ગયો છું તો અન્ય ખેડૂતોની જ વાત જ શીદ કરવી. રાજ્યમાં સૌથી વધુ ગ્રીનહાઉસ એ સાબરકાંઠા જિલ્લામાં બન્યા છે. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ગ્રીનહાઉસની ટેકનોલોજી પાકમાં ઉપયોગી થતી ન હોવાની સૌથી વધુ બૂમરાણ મચાવી રહ્યા છે. ફક્ત સાબરકાંઠા જ નહી મહેસાણા, સુરત, રાજકોટ, આણંદ , બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ સહિતના લગભગ ગ્રીનહાઉસ અપનાવનાર મોટાભાગના ખેડૂતો આ અંગે કૃષિ વિભાગમાં રજૂઆત કરી ચૂક્યા છે. હવે કૃષિ વિભાગ ખેડૂતોને નુક્સાનીની ગર્તામાંથી બહાર કાઢે તેવી મીટ માંડી રહ્યા છે. 

રાજ્યના ખેડૂતોને મૂંઝવતા સૌથી મોટા પ્રશ્નો
ખેડૂતોને ગ્રીનહાઉસ ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોમાંથી કેટલીક બાબતોની અહીં છણાવટ કરાઇ છે.
* જમીન જન્ય રોગો જેવા કે નેમેટોડ ( ગંઠવા કૃમિ, ફૂગ તથા અન્ય રોગોને કારણે ઉત્પાદન મળતું નથી. આ રોગને રોકવાના ઉપાયોનો અભાવ છે. જેને ટાળી શકાતા ન હોવાથી આખરે ખેડૂતોએ નુક્સાન ભોગવવું પડે છે.
* ઉનાળાની સિઝનમાં ગરમીનું પ્રમાણ વધારે હોવાથી ખેડૂતો ઉનાળામાં ઓફ સિઝનમાં પાકનું ઉત્પાદન લઇ શકતા નથી અને નુકસાની ભોગવી રહ્યા છે.
* ગ્રીનહાઉસ એ આધુનિક ખેત પદ્ધતિ હોવાની સાથે વાવેતર કરાતા પાકોનું સ્થાનિક માર્કેટ ન હોવાથી વેપારીઓ મનફાવે તેવા ભાવ આપી ખેડૂતો પાસેથી માલ લઇ ખેડૂતોને છેતરી રહ્યા છે.
* બેંકો દ્વારા રૃટિન વ્યાજ લેવાય છે અને કુદરતી આફતનો કે પાકવીમાનો ખેડૂતને લાભ મળી શકતો નથી. વીજળી ઇન્ડસ્ટ્રીયલ રેટથી મળે છે. 

કૃષિવિભાગ ખેડૂતોને ટ્રેઇનીંગ આપવા પણ તૈયાર

ખેડૂતો ગ્રીનહાઉસમાં સફળ થાય તે માટે પૂરતા પ્રયાસો કરાઇ રહ્યા છે. વિશ્વભરના ગ્રીનહાઉસમાં શાકભાજીની ખેતી થઇ રહી છે. નિમેટોડની સમસ્યા હોવા છતાં ખેડૂતો ગ્રીનહાઉસમાં શાકભાજીની ખેતી કરી સફળ રહ્યા છે. ખેડૂતોને નિમેટોડની સમસ્યાથી બચાવવા માટે બેંગ્લોરમાં પ્રયત્નો થઇ રહ્યા છે. આ અંગેની એક ગાઇડલાઇન પણ બહાર પડાઇ છે. બાગાયત વિભાગ નિમેટોડથી અસરગ્રસ્ત ખેડૂતને ટ્રેઇનીંગ આપવા પણ તૈયાર હોવાનું નેશનલ ર્હોિટકલ્ચર મિશનના જોઇન્ટ ડિરેક્ટર સી.એમ.પટેલે જણાવ્યું હતું. ખેડૂતો માટે એક સીડી પણ બનાવી રાખી છે. જે અંતર્ગત ખેડૂતો સીડી જોઇને પણ નિમેટોડથી પાકને બચાવવાના પ્રયત્નો કરી શકે છે. ખેડૂતો માટે વદરાડમાં ગ્રીનહાઉસના એક્સલન્સ સેન્ટરની કામગીરી હવે પૂર્ણતાને આરે છે. જે ખેડૂતોને મદદરૃપ થશે. ખેડૂતોએ ગ્રીનહાઉસની ટેકનોલોજીનો યોગ્ય અમલ કરે તો સારો એવો ફાયદો મેળવી શકે છે. ખેડૂતો સાથે છેતરપિંડી અટકે માટે જ એમ્પેનલની કામગીરી કરાઇ છે. 



નેમેટોડને નાથવા આ ઉપાય અજમાવી જુઓ

ગ્રીનહાઉસ અને નેટહાઉસમાં વાવેતર કરાતા પાક મરચાં, ટામેટાં અને કાકડીમાં નેમેટોડ મેનેજમેન્ટ અત્યંત જરૃરી :  ગ્રીનહાઉસ અને ઓપન ર્ફાિમંગમાં નેમેટોડનો ત્રાસ : નેમેટોડ અને પેથોજન (બેકટેરિયા અને ફૂગ) થકી પાકને ૪૦થી ૭૦% જેટલું થતું નુકસાન : ખેતરમાં ગંઠવાકૃમિનો ઉપદ્રવ હોય તો પાકની ફેરબદલી કરવી હિતાવહ રહેશે


ગ્રી નહાઉસમાં દુનિયાભરમાં શાકભાજીની ખેતી થાય છે. આ પાકો બિયારણની અવસ્થાથી જ વિવિધ પેસ્ટ અને પેથોજનથી પ્રભાવિત થતા હોવાથી ખેડૂતોને મોટાપાયે નુક્સાન જતું હોય છે. આ જ સ્થિતિ ગુજરાતની પણ છે. રાજ્યના ગ્રીનહાઉસમાં પણ શાકભાજીના પાકોમાં નેમેટોડ અને પેથોજનનો ઉપદ્રવ વધારે છે. નેમેટોડનો ઉપદ્રવ વધે તો ખેડૂતોનો પાક ઘણીવાર સંપૂર્ણપણે નાશ પણ થાય છે. ખરાબ બિયારણના ઉપયોગથી ઓછી ક્વોલિટીના ટામેટાં અને મરચાંનું ઉત્પાદન થાય છે. સરવાળે ખેડૂતને આવકમાં ફટકો પડે છે. ગ્રીનહાઉસમાં આ પાક ઉગાડવાથી પેથોજન, પેસ્ટ, નેમેટોડ ખૂબ ઝડપથી વૃદ્ધિ પામે છે.

શાકભાજીની રક્ષિત ખેતીમાં કૃમિ પ્રબંધન : આપણા રોજિંદા ખોરાકમાં શાકભાજી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ખેડૂતોેને શાકભાજીની ટૂંકાગાળાની ખેતીમાંથી સારી એવી આવક થતી હોવાથી વિવિધ પ્રકારના શાકભાજી પાકોનો વિસ્તાર તથા વપરાશ પણ દિન પ્રતિદિન વધતો જાય છે. શાકભાજીની ખેતીમાં વિવિધ રોગો, જીવાતો તથા કૃમિથી ઉદ્ભવતા પ્રશ્રો મુખ્ય છે. ખુલ્લા ખેતરમાં થતા ટામેટાં, રીંગણ, ભીંડા, ચોળા, મરચી, બટાટા, મેથી, પાલક તથા બધાજ વેલાવાળા શાકભાજીમાં જુદા જુદા કૃમિથી ૨૫થી ૨૭ ટકા જેટલું નુકસાન થતું જોવા મળે છે. જ્યારે ગ્રીન હાઉસમાં કરવામાં આવતા મુખ્ય પાકો જેવા કે કેપ્સીકમ, ટામેટાં, કાકડી, ઘરકીન, શક્કર ટેટી, તરબૂચ, ભીંડામાં કૃમિ તથા તેના કારણે ઉત્પન્ન થતી ફૂગને કારણે ૪૦ થી ૮૦ ટકા જેટલું નુકસાન જોવા મળે છે.
સારા નિતારવાળી હલકા પ્રકારની બેસર કે ગોરાડું જમીન, ૨૫ંથી ૩૦ ંસે. ઉષ્ણતામાને જમીનમાં પ્રમાણસરનો ભેજ તથા અનુકૂળ યજમાન પાકોમાં કૃમિના વિકાસ અને વૃદ્ધિ વધુ જોવા મળે છે. પોલીહાઉસમાં કૃમિની વૃદ્ધિ માટે યોગ્ય વાતાવરણ મળી રહેતું હોઈ ૧૮થી ૨૪ માસમાં પાંચથી છ ગણો વધારો થાય છે, જે અંતે પોલીહાઉસને ખેતી માટે બિન ઉપયોગી બનાવે છે. પાક પર જીવાતો અને રોગો નરી આંખે જોઈ શક્તા હોવાથી ખેડૂતો તેનું સમયસર અસરકારક નિયંત્રણ કરી શકે છે, પરંતુ મોટા ભાગના કૃમિ સૂક્ષ્મ નરી આંખે જોઈ શકાતા નથી અને જમીનમાં રહેતા હોવાથી ખેડૂતોને કૃમિથી થતા નુકસાનનો ખ્યાલ આવતો નથી. પરિણામે ખેડૂતોને ઉત્પાદનમાં ભારે નુકસાની વેઠવી પડે છે.
કૃમિની ઓળખ : કૃમિ સર્પાકાર હોય છે. હલન-ચલન પણ સાપની જેમ જ કરે છે. મોંઢાનો તેમજ પૂંછડીનો ભાગ પાતળો હોય છે. પાકને નુકસાન કરતા કૃમિ ૦.૧ મીમી.થી ૧૯ મીમી. લાંબા અને ૦.૦૧ મીમીથી ૦.૧ મીમી જેટલા વચ્ચેથી જાડા હોય છે. કૃમિના મોઢાના ભાગમાં એક પોલી સોય જેવી અણીદાર ચુસિકા હોય છે, જેના વડે તે વનસ્પતિના મૂળમાં કાણું પાડી કોષોમાંથી ખોરાક ચુસે છે.
ગ્રીનહાઉસમાં કૃમિ નિયંત્રણના ઉપાયો
  • પાક લીધા પછી ઉનાળામાં ટ્રેક્ટરની ઊંડી ખેડ કરી પાકના જડીયા વીણી બાળી નાંખવા તેમજ જમીનને તપવા દેવી.
  • ખેતરમાં ગંઠવાકૃમિનો ઉપદ્રવ હોય તો પાકની ફેરબદલી કરવી.
  • કૃમિગ્રસ્ત વિસ્તારમાં કૃમિ પ્રતિકારક શાકભાજીની જાતોનું વાવેતર કરવું.
  • હવાની અવર-જવર થઈ શકે તે પ્રમાણે રોપાનું વાવેતર કરવું. ગ્રીન હાઉસમાં પૂરતી હવા, તાપમાન અને ભેજ જળવાઈ રહે તે રીતે વેન્ટીલેશન ગોઠવવું.
  •  રાસાયણિક ખાતર યોગ્ય રીતે આપવું વધુ પડતો નાઈટ્રોજન ન હોય તેનું ધ્યાન રાખવું.
  • સેન્દ્રિય ખાતરો પૂરતા પ્રમાણમાં વાપરવા, જમીનમાં એક જ જગ્યાએ વધુ ભેજ ન રહે તે પ્રમાણે ડ્રિપનું આયોજન કરવું.
  • ગ્રીનહાઉસ સ્ટ્રક્ચરની અંદર તથા બહાર નીંદામણ કરતાં રહેવું. ઘણીવાર બહારના ભાગે ઉગે નીંદામણો થકી કૃમિ પગમાં ચંપલ કે પછી બહાર વપરાયેલ કૃષિ ઓજારો મારફત પણ ગ્રીન હાઉસમાં પ્રવેશે છે. જેથી કૃષિ ઓજારો ધોયા બાદ જ અન્ય સ્ટ્રક્ચરમાં ઉપયોગમાં લેવાય તે જરૃરી છે.
  • કૃમિ નિયંત્રણ માટે પાળા બનાવતા પહેલાં તેમાં કૃમિ નિયંત્રણની માવજત ખૂબ જ જરૃરી છે અન્યથા આ પાળા કૃમિની વૃદ્ધિ માટેનું માધ્ય બની શકે છે.
  • જમીનને સારી રીતે ખેડયા બાદ પાક અનુસાર પદ્ધતિસરના પાળા બનાવવા જરૃરી છે. જમીન ચકાસણીની ભલામણ અનુસાર પાયાના ખાતરો ઉમેરવા. જૈવિક કૃમી નાશક એ એક પ્રકારની ફુગ છે જે કૃમિ ઉપર અલગ અલગ પ્રકારે અસર કરે છે. જેમ કે, તેના ચીકણા તંતુઓ કૃમિને જકડી રાખી તેના હલન ચલનને સિમિત કરે છે પરિણામે કૃમિ ભૂખથી મરી જાય છે. તે જ પ્રમાણે ઘણીવાર ફૂગ દ્વારા કૃમિમાંથી કોષ દ્રવ્યનું શોષણ કરીને પણ તેનો ખાતમો કરવામાં આવે છે. જે માટે ભારતીય બાગાયતી અનુસંધાન સંસ્થા, હિસ્સરઘટ્ટા, બેંગલુરું (આઈએચઆર) દ્વારા આ પ્રકારના જૈવિક નિયંત્રકોના ઉપયોગ અંગે માર્ગર્દિશકા બહાર પાડી છે.

 જે મુજબ એક ટન સેન્દ્રીય ખાતરો જેવા કે, છાણિયું ખાતર અથવા વર્મી કંમ્પોસ્ટ અથવા લીંબોળી ખોળ, બે કીલો ગ્રામ ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરઝીએનમ (જૈવિક ફુગનાશક), બે કીલો ગ્રામ પેસીલોમાયસીસ લીલાસીનસ (જૈવિક કૃમિનાશક), બે કિલો ગ્રામ સ્યુડોમોનાસ ફ્લુઓરેસેન્સ (જૈવિક બેકટેરીયાનાશક)ને ભેળવી મિશ્રણને છાંયામાં તૈયાર કરવું તથા પૂરતો ભેજ મળી રહે તે રીતે ૧૫ દિવસ સુધી જાળવવું. જે માટે ઉપર કંતાન અથવા મલ્ચીંગનું પ્લાસ્ટિક પણ ઢાંકી શકાય. અઠવાડિયે આ જૈવિક મિશ્રણને ઉપર-નીચે કરવાથી સમગ્ર મિશ્રણમાં જીવકોનો એક સરખો વિકાસ થાય છે.

મિશ્રણનો ઉપયોગ કરવાની મહત્વની  બે રીત
* જો છાણિયું ખાતર મિશ્રિત કરેલું હોય તો ૫ કિગ્રા. પ્રતિ ચો.મી. અથવા લીંબોળી ખોળ મિશ્રિત હોય તો ૨૦૦ ગ્રામ પ્રતિ ચો.મી. અથવા ર્વિમ કંમ્પોસ્ટ મિશ્રિત હોય તો ૧ કિગ્રા પ્રતિ
ચોમી. મુજબ પાળાની ઉપરના ૧૮ સેમી.માં ભેળવવું.
* છાણીયું ખાતર મિશ્રિત કરેલું હોય તો ૧૫૦ ગ્રામ પ્રતિ ચોમી અથવા લીંબોળી ખોળ મિશ્રિત તો ૫૦ ગ્રામ પ્રતિ ચોમી અથવા ર્વિમ કંપોસ્ટ મિશ્રિત હોય તો ૧૦૦ ગ્રામ પ્રતિ ચોમી મુજબ પાળાની ઉપરના ૨થી ૩ સેમી.માં દર ત્રીસ દિવસે ભેળવવાથી વધુ સારા પરિણામો મેળવી શકાય છે.
પ્રવાહી સ્વરૃપે જૈવિક નિયંત્રક દ્વાવણ તૈયાર કરવાની રીત ઃ  ૨૦ કિગ્રા લીંબોળી ખોળ આપવો.
* બે કિલો ગ્રામ ટ્રાયકોડમાં વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરઝીએનમ (જૈવિક ફુગનાશક)
* બે કિલો ગ્રામ પેસીલોમાયસીસ લીલાસીનસ (જૈવિક કૃમિનાશક)
* બે કિલો ગ્રામ સ્યુડોમોનાસ ફ્લુઓરેસેન્સ સાથે (જૈવિક બેકટેરીયાનાશક)
* ૨૦૦ લીટર પાણીમાં મિશ્રણ કરી ગાળીને અસરકારક રીતે જૈવિક મિશ્રણ તૈયાર કરી શકાય આ છોડ મી લીટર પ્રતિ ચો ૨ ગ્રામ પ્રતિ લિટર કે પાણીમાં ભેળવી ૫ મિશ્રણને પ્રવાહી સ્વરૃપે ડ્રીપમાં દીઠ આપી શકાય. આમ, ખેડૂતો કૃમિ નિયંત્રણ માટે જણાવેલી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી કૃમિ જન્ય રોગોનું અસરકારક નિયંત્રણ તેમજ તેનાથી થતાં ૪૦-૫૦ ટકા જેટલા નુકસાનને અટકાવી આર્િથક ફાયદો મેળવી શકાય છે. કૃમિ નિયંત્રણ માટે જૈવિક નિયંત્રકો વિવિધ યુનિર્વિસટીઓ તેમજ ખાનગી કંપનીઓમાંથી પણ મળી રહે છે, જેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવાથી કૃમિનું નિયંત્રણ કરી શકાય છે.

ગાદી ક્યારામાં ખુલ્લા ખેતરમાં ધરું ઉત્પાદન માટેના ઉપાયો

* ધરૃવાડિયાની જગ્યાએ બાજરીના ઢૂંસા, ઘઉંનું ભૂસું, ડાંગરના ફોતરાં અથવા નકામો કચરો ૭ કિગ્રા/ચોમી મુજબ પાથરી પવનની વિરુદ્ધ દિશામાં સળગાવવું. જેને "રાબીંગ"કહેવામાં આવે છે.
* ઉનાળામાં એપ્રિલ-મે માસ દરમિયાન ધરૃવાડિયાની જમીનમાં પાણી આપી વરાપે ખેડી ૧૦૦ માઈક્રોનનું પારદર્શક પ્લાસ્ટિક ૧૫ દિવસ સુધી હવાચુસ્ત રીતે ઢાંકી રાખવાથી (સોઈલ સોલરાઈઝેશન)જમીનમાં કૃમિ તથા રોગ-જીવાતનું નિયંત્રણ કરી શકાય છે.
* કૃમિનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં હોય તેવી જમીનમાં કાર્બોફ્યુરાન અથવા ફોરેટ ૫૦ ગ્રામ પ્રતિ ચોમી ઉપયોગ કરી શકાય. ટ્રાયકોડર્મા હર્જીએનમ અને સ્યુડોમોનાસ ફ્લુઓરેસેન્સ જેવા જૈવિક નિયંત્રકોનો ૫૦ ગ્રામ પ્રતિ ચોમી ઉપયોગ કરી શકાય.


જૈવિક નિયંત્રકો : જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવામાં આવેલ હોય તો દર ચાર દિવસે પાણી આપી પૂરતું ભેજ જાળવી રાખવું જરૃરી છે. આ નિયંત્રકોની પૂર્ણ અસરકારકતા માટે સેન્દ્રીય ખાતરનું વિઘટન થવું જરૃરી છે જેને ધ્યાને લઈ ક્યારામાં બીયારણ નાંખવા માટે ઓછામાં ઓછો પંદર દિવસનો ગાળો રાખવો. 

Sunday, 7 December 2014

બીટી કોટનમાં જીવાતો બીટીપ્રૂફ બની

 

કપાસમાં કાબરી અને ગુલાબી ઇયળનો વધતો ઉપદ્રવ :  ખેડૂતોએ બીટી સાથે દેશી કપાસની હાર વાવવાનું ટાળતાં ૧૦ વર્ષના અંતે જીવાતોએ બીટી જીનને પચાવી લીધું  :  બીટી જીનની અસર સામે જીવાતો પાવરફૂલ બનતાં ખેડૂતોને કપાસમાં નુક્સાની વધી  : રાજ્યમાં દરિયાઇ પટ્ટીના વિસ્તાર કોડિનાર, ધારી, સાવરકુંડલા અને જાફરાબાદ, રાજુલા જેવા વિસ્તારમાં ગુલાબી ઇયળનો વધુ ઉપદ્રવ  : નવી નીતિમાં બીટી સાથે નોન બીટી મિક્સ કરવાની યોજનાઓ ઘડાઇ છે પરંતુ હવે આ અમલવારી મોડી

ગુજરાતમાં કપાસની હેક્ટરદીઠ ઉત્પાદકતા વધારવામાં બીટી કોટનનો સિંહફાળો છે. આજે હેક્ટરદીઠ ઉત્પાદકતા એ બીટી કોટનને આભારી છે. રાજ્યમાં ૮૦ ટકા કપાસની વાવણી બીટી કોટનની થાય છે, પરંતુ ખેડૂતોની મનમાનીને પગલે રાજ્યમાં બીટી કોટનની ટેકનોલોજીને અસર પહોંચી છે. બીટી કોટનના વાવેતરમાં દેશી કોટનનું વાવેતર ફરજિયાત કરવાનું ખેડૂતોએ છોડી દેતાં આજે બીટી કોટનમાં આવતી જીવાતો બીટી પ્રૂફ બનવા લાગી છે. ખેતરોમાં હવે જીવાતોનો ઉપદ્રવ વધવા લાગ્યો છે. આ વર્ષે તેની અસર જોવા મળતાં વૈજ્ઞાાનિકો પણ અચંબામાં મૂકાયા છે. સૌથી વધુ નુક્સાન કરતી ગુલાબી ઇયળને કંટ્રોલ કરવી હવે મુશ્કેલ સાબિત થઇ રહી છે. જીવાતો બીટી જીનની ક્ષમતાને પચાવી ગઇ હોય તેવું ચિત્ર ઉદ્ભવ્યું છે. રાજ્યમાં બીટી કોટનને ૧૦ વર્ષથી વધુ સમય થવાની સાથે ખેડૂતો પોતાની ભૂલને પગલે હવે નુક્સાન ભોગવી રહ્યા છે. જો આ જ સ્થિતિ રહી તો આ જીવાતોને કપાસમાં નુક્સાન કરતાં અટકાવવાના નવા ઉપાયો કે નવા જીનનું કૃષિ વિભાગે સંશોધન કરવું પડશે. જોકે, નવી નીતિમાં બીટી સાથે નોન બીટી મિક્સ કરવાની યોજનાઓ ઘડાઇ છે પરંતુ હવે આ અમલવારી મોડી થઇ રહી હોવાનું સંશોધકો જણાવી રહ્યા છે.     
દે શમાં કપાસ એ અગત્યનો વિદેશી હૂંડિયામણ કમાઇ આપતો રોકડિયો પાક છે. કપાસ ઉગાડતા રાજ્યોમાં ગુજરાત એ મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં આશરે ૨૫થી ૨૭ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થવાની સાથે ૧૦૦થી ૧૧૦ લાખ ગાંસડી રૃનું ઉત્પાદન થાય છે. પાકમાં ઉત્પાદન પર અસર કરતા પરિબળો પૈકી જીવાતો સામે પાક સંરક્ષણ એ અગત્યનું પરિબળ છે. કપાસના પાકને ઘણી બધી જીવાતો નુક્સાન કરે છે. કપાસમાં જીવાતોના ઉપદ્રવથી ઉત્પાદનમાં ૧૦થી ૧૫ ટકાનો સીધો ખેડૂતોેને ફટકો પડે છે. કપાસના પાકમાં જીવાતો અલગ-અલગ ચાર તબક્કે પાકમાં આવતી હોય છે. કપાસમાં શરૃઆતના તબક્કામાં રસ ચૂસીને નુકસાન કરતી જીવાતોમાં મોલોમશી, તડતડિયા, થ્રિપ્સ, સફેદમાખી, રાતા ચૂસિયા અને મિલીબગ એ મુખ્ય છે. જ્યારે ડૂંખ, ફૂલ ભમરી અને જીંડવાને નુક્સાન કરતી જીવાતોમાં ટપકાંવાળી ઇયળ, લીલી ઇયળ, ગુલાબી ઇયળ અને  લશ્કરી ઇયળ એ મુખ્ય છે. આ જીવાતો બહુભોજી હોવાથી કપાસ સિવાયના પાકોને પણ નુક્સાન કરે છે. સમસ્યા સૌથી મોટી એ છે કે ખેડૂતો કપાસના પાકમાં આડેધડ દવાઓનો ઉપયોગ કરતા હોવાથી જીવાતોના કુદરતી દુશ્મનોનો પણ નાશ થઇ રહ્યો છે. પરિણામે જીવાતો હવે પાકમાં આક્રમક બની રહી છે. ખેડૂતો સંકલિત નિયંત્રણમાં પણ કાબરી ઇયળ, લીલી ઇયળ, લશ્કરી ઇયળ તથા ગુલાબી ઇયળના નરને આકર્ષવા ફેરોમોન ટ્રેપ દરેક માટે એક હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવામાં આવે તો તેમને નાથી શકાય છે. ડિસેમ્બરથી જાન્યુઆરીમાં ગુલાબી ઇયળ એ ફૂલભમરીની અંદર કાણું કરીને ઇંડું મૂકે છે. જીંડવું જેમ મોટું થાય તેમ તેમ ઇયળ મોટી થાય છે.
જીંડવું પરિપક્વ થાય ત્યારે તે ખૂલવા દેતી ન હોવાની સાથે ખૂલે તો પેશીના રૃપમાં બહાર આવે છે. તે કપાસીયો ખાઇ જવાની સાથે રૃનો ઢગલો થાય ત્યારે જમીનમાં પણ જોવા મળે છે. આ વર્ષે રાજ્યમાં કપાસના ખેતરમાં ગુલાબી ઇયળ અને રેડકોટન બગનો ઉપદ્રવ વધ્યો છે. જેના માટે ખેડૂતો જ જવાબદાર છે. છેલ્લા ૧૦ વર્ષથી ખેડૂતોએ દાખવેલી અક્ષમ્ય બેદરકારીને પગલે હવે જીવાતો પણ બીટીપ્રૂફ બનવા લાગી છે. જેની પર હવે દવાઓની પણ અસર થતી નથી. એકવાર જીવાત બીટી પ્રૂફ બન્યા બાદ તેનો વંશવેલો હવે કપાસના પાકને નુક્સાન પહોંચાડી રહ્યો છે. ખેડૂતોએ શરૃઆતમાં આવતી રોગ-જીવાત સામે રોકવાના અસરકારક પગલાં ભર્યાં હોત તો ખેડૂતો માટે વિક્ટ સ્થિતિ પેદા થઇ ન હોત.




ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવી ઇયળનું રિસર્જન અટકાવી શકાય

કપાસમાં હાલમાં સૌરાષ્ટ્રમાં ગુલાબી ઇયળનો સૌથી મોટો ઉપદ્રવ છે. કપાસના છેલ્લા સ્ટેજ પર ગુલાબી ઇયળનો ઉપદ્રવ આવતો હોય છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, જામનગર, રાજકોટ જિલ્લામાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધારે છે. દર વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ રહેતો હોય છે. આ વર્ષે કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેતાં ગુલાબી ઇયળ વહેલી આવી છે. હાલમાં કપાસમાં આ જીવાતનો ઉપદ્રવ અલગ-અલગ સ્ટેજે હોવાથી નુક્સાનની સરેરાશ તુલના કરવી અશક્ય છે. આમ છતાં ગુલાબી ઇયળની નુક્સાનનો ભોગ ખેડૂતો બની રહ્યા હોવાનું કપાસ સંશોધન કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાાનિક ડો. ખાનપરાએ જણાવ્યું હતું. હવે આ ઇયળોને રોકવી શક્ય ન હોવાથી ખેડૂતોને નુક્સાન જવાની સંભાવના વધુ છે. હાલમાં કપાસના છોડમાં ટોક્સીપ્રોસિનનું પ્રમાણ ઓછંુ હોવાથી આ ઇયળોનો ઉપદ્રવ વધ્યો છે. છોડ સૂકાતા તેમાં ઝેરનું પ્રમાણ ધીમેધીમે ઓછું થતું જાય છે અને ગુલાબી ઇયળ પોતાનો રંગ દેખાડતી હોય છે. રાજ્યમાં ખાસ કરીને દરિયાઇ પટ્ટીના વિસ્તાર કોડિનાર, ધારી, સાવરકુંડલા, ઝાફરાબાદ, રાજુલા જેવા વિસ્તારમાં ગુલાબી ઇયળનો વધુ ઉપદ્રવ છે. કપાસની છેલ્લી પરિપક્વ અવસ્થાએ હોવાથી આ ઇયળને કન્ટ્રોલ કરવું એ ખેડૂતો માટે આર્િથક રીતે ફાયદાકારક નથી. કપાસની વીણી પૂરી થઇ ગયા બાદ ખેતરમાં ઘેટાં બકરાં ચરાવી આગામી ખરીફ સિઝનમાં ગુલાબી ઇયળનું રિસર્જન અટકાવી શકાય છે. ગુલાબી ઇયળ એ કોશેટામાં રહેતી હોવાથી તે ખરી પડયા તેનાં ઇંડાં જમીનમાં ઉતરી તક મળે ત્યારે ફરી બહાર આવી કપાસને નુક્સાન કરે છે. 

કપાસમાં કાબરી અને ગુલાબી ઇયળ આવી

રાજ્યમાં રૃના ઓછા ભાવને પગલે ખેડૂતો બૂમરાણ મચાવી રહ્યા છે. હવે ટેકાના ભાવ પણ વધવાની શક્યતા ન હોવાથી ખેડૂતો માટે કપાસનું આ વર્ષ ફેઇલ જવાની શક્યતા છે. પરિણામે ખેડૂતો હવે કપાસ કાઢીને રવી સીઝનના પાકોના વાવેતરની પણ તૈયારીઓ આરંભી દીધી છે. રાજ્યમાં કપાસના પાકમાં આ વર્ષે કાબરી અને ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ અને કમોસમી વરસાદને પગલે ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધુ રહ્યો છે. ખાસ કરીને બીટી કોટનમાં નવરાત્રી અને દિવાળીની આસપાસ ગુલાબી ઇયળનો ઉપદ્રવ શરૃ થતો હોય છે. જેની સીધી અસર નવેમ્બર કે ડિસેમ્બરમાં દેખાય છે.  બીટી કોટનના બિયારણમાં ૪૫૦ ગ્રામ બીટી અને ૧૫૦ ગ્રામ નોન બીટી કપાસનું બિયારણ આવે છે. જે ખેડૂતોએ ખેતરના શેઢા પર બે હારમાં વાવેતર કરવાનું હોય છે. જેથી જીવાતો નોન બીટીમાંથી બીટી કપાસમાં ના આવે પરંતુ ખેડૂતોએ બીટી કપાસ સાથે નોન બીટીનું વાવેતર જ ટાળી દેતાં જીવાતોએ બીટી કપાસમાં સક્રિય થઇને બીટીના રજિસ્ટન્સ મેળવી લીધા છે. પરિણામે હવે બીટી કોટનમાં જીવાતોનો ધીમેધીમે ઉપદ્રવ વધવા લાગ્યો છે.  આ જીવાતોનો ઉપદ્રવ વધતાં કપાસની ગુણવત્તા બગડવાની સાથે કપાસ હલકો થઇ જતાં ખેડૂતોને આવકમાં પણ ફટકો પડી રહ્યો છે. આ વર્ષે કપાસમાં આ જીવાતોનું પ્રમાણ વધુ રહેતાં કપાસના ઉત્પાદન પર સીધી અસર થવાની પણ શક્યતા છે.


ઇયળનો શા માટે ઉપદ્રવ વધ્યો

* બીટી કપાસમાં લીલી ઈયળનો ઉપદ્રવ ન જણાતા કે નહીંવત્ રહેતો હોવાથી દવાના છંટકાવ ઓછા થાય જેથી આ જીવાતની વસતી વધવાની શક્યતાઓ વધી જાય છે.
* આ જીવાતનું નુકસાન જીંડવાંની અંદર થતું હોવાથી ખેડૂતો નુકસાન જોઈ શકતા નથી અને તેના માટે આ જીવાત સામે સજાગતા વિકાસ પામી નથી. જીવાત જીંડવાંમાં રહીને નુકસાન કરતી હોવાથી કીટનાશી દવા ઈયળ સુધી પહોંચી શકતી નથી.
* ખેડૂતો મોટે ભાગે પાકની પાછલી અવસ્થાએ દવા છાંટવાનું બંધ કરતાં હોય છે અને આ જીવાતનો ઉપદ્રવ પાકની પાછળની અવસ્થામાં વધારે રહેતો હોય છે.
* આ જીવાતના કુદરતી દુશ્મનો પણ બીજી અન્ય જીવાત કરતાં ઘણાં ઓછા હોવાથી જૈવિક નિયંત્રણનો કાર્યક્ષમ ઉપયોગ લઈ શકતો નથી.
* ખેડૂતો મોટે ભાગે કપાસ પૂરો થયેથી તેની કરાંઠીઓ ખેતરમાં એક જગ્યાએ બળતણ માટે મૂકી રાખે છે. આમ કરવાથી આ જીવાત અવશેષ પ્રભાવનો લાભ મળે છે.
* આ જીવાતને લીધે કપાસના ઉત્પાદનમાં નરી આંખે દેખાય તેવું નુકસાન ઓછું થતું હોવાથી ખેડૂતો તેના તરફ વધારે ધ્યાન રાખતા નથી. હકીકતમાં આ જીવાતથી કપાસની ગુણવત્તા ઉપર ખૂબ જ માઠી અસર પહોંચતી હોય છે અને સારા ભાવ મળતા નથી.
* કપાસ લોઢવાના જીન ચોમાસા સુધી ચાલુ રહેતા હોવાથી તેની આજુબાજુના ખેતરમાં આ ઈયળની શરૃઆત ખૂબ જ વહેલી થઈ જતી હોય છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Friday, 5 December 2014

ઘઉંની જાતો શોધવામાં જીવન ઘસી નાખનાર સોંદરડાના સંશોધકને મળો


સોંદરડા ગામના પ્રગતિશીલ ખેડૂત અને સંશોધક ૭૬ વર્ષની જૈફ વયે આજે પણ સંશોધન કરી રહ્યાં છે :  ઝીણવટભર્યાં અવલોકનો કરી છોડને જુદા તારવી તેની નોંધ રાખી હતી :  મુલાકાત લેવા જેવા સંશોધક :  ઘઉંના સંશોધકે દેશને ઘઉંની લોક-૧  અને રાજ્યને બીડબલ્યુ ૩૨૧, બીડબ્લ્યુ ૫૨૪ અને બીડબ્લ્યુ ૫૫૬ જાત પૂરી પાડી ધાન્યપાકોનું ઉત્પાદન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

દે શનાં ૮ રાજ્યો અને દુનિયાના વિવિધ દેશોમાં ઘઉંની લોક-૧ જાતે ડંકો વગાડયો છે. આજે લોક-૧ જાત ઘઉંના ખેડૂતોમાં વાવણી માટે બિલકુલ અતિ ઉત્તમ જાત છે. દેશને ઘઉંની લોક-૧ જાત અને રાજ્યને બીડબલ્યુ ૩૨૧, બીડબ્લ્યુ ૫૨૪ અને બીડબ્લ્યુ ૫૫૬ જાત પૂરી પાડનારા જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા ગામના અંબાવીભાઈ જેરામભાઈ ભલાણીએ ઘઉંની આ જાતો શોધવામાં જીવન ઘસી નાખ્યું છે અને ૭૬ વર્ષની જૈફ વયે પણ સંશોધન કરી રહ્યાં છે. લોક-૧ ઘઉંની જાતના સંશોધન અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મૂળ પાલિતાણાના ડો. ઝવેરભાઈ પટેલ અમેરિકા જઈ પ્લાન્ટ બ્રીડિંગમાં પી.એચડી. કરીને આવ્યા હતા અને તેઓએ લોકભારતી સંસ્થામાં વર્ષ ૧૯૬૭માં ઘઉં પર સંશોધનનું કામ શરૃ કર્યું હતું. તેમાં હું મદદનીશ તરીકે જોડાયો હતો. ઝવેરભાઈ પાલિતાણા રહેતા હતા એટલે તેઓ સવારે આવે અને અમે બંને ઘઉંનાં નિરીક્ષણો કરતા હતા.
 વાવણી અને કાપણી વિવિધ સંશોધનોમાં મને રસ પડવા લાગ્યો હતો. ઘઉંના ઉગાવા, ફૂટ, પાનના રંગ, આકાર, છોડની વર્તણૂકમાં વિવિધતા, વહેલી-મોડી પાકતી ડૂંડી, લાંબી-ટૂંકી, પહોળી-સાંકડી પૂતળીમાં વધુ-ઓછા દાણા આ બધાનું હું ઝીણવટથી નિરીક્ષણ કરતો હતો. ફેબ્રુઆરી ૧૯૬૮માં એક દિવસ હું અને ઝવેરદાદા વાવેતર કરેલા ક્યારાની લાઈનો જોતાં હતા ત્યારે તેઓ ઊભા રહી ગયા હતા અને મને પૂછયું હતું કે, આ બે લાઈનમાં શો તફાવત છે?' બંને લાઈનમાં છોડની ઊંચાઈ, ડૂંડીનો આકાર, રંગ, દેખાવ બધુ સરખું લાગે. મેં બારીકાઈથી જોઈને જવાબ આપ્યો હતો કે દાદા આ લાઈનની ડૂંડીની પૂતળીમાં આપણા માથાના વાળ કરતાંય પાતળી રુવાંટી છે. જ્યારે બીજી લાઈનની ડૂંડીમાં નથી. ઝવેરદાદાએ મને શાબાશી આપી અને કહ્યુંં કે હવે તું સાચો સંશોધક છે. ત્યારબાદ તેઓ ઘઉંના છોડમાં રહેલા જીવન અને તેની શૈલીની જાણકારી, વૈજ્ઞાાનિક તથ્યોનું જ્ઞાાન મને આપવા લાગ્યા. સવારના આઠથી સાંજના ચાર વાગ્યા સુધી ઘઉં સિવાય કોઈ વાત કરીએ નહીં. ઘઉંમાં સંકરણનું કામ મેં શીખી લીધું હતું.
ત્યારબાદ વર્ષ ૧૯૬૯માં જૂનાગઢ સંશોધન કેન્દ્રમાંથી ઘઉંની કેટલીક મેક્સિકન જાતો અમારી પાસે આવી હતી. તેમાં એસ-૩૦૮ અને એસ-૨૨૭નો સમાવેશ હતો. તે બધી જાતો વાવવામાં આવી. તેમાંથી એસ-૩૦૮ની લાઈનમાં ફૂટ નીકળવાની પૂરી થયા પછી એક છોડમાં સળી, પાન, રંગ, આકાર અને વિકાસ અન્ય કરતાં જુદો લાગ્યો. તે છોડના બધાં જ બી બીજા વર્ષે વાવ્યાં. તે દરેક છોડનો મેં અભ્યાસ કર્યો. ઝવેરદાદાએ તેમાંથી સારા છોડ પસંદ કરવા જણાવ્યું હતું. મેં ૧૦૫૦ છોડમાંથી મને ગમતા ૨૫૦ છોડમાં ટેગ લગાવ્યા અને ઝવેરદાદાએ તેમાંથી ૧૦૦ છોડ પસંદ કર્યા અને મેં ૧૫૦ છોડ રાખ્યા. દાદાએ મને અલગ ચોપડો તૈયાર કરી નોંધ કરવા સૂચવ્યું અને અમે બંને અમારી રીતે કામ કરવા લાગ્યા. ઘઉં સંશોધનમાં નવી જાતો તૈયાર કરવામાં સંકરણ કરવામાં આવતું, પરંતુ એસ-૩૦૮માંથી જે વિશિષ્ટ છોડ પસંદ કરવામાં આવેલો તેનું સંશોધન પસંદગી પદ્ધતિથી આગળ વધ્યું હતું. આખરે અંબાવીભાઇએ સફળતા મેળવી હતી.

દિવસના ૧૦થી ૧૨ કલાક સંશોધન કાર્યમાં પસાર કરે છે

અંબાવીભાઈ ભલાણીએ જણાવ્યું હતું કે, ૧૧ વર્ષ સુધી લોક-૧ પર સંશોધન કરાયા બાદ સત્તાવાર રીતે ગુજરાત સરકારે ૧૯૭૯માં લોક-૧ને રિલીઝ કરી હતી જ્યારે કેન્દ્ર સરકારે વર્ષ ૧૯૮૨માં લોક-૧ને સત્તાવાર રિલીઝ કરી હતી. હાલ આ લોક-૧ ઘઉંની ૮ રાજ્યમાં વાવણી થાય છે. જ્યાં જ્યાં લોક-૧ની વાવણી થાય છે ત્યાં વર્ષ ૨૦૧૨માં રિલીઝ થયેલી બીડબ્લ્યુ ૩૨૧, બીડબ્લ્યુ ૫૨૪ અને બીડબ્લ્યુ ૫૫૬ પણ અનુકૂળ આવી રહી છે. આ બીડબ્લ્યુ જાતોના સંશોધન પાછળ પણ રસપ્રદ કિસ્સો રહેલો છે. અંબાવીભાઈએ જણાવ્યું હતું કે, અમે વર્ષ ૧૯૯૭માં કર્નાલમાં મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્રમાં બધા વૈજ્ઞાાનિકોનું સંમેલન યોજાયું હતું, ત્યારે મેક્સિકોના ઘઉં સંશોધન કેન્દ્રના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે હવે સંકર જાતોનું કોઈ પરિણામ નથી મળી રહ્યું અને વધુ ઉત્પાદન પણ નથી મળી રહ્યું એટલે આ આખી વાતને કુદરતી રીતે તૈયાર કરવાનો મેં વિચાર કર્યો હતો અને સંશોધન શરૃ કર્યાં હતાં અને લોકો સમક્ષ બીડબ્લ્યુની ત્રણ જાત રજૂ કરી હતી. અંબાવીભાઈ આજે ૭૬ વર્ષની ઉંમરે પણ દિવસના ૧૦થી ૧૨ કલાક સંશોધન કાર્યમાં પસાર કરે છે તેમનો ઉદ્દેશ્ય વધારે ઉત્પાદન આપતી જાતો ખેડૂતોને સર્મિપત કરી દેશને કૃષિક્ષેત્રે મદદરૃપ થવાનો રહ્યો છે.



વર્ષ ૧૯૭૯માં લોક-૧ના નામે ઘઉંની જાત રિલીઝ થઈ


વર્ષ ૧૯૬૯માં જે ૧૫૦ છોડનાં બી ના પ્રયોગોને આગળ લઈ ગયો હતો તેમાંથી ૧૯૭૪માં જે જાત તૈયાર થઈ તેને મેં હાઈબ્રીડ-૧૬ નામ આપ્યું હતું. આ સિવાયની તૈયાર થયેલી જાતો તથા દાદાએ જે ૧૦૦ છોડ પસંદ કરેલા તેમાંથી તૈયાર થયેલી ૩થી ૪ જાતો એમ કુલ ૮ જાતો જૂનાગઢ સંશોધન કેન્દ્રમાં ચકાસણી કરવા માટે મોકલી હતી. અહીં જુદાં જુદાં સંશોધન કેન્દ્રમાં ચકાસણી કરવામાં આવી હતી અને જૂનાગઢ કેન્દ્રમાં હાઈબ્રીડ-૧૬ કલ્ચરની પસંદગી થઈ હતી. વર્ષ ૧૯૭૪થી ૧૯૭૮ સુધી સેન્ટ્રલ ઝોનમાં તેના ટ્રાયલ થયાં અને વર્ષ ૧૯૭૯માં લોક-૧ના નામે રિલીઝ થઈ હતી. 

published in Gujarat leading agriculture news paper Agro sandesh..

Wednesday, 3 December 2014

ચણા ખેડૂતોનું નસીબ ચમકાવશે


બે વર્ષથી ટેકાથી પણ નીચો રહેતો ભાવ, પરંતુ આ વર્ષે ચિત્ર બદલાશે : ચણાના વાવેતર અને ઉત્પાદનમાં ઘટાડો, મજબૂત માંગ, ટેકાના ભાવમાં વધારો થવાથી ચણાના ભાવ ઊંચા રહે તેવી શક્યતા : ચણાનું વાવેતર ઓછું રહ્યું તો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃ.૩૩૦૦ પહોંચશે : ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૩૧૭૫ : સરકારે ઉત્પાદનનો અંદાજ પણ ઘટાડયો : ૨૮મી નવેમ્બર સુધીમાં દેશમાં ૬૩.૮૫ લાખ હેક્ટરમાં વાવેતર : ખરીફ સીઝનમાં ૬૦.૦૨ લાખ ટન કઠોળના ઉત્પાદન સામે ૫૨ લાખ ટન ઉત્પાદન થવાની ગણતરી : ૧૯૫ લાખ ટન કઠોળનું ઉત્પાદન થવાની સંભાવના

છેલ્લાં બે વર્ષથી ટેકાના ભાવથી પણ નીચી કિંમતે ચણાનું વેચાણ કરતા ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે ચણાના ભાવ મજબૂત રહેવાની સંભાવના છે. ચણાના વાવેતર અને ઉત્પાદનમાં ઘટાડો, મજબૂત માંગ તેમજ ટેકાના ભાવમાં વધારો થવાથી ચણાના ભાવ ઊંચા રહે તેવી શક્યતા છે. આમ છતાં સ્ટોકને પગલે વધુ ઉછાળો આવે તેવી સંભાવના ઓછી છે. રાજ્યમાં પ્રતિ હેક્ટરે એક ટન ઉત્પાદિત થતા ચણાના વાવેતરમાં ૨૮મી નવેમ્બર સુધીમાં ૧૨ લાખ હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. સરકારે પણ ચણાનું ઉત્પાદન ઘટાડીને ૯૩ લાખ ટન થાય તેવો અંદાજ મૂક્યો છે. ૨૦૧૩-૧૪માં ચણાનું રેકોર્ડબ્રેક ૯૮ લાખ ટન ઉત્પાદન થયું હતું. ચણાનું વાવેતર ઘટવાના સંજોગો વચ્ચે વાવેતર ઓછું રહ્યું તો ચણાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃ.૩૩૦૦ પહોંચે તેવી પણ સંભાવના છે. ચણા એ રવી સીઝનનો મુખ્ય કઠોળ પાક હોવાથી ગુજરાતમાં પણ ચણાનું કઠોળમાં સૌથી વધુ વાવેતર થાય છે.

ર વી સીઝનનો મુખ્ય પાક ગણાતા ચણાની ખેતી ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં કરવામાં આવે છે. ખરીફની સાથે સાથે રવી સીઝનનો મુખ્ય પાક ગણાતા ચણાની ખેતી કરતા ખેડૂતોને આ વર્ષે ભાવ સારા મળે તેવી સંભાવનાઓ છે. આ વર્ષે રવી સીઝનની અંદર વાવણી પુરજોશમાં શરૃ થઈ ગઈ છે અને ૨૮ નવેમ્બર સુધી ચણાની કુલ ૬૩.૮૫ લાખ હેક્ટરની અંદર વાવણી પૂર્ણ થઈ ગઈ  છે. જ્યારે કે ગત વર્ષે ૭૫.૭૯ લાખ હેક્ટર વિસ્તારની અંદર વાવણી થઈ હતી. જો કે આ વાવણી હજુ પણ આગામી દિવસોમાં પોઝિટિવ ટોનમાં રહે તેવી પણ સંભાવનાઓ છે. રવી વાવણી મોડી થતા પાછલા કેટલાંક દિવસોની અંદર કઠોળના ભાવની સાથે સાથે ચણાના ભાવમાં પણ થોડો વધારો જોવા મળ્યો હતો. ચણાનો પૂરતો પુરવઠો, વટાણાની આયાત તેમજ ખરીફ સીઝનની અંદર કઠોળના મોડા ઉત્પાદનના અંદાજને કારણે ભાવમાં દબાણ જોવા મળી શકે છે.
ભારતમાં આ વર્ષે ચણાનું ઉત્પાદન ઘટે તેવી સંભાવના છે. ૨૮મી નવેમ્બર સુધીમાં દેશમાં ૬૩.૮૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ગત વર્ષે ૭૫.૭૯ લાખ હેક્ટર હતું. દેશમાં પ્રતિ હેક્ટરદીઠ ઉત્પાદકતા ૧ ટન છે એટલે કે જેટલા હેક્ટર વાવેતરમાં ઘટાડો એટલા ટન ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે. ભારતમાં કઠોળનું વાવેતર વધે તેવા ઓછા સંજોગો અને કેનેડામાં પણ કઠોળનું ઉત્પાદન ઘટે તેવી શક્યતાથી કઠોળના ભાવમાં સુધારો થવાની સંભાવના છે. ગત વર્ષે ૯૭ લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર થતાં ઉત્પાદન ૯૮ લાખ ટન થયું હતું. વર્ષ ૨૦૧૩-૧૪માં ચણાના રેકોર્ડબ્રેક ઉત્પાદનથી ચણાનો ભાવ એમએસપીથી પણ નીચો જતો રહ્યો હતો. હાલમાં ચણાના ઘટતા વાવેતરને પગલે ભાવમાં સુધારો આવવાની સંભાવના છે. ચણાના ભાવમાં વધારો થવાની મુખ્ય શક્યતાઓમાં ચણાના વાવેતરમાં ઘટાડો, કમજોર આવક, કઠોળનું ઉત્પાદન ઘટવાની આશંકા અને એમએસપીના ભાવમાં વધારો થવાની સાથે મજબૂત માંગથી ચણાના ભાવમાં વધારો થવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોથી ચણાની માંગ વધતાં ભાવમાં સુધારો થયો છે. દિલ્હીમાં ચણાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૩૧૦૦થી ૩૧૫૦ ચાલી રહ્યો છે. ચણાના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય મધ્યપ્રદેશમાં પણ હવે આવકો ઘટવાની સાથે સારી ગુણવત્તાવાળા ચણાના આગમનથી પણ ભાવમાં સુધારો જોવા મળ્યો છે. આમ છતાં સ્ટોકને પગલે ભાવમાં વધુ સુધારો થવાની સંભાવના બહુ જ ઓછી છે. ચણાના છેલ્લાં બે વર્ષથી ઘટતા ભાવને પગલે ખેડૂતો રાઇ અને ધાણાની ખેતી તરફ વળે તેવી સંભાવના છે.
૨૦૧૪-૧૫માં કૃષિ વિભાગે પણ ચણાનું ઉત્પાદન ઘટાડીને ૯૩ લાખ ટન થવાનો અંદાજ મૂક્યો છે. સરકારના પ્રથમ અંદાજમાં પણ ખરીફ સીઝનમાં ૬૦.૦૨ લાખ ટન કઠોળના ઉત્પાદન સામે ૫૨ લાખ ટન ઉત્પાદન થવાની ગણતરીઓ છે. સરકારે ચણાના ટેકાના ભાવમાં પણ ૭૫ રૃપિયાનો વધારો કર્યો છે. ચણાનો ટેકાનો ભાવ હાલમાં રૃ.૩૧૭૫ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે. આયાતના આંક જોઈએ તો એપ્રિલથી ઓગસ્ટ માસ સુધીમાં ૨૦.૧૬ લાખ ટન કઠોળની આયાત થઈ છે. જે ગત  વર્ષે ૧૭.૮૩ લાખ ટન હતી.  ચાલુ નાણાકીય વર્ષમાં ૩૦થી ૩૫ લાખ ટન કઠોળની આયાત થવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે ૩૧ ડિસેમ્બર બાદ ચણા સિવાયનાં તમામ કઠોળની ડયૂટી ફ્રી આયાતની મુદત ૩૧મી માર્ચ સુધી વધારી દીધી છે.

કેનેડામાં કઠોળ પાકના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના

ભારતમાં સૌથી વધુ કઠોળની આયાત કેનેડાથી થાય છે. ચાલુ વર્ષે કેનેડામાં પણ ચણાની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કેનેડામાં ચણાનું ઉત્પાદન ૧.૭૭ લાખ ટનથી ઘટીને ૧.૪૧ લાખ ટન રહે તેવી શક્યતા છે. ૨૦૧૩-૧૪ના વર્ષમાં ૪૪ લાખ ટન કઠોળની આયાતમાં ૧૫ લાખ ટન કઠોળ કેનેડાથી આયાત કરાયું હતું. વર્ષ ૨૦૧૪-૧૫ના શરૃઆતના પાંચ મહિનામાં પણ ૨૦.૧૬ લાખ ટન કઠોળની આયાતમાં ૬.૯૬ લાખ ટન કઠોળ કેનેડાથી આયાત કરાયું છે, પરંતુ હવે કેનેડામાં જ કઠોળનું ઉત્પાદન ઘટે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. 

દેશમાં પ્રથમ પાંચ મહિનામાં જ કઠોળની આયાત ૧૩ ટકા વધી

આર્િથક બાબતોની કેબિનેટ કમિટી (સીસીઈએ) દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫ની સીઝન માટે ચણાના લઘુતમ ટેકાના ભાવ ૩૧૭૫ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયા છે. જ્યારે કે ગત વર્ષે ભાવ ૩૧૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યા હતા. વર્ષ ૨૦૧૩-૧૪ની સીઝનમાં ચણાનું રેકોર્ડબ્રેક ઉત્પાદન આવતાં પાછલા કેટલાક મહિનાઓમાં માર્કેટની અંદર માંગ ઓછી રહેતા ભાવમાં થોડો ઘટાડો પણ જોવા મળ્યો હતો. દેશમાં ૨૮ નવેમ્બર સુધીમાં આ વર્ષે ૬૩.૮૫ લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે. જ્યારે કુલ કઠોળપાકોનું ૮૦ લાખ હેક્ટરની અંદર વાવેતર કરવામાં આવ્યું છે. 'સીસીઈએ' દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫ માટે અડદ અને તુવેરના લઘુતમ ટેકાના ભાવમાં રૃપિયા ૫૦નો વધારો કરવામાં આવ્યો હતો અને ભાવ ૪૩૫૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવ્યા હતા. તેવી જ રીતે મગના ભાવમાં પણ ૧૦૦ રૃપિયાનો વધારો કરાયો હતો અને ભાવ ૪૬૦૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલે પહોંચ્યો હતો.
આયાત-નિકાસના વેપારની વાત કરવામાં આવે તો અપેડાના મત પ્રમાણે ભારતમાંથી વર્ષ ૨૦૧૪માં એપ્રિલથી જૂન માસની અંદર કઠોળ પાકોની નિકાસમાં ૨૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૩ની સીઝનની અંદર ભારતે ૨.૩ બિલિયન અમેરિકન ડોલરનાં કુલ કઠોળની આયાત કરી હતી જે આગામી વર્ષ કરતાં ૨૮ ટકા વધારે માનવામાં આવે છે. જ્યારે વર્ષ ૨૦૧૩-૧૪ની સીઝનની અંદર આયાતમાં સીધો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે આ વર્ષે વધુ ઉત્પાદનના અંદાજોને કારણે આયાતમાં ૧૧ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે તેમ જાણકારોનું માનવું છે. હાલ તો સારી માંગ, એમએસપીમાં થયેલો વધારો તેમજ ખરીફ સીઝનના કઠોળ પાકોના મોડા ઉત્પાદનને કારણે ભાવ પર સીધી અસર જોવા મળી શકે છે.  દેશમાં કઠોળના સતત વધી રહેલા ભાવને કારણે તેની આયાતમાં પણ વધારો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં કઠોળની આયાતમાં ૧૩ ટકાનો વધારો નોંધાયો છે.
દેશના કુલ કઠોળપાકના ઉત્પાદનમાં માત્ર ચણાના ઉત્પાદનનો હિસ્સો ૪૮થી ૫૦ ટકાનો રહે છે. આ વર્ષે ઉત્પાદન સારુંં રહેતા ભાવ પણ સારા રહેશે તેમ તેવું વેપારીઓ અનુમાન લગાવી રહ્યાં છે. પાછલા કેટલાક મહિનાઓમાં ચણાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ એક મહિનાની અંદર એટલે કે નવેમ્બર માસની અંદર એનસીડીએક્સ ખાતે ચણાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. વેપારીઓના મતે આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી માસ દરમિયાન લગ્નની સીઝનમાં ચણાની માંગમાં વધારો થશે. ચણાની  માંગ વધશે તો તેની સામે ભાવ પણ વધે અને ડિસેમ્બર તેમજ જાન્યુઆરી માસ દરમિયાન ચણાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે વધારો રહેશેે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..