ઉત્તર
ગુજરાતમાં સૌથી વધુ ગ્રીનહાઉસઃ જમીનજન્ય રોગો નાથી ન શકાતા ખેડૂતો નુકસાનીની ગર્તામાં
ધકેલાયાઃ છેલ્લા આઠ માસની રજૂઆતોને અંતે ખેડૂતોને
ખાલી નિસાસા મળ્યાઃ ઉનાળાની ગરમીમાં બિન સિઝનના પાકો લેવામાં ખેડૂતોને સૌથી મોટી મુશ્કેલી : કૃષિ વિભાગે હતાશ ખેડૂતોની પણ મુશ્કેલીઓ સમજવી જરૃરી : ગ્રીનહાઉસમાં નિષ્ણાતોનો અભાવ
ગુ
જરાતમાં એક સમય એવો હતો કે ગ્રીનહાઉસ શબ્દનું નામ પડતાં ખેડૂતો આધુનિક ખેતી, શાકભાજી,
જરબેરા અને સબસિડીના મળતા પૈસાના સપનામાં ખોવાઇ જતા હતા. આજે સમય બદલાયો છે. ખેતી નિષ્ણાતો પણ ગ્રીનહાઉસમાં શાકભાજીમાં આવતા
જમીનજન્ય રોગ નેમેટોડને નાથી શકયા નથી. બેંગ્લોરમાં આ અંગેના પ્રયોગો બાદ ખેડૂતો માટે
નેમેટોડને નાથવાના ઉપાયો દર્શાવાયા છે. પરંતુ આ ઉપાયો કેટલા કારગર નિવડે છે એ તો સમય
બતાવશે. રાજ્યમાં ચારથી પાંચ વર્ષ પૂર્વે ગ્રીનહાઉસની ટેકનોલોજી અમલમાં આવી ત્યારે
ખેડૂતોએ આ ટેકનોલોજીને અપનાવી હતી. આજે ગ્રીનહાઉસ ટેકનોલોજીને સમજી શકનાર ખેડૂતો માટે
ગ્રીનહાઉસ એ લોખંડના સ્ટ્રક્ચર બનીને ઉભા રહી ગયા છે. આજે પણ રાજ્યમાં ગ્રીનહાઉસ ટેકનોલોજીના
નિષ્ણાતોનો અભાવ છે. ગ્રીનહાઉસ ટેકનોલોજી અંગેના નિષ્ણાતો કૃષિ યુનિ. પાસે પણ નથી.
આજે
પાંચ વર્ષના અંતે પ્રાંતિજના વદરાડમાં એક ગ્રીનહાઉસનું એકસલન્સ સેન્ટર ઉભું થઇ રહ્યું
છે. જ્યાં ખેડૂતોને ગ્રીનહાઉસ ટેકનોલોજી અંગેની સમજ અપાશે. પરંતુ હાલમાં જ ગ્રીનહાઉસમાં
ખેતી કરતા ખેડૂતો થાકી ગયા છે. ગ્રીનહાઉસ એ કોર્મિશયલ પ્રોજેક્ટ હોવાથી ખેડૂતોને બેંક
લોન પર ઉંચુ વ્યાજ ચૂકવવું પડે છે. કુદરતી આફતનો પણ વીમો ન હોવાની સાથે પાક વીમો પણ
ખેડૂતોને મળતો નથી. વીજળી પણ ઇન્ડસ્ટ્રીયલ ભાવથી ખેડૂતોને અપાય છે. જ્યારે સામે ખેડૂતોને
પાકના ઉત્પાદન બાદ બજારભાવનો અભાવ છે. ખેડૂતો પાસેથી વેપારીઓ મનફાવે તે ભાવે પ્રોડક્ટની
ખરીદી કરે છે કારણ કે ખેડૂતો પાસે માર્કેટનો અભાવ છે. જરબેરાની ખેતી પણ હવે ધીમેધીમે
છોડી રહ્યા છે. જરબેરામાં શરૃઆતના સમયમાં ખેડૂતોને સારા ભાવ મળતા હોવાથી દક્ષિણ ગુજરાતમાં
ઘણા ખેડૂતોએ જરબેરાની ખેતી અપનાવી હતી. હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ ગ્રીનહાઉસમાં
શાકભાજીની ખેતી તરફ વળ્યા છે. જરબેરાનો બજાર ભાવ પ્રતિ ફૂલ ખેડૂતને માંડ રૃ.૧ મળતાં
ખેડૂતને હવે ખેતી ખર્ચ પણ માથે પડવા લાગ્યો છે. કૃષિ વિભાગે ગ્રીનહાઉસમાં એમ્પેનલની
શરૃઆત કરી સરકારે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં મારવાની જેમ પરિસ્થિતિ સંભાળવાનો
પ્રયત્ન કર્યો છે, જોકે, અત્યાર સુધીમાં રાજ્યમાં ૨૦૯૪થી વધુ ગ્રીનહાઉસ અને ૩૩૪૨ નેટહાઉસ
ઉભા થઇ ચૂક્યા છે. ગ્રીનહાઉસમાં કરોડો રૃપિયાની સબસિડી ખેડૂતોને ચૂકવવા છતાં ખેડૂતોમાં
ગ્રીનહાઉસના પ્રોજેક્ટ પ્રત્યે અસંતોષની લાગણી પેદા થઇ રહી છે. હજુ પણ એકસેલન્સ સેન્ટરની
કામગીરી પૂર્ણ થવાની ખેડૂતો રાહ જોઇ રહ્યા છે. થોડા સમય પૂર્વે જ રાજ્યના ૪૫૦ ખેડૂતોએ
આ અંગે કૃષિ વિભાગને રજૂઆત કરી હતી. જેમાં કૃષિમંત્રીના આદેશથી બાગાયતના અધિકારીઓએ
ગ્રીનહાઉસની મુલાકાત લઇ રિપોર્ટ સબમીટ કર્યો હતો.
ગ્રીનહાઉસના
પ્રોજેક્ટમાં સૌથી મોટી મુશ્કેલી હોય તો હવામાન અને રોગજીવાતની છે. ગ્રીનહાઉસમાં ખેતી કરતા વિજાપુરના પ્રગતિશીલ
ખેડૂત પટેલ ભાવિનભાઇ બાબુભાઇએ જણાવ્યું હતું કે, શરૃઆતમાં ગ્રીનહાઉસની ટેકનોલોજી અંગેની
વિગતો જાણી ગ્રીનહાઉસ બનાવ્યું હતું આજે અમે પસ્તાઇ રહ્યા છીએ. નેમેટોડ રોકવાના શક્ય
પ્રયાસો કર્યા છે. પડોશી રાજ્યના ગ્રીનહાઉસ સુધીની મુલાકાત લીધી હોવા છતાં પણ આ રોગ
નાથી શકાયો નથી. હું તો ખેતીમાં નિષ્ણાત હોવા છતાં થાકી ગયો છું તો અન્ય ખેડૂતોની જ
વાત જ શીદ કરવી. રાજ્યમાં
સૌથી વધુ ગ્રીનહાઉસ એ સાબરકાંઠા જિલ્લામાં બન્યા છે. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ગ્રીનહાઉસની
ટેકનોલોજી પાકમાં ઉપયોગી થતી ન હોવાની સૌથી વધુ બૂમરાણ મચાવી રહ્યા છે. ફક્ત સાબરકાંઠા
જ નહી મહેસાણા, સુરત, રાજકોટ, આણંદ , બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ સહિતના લગભગ
ગ્રીનહાઉસ અપનાવનાર મોટાભાગના ખેડૂતો આ અંગે કૃષિ વિભાગમાં રજૂઆત કરી ચૂક્યા છે. હવે
કૃષિ વિભાગ ખેડૂતોને નુક્સાનીની ગર્તામાંથી બહાર કાઢે તેવી મીટ માંડી રહ્યા છે.
રાજ્યના
ખેડૂતોને મૂંઝવતા સૌથી મોટા પ્રશ્નો
ખેડૂતોને
ગ્રીનહાઉસ ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોમાંથી કેટલીક બાબતોની અહીં છણાવટ કરાઇ છે.
* જમીન
જન્ય રોગો જેવા કે નેમેટોડ ( ગંઠવા કૃમિ, ફૂગ તથા અન્ય રોગોને કારણે ઉત્પાદન મળતું
નથી. આ રોગને રોકવાના ઉપાયોનો અભાવ છે. જેને ટાળી શકાતા ન હોવાથી આખરે ખેડૂતોએ નુક્સાન
ભોગવવું પડે છે.
* ઉનાળાની
સિઝનમાં ગરમીનું પ્રમાણ વધારે હોવાથી ખેડૂતો ઉનાળામાં ઓફ સિઝનમાં પાકનું ઉત્પાદન લઇ
શકતા નથી અને નુકસાની ભોગવી રહ્યા છે.
* ગ્રીનહાઉસ
એ આધુનિક ખેત પદ્ધતિ હોવાની સાથે વાવેતર કરાતા પાકોનું સ્થાનિક માર્કેટ ન હોવાથી વેપારીઓ
મનફાવે તેવા ભાવ આપી ખેડૂતો પાસેથી માલ લઇ ખેડૂતોને છેતરી રહ્યા છે.
* બેંકો
દ્વારા રૃટિન વ્યાજ લેવાય છે અને કુદરતી આફતનો કે પાકવીમાનો ખેડૂતને લાભ મળી શકતો નથી.
વીજળી ઇન્ડસ્ટ્રીયલ રેટથી મળે છે.
કૃષિવિભાગ
ખેડૂતોને ટ્રેઇનીંગ આપવા પણ તૈયાર
ખેડૂતો
ગ્રીનહાઉસમાં સફળ થાય તે માટે પૂરતા પ્રયાસો કરાઇ રહ્યા છે. વિશ્વભરના ગ્રીનહાઉસમાં
શાકભાજીની ખેતી થઇ રહી છે. નિમેટોડની સમસ્યા હોવા છતાં ખેડૂતો ગ્રીનહાઉસમાં શાકભાજીની
ખેતી કરી સફળ રહ્યા છે. ખેડૂતોને નિમેટોડની સમસ્યાથી બચાવવા માટે બેંગ્લોરમાં પ્રયત્નો
થઇ રહ્યા છે. આ અંગેની એક ગાઇડલાઇન પણ બહાર પડાઇ છે. બાગાયત વિભાગ નિમેટોડથી અસરગ્રસ્ત
ખેડૂતને ટ્રેઇનીંગ આપવા પણ તૈયાર હોવાનું નેશનલ ર્હોિટકલ્ચર મિશનના જોઇન્ટ ડિરેક્ટર
સી.એમ.પટેલે જણાવ્યું હતું. ખેડૂતો માટે એક સીડી પણ બનાવી રાખી છે. જે અંતર્ગત ખેડૂતો
સીડી જોઇને પણ નિમેટોડથી પાકને બચાવવાના પ્રયત્નો કરી શકે છે. ખેડૂતો માટે વદરાડમાં
ગ્રીનહાઉસના એક્સલન્સ સેન્ટરની કામગીરી હવે પૂર્ણતાને આરે છે. જે ખેડૂતોને મદદરૃપ થશે.
ખેડૂતોએ ગ્રીનહાઉસની ટેકનોલોજીનો યોગ્ય અમલ કરે તો સારો એવો ફાયદો મેળવી શકે છે. ખેડૂતો
સાથે છેતરપિંડી અટકે માટે જ એમ્પેનલની કામગીરી કરાઇ છે.
નેમેટોડને
નાથવા આ ઉપાય અજમાવી જુઓ
ગ્રીનહાઉસ
અને નેટહાઉસમાં વાવેતર કરાતા પાક મરચાં, ટામેટાં અને કાકડીમાં નેમેટોડ મેનેજમેન્ટ અત્યંત
જરૃરી : ગ્રીનહાઉસ અને ઓપન ર્ફાિમંગમાં નેમેટોડનો ત્રાસ : નેમેટોડ અને પેથોજન (બેકટેરિયા
અને ફૂગ) થકી પાકને ૪૦થી ૭૦% જેટલું થતું નુકસાન : ખેતરમાં ગંઠવાકૃમિનો ઉપદ્રવ હોય
તો પાકની ફેરબદલી કરવી હિતાવહ રહેશે
ગ્રી
નહાઉસમાં દુનિયાભરમાં શાકભાજીની ખેતી થાય છે. આ પાકો બિયારણની અવસ્થાથી જ વિવિધ પેસ્ટ
અને પેથોજનથી પ્રભાવિત થતા હોવાથી ખેડૂતોને મોટાપાયે નુક્સાન જતું હોય છે. આ જ સ્થિતિ
ગુજરાતની પણ છે. રાજ્યના ગ્રીનહાઉસમાં પણ શાકભાજીના પાકોમાં નેમેટોડ અને પેથોજનનો ઉપદ્રવ
વધારે છે. નેમેટોડનો ઉપદ્રવ વધે તો ખેડૂતોનો પાક ઘણીવાર સંપૂર્ણપણે નાશ પણ થાય છે.
ખરાબ બિયારણના ઉપયોગથી ઓછી ક્વોલિટીના ટામેટાં અને મરચાંનું ઉત્પાદન થાય છે. સરવાળે
ખેડૂતને આવકમાં ફટકો પડે છે. ગ્રીનહાઉસમાં આ પાક ઉગાડવાથી પેથોજન, પેસ્ટ, નેમેટોડ ખૂબ
ઝડપથી વૃદ્ધિ પામે છે.
શાકભાજીની
રક્ષિત ખેતીમાં કૃમિ પ્રબંધન : આપણા રોજિંદા ખોરાકમાં શાકભાજી મહત્ત્વનું સ્થાન ધરાવે
છે. ખેડૂતોેને શાકભાજીની ટૂંકાગાળાની ખેતીમાંથી સારી એવી આવક થતી હોવાથી વિવિધ પ્રકારના
શાકભાજી પાકોનો વિસ્તાર તથા વપરાશ પણ દિન પ્રતિદિન વધતો જાય છે. શાકભાજીની ખેતીમાં
વિવિધ રોગો, જીવાતો તથા કૃમિથી ઉદ્ભવતા પ્રશ્રો મુખ્ય છે. ખુલ્લા ખેતરમાં થતા ટામેટાં,
રીંગણ, ભીંડા, ચોળા, મરચી, બટાટા, મેથી, પાલક તથા બધાજ વેલાવાળા શાકભાજીમાં જુદા જુદા
કૃમિથી ૨૫થી ૨૭ ટકા જેટલું નુકસાન થતું જોવા મળે છે. જ્યારે ગ્રીન હાઉસમાં કરવામાં
આવતા મુખ્ય પાકો જેવા કે કેપ્સીકમ, ટામેટાં, કાકડી, ઘરકીન, શક્કર ટેટી, તરબૂચ, ભીંડામાં
કૃમિ તથા તેના કારણે ઉત્પન્ન થતી ફૂગને કારણે ૪૦ થી ૮૦ ટકા જેટલું નુકસાન જોવા મળે
છે.
સારા
નિતારવાળી હલકા પ્રકારની બેસર કે ગોરાડું જમીન, ૨૫ંથી ૩૦ ંસે. ઉષ્ણતામાને જમીનમાં પ્રમાણસરનો
ભેજ તથા અનુકૂળ યજમાન પાકોમાં કૃમિના વિકાસ અને વૃદ્ધિ વધુ જોવા મળે છે. પોલીહાઉસમાં
કૃમિની વૃદ્ધિ માટે યોગ્ય વાતાવરણ મળી રહેતું હોઈ ૧૮થી ૨૪ માસમાં પાંચથી છ ગણો વધારો
થાય છે, જે અંતે પોલીહાઉસને ખેતી માટે બિન ઉપયોગી બનાવે છે. પાક પર જીવાતો અને રોગો
નરી આંખે જોઈ શક્તા હોવાથી ખેડૂતો તેનું સમયસર અસરકારક નિયંત્રણ કરી શકે છે, પરંતુ
મોટા ભાગના કૃમિ સૂક્ષ્મ નરી આંખે જોઈ શકાતા નથી અને જમીનમાં રહેતા હોવાથી ખેડૂતોને
કૃમિથી થતા નુકસાનનો ખ્યાલ આવતો નથી. પરિણામે ખેડૂતોને ઉત્પાદનમાં ભારે નુકસાની વેઠવી
પડે છે.
કૃમિની
ઓળખ : કૃમિ સર્પાકાર હોય છે. હલન-ચલન પણ સાપની જેમ જ કરે છે. મોંઢાનો તેમજ પૂંછડીનો
ભાગ પાતળો હોય છે. પાકને નુકસાન કરતા કૃમિ ૦.૧ મીમી.થી ૧૯ મીમી. લાંબા અને ૦.૦૧ મીમીથી
૦.૧ મીમી જેટલા વચ્ચેથી જાડા હોય છે. કૃમિના મોઢાના ભાગમાં એક પોલી સોય જેવી અણીદાર
ચુસિકા હોય છે, જેના વડે તે વનસ્પતિના મૂળમાં કાણું પાડી કોષોમાંથી ખોરાક ચુસે છે.
ગ્રીનહાઉસમાં
કૃમિ નિયંત્રણના ઉપાયો
- પાક લીધા પછી ઉનાળામાં ટ્રેક્ટરની ઊંડી ખેડ કરી પાકના જડીયા વીણી બાળી નાંખવા તેમજ જમીનને તપવા દેવી.
- ખેતરમાં ગંઠવાકૃમિનો ઉપદ્રવ હોય તો પાકની ફેરબદલી કરવી.
- કૃમિગ્રસ્ત વિસ્તારમાં કૃમિ પ્રતિકારક શાકભાજીની જાતોનું વાવેતર કરવું.
- હવાની અવર-જવર થઈ શકે તે પ્રમાણે રોપાનું વાવેતર કરવું. ગ્રીન હાઉસમાં પૂરતી હવા, તાપમાન અને ભેજ જળવાઈ રહે તે રીતે વેન્ટીલેશન ગોઠવવું.
- રાસાયણિક ખાતર યોગ્ય રીતે આપવું વધુ પડતો નાઈટ્રોજન ન હોય તેનું ધ્યાન રાખવું.
- સેન્દ્રિય ખાતરો પૂરતા પ્રમાણમાં વાપરવા, જમીનમાં એક જ જગ્યાએ વધુ ભેજ ન રહે તે પ્રમાણે ડ્રિપનું આયોજન કરવું.
- ગ્રીનહાઉસ સ્ટ્રક્ચરની અંદર તથા બહાર નીંદામણ કરતાં રહેવું. ઘણીવાર બહારના ભાગે ઉગે નીંદામણો થકી કૃમિ પગમાં ચંપલ કે પછી બહાર વપરાયેલ કૃષિ ઓજારો મારફત પણ ગ્રીન હાઉસમાં પ્રવેશે છે. જેથી કૃષિ ઓજારો ધોયા બાદ જ અન્ય સ્ટ્રક્ચરમાં ઉપયોગમાં લેવાય તે જરૃરી છે.
- કૃમિ નિયંત્રણ માટે પાળા બનાવતા પહેલાં તેમાં કૃમિ નિયંત્રણની માવજત ખૂબ જ જરૃરી છે અન્યથા આ પાળા કૃમિની વૃદ્ધિ માટેનું માધ્ય બની શકે છે.
- જમીનને સારી રીતે ખેડયા બાદ પાક અનુસાર પદ્ધતિસરના પાળા બનાવવા જરૃરી છે. જમીન ચકાસણીની ભલામણ અનુસાર પાયાના ખાતરો ઉમેરવા. જૈવિક કૃમી નાશક એ એક પ્રકારની ફુગ છે જે કૃમિ ઉપર અલગ અલગ પ્રકારે અસર કરે છે. જેમ કે, તેના ચીકણા તંતુઓ કૃમિને જકડી રાખી તેના હલન ચલનને સિમિત કરે છે પરિણામે કૃમિ ભૂખથી મરી જાય છે. તે જ પ્રમાણે ઘણીવાર ફૂગ દ્વારા કૃમિમાંથી કોષ દ્રવ્યનું શોષણ કરીને પણ તેનો ખાતમો કરવામાં આવે છે. જે માટે ભારતીય બાગાયતી અનુસંધાન સંસ્થા, હિસ્સરઘટ્ટા, બેંગલુરું (આઈએચઆર) દ્વારા આ પ્રકારના જૈવિક નિયંત્રકોના ઉપયોગ અંગે માર્ગર્દિશકા બહાર પાડી છે.
જે મુજબ એક ટન સેન્દ્રીય ખાતરો જેવા કે, છાણિયું
ખાતર અથવા વર્મી કંમ્પોસ્ટ અથવા લીંબોળી ખોળ, બે કીલો ગ્રામ ટ્રાયકોડર્મા વીરીડી અથવા
ટ્રાયકોડર્મા હરઝીએનમ (જૈવિક ફુગનાશક), બે કીલો ગ્રામ પેસીલોમાયસીસ લીલાસીનસ (જૈવિક
કૃમિનાશક), બે કિલો ગ્રામ સ્યુડોમોનાસ ફ્લુઓરેસેન્સ (જૈવિક બેકટેરીયાનાશક)ને ભેળવી
મિશ્રણને છાંયામાં તૈયાર કરવું તથા પૂરતો ભેજ મળી રહે તે રીતે ૧૫ દિવસ સુધી જાળવવું.
જે માટે ઉપર કંતાન અથવા મલ્ચીંગનું પ્લાસ્ટિક પણ ઢાંકી શકાય. અઠવાડિયે આ જૈવિક મિશ્રણને
ઉપર-નીચે કરવાથી સમગ્ર મિશ્રણમાં જીવકોનો એક સરખો વિકાસ થાય છે.
મિશ્રણનો
ઉપયોગ કરવાની મહત્વની બે રીત
* જો
છાણિયું ખાતર મિશ્રિત કરેલું હોય તો ૫ કિગ્રા. પ્રતિ ચો.મી. અથવા લીંબોળી ખોળ મિશ્રિત
હોય તો ૨૦૦ ગ્રામ પ્રતિ ચો.મી. અથવા ર્વિમ કંમ્પોસ્ટ મિશ્રિત હોય તો ૧ કિગ્રા પ્રતિ
ચોમી.
મુજબ પાળાની ઉપરના ૧૮ સેમી.માં ભેળવવું.
* છાણીયું
ખાતર મિશ્રિત કરેલું હોય તો ૧૫૦ ગ્રામ પ્રતિ ચોમી અથવા લીંબોળી ખોળ મિશ્રિત તો ૫૦ ગ્રામ
પ્રતિ ચોમી અથવા ર્વિમ કંપોસ્ટ મિશ્રિત હોય તો ૧૦૦ ગ્રામ પ્રતિ ચોમી મુજબ પાળાની ઉપરના
૨થી ૩ સેમી.માં દર ત્રીસ દિવસે ભેળવવાથી વધુ સારા પરિણામો મેળવી શકાય છે.
પ્રવાહી
સ્વરૃપે જૈવિક નિયંત્રક દ્વાવણ તૈયાર કરવાની રીત ઃ ૨૦ કિગ્રા લીંબોળી ખોળ આપવો.
* બે
કિલો ગ્રામ ટ્રાયકોડમાં વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરઝીએનમ (જૈવિક ફુગનાશક)
* બે
કિલો ગ્રામ પેસીલોમાયસીસ લીલાસીનસ (જૈવિક કૃમિનાશક)
* બે
કિલો ગ્રામ સ્યુડોમોનાસ ફ્લુઓરેસેન્સ સાથે (જૈવિક બેકટેરીયાનાશક)
* ૨૦૦
લીટર પાણીમાં મિશ્રણ કરી ગાળીને અસરકારક રીતે જૈવિક મિશ્રણ તૈયાર કરી શકાય આ છોડ મી
લીટર પ્રતિ ચો ૨ ગ્રામ પ્રતિ લિટર કે પાણીમાં ભેળવી ૫ મિશ્રણને પ્રવાહી સ્વરૃપે ડ્રીપમાં
દીઠ આપી શકાય. આમ, ખેડૂતો કૃમિ નિયંત્રણ માટે જણાવેલી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી કૃમિ
જન્ય રોગોનું અસરકારક નિયંત્રણ તેમજ તેનાથી થતાં ૪૦-૫૦ ટકા જેટલા નુકસાનને અટકાવી આર્િથક
ફાયદો મેળવી શકાય છે. કૃમિ નિયંત્રણ માટે જૈવિક નિયંત્રકો વિવિધ યુનિર્વિસટીઓ તેમજ
ખાનગી કંપનીઓમાંથી પણ મળી રહે છે, જેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવાથી કૃમિનું નિયંત્રણ
કરી શકાય છે.
ગાદી
ક્યારામાં ખુલ્લા ખેતરમાં ધરું ઉત્પાદન માટેના ઉપાયો
* ધરૃવાડિયાની
જગ્યાએ બાજરીના ઢૂંસા, ઘઉંનું ભૂસું, ડાંગરના ફોતરાં અથવા નકામો કચરો ૭ કિગ્રા/ચોમી
મુજબ પાથરી પવનની વિરુદ્ધ દિશામાં સળગાવવું. જેને "રાબીંગ"કહેવામાં આવે છે.
* ઉનાળામાં
એપ્રિલ-મે માસ દરમિયાન ધરૃવાડિયાની જમીનમાં પાણી આપી વરાપે ખેડી ૧૦૦ માઈક્રોનનું પારદર્શક
પ્લાસ્ટિક ૧૫ દિવસ સુધી હવાચુસ્ત રીતે ઢાંકી રાખવાથી (સોઈલ સોલરાઈઝેશન)જમીનમાં કૃમિ
તથા રોગ-જીવાતનું નિયંત્રણ કરી શકાય છે.
* કૃમિનો
ઉપદ્રવ વધુ પ્રમાણમાં હોય તેવી જમીનમાં કાર્બોફ્યુરાન અથવા ફોરેટ ૫૦ ગ્રામ પ્રતિ ચોમી
ઉપયોગ કરી શકાય. ટ્રાયકોડર્મા હર્જીએનમ અને સ્યુડોમોનાસ ફ્લુઓરેસેન્સ જેવા જૈવિક નિયંત્રકોનો
૫૦ ગ્રામ પ્રતિ ચોમી ઉપયોગ કરી શકાય.
જૈવિક
નિયંત્રકો : જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવામાં આવેલ હોય તો દર ચાર દિવસે પાણી આપી પૂરતું
ભેજ જાળવી રાખવું જરૃરી છે. આ નિયંત્રકોની પૂર્ણ અસરકારકતા માટે સેન્દ્રીય ખાતરનું
વિઘટન થવું જરૃરી છે જેને ધ્યાને લઈ ક્યારામાં બીયારણ નાંખવા માટે ઓછામાં ઓછો પંદર
દિવસનો ગાળો રાખવો.