Wednesday, 15 May 2013

કૃષિકારોનું કમાણીકેન્દ્ર: માર્કેટયાર્ડ


ગુજરાતમાં ૪૦૩ માર્કેટયાર્ડ થકી થતી રૃપિયા ૨૬,૮૮૦ કરોડની આવક
દેશમાં ૭૩૦૦ જથ્થાબંધ બજારોમાંથી ૨૭૩૫ એટલે કે ૩૭ ટકા બજારોમાં ઓનલાઈન સુવિધા

૧૯૩૯- આ વર્ષે દેશમાં ૫૭ માર્કેટયાર્ડની સ્થાપના સાથે શરૃઆત

૨૦૧૩ - દેશમાં ૮૦૦૦ માર્કેટયાર્ડ દ્વારા ખેતપેદાશોનીથતી લે-વેચ

૨૬,૮૮૦ : કરોડ રૃપિયા રાજ્યનાં માર્કેટયાર્ડોમાંથી ૪૩૯૬ લાખ ક્વિન્ટલ પેદાશોની થયેલા વેચાણની આવક


માર્કેટયાર્ડ એટલે કિસાનોની કમાણીનું કેન્દ્ર. ખેતરમાં તનતોડ મહેનત કરી પેદા કરેલી ખેતપેદાશની આવક ખેડૂતોનું આર્િથક પાસું નક્કી કરે છે. અબજો રૃપિયાનું ર્વાિષક ટર્નઓવર ધરાવતાં માર્કેટયાર્ડો ખેતીનું ભવિષ્ય અને દેશની કૃષિ પ્રગતિનો ચિતાર રજૂ કરે છે. ૧૯૩૯માં ૫૭ માર્કેટયાર્ડથી શરૃઆત થઇ હતી. હાલમાં દેશમાં અંદાજિત ૮૦૦૦ માર્કેટયાર્ડ દ્વારા ખેતપેદાશોની લે-વેચ થાય છે.  વર્ષ ૨૦૦૬માં જાહેર થયેલા આંક મુજબ દેશમાં ૨૪૨૯ મુખ્ય માર્કેટયાર્ડ અને ૫૧૩૭ સબયાર્ડ તેમજ ૨૭ હજાર સીઝનેબલ યાર્ડ આવેલાં છે. જેમાં ૮૯૦ માર્કેટયાર્ડ સાથે આંધ્રપ્રદેશ રાજ્ય મોખરે છે.પશ્ચિમ બંગાળમાં ૬૮૪, ઉત્તરપ્રદેશમાં ૫૮૫, મધ્યપ્રદેશમાં ૪૮૯ અને ગુજરાતમાં ૪૦૩ માર્કેટયાર્ડ આવેલાં છે. ગુજરાતમાં માર્કેટયાર્ડ થકી ખેતપેદાશોની આવકનો આંક ૨૬ હજાર કરોડ રૃપિયાએ પહોંચ્યો છે. ૧૯૯૨માં ઉદારીકરણની નીતિ ભારતમાં દાખલ થતાં આજે માર્કેટયાર્ડ ગ્લોબલ બની ગયાં છે. રાજ્યનું ઊંઝા માર્કેટયાર્ડ જીરાના વેપારમાં એશિયામાં અગ્રણી માર્કેટયાર્ડ ગણાય છે.

ખેડૂતોને ખેતપેદાશોના ઊંચામાં ઊંચા ભાવ અને ત્વરિત નાણાં મળી રહે તેવા હેતુસર સ્થપાયેલી માર્કેટ સમિતિઓ આજે વટવૃક્ષ બની ગઈ છે. કરોડો રૃપિયાની ખેતપેદાશોની લે-વેચ કરતી માર્કેટ સમિતિઓનો ખેડૂતોને મદદરૃપ થવાનો હેતુ આજે રાજ્યમાં ફળીભૂત થયો છે. રાજ્યમાં સબયાર્ડ અને મુખ્યયાર્ડ મળી ૪૦૩થી વધુ અને દેશમાં આઠ હજારથી વધારે માર્કેટયાર્ડ આવેલાં છે. ૨૦૦૩થી અમલમાં આવેલો માર્કેટ એક્ટ આજે પણ ૧૬ રાજ્યોમાં અમલમાં કરાયા પછી નિયમો ઘડાયા નથી.  દેશમાં કૃષિ પ્રગતિને પગલે માર્કેટયાર્ડોનો સતત વિકાસ થઇ રહ્યો છે. દેશમાં આજે ઇ-માર્કેટ મોબાઇલ કોલ્ડવાન, કોલ્ડચેઇન, આધુનિક ગ્રેડિંગ અને પેકિંગ વ્યવસ્થા તેમજ રેપનેઇંગ ચેમ્બર ગોડાઉન જેવી વ્યવસ્થાની બોલબાલા છે. અર્થતંત્રનું વૈશ્વિકીકરણ અને વેપારનું ઉદારીકરણ એ આર્િથક ટેકનોલોજીનું મહત્વનું પાસું છે.
    દેશમાં કૃષિ ઉત્પાદનનો આંક રૃપિયા ૫૫ કરોડ ટનને આંબી ગયો છે. દેશમાં ખેત પેદાશોનું રોજનું અબજો રૃપિયાનું ટર્નઓવર અને માર્કેટયાર્ડો પાસે અઢળક ધન હોવા છતાં ખેડૂતો માટે આ પૈસા ઉપયોગમાં લેવાતા નથી જો ખેડૂતો અને ગ્રાહકોને  વધુને વધુ ફાયદો થાય તો કૃષિ બજાર વ્યવસ્થા મજબુત બને. આધુનિક જમાનામાં મુકત અર્થતંત્ર સાથે આજે નહીં તો કાલે કદમતાલ મિલાવ્યા વિના ચાલવાનું નથી.ખેતીમાં સમૃધ્ધિ વધવાથી કૃષિ બજારોની આવક પણ વધે તે પણ સ્વભાવિક છે. આથી આ આવકનો ઉપયોગ ખેતીક્ષેત્રે આધુનિકતા અપનાવવામાં થાય તે જરૃરી છે.  જો એમ નહી થાય તો આ વ્યવસ્થા લંગડી બની જતા વાર નહી લાગે. ખેડૂતો જે ભાવે માલનું વેચાણ કરે છે તેનો ફાયદો ગ્રાહક સુધી પહોંચે તેવા પણ પ્રયત્નો કરવા જોઇએ. ખળાથી ખાનાર સુધીની ખેતી વ્યવસ્થા પણ ગોઠવવી પડશે. હાલમાં  કૃષિ બજારો હોવા છતાં પણ ગ્રાહક અને ખેડૂત બંનેનું શોષણ થાય છે. માર્કેટયાર્ડો આધુનિક સુવિધાઓને નામે રોડ-રસ્તા, ભોજનાલય, હરાજી માટેના શેડ, કમ્પ્યુટરાઇઝડ માહિતી કેન્દ્ર બનાવી ખેડૂતોને સુવિધા પૂરી પાડવાનો સંતોષ માણી લે છે તેટલું પુરતુ નથી. 

રાજ્યમાં કૃષિપેદાશોની આવકના આંક

      (આવક ક્વિન્ટલ લાખમાં)
જણસ       ૨૦૦૯-૧૦        ૨૦૧૦-૧૧
કપાસ        ૩૮૯.૨૫            ૫૭૭.૯૪
ઘઉં           ૨૧૩.૧૧            ૬૬૮.૯૮
ડાંગર          ૧૭૮.૩૫           ૨૫૪.૧૨ 
જુવાર          ૧૧.૪૫             ૨૮.૧૦
 બાજરી     ૨૭.૩૯             ૮૭.૧૪
મકાઈ       ૧૪.૨૩               ૧૪.૦૪ 
અન્ય        ૧૯૩.૮૦           ૧૦૮.૩૮ 
તુવેર         ૬.૬૭                           ૩૧.૫
ચણા          ૨૨.૧૧             ૨૮.૨૫ 
અડદ        ૯.૨૫                           ૩૧.૨
મગ            ૪.૯૨                         ૩.૪૮
અન્ય          ૧૯૦.૦૧           ૧૫.૭૭ 
મગફળી          ૪૮.૭૩             ૬૦.૫
તલ            ૧૫.૨૭             ૭૦.૧૫
એરંડા         ૪૩.૫૫             ૧૫.૮૩
અન્ય          ૨૨.૫૦             ૩૭.૧
લસણ         ૨૭.૦૮             ૪૧.૩૪ 
ધાણા        ૪.૩૬                           ૯.૩૬
મરચાં         ૩.૯૯                          ૪.૦૦
વરિયાળી     ૯.૩૭                           ૨.૪
જીરું           ૨૪.૪૮             ૭૫.૭૩
રાઈ           ૨૪.૧૨             ૧૧૭.૬૪
ઈસબગુલ    ૬.૧૬                ૨.૭૯
published in Gujarat leading agriculture news paper Agro sandesh..


Tuesday, 7 May 2013

જમીન ચકાસણીઃ ખેતીવાડી વિભાગ ખેડૂતના ખેતરે આવશે


ખેડૂતોની જમીનની ચકાસણી કરી ર્ફિટલિટી મેપ તૈયાર કરવાની દેશમાં ગુજરાતની પહેલ : ૩૦૦૦ ગામડાંઓના ખેડૂતોની જમીનના નકશા તૈયાર કરાયા : આગામી બે વર્ષમાં ૧૫,૦૦૦ ગામડાંઓની જમીનના નકશા તૈયાર કરવાનો લક્ષ્યાંક


જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે અને ખેતી નફાકારક બની રહે તે માટે જમીનના ગૌણ અને સૂક્ષ્મ તત્ત્વો પરનું સંશોધન ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. દેશમાં સૌ પ્રથમ વાર ગુજરાતે જમીનમાં ખૂટતાં તત્વો અંગે ખેડૂતો જાગૃત બની પાકની ઉત્પાદકતા વધારે તે માટે પાયલોટ પ્રોજેક્ટ શરૃ કર્યો છે. રાજ્યનાં ૧૮,૦૦૦ ગામડાંઓ પૈકી ૩,૦૦૦ ગામડાંઓમાંથી ખેડૂતોની જમીનોના નમૂના લઈ ર્ફિટલિટી મેપ તૈયાર કરાયા છે અને આગામી બે વર્ષમાં રાજ્યભરના ખેડૂતોની જમીનના ર્ફિટલિટી મેપ તૈયાર કરવાનો લક્ષ્યાંક હાથ ધરાયો છે. રાજ્યમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ખેડૂતોની અણઘડ ખેતીને પગલે જમીનની ફળદ્રુપતામાં ઘણો ઘટાડો નોંધાયો છે. જમીનની આ ગુણવત્તા જાળવવા તૈયાર કરાયેલા ર્ફિટલિટી મેપમાં ખેડૂત સર્વે નંબરને આધારે જમીનની ગુણવત્તા ચકાસી જમીનની ફળદ્રુપતા વધારી શકશે. આમ હવે ખેડૂતોએ જમીનની ચકાસણી કરાવવી નહીં પડે, ખેતીવાડી વિભાગ જ ખેડૂતોનાં ખેતર
સુધી આવશે.     
ખેડૂતોએ જમીનની ચકાસણી કરી તેની ફળદ્રુપતા જાળવી રાખવી જરૃરી છે, પરંતુ ઘણાં ખેડૂતો તેની ઉપેક્ષા સેવે છે. તેઓ ફક્ત વધુ ઉત્પાદન મળે તે માટે બીટી બિયારણો અને વધુ ઉત્પાદન આપતી જાતો વધુ પ્રમાણમાં વાવે છે. આવી જાતો જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં પોષક તત્ત્વોનું શોષણ કરી લે છે. આથી જમીનમાંથી પોષકતત્ત્વોનો ઉપાડ વધી જવાથી તત્ત્વોની ઉણપ વર્તાય છે. આથી ખેડૂતોએ જમીનમાં રહેલાં પોષકતત્ત્વો વિશે પણ જાણવું જરૃરી છે.
વનસ્પતિને તેના બંધારણ અને વૃદ્ધિ માટે કુલ ૧૬ તત્ત્વો જરૃરી છે. આ તત્ત્વો પૈકી કાર્બન, ઓક્સિજન વનસ્પતિ હવામાંથી મેળવે છે. હાઈડ્રોજન પાણીમાંથી મળી રહે છે. બાકીનાં ૧૩ તત્ત્વો વનસ્પતિ મોટાભાગે જમીનમાંથી મેળવે છે. આનો અર્થ એ નથી કે જમીન માત્ર તેર તત્ત્વોની બનેલી છે. આ ઉપરાંત બીજાં ઘણાં તત્ત્વો જમીનમાં આવેલ છે. પણ તે બધાં વનસ્પતિને ઉપયોગી તત્ત્વો નથી. છોડને જરૃરી એવાં પોષક તત્ત્વો સપ્રમાણ તે જમીનમાં સહેલાઈથી મૂળ વાટે મેળવી લે છે. આમ છોડ દ્વારા ચુસાઈ ગયેલાં પોષકતત્ત્વો જમીનમાંથી ઓછાં થાય છે. આથી જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે જેટલાં પોષકતત્ત્વો જમીનમાંથી ઓછાં થાય છે તેટલાં પાછાં તેમાં ઉમેરવાં જોઈએ. એટલે વનસ્પતિને કયાં કયાં પોષકતત્ત્વો કેટલા પ્રમાણમાં જરૃરી છે અને તે કેવી રીતે મળે છે તે જાણવું ખેડૂતો માટે ખૂબ જ જરૃરી છે.
પૃથ્વી ઉપર અત્યાર સુધી લગભગ ૧૦૩ જેટલાં તત્ત્વોનું સંશોધન થયું છે તે બધાંની છોડને જરૃરિયાત હોતી નથી. છોડનું વૈજ્ઞાાનિક પૃથક્કરણ કરતાં તેમાં ઘણાં તત્ત્વો જણાયાં છે, પરંતુ તેમાંથી ફક્ત ૧૬ તત્ત્વોને જ છોડ માટે આવશ્યક પોષકતત્ત્વોમાં ગણવામાં આવ્યાં છે.
કોઈ પણ તત્ત્વને આવશ્યક પોષકતત્ત્વ કહી શકાય નહીં. જે તત્ત્વ બધા જ સિદ્ધાંતોને અનુરૃપ હોય તેને પોષકતત્ત્વ કહી શકાય. જેમાં છોડની વૃદ્ધિ, પ્રજનન, જીવનચક્ર પૂરું કરવા માટે તે આવશ્યક સાબિત થવંું જોઈએ. એટલે કે જે તે તત્ત્વની ગેરહાજરીમાં કોઈ પણ છોડ પોતાનું જીવનચક્ર પૂરું કરી શકતો ન હોય. છોડમાં તે તત્ત્વનાં ચોક્કસ કાર્યો હોવાં જોઈએ અને આ કાર્યો બીજાં તત્ત્વોથી ન થઈ શકતાં હોય તેમજ આ તત્ત્વની ખામીથી છોડમાં તેની ઉણપ સ્પષ્ટ વર્તાતી હોય અને આ ઊણપ તે તત્ત્વ આપવાથી અટકાવી શકાય અથવા દૂર કરી શકાય છે એવું સાબિત થવું જોઈએ. તેમજ તે તત્ત્વ છોડની ચયાપચયની ક્રિયાઓમાં સીધો ભાગ ભજવતું હોવું જોઈએ. આવાં લક્ષણો ધરાવતાં તત્ત્વોને પોષકતત્ત્વો કહેવાય છે. જેને મુખ્ય, ગૌણ  અને સૂક્ષ્મ પોષકતત્ત્વો એમ ત્રણ ભાગમાં વહેંચી શકાય. મુખ્ય પોષકતત્ત્વો જે છોડને વધુ જથ્થામાં જરૃરિયાત હોય અને જે પોષકતત્ત્વો છોડને ઘણા જ ઓછા જથ્થામાં જોઈતાં હોય તેને ગૌણ પોષક તત્ત્વો અને જે અલ્પ માત્રામાં જોઈતાં હોય તેને સૂક્ષ્મ પોષકતત્ત્વો કહે છે.
દરેક આવશ્યક પોષકતત્ત્વોના છોડમાં અલગ અલગ અને વિશિષ્ટ કાર્યો હોય છે. કોઈ પણ આવશ્યક પોષકતત્ત્વની ઊણપથી છોડની દેહર્ધાિમક ક્રિયાઓમાં વિક્ષેપ પડે છે. પરિણામે છોડની વૃદ્ધિ અટકી જાય છે અને છોડ ઉપર ઊણપનાં ચિહ્નો જોવા મળે છે અને પાક ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. આથી દરેક તત્ત્વોના છોડમાં કાર્યો, તેની ઉણપથી  છોડ ઉપર થતી વિપરીત અસરો અને આ ઊણપ દૂર કરવાની રીતોની જાણકારી ખેડૂતોને હોવી જરૃરી છે. આ ઉપરાંત કોઈ પણ પોષકતત્ત્વ પાકની જરૃરિયાત કરતાં વધારે જથ્થામાં આપવામાં આવે તો તે પણ પાકને નુકસાનકર્તા છે. તેથી જે તે પાકને જે તે તત્ત્વની જેટલી જરૃરિયાત હોય તે ખાતર દ્વારા પૂરી પાડવી જોઈએ. આમ ખેડૂત પોતાના ખેતરમાં પાકને કેટલા પ્રમાણમાં કયાં પોષકતત્ત્વોની જરૃરિયાત રહેશે તેનાથી માહિતગાર હોય તો તે સચોટ પગલાં લઈ પોતાની જમીનની ફળદ્રુપતા ટકાવી શકશે. ઘણાં ખેડૂતો ખૂટતાં પોષકતત્ત્વોની ર્પૂિત માટે આડેધડ ખાતરનો ઉપયોગ કરે છે, પરંતુ ખાતરના બેફામ ઉપયોગથી ઉત્પાદન પર વિપરીત અસર પડે છે અને જમીનની ફળદ્રુપતા પર પણ માઠી અસર પડે છે.
 ખેડૂતો પોતાના ખેતરની ફળદ્રુપતા ટકાવી રાખે તે માટે સરકારના પાઈલટ પ્રોજેક્ટ અનુસાર રાજ્યનાં તમામ ગામોમાં ખેડૂતોની જમીનના સર્વે નંબર સાથે તે જમીનની ચકાસણી કરીને તે જમીનમાં ખૂટતાં પોષકતત્ત્વોની ખેડૂતોને માહિતી આપવામાં આવે છે. ખેતીવાડી વિભાગના અધિકારીઓ તેમજ કૃષિ યુનિર્વિસટીના વૈજ્ઞાાનિકો ખેતર ઉપર જાતે જઈ તે જમીનનું ટેસ્ટિંગ કરી તેને આધારે નવા નકશા તૈયાર કરે છે. રાજ્યમાં કૃષિનું એકમદીઠ ઉત્પાદન વધે અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે મુજબ સરકારનું ખેતીવાડી ખાતું તેમજ કૃષિ યુનિર્વિસટીઓ અથાગ પ્રયત્ન કરી રહી છે. કૃષિ મહોત્સવ દરમિયાનના સરકારના કૃષિ અધિકારીઓ તથા કૃષિ યુનિ.ના વૈજ્ઞાાનિકો ગુજરાતનાં ગામડે ગામડે પહોંચી કૃષિની તાંત્રિકતાના લાભાલાભથી ખેડૂતોને વાકેફ કરે છે.
અપૂરતા સેન્દ્રિય ખાતરના વપરાશના કારણે પોષકતત્ત્વોનો અભાવ જમીનમાં જણાતો હોય છે. જે પોષકતત્ત્વોના યોગ્ય ઉપયોગ બાબતે વૈજ્ઞાાનિક સમજ તથા સાચું માર્ગદર્શન મેળવવું જરૃરી છે. નાઈટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ ઉપરાંત કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફરની જરૃરિયાત રહેતી હોય છે. બોરોન, ક્લોરિન, કોપર, આર્યન, મેંગેનીઝ, ઝીંક અને મોલિબ્લેડેનમ તત્ત્વની જરૃરિયાત સૂક્ષ્મ હોય છે. આમાંની કોઈ પણ એક તત્ત્વની ઉણપ છોડની વૃદ્ધિ અને ઉત્પાદનક્ષમતા તેમજ ગુણવત્તા ઉપર અસર કરે છે. ગંધક જેવા ગૌણ તત્ત્વની જરૃરિયાત મધ્યમ રહે છે. આર્યન, મેંગેનીઝ, ઝીંક, જસત, કોપર-તાંબુ, બોરોન અને મોલિબ્લેડેનમ જેવાં તત્ત્વની જરૃરિયાત વનસ્પતિને તદ્દન ઓછી કે નહીંવત્ હોવાથી તે સૂક્ષ્મ તત્ત્વ તરીકે ઓળખાય છે. આ સૂક્ષ્મ તત્ત્વોની ખામીથી છોડની વૃદ્ધિ રૃંધાઈને ઉત્પાદન ઘટે છે.
સારાં બિયારણને કારણે છોડની ઉત્પાદન ક્ષમતા વધુ હોય છે. મુખ્ય તત્ત્વોનો ઉપાડ વધુ થાય છે તેની સામે સૂક્ષ્મ તત્ત્વની જરૃરિયાત ઓછી રહે છે જે પૂરતા પ્રમાણમાં ન હોય તો ઉણપ જણાય છે. વનસ્પતિને-છોડને જરૃરિયાત હોય તે પોષકતત્ત્વો મળી રહે તે માટે સેન્દ્રિય ખાતર (છાણિયું ખાતર) રાસાયણિક ખાતર અને જૈવિક ખાતરનો સંકલિત ઉપયોગ થવો જરૃરી છે. છોડને જે પ્રકારનાં  પોષકતત્ત્વોની જરૃરિયાત છે તે મુજબ છોડને આપવાં જરૃરી છે. જમીનમાં છોડનો ખોરાક કેટલો ઉપલબ્ધ છે અને કેટલો મેળવી શકાય છે. કેટલો બહારથી આપવાનો થાય છે તે જાણવું ખેડૂતોને માટે જરૃરી છે. આવો સામાન્ય ખ્યાલ ખેડૂતોને સમજાઈ જતાં ખેડૂતો પોષકતત્ત્વ સપ્રમાણ વાપરી શકે તે માટે પોતાની જમીનની ચકાસણી કરાવતા થઈ ગયા છે.

જમીનમાં ભલામણ મુજબ સૂક્ષ્મ તત્ત્વો આપવાથી ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે અને પાકની ગુણવત્તામાં પણ સાથે સાથે સુધારો થાય છે. જુદા જુદા અખતરાનાં પરિણામો ઉપરથી જોવા મળેલ છે કે લોહ અને જસતની ર્પૂિત કરવાથી જુદા જુદા પાકોમાં ૧૦થી ૨૫ ટકા સરેરાશ ઉત્પાદન વધારી શકાય છે. ધાન્ય પાકો જેવા કે ઘઉં, ડાંગર, બાજરી, જુવાર અને મકાઈમાં સરેરાશ ૪૨૫ કિગ્રા પ્રતિ હેક્ટર અને ૧૫.૫ ટકા જેટલું વધુ ઉત્પાદન મળી શકે છે. આ વધારો ફક્ત ૨૫ કિગ્રા. ઝિંક સલ્ફેટ આપવાથી મળે છે. જેનો ખર્ચ ૫૦૦ રૃપિયા થાય છે જ્યારે તેલીબિયાંમાં ૨૧ ટકા અને કઠોળ વર્ગના પાકમાં ૨૩ ટકા ઉત્પાદન વધુ મળી શકે છે. તેનાથી થતી આવક ઘણી વધારે થાય છે. આ જ રીતે ૫૦ કિગ્રા. ફેરસ સલ્ફેટ પ્રતિ હેક્ટર જેની કિંમત ૪૫૦ રૃપિયા જેટલી થાય છે તે આપવાથી ઘઉં અને ડાંગરનું ઉત્પાદન સરેરાશ એક ટન (૨૫.૪ ટકા) વધુ મળે છે. લોહની ર્પૂિતથી તેલીબિયાંના ઉત્પાદનમાં વિશેષ ફાયદો જોવા મળે છે.
જમીનનો પીએચ આંક ૭.૦ કરતાં નીચો હોય ત્યારે સૂક્ષ્મ તત્ત્વો જેવાં કે, લોહ, જસત, મેંગેનીઝ, તાંબુની લભ્યતા વધારે હોય છે. જ્યારે ગંધકની લભ્યતા પી.એચ. આંક ૭.૦ કરતાં ઊંચો હોય ત્યારે વધુ જોવા મળે છે. જમીનનો પીએચ આંક ૪.૦થી ૬.૦ હોય ત્યારે જમીન સુધારક તરીકે લાઇમ (ચૂનો) અને જો ૮.૩ કરતાં ઊંચો હોય તો જિપ્સમ (ચિરોડી) જમીન 


જમીન ચકાસણી કરી તેનો ર્ફિટલિટી મેપ બનાવવાના સરકારના પાઈલોટ પ્રોજેક્ટમાં લગભગ ૩૦૦૦ ગામડાંઓનો મેપ લગભગ તૈયાર થવામાં છે. સરકારના આ પાઈલટ પ્રોજેક્ટ બાબતે આણંદ જિલ્લા ખેતી અધિકારી એમ બી. ધોરાજિયાએ જણાવ્યું હતું કે,  હાલ આણંદ જિલ્લામાં ખેડૂતો પોતાની જમીનમાં સૂક્ષ્મ તત્ત્વો,ગૌણ તત્ત્વની જાણકારી મેળવવા જમીનની ચકાસણી કરાવી રહ્યા છે. સરકાર તરફથી વ્યાપક પ્રમાણમાં ઝુંબેશ ધરવામાં આવેલ છે અને દરેક ખેડૂત પોતાની જમીનમાં સલ્ફર, જસત, મેંગેનીઝ, લોહતત્ત્વની માહિતી મેળવી શકે છે. તે માટે જમીનના નમૂના લેવામાં આવેલા અને જમીનનું પૃથક્કરણ કરાવી જમીનમાં રહેલ ઉપલબ્ધ તત્ત્વોની પરિસ્થિતિ અને છોડની જરૃરિયાતને ધ્યાને રાખી સર્વે નંબર વાઈઝ પરિણામના આધારે આણંદ જિલ્લાનાં ૩૬૫ ગામના જમીન ફળદ્રુપતાના નકશા તૈયાર કરવામાં આવી રહ્યા છે. કુલ ૧૧૭ ગામના નકશા તૈયાર કરીને દરેક ગ્રામ પંચાયત અથવા સહકારી મંડળીના વિક્રેતાને ત્યાં મૂકવામાં આવી રહ્યા છે. પેટલાદ -૧૯, તારાપુર ૧૦, ખંભાત ૧૮, બોરસદ-૫૦, ઉમરેઠ -૮, આંકલાવ-૯, આણંદ -૩ એમ કુલ ૧૧૭ નકશા તૈયાર થઈ ચૂક્યા છે. દરેક ગામના નકશા તૈયાર કરવાનું આયોજન કરેલ છે. આ નકશા ઉપરથી સર્વેનંબરમાં સલ્ફર, ગંધક, જસત, મેંગેનીઝ, લોહતત્ત્વની ઉપલબ્ધ ક્ષમતાનો ખ્યાલ આવે છે. પીળો કલર મધ્યમસર ઉપલબ્ધ છે. લાલ કલર ઉણપની અસર દર્શાવે છે અને લીલો કલર વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું જણાવે છે.

published in Gujarat leading agriculture news paper Agro sandesh..